16મી ભારત-જાપાન વાર્ષિક શિખર પરિષદ સંયુક્ત નિવેદન

July 02nd, 10:22 pm

સહિયારી વૃદ્ધિ, સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતા માટે વ્યૂહાત્મક અભિમુખતા (કન્વર્જન્સ) અને વિશ્વાસની ભાગીદારીને આગળ ધપાવવી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે સહયોગ પર ભારત-જાપાન સંયુક્ત નિવેદન

July 02nd, 10:14 pm

ભારતીય ગણરાજ્યના પ્રધાનમંત્રી અને જાપાનના પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એક યુગ-નિર્ધારિત સામાન્ય હેતુવાળી ટેકનોલોજી છે જે અર્થતંત્રો, સમાજો, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઉદ્યોગ અને વ્યાપાર, શાસન તેમજ સુરક્ષામાં પરિવર્તન લાવી રહી છે. તેમણે માન્યતા આપી હતી કે એઆઈની ડિઝાઇન, વિકાસ, ઉપયોગ અને શાસનમાં આજે લેવામાં આવેલા નિર્ણયો નવીનતા, સામાજિક કલ્યાણ, આર્થિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પર લાંબા ગાળાની અસરો કરશે. આ સમજણના આધારે, તેઓ એક સુરક્ષિત, વિશ્વસનીય, સર્વસમાવેશી, માનવ-કેન્દ્રિત, ટકાઉ, જવાબદાર અને ઇનોવેશન-ઓરિએન્ટેડ એઆઈ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે, એઆઈ ક્ષેત્રે બંને દેશોની સ્થિતિસ્થાપકતા અને સ્પર્ધાત્મકતાને પરસ્પર વધારવા તથા બંને દેશોમાં નવીનતા અને વૃદ્ધિ લાવવા માટે સહયોગને આગળ ધપાવવા સંમત થયા હતા.

જાપાનના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

May 26th, 08:13 pm

જાપાનના વિદેશ મંત્રી શ્રી તોશિમિત્સુ મોતેગીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ મહામહિમ શ્રીમતી સાને તાકાઈચીને જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

October 21st, 11:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહામહિમ સુશ્રી સાને તાકાઈચીને જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા. X પરના તેમના એક સંદેશમાં, પ્રધાનમંત્રી મોદીએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.