ઓસ્ટ્રેલિયામાં એક સામુદાયિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 09th, 03:22 pm

હું, મારા મિત્ર, ભારતના મિત્ર, પ્રાઇમ મિનિસ્ટર એન્થની અલ્બેનીઝનો પણ આભારી છું. આપ સિડનીમાં પણ સાથે હતા, અને આજે અહીં મેલબોર્નમાં પણ, ભારતીય સમુદાયની વચ્ચે આવ્યા છો. અને આ એક પ્રકારે પૂર્ણ ચક્ર થઈ ગયું છે.

પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો

July 09th, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. એક વિશેષ સદ્ભાવના તરીકે, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી, માનનીય એન્થોની અલ્બેનીઝ પણ આ પ્રવાસી ભારતીય સમુદાયના કાર્યક્રમમાં જોડાયા હતા.

પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ સાથે મુલાકાત કરી

July 09th, 01:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ, માનનીય શ્રીમતી સેમ મોસ્ટિન AC સાથે મુલાકાત કરી હતી.

ઇન્ડોનેશિયામાં સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન

July 07th, 11:47 pm

આજે મારું સંબોધન શરૂ કરતા પહેલા, હું રાષ્ટ્રપતિ પ્રબોવોનો તેમના સ્નેહ અને શબ્દો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.

પ્રધાનમંત્રીએ જકાર્તામાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા

July 07th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં ભારતીય સમુદાયના એક સ્વાગત સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમના આગમન પર, ભારતીય પ્રવાસીઓ અને ભારતના ઇન્ડોનેશિયન મિત્રોની વિશાળ જનમેદની દ્વારા તેમનું ભવ્ય અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક વિશેષ આદરના પ્રતીક રૂપે, ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્ટો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા.

ભારત-જાપાન બિઝનેસ ફોરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

July 02nd, 03:35 pm

તે જ રીતે, એર કંડિશનર હોય, પાવર ગ્રીડના સાધનો હોય, પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ (ચોક્કસાઈપૂર્વકનું ઉત્પાદન) હોય કે મેડિકલ ટેકનોલોજી હોય, જ્યારે જાપાનની કુશળતા અને રોકાણ ભારતની ગતિ અને સ્કેલ (વ્યાપ) સાથે ભળે છે, ત્યારે સમગ્ર વિશ્વને તેનો લાભ મળે છે.

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત પ્રોત્સાહનોનું વિતરણ કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 19th, 05:15 pm

મંત્રીમંડળના મારા સાથી શ્રી મનસુખ માંડવિયાજી, બહેન શોભાજી, દેશના વિવિધ ભાગોના અલગ-અલગ કાર્યક્રમોમાં જોડાયેલા, ટેકનોલોજીથી જોડાયેલા તમામ મહાનુભાવ, અને જેમ હમણાં મંચ સંચાલક જણાવી રહ્યા હતા કે, 200 સ્થાનો પર આશરે બે લાખ લોકો અત્યારે આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયેલા છે, હું તે બધાને પણ ભલે દૂરથી જ સાચું, પરંતુ દિલથી આપ સૌને મારી શુભેચ્છાઓ આપું છું. ઉદ્યોગ જગત સાથે પણ જોડાયેલા બહુ બધા મહાનુભાવ હું આજે અહીં જોઈ રહ્યો છું, અને યુવા સાથીઓનો ઉત્સાહ તો ધ્યાનમાં આવે જ આવે છે, આટલી મોટી સંખ્યામાં.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું

June 19th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને હિતધારકોને સંબોધિત કર્યા હતા, અને ભારતના યુવાનોને સશક્ત બનાવવા તથા દેશભરમાં રોજગાર નિર્માણને વેગ આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું હતું, જે ભારત સરકારની આ ફ્લેગશિપ રોજગાર-લિંક્ડ પ્રોત્સાહન યોજનાના અમલીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને વિવિધ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષા કવચનો વિસ્તાર કરે છે. આ પ્રોત્સાહને દેશભરમાં 15 લાખ રોજગારીની તકોના નિર્માણને ટેકો આપ્યો છે.

એવિયન, ફ્રાન્સમાં G7 સમિટમાં "બધા માટે સંતુલિત, સહિયારી અને ટકાઉ આર્થિક વૃદ્ધિને પુનર્જીવિત કરવી" વિષય પરના સત્રને પ્રધાનમંત્રીએ સંબોધિત કર્યું

June 18th, 05:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એવિયન, ફ્રાન્સમાં G7 સમિટમાં બધા માટે સંતુલિત, સહિયારી અને ટકાઉ આર્થિક વૃદ્ધિને પુનર્જીવિત કરવી વિષય પરના આઉટરીચ સત્રને સંબોધિત કર્યું હતું.

સૌના માટે સંતુલિત, સહિયારી અને ટકાઉ આર્થિક વૃદ્ધિને પુનર્જીવિત કરવા પર G7 સમિટ આઉટરીચ સત્ર દરમિયાન પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ

June 17th, 06:07 pm

મને ખુશી છે કે ફ્રાન્સની G7 અધ્યક્ષતામાં સહિયારી અને ટકાઉ વૃદ્ધિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આવા સમયમાં જ્યારે વિશ્વ અનેક અનિશ્ચિતતાઓમાંથી પસાર થઈ રહ્યું છે, આ મંચ પરથી નીકળનારો સંદેશ સમગ્ર માનવતા માટે મહત્વપૂર્ણ છે.

ફ્રાન્સના ઇવિયન ખાતે G7માં ''નવી ભાગીદારીઓનું નિર્માણ અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ'' વિષય પરના સત્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 16th, 10:12 pm

અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને કહ્યું હતું: વિશ્વાસ કરો પરંતુ ચકાસો (ટ્રસ્ટ બટ વેરિફાય). આ આજના સમયમાં પણ પ્રાસંગિક છે. ભાવી પેઢીઓ પ્રત્યે આપણી એ જવાબદારી છે કે આપણે નવા યુગને અનુરૂપ વિશ્વાસપાત્ર નિયમો આધારિત વ્યવસ્થા (ટ્રસ્ટેડ રૂલ્સ બેઝ્ડ ઓર્ડર) નું નિર્માણ કરીએ.

પ્રધાનમંત્રીએ ફ્રાન્સમાં G7 સમિટમાં “નવી ભાગીદારી ઘડવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ કરવું” વિષય પરના સત્રને સંબોધિત કર્યું

June 16th, 10:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના એવિયન ખાતે G7 સમિટમાં “નવી ભાગીદારી ઘડવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ કરવું” (ફોર્જિંગ ન્યૂ પાર્ટનરશિપ્સ એન્ડ રિબિલ્ડીંગ ઈન્ટરનેશનલ સોલિડરિટી) વિષય પરના આઉટરીચ સત્રને સંબોધિત કર્યું હતું.

દમણ, ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ

June 05th, 07:20 pm

તમે જેમ અહીં એકઠા થયા છો, તેવી જ રીતે લક્ષદ્વીપમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો વીડિયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, કારણ કે આજે લક્ષદ્વીપના વિકાસની પણ એક નવી શરૂઆત, એક નવો પ્રકલ્પ, જે આખા લક્ષદ્વીપના જીવનમાં એક ક્રાંતિકારી કામ કરવાનો છે, તેના માટે પણ કેટલીક યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દમણમાં આશરે ₹2,970 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો

June 05th, 07:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દમણમાં આશરે ₹2,970 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો. સ્થાનિક નેતાઓ અને નાગરિકોના મેળાવડાને સંબોધતા, પ્રધાનમંત્રીએ જનમેદનીની ભારે ઉપસ્થિતિ બદલ ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમની અગાઉની મુલાકાતને યાદ કરતા તેમણે નોંધ્યું કે કેવી રીતે તેમનું અગાઉનું અવલોકન વાસ્તવિકતામાં બદલાઈ ગયું છે, અને આ પ્રદેશ હવે દેશના વિવિધ અને જીવંત સારનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “દમણ મિની ઈન્ડિયાનું એક જીવંત ઉદાહરણ બની ગયું છે, જ્યાં વિવિધ પ્રદેશોના લોકોનું નિવાસસ્થાન સમગ્ર દેશની સુંદર ઝલક પૂરી પાડે છે.”

Cabinet approves a highway construction project in Odisha worth Rs.8300.79 crore

June 03rd, 03:10 pm

Under PM Modi’s leadership, the Cabinet approved an ₹8,300 crore coastal highway project in Odisha connecting Rameshwar to Paradeep across 160 km. The project will boost connectivity, reduce travel time by nearly 2.5 hours, strengthen logistics under PM GatiShakti and promote regional economic growth while lowering fuel consumption and carbon emissions.

રોજગાર મેળા અંતર્ગત નિમણૂક પત્રોના વિતરણ અવસર પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 23rd, 11:15 am

તમે બધા જાણો છો કે બે દિવસ પહેલા જ હું પાંચ દેશોની યાત્રા કરીને પાછો ફર્યો છું. ભલે તે ફક્ત પાંચ દેશોની યાત્રા હતી, મેં ડઝનબંધ દેશોની મોટી કંપનીઓના નેતાઓ સાથે વાત કરી, ચર્ચા કરી અને તેમને મળ્યો, અને મને એક વાત સતત અનુભવાઈ. વિશ્વ ભારતના યુવાનો અને તેની ટેકનોલોજીકલ પ્રગતિ પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત છે. આજે, વિશ્વ ભારતની વિકાસ યાત્રાનો ભાગ બનવા માંગે છે. ભારત વિશ્વભરના વિવિધ દેશો સાથે પણ ભાગીદારી કરી રહ્યું છે. ઉદ્દેશ્ય ભારતના યુવાનોને તકો અને રોજગાર પૂરો પાડવાનો અને તેમની ક્ષમતાને બહાર કાઢવાનો છે. હું ખરેખર ઇચ્છું છું કે મારા દેશના યુવાનો વૈશ્વિક સ્તરે એક્સપોઝર મેળવે. આ મુલાકાત દરમિયાન, જો હું નેધરલેન્ડનો ઉલ્લેખ કરી શકું તો, તેમની સાથે સેમિકન્ડક્ટર, પાણી, કૃષિ અને અદ્યતન ઉત્પાદન પર ચર્ચાઓ થઈ. સ્વીડન સાથે, કૃત્રિમ બુદ્ધિ (AI) અને ડિજિટલ નવીનતામાં સહયોગ પર અસંખ્ય ચર્ચાઓ થઈ. નોર્વે સાથે, ગ્રીન ટેકનોલોજી અને દરિયાઈ સહયોગ પર ચર્ચાઓ આગળ વધી છે. યુએઈ સાથે વ્યૂહાત્મક ઉર્જા અને ટેકનોલોજી ભાગીદારી પર મહત્વપૂર્ણ કરારો થયા. ઇટાલી સાથે, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભાગીદારી પર કરારો થયા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'રોજગાર મેળા' અંતર્ગત સરકારી નોકરીઓ માટે નવા ભરતી થયેલા યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું

May 23rd, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11 વાગ્યે 19મા રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવ નિયુક્ત યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રો વિતરીત કર્યા હતા. સભાને સંબોધતા તેમણે આ પ્રસંગને દેશભરના હજારો યુવાનો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ ગણાવ્યો હતો. સરકારી સેવામાં નવા પ્રવેશ મેળવનારાઓનું સ્વાગત કરતા તેમણે રેલવે, બેંકિંગ, સંરક્ષણ, આરોગ્ય અને શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં ભારતના વિકાસમાં તેમના આગામી યોગદાન પર ભાર મૂક્યો હતો. આવનારા વર્ષોમાં, તમે બધા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશો, શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું. નિમણૂક પામેલા ઉમેદવારોને આ સીમાચિહ્નરૂપ સ્થાન સુધી પહોંચાડનારી તેમની સમર્પણ અને સખત તૈયારીનું સન્માન કરતા, પ્રધાનમંત્રીએ તે દરેકને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. કોઈપણ વ્યક્તિગત સિદ્ધિ એકલી હોતી નથી તે સ્વીકારતા, તેમણે તે પરિવારો અને માતા-પિતાને પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી જેમનો સહયોગ આ સફરમાં અનિવાર્ય રહ્યો હતો.

ત્રીજી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન ફિનલેન્ડના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની બેઠક

May 19th, 06:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 19 મે 2026 ના રોજ ઓસ્લોમાં ત્રીજી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન ફિનલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પેટ્ટેરી ઓર્પો સાથે મુલાકાત કરી હતી.

નેધરલેન્ડ્સમાં સીઈઓ રાઉન્ડટેબલમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

May 16th, 10:00 pm

આજે વિશ્વની સૌથી નવીન કંપનીઓના નેતાઓ વચ્ચે હાજર રહેવું મારા માટે ખૂબ જ આનંદની વાત છે. આજે, 300થી વધુ ડચ કંપનીઓ ભારતની વાર્તાનો ભાગ છે. તમારા વિઝન અને ભારતમાં વિશ્વાસને કારણે જ નેધરલેન્ડ યુરોપમાંથી ભારતનું સૌથી મોટું રોકાણકાર અને તેનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર બન્યો છે.

વડોદરા, ગુજરાતમાં સરદારધામ હોસ્ટેલના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો પાઠ

May 11th, 06:15 pm

આજનો આ દિવસ કોઈ પુણ્ય પર્વથી ઓછો નથી। અહીં આવતા પહેલા હું સોમનાથ મંદિરમાં હતો. સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થયા છે। સોમનાથ મંદિરની પુનઃસ્થાપના, આ સ્વપ્ન સરદાર પટેલના સંકલ્પથી જ પૂરું થયું હતું. આ અવસર પર, પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. અને તે જ દિવસે, અહીં વડોદરામાં સરદાર ધામ સાથે જોડાયેલા એક અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ થઈ રહ્યો છે. ડૉ. દુષ્યંત અને દક્ષા પટેલ કોમ્પ્લેક્સનું લોકાર્પણ, શિક્ષણ સહાય યોજનાનો શુભારંભ, નવી પરિયોજનાઓનું ભૂમિપૂજન, આ તમામ કાર્ય, ભવિષ્યમાં રાષ્ટ્ર નિર્માણના પ્રભાવી પ્રકલ્પ સાબિત થશે. એક રીતે, આ સંસ્થાન યુવાનો માટે ભવિષ્યની કારકિર્દીના launching pad નું કામ કરશે। હું આપ સૌને, સમાજના તમામ લોકોને આ પુણ્ય કાર્ય માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.