મંત્રીમંડળે રાષ્ટ્રીય રોપ-વે વિકાસ કાર્યક્રમ – પર્વતમાલા પરિયોજના અંતર્ગત ઉત્તરાખંડ રાજ્યમાં ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી (12.4 કિલોમીટર) સુધી રોપ-વે પ્રોજેક્ટનાં વિકાસને મંજૂરી આપી

March 05th, 03:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી સુધી 12.4 કિલોમીટર લાંબી રોપ-વે પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (ડીબીએફઓટી) મોડ પર વિકસાવવામાં આવશે, જેનો કુલ મૂડી ખર્ચ રૂ. 2,730.13 કરોડ છે.