રાજ્યસભામાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ

April 17th, 11:10 am

સદન વતી અને મારી તરફથી, હું શ્રીમાન હરિવંશ જીને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પણ પાઠવું છું. રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે સતત ત્રીજી વખત ચૂંટાવું, તે પોતાનામાં જ આ સદનનો તમારા પ્રત્યે જે ઊંડો વિશ્વાસ છે અને વીતેલા સમયગાળામાં તમારા અનુભવનો સદનને જે લાભ મળ્યો છે, સૌને સાથે લઈને ચાલવાનો તમારો જે પ્રયાસ રહ્યો છે, તેના પર એક પ્રકારે સદને આજે મહોર લગાવી દીધી છે અને આ પોતાનામાં જ એક અનુભવનું સન્માન છે, એક સહજ કાર્યશૈલીનું સન્માન છે અને એક સહજ કાર્યશૈલીનો સ્વીકાર પણ છે. આપણે સૌએ હરિવંશ જીના નેતૃત્વમાં સદનની શક્તિને વધુ પ્રભાવી થતી જોઈ છે અને હું કહી શકું છું કે માત્ર સદનની કાર્યવાહીનું સંચાલન જ નહીં, તેઓ પોતાના જીવનના ભૂતકાળના જે અનુભવો છે, તેનો પણ ખૂબ જ સચોટ રીતે સદનને સમૃદ્ધ કરવામાં ઉપયોગ કરે છે. તેમનો આ અનુભવ સમગ્ર કાર્યવાહીને, સંચાલનને અને સદનના માહોલને વધુ પરિપક્વ બનાવે છે. મને વિશ્વાસ છે, ઉપસભાપતિ જીનો નવો કાર્યકાળ એ જ ભાવના, સંતુલન અને સમર્પણ સાથે આગળ વધશે અને આપણા સૌના પ્રયાસોથી સદનની ગરિમાને નવી ઊંચાઈ પ્રાપ્ત થશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાને સંબોધિત કરી

April 17th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાને સંબોધિત કરી હતી અને શ્રી હરિવંશને અભૂતપૂર્વ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. આ ઐતિહાસિક સિદ્ધિ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આ શ્રી હરિવંશમાં ગૃહના ઊંડા વિશ્વાસ અને તેઓ આ સંસ્થામાં જે મૂલ્યવાન અનુભવ લાવ્યા છે તેને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાવા એ તેમના અનુભવ, તેમના સર્વસમાવેશક અભિગમ અને તેમની ગરિમાપૂર્ણ કાર્યશૈલી પર ગૃહની મંજૂરીની મહોર છે.

પ્રધાનમંત્રીએ શ્રી હરિવંશને રાજ્યસભામાં તેમના નામાંકન બદલ શુભેચ્છાઓ પાઠવી

April 10th, 02:20 pm

માનનીય રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નામાંકન બાદ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી હરિવંશને તેમના આગામી સંસદીય કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

January 27th, 04:00 pm

ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ માટે આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આ વખતે આ કોન્ફરન્સ વધુ ખાસ છે. આ કોન્ફરન્સ 75મા ગણતંત્ર દિવસ પછી તરત જ થઈ રહી છે. આપણું બંધારણ 26મી જાન્યુઆરીએ જ અમલમાં આવ્યું એટલે કે બંધારણને પણ 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. હું દેશવાસીઓ વતી બંધારણ સભાના તમામ સભ્યોને પણ શ્રદ્ધાપૂર્વક નમન કરું છું.

પ્રધાનમંત્રીએ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સને સંબોધન કર્યું

January 27th, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.

રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે શ્રી હરિવંશ નારાયણને ચૂંટાવા બદલ પ્રધાનમંત્રીએ આપેલા નિવેદનનો મૂળપાઠ

September 14th, 05:49 pm

સામાજિક કાર્યો અને પત્રકારત્વની દુનિયામાં હરિવંશજીએ જે પ્રકારે તેમની ઇમાનદારીપૂર્ણ ઓળખ બનાવી છે તેના કારણે મારા મનમાં હંમેશા તેમના પ્રત્યે ખૂબ જ આદરભાવ રહ્યો છે. મેં અનુભવ્યું છે કે, હરિવંશજી માટે જે આદર અને આત્મીયતા મારા મનમાં છે, તેમને નજીકથી ઓળખનારા લોકોના મનમાં છે, એ જ આત્મીયતા અને આદર આજે ગૃહના દરેક સભ્યોના મનમાં પણ છે. આ ભાવ, આ આત્મીયતા હરિવંશજીએ પોતે કમાયેલી મૂડી છે. તેમની જે કાર્યશૈલી છે, જે પ્રકારે ગૃહની કાર્યવાહી તેઓ ચલાવે છે, તેને જોતા આ સ્વાભાવિક છે. ગૃહમાં નિષ્પક્ષરૂપે તમારી ભૂમિકા લોકશાહીને મજબૂત બનાવે છે.

પ્રધાનમંત્રીએ શ્રી હરિવંશ નારાયણ સિંહને રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ શુભેચ્છા પાઠવી

September 14th, 05:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ગૃહ અને તમામ દેશવાસીઓ વતી શ્રી હરિવંશ નારાયણ સિંહને બીજી વાર રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

રાજ્યસભામાં ઉપસભાપતિ તરીકે શ્રી હરિવંશને શુભકામના પાઠવવા માટે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

August 09th, 11:59 am

હું સૌપ્રથમ સદન તરફથી અને મારા તરફથી નવનિયુક્ત ઉપસભાપતિ શ્રીમાન હરિવંશજીને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આપણા માટે ખુશીની વાત છે કે સ્વાસ્થ્ય લાભ પછી આપણા અરુણજી પણ આજે આપણા સૌની વચ્ચે છે. આજે 9 ઓગસ્ટ છે.

શ્રી હરિવંશના રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાવા પ્રસંગે પ્રધાનમંત્રીનું નિવેદન

August 09th, 11:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી હરિવંશજીને રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.