પ્રધાનમંત્રીએ હલવારા એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું, તેને પંજાબના લોકો, ખાસ કરીને લુધિયાણા અને આસપાસના વિસ્તારો માટે અપાર આનંદની ક્ષણ ગણાવી

February 01st, 07:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હલવારા એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પંજાબના લોકો, ખાસ કરીને લુધિયાણા અને આસપાસના વિસ્તારો માટે અપાર આનંદની ક્ષણ છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે લુધિયાણા ઉત્તર ભારતમાં એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર છે અને સરકાર આ શહેર માટે હવાઈ કનેક્ટિવિટી સુધારવા માટે અથાક મહેનત કરી રહી છે, જે આધુનિક એરપોર્ટ માટે ચાલી રહેલા કામોમાં પ્રતિબિંબિત થાય છે.