પ્રધાનમંત્રીએ ગુયાનાના રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવ્યા

September 06th, 09:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાની સામાન્ય અને પ્રાદેશિક ચૂંટણીઓમાં શાનદાર સફળતા બદલ રાષ્ટ્રપતિ ઇરફાન અલીને અભિનંદન પાઠવ્યા છે. મજબૂત અને ઐતિહાસિક લોકો-થી-લોકોના સંબંધોમાં સ્થાપિત ભારત-ગયાના ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે હું આતુર છું, શ્રી મોદીએ જણાવ્યું હતું.

બિહારના સિવાનમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

June 20th, 01:00 pm

હું દરેકને નમન કરું છું. બાબા મહેન્દ્ર નાથ, બાબા હંસનાથ, સોહાગરા ધામ, મા થાવે ભવાની, મા અંબિકા ભવાની, પ્રથમ રાષ્ટ્રપતિ દેશ રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને લોકનાયક જયપ્રકાશ નારાયણની પવિત્ર ભૂમિ પર હું સૌને વંદન કરું છું!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના સિવાનમાં 5,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

June 20th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બિહારના સિવાનમાં 5,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવતા, પ્રધાનમંત્રીએ બાબા મહેન્દ્ર નાથ અને બાબા હંસ નાથને શ્રદ્ધાંજલિ આપી અને સોહગરા ધામની પવિત્ર ઉપસ્થિતિનું આહ્વાન કર્યું હતું. તેમણે મા થાવે ભવાની અને મા અંબિકા ભવાનીને પણ વંદન કર્યા હતા. પ્રધાનમંત્રીએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ, દેશ રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને લોકનાયક જયપ્રકાશ નારાયણની સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપી હતી.

પેરાગ્વેના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રારંભિક નિવેદન

June 02nd, 03:00 pm

અમે ભારતમાં આપનું અને આપના પ્રતિનિધિમંડળનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ. પેરાગ્વે દક્ષિણ અમેરિકામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. આપણી ભૌગોલિક સ્થિતિ અલગ હોઈ શકે છે, પરંતુ આપણે સમાન લોકશાહી મૂલ્યો શેર કરીએ છીએ અને લોકોની સુખાકારીની કાળજી રાખીએ છીએ.

'મન કી બાત'ના 120મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30.03.2025)

March 30th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ખૂબ જ પાવન દિવસ પર મને તમારી સાથે 'મન કી બાત' કરવાનો અવસર મળ્યો છે. આજે ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આજથી ભારતીય નવ વર્ષનો પણ આરંભ થઈ રહ્યો છે. આ વખતે વિક્રમ સંવત 2082 શરૂ થઈ રહ્યું છે. આ સમયે મારી સામે તમારા ઘણા બધા પત્રો રખાયા છે. કોઈ બિહારથી છે, કોઈ બંગાળથી, કોઈ તમિલનાડુથી, કોઈ ગુજરાતથી છે. તેમાં ઘણી રોચક રીતે લોકોએ પોતાના મનની વાતો લખીને મોકલી છે. ઘણા બધા પત્રોમાં શુભકામનાઓ પણ છે, અભિનંદનના સંદેશ પણ છે. પરંતુ આજે મારું મન કહે છે કે કેટલાક સંદેશાઓ તમને સંભળાવું :-

ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 09th, 10:15 am

ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિ બાબુજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો એસ. જયશંકરજી, જુઆલ ઓરામજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અશ્વિની વૈષ્ણવજી, શોભા કરંદલાજેજી, કીર્તિ વર્ધન સિંહજી, પવિત્રા માર્ગેરિટાજી, ઓડિશા સરકારના નાયબ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહદેવજી, પ્રવતી પરિદાજી, અન્ય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, ભારત માતાના બધા પુત્રો અને પુત્રીઓ જેઓ વિશ્વભરમાંથી અહીં આવ્યા છે!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

January 09th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. દુનિયાનાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા તમામ પ્રતિનિધિઓ અને પ્રવાસીઓનું સ્વાગત કરતાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં વસતાં વિવિધ ભારતીય ડાયસ્પોરામાં ઉદ્ઘાટન ગીત વગાડવામાં આવશે. તેમણે ગ્રેમી એવોર્ડ વિજેતા કલાકાર રિકી કેજ અને તેમની ટીમની અદભૂત પ્રસ્તુતિ માટે પ્રશંસા કરી હતી, જેમણે ભારતીય પ્રવાસીઓની ભાવનાઓ અને લાગણીઓને દર્શાવી હતી.

કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 23rd, 09:24 pm

માત્ર ત્રણ-ચાર દિવસ પહેલા, હું ભારત સરકારમાં મારા સાથીદાર જ્યોર્જ કુરિયન જીને ત્યાં ક્રિસમસની ઉજવણીમાં ગયો હતો. હવે આજે તમારી વચ્ચે હાજર રહીને આનંદ થાય છે. કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા- CBCIની આ ઈવેન્ટ એ તમારા બધાને નાતાલની ખુશીમાં જોડાવાની તક છે, આ દિવસ આપણા બધા માટે યાદગાર બનવાનો છે. આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષે CBCI તેની સ્થાપનાના 80 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ અવસર પર હું CBCI અને તેની સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં ભાગ લીધો

December 23rd, 09:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સીબીસીઆઈ સેન્ટર પરિસરમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા (સીબીસીઆઈ) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં સહભાગી થયા હતા. ભારતમાં કેથોલિક ચર્ચના મુખ્યાલયમાં આ પ્રકારના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પહેલી વખત હાજરી આપી છે. પ્રધાનમંત્રીએ ખ્રિસ્તી સમુદાયનાં મુખ્ય નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી, જેમાં કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચનાં અગ્રણી નેતાઓ સામેલ છે.

પ્રધાનમંત્રીએ એક પેડ માઁ કે નામ પહેલને સમર્થન આપવા બદલ ગુયાનાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો

November 25th, 10:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એક પેડ માઁ કે નામ પહેલને સમર્થન આપવા બદલ ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ ગઈકાલના મન કી બાત એપિસોડમાં ગુયાનામાં ભારતીય સમુદાય પ્રત્યેની તેમની પ્રશંસાનો પુનરોચ્ચાર કર્યો હતો.

ઓડિશા પર્વ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 24th, 08:48 pm

ઓડિશા પર્વ નિમિત્તે હું તમને અને ઓડિશાના તમામ લોકોને અભિનંદન આપું છું. આ વર્ષે સ્વભાવ કવિ ગંગાધર મેહેરની પુણ્યતિથિની શતાબ્દી પણ છે. આ પ્રસંગે હું તેમના ગુણોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું ભક્ત દાસિયા બાઉરીજી, ભક્ત સાલબેગજી અને ઉડિયા ભાગવતના રચયિતા શ્રી જગન્નાથ દાસજીને પણ આદરપૂર્વક નમસ્કાર કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ‘ઓડિશા પર્વ 2024’ ઉજવણીમાં સહભાગી થયા

November 24th, 08:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે 'ઓડિશા પર્વ 2024'ની ઉજવણીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ઓડિશાનાં તમામ ભાઈઓ અને બહેનોને શુભેચ્છા પાઠવી હતી, જેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે નોંધ્યું હતું કે, આ વર્ષે સ્વભાવ કવિ ગંગાધર મેહરની પુણ્યતિથિની શતાબ્દી ઉજવવામાં આવી છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તેમણે આ પ્રસંગે ભક્તદાસીયા ભાઉરી, ભક્ત સાલાબેગા અને ઉડિયા ભાગવતના લેખક શ્રી જગન્નાથદાસને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભારતીય પ્રવાસીઓએ વિવિધ દેશોમાં પોતાની ઓળખ બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

November 24th, 11:30 am

મન કી બાતના 116મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ NCC દિવસના મહત્વ વિશે ચર્ચા કરી, NCC કેડેટ્સની વૃદ્ધિ અને આપત્તિ રાહતમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે વિકસિત ભારત માટે યુવા સશક્તિકરણ પર ભાર મૂક્યો અને વિકિસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ વિશે વાત કરી. તેમણે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પ્લેટફોર્મ પર નેવિગેટ કરવામાં મદદ કરતા યુવાનોની પ્રેરણાદાયી વાર્તાઓ અને એક પેડ માં કે નામ અભિયાનની સફળતા પણ શેર કરી.

પ્રધાનમંત્રીએ ગુયાનાના પ્રમુખ ક્રિકેટ ખેલાડીઓ સાથે વાતચીત કરી

November 22nd, 05:31 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુયાનાના પ્રમુખ ક્રિકેટ ખેલાડીઓ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ક્રિકેટે ભારત અને ગુયાનાને નજીક લાવ્યા છે અને સાંસ્કૃતિક જોડાણોને વધુ ગાઢ બનાવ્યા છે.

પ્રધાનમંત્રીએ આર્ય સમાજ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

November 22nd, 03:09 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના ​​જ્યોર્જટાઉનમાં આર્ય સમાજ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ ગુયાનામાં ભારતીય સંસ્કૃતિને જાળવવામાં તેમના પ્રયાસો અને ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આ વર્ષ પણ ખૂબ જ વિશેષ છે કારણ કે આપણે સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જયંતિ નિમિત્તે ઉજવી રહ્યાં છીએ.

ગુયાનામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ ખીલી રહી છેઃ પ્રધાનમંત્રી

November 22nd, 03:06 am

ભારત-ગુયાના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસોમાં સ્વામી અક્ષરાનંદજીના કાર્યની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સરસ્વતી વિદ્યા નિકેતન શાળાની મુલાકાત લીધી હતી અને કહ્યું કે ગુયાનામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ ખીલી રહી છે.

ગુયાનામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

November 22nd, 03:02 am

આજે આપ સૌની સાથે હોવાની મને ખુશી છે. સૌપ્રથમ હું રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો અમારી સાથે જોડાવા બદલ આભાર માનું છું. મારા આગમન પછી મને મળેલા પ્રેમ અને સ્નેહથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું રાષ્ટ્રપતિ અલીનો આભાર માનું છું કે તેમણે મારા માટે તેમના ઘરના દરવાજા ખોલ્યા. હું તેમના પરિવારની હૂંફ અને આત્મીયતા બદલ આભાર માનું છું. આતિથ્યની ભાવના એ આપણી સંસ્કૃતિના કેન્દ્રમાં છે. છેલ્લા બે દિવસથી હું તે અનુભવી શક્યો છું. પ્રમુખ અલી અને તેમનાં દાદી સાથે અમે એક વૃક્ષ પણ રોપ્યું હતું. તે અમારી પહેલનો એક ભાગ છે, એક પેડ મા કે નામ, એટલે કે, માતા માટેનું એક વૃક્ષ. તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે હું હંમેશાં યાદ રાખીશ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું

November 22nd, 03:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલી, પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ, ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને તેમના આગમન પર વિશેષ ઉષ્મા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારનો ઉષ્મા અને આત્મીયતા દાખવવા બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, આતિથ્ય-સત્કારનો જુસ્સો આપણી સંસ્કૃતિના હાર્દમાં છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેમણે ભારત સરકારની એક પેડ મા કે નામ પહેલનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ અને તેમનાં દાદીમા સાથે એક વૃક્ષ વાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે તે કાયમ માટે યાદ રાખશે.

પ્રધાનમંત્રીએ સુરીનામના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

November 21st, 10:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલન અંતર્ગત સુરીનામના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાથે મુલાકા કરી હતી.

પ્રધાનમંત્રીએ ગ્રેનાડાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 21st, 10:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ઈન્ડિયા-કેરીકોમ સમિટ અંતર્ગત ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડિકોન મિશેલ સાથે મુલાકાત કરી હતી.