પ્રધાનમંત્રીએ ડેરા સચખંડ બલ્લાંની મુલાકાત લીધી
February 01st, 09:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબમાં ડેરા સચખંડ બલ્લાંની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની જન્મજયંતી પર ડેરા સચખંડ બલ્લાંમાં હોવું એ ખૂબ જ ખાસ અનુભૂતિ હતી.પ્રધાનમંત્રી સંત નિરંજન દાસજીને મળ્યા
February 01st, 07:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની જન્મજયંતીના વિશેષ પ્રસંગે ડેરા સચખંડ બલ્લાં ખાતે સંત નિરંજન દાસજીને મળ્યા હતા. સમાજ પ્રત્યેની તેમની પ્રેરણાદાયી સેવાના માનમાં તેમને તાજેતરમાં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.આદમપુર એરપોર્ટનું નામ બદલીને શ્રી ગુરુ રવિદાસ મહારાજજી એરપોર્ટ રાખવું એ શ્રી ગુરુ રવિદાસ મહારાજ જીના શાશ્વત આદર્શો માટે યોગ્ય શ્રદ્ધાંજલિ છે: પ્રધાનમંત્રી
February 01st, 06:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે સંત રવિદાસ જયંતીના પવિત્ર પ્રસંગે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આદમપુર એરપોર્ટ હવેથી શ્રી ગુરુ રવિદાસ મહારાજ જી એરપોર્ટ તરીકે ઓળખાશે, તે અત્યંત સન્માન અને ગૌરવની વાત છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે તે શ્રી ગુરુ રવિદાસ મહારાજ જીના શાશ્વત આદર્શો માટે એક યોગ્ય શ્રદ્ધાંજલિ છે અને સમાનતા, કરુણા અને સેવા માટેનો તેમનો સંદેશ આપણને સૌને ખૂબ જ પ્રેરણા આપતો રહે છે.