પ્રધાનમંત્રીની ફ્રાન્સ મુલાકાતના પરિણામોની યાદી

June 14th, 09:32 pm

ભારત-ફ્રાન્સ ઇનોવેશન રોડમેપ 2030 અપનાવવો

રોજગાર મેળા અંતર્ગત નિમણૂક પત્રોના વિતરણ અવસર પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 23rd, 11:15 am

તમે બધા જાણો છો કે બે દિવસ પહેલા જ હું પાંચ દેશોની યાત્રા કરીને પાછો ફર્યો છું. ભલે તે ફક્ત પાંચ દેશોની યાત્રા હતી, મેં ડઝનબંધ દેશોની મોટી કંપનીઓના નેતાઓ સાથે વાત કરી, ચર્ચા કરી અને તેમને મળ્યો, અને મને એક વાત સતત અનુભવાઈ. વિશ્વ ભારતના યુવાનો અને તેની ટેકનોલોજીકલ પ્રગતિ પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત છે. આજે, વિશ્વ ભારતની વિકાસ યાત્રાનો ભાગ બનવા માંગે છે. ભારત વિશ્વભરના વિવિધ દેશો સાથે પણ ભાગીદારી કરી રહ્યું છે. ઉદ્દેશ્ય ભારતના યુવાનોને તકો અને રોજગાર પૂરો પાડવાનો અને તેમની ક્ષમતાને બહાર કાઢવાનો છે. હું ખરેખર ઇચ્છું છું કે મારા દેશના યુવાનો વૈશ્વિક સ્તરે એક્સપોઝર મેળવે. આ મુલાકાત દરમિયાન, જો હું નેધરલેન્ડનો ઉલ્લેખ કરી શકું તો, તેમની સાથે સેમિકન્ડક્ટર, પાણી, કૃષિ અને અદ્યતન ઉત્પાદન પર ચર્ચાઓ થઈ. સ્વીડન સાથે, કૃત્રિમ બુદ્ધિ (AI) અને ડિજિટલ નવીનતામાં સહયોગ પર અસંખ્ય ચર્ચાઓ થઈ. નોર્વે સાથે, ગ્રીન ટેકનોલોજી અને દરિયાઈ સહયોગ પર ચર્ચાઓ આગળ વધી છે. યુએઈ સાથે વ્યૂહાત્મક ઉર્જા અને ટેકનોલોજી ભાગીદારી પર મહત્વપૂર્ણ કરારો થયા. ઇટાલી સાથે, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભાગીદારી પર કરારો થયા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'રોજગાર મેળા' અંતર્ગત સરકારી નોકરીઓ માટે નવા ભરતી થયેલા યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું

May 23rd, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11 વાગ્યે 19મા રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવ નિયુક્ત યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રો વિતરીત કર્યા હતા. સભાને સંબોધતા તેમણે આ પ્રસંગને દેશભરના હજારો યુવાનો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ ગણાવ્યો હતો. સરકારી સેવામાં નવા પ્રવેશ મેળવનારાઓનું સ્વાગત કરતા તેમણે રેલવે, બેંકિંગ, સંરક્ષણ, આરોગ્ય અને શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં ભારતના વિકાસમાં તેમના આગામી યોગદાન પર ભાર મૂક્યો હતો. આવનારા વર્ષોમાં, તમે બધા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશો, શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું. નિમણૂક પામેલા ઉમેદવારોને આ સીમાચિહ્નરૂપ સ્થાન સુધી પહોંચાડનારી તેમની સમર્પણ અને સખત તૈયારીનું સન્માન કરતા, પ્રધાનમંત્રીએ તે દરેકને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. કોઈપણ વ્યક્તિગત સિદ્ધિ એકલી હોતી નથી તે સ્વીકારતા, તેમણે તે પરિવારો અને માતા-પિતાને પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી જેમનો સહયોગ આ સફરમાં અનિવાર્ય રહ્યો હતો.

ભારત-ઇટાલી સંયુક્ત ડેક્લેરેશન

May 20th, 10:28 pm

ઇટાલિયન રિપબ્લિકના મંત્રી પરિષદના અધ્યક્ષ (પ્રધાનમંત્રી) જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 19-20 મે 2026 ના રોજ ઇટાલીની સત્તાવાર મુલાકાત લીધી હતી. જી7 (G7) શિખર સંમેલન માટે જૂન 2024 માં પ્રધાનમંત્રી મોદીની ઇટાલી મુલાકાત અને વર્ષ 2023 માં જી20 (G20) શિખર સંમેલન માટે પ્રધાનમંત્રી મેલોનીની ભારત મુલાકાત બાદ યોજાયેલી આ મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ પૂરી પાડી છે. બંને નેતાઓએ ભારત-ઇટાલી સંબંધોને 'વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી' (સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ) ના સ્તર સુધી લઈ જવાનો નિર્ણય કર્યો હતો.

હેગ, નેધરલેન્ડ્સમાં એક સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 16th, 01:30 pm

આમ તો ધ હેગ (The Hague) ને દુનિયા City of Peace and Justice” (શાંતિ અને ન્યાયનાં શહેર)ના રૂપમાં જાણે છે. પરંતુ આજે અહીં જે માહોલ છે તેને જોઈને લાગી રહ્યું છે કે ધ હેગ, ભારતીય મિત્રતાનું જીવંત પ્રતીક બની ગયું છે!

પ્રધાનમંત્રીએ નેધરલેન્ડ્સમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા

May 16th, 01:20 pm

સભાને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ ઉત્સાહપૂર્ણ અને રંગારંગ સ્વાગત બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે ડચ સોસાયટી (સમાજ) માં તેમના યોગદાન માટે અને ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મિત્રતાના જીવંત સેતુ તરીકે સેવા આપવા બદલ ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા કરી હતી. તેમણે ભારત સાથે સુરીનામી-હિન્દુસ્તાની સમુદાયના ઊંડા અને સ્થાયી ઐતિહાસિક સંબંધોને પણ યાદ કર્યા હતા, અને પેઢી દર પેઢી તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને તેની ઉજવણી કરવાના તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે ટેક્નોલોજી ક્ષેત્રે મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ અને ડચ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યા, ખાસ કરીને ઇનોવેશન-આધારિત (નવીનતા-સંચાલિત) ક્ષેત્રોમાં, બંને દેશો વચ્ચેની સમકાલીન ભાગીદારીને મજબૂત બનાવી રહી છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે રમતગમતના જોડાણો, ખાસ કરીને ક્રિકેટ અને હોકી, બંને દેશો વચ્ચેના ગાઢ લોકો-થી-લોકોના સંબંધોમાં નવી ગતિશીલતા ઉમેરી રહ્યા છે.

વડોદરા, ગુજરાતમાં સરદારધામ હોસ્ટેલના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો પાઠ

May 11th, 06:15 pm

આજનો આ દિવસ કોઈ પુણ્ય પર્વથી ઓછો નથી। અહીં આવતા પહેલા હું સોમનાથ મંદિરમાં હતો. સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થયા છે। સોમનાથ મંદિરની પુનઃસ્થાપના, આ સ્વપ્ન સરદાર પટેલના સંકલ્પથી જ પૂરું થયું હતું. આ અવસર પર, પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. અને તે જ દિવસે, અહીં વડોદરામાં સરદાર ધામ સાથે જોડાયેલા એક અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ થઈ રહ્યો છે. ડૉ. દુષ્યંત અને દક્ષા પટેલ કોમ્પ્લેક્સનું લોકાર્પણ, શિક્ષણ સહાય યોજનાનો શુભારંભ, નવી પરિયોજનાઓનું ભૂમિપૂજન, આ તમામ કાર્ય, ભવિષ્યમાં રાષ્ટ્ર નિર્માણના પ્રભાવી પ્રકલ્પ સાબિત થશે. એક રીતે, આ સંસ્થાન યુવાનો માટે ભવિષ્યની કારકિર્દીના launching pad નું કામ કરશે। હું આપ સૌને, સમાજના તમામ લોકોને આ પુણ્ય કાર્ય માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું ઉદઘાટન કર્યું

May 11th, 06:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું ઉદઘાટન કર્યું હતું. સોમનાથ મંદિરના 75મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે જ વડોદરાના સરદાર ધામ ખાતે એક પ્રતિષ્ઠિત મેળાવડાને સંબોધતા પ્રધાનમંત્રીએ શૈક્ષણિક સંસ્થાઓના ઉદઘાટન અને આધ્યાત્મિક સ્મરણના શુભ સંયોગને ચિહ્નિત કર્યો હતો. શિક્ષણ સહાય યોજના શરૂ કરવાની સાથે ડો. દુષ્યંત અને દક્ષા પટેલ કોમ્પ્લેક્સનું ઉદઘાટન અને બહુવિધ શૈક્ષણિક પ્રોજેક્ટ્સ માટે ભૂમિપૂજન વિધિ સંપન્ન કરતા પ્રધાનમંત્રીએ આ પહેલોને યુવાનોની ભાવિ કારકિર્દી માટે 'લોન્ચિંગ પેડ' તરીકે ઓળખાવી હતી. થોડા કલાકો પહેલા જ હું પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો હતો અને હવે આપણે અહીં પરિવર્તનકારી શૈક્ષણિક સંસ્થાઓનું ઉદઘાટન કરી રહ્યા છીએ, આ સમકાલીનતા પ્રતીક છે કે કેવી રીતે વારસો અને પ્રગતિ સાથે આગળ વધે છે, તેમ શ્રી મોદીએ અવલોકન કર્યું હતું.

વૈશ્વિક પડકારો વચ્ચે, દરેક ભારતીયને પ્રધાનમંત્રી મોદીની જોરદાર અપીલ

May 10th, 08:39 pm

પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદમાં એક જાહેર રેલીને સંબોધિત કરી, જ્યાં તેમણે તાજેતરના સંઘર્ષો અને પુરવઠા શૃંખલા વિક્ષેપોને કારણે ઉદ્ભવતા વૈશ્વિક આર્થિક પડકારોને સંબોધિત કર્યા અને ભારતની સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવા માટે સામૂહિક રાષ્ટ્રીય જવાબદારીનું આહ્વાન કર્યું. તેમણે નાગરિકોને આયાત પર દબાણ ઘટાડવા અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે ઇંધણનો વપરાશ ઘટાડવા, કારપૂલિંગને પ્રોત્સાહન આપવા, જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રાથમિકતા આપવાનો આગ્રહ કર્યો.

People are fed up off Congress and BRS' politics of nepotism: PM Modi in Hyderabad

May 10th, 06:05 pm

PM Modi addressed a massive public rally in Hyderabad, Telangana, where he spoke on India’s rising global stature, the significance of BJP’s recent electoral victories and the country’s collective responsibility during ongoing global economic and geopolitical challenges.

PM Modi’s massive rally in Hyderabad focuses on self-reliance and a Viksit Telangana

May 10th, 06:00 pm

PM Modi addressed a massive public rally in Hyderabad, Telangana, where he spoke on India’s rising global stature, the significance of BJP’s recent electoral victories and the country’s collective responsibility during ongoing global economic and geopolitical challenges.

હૈદરાબાદમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 10th, 03:45 pm

સાયબરાબાદનું સામર્થ્ય નેશનલ પણ છે અને ગ્લોબલ પણ છે. તે તેલંગાણાના અને દેશના ઝડપી વિકાસનું મુખ્ય કેન્દ્ર છે. તેથી, આજે સાયબરાબાદથી તેલંગાણાને દેશનું એક મોટું મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનાવવા માટે અનેક મોટા પ્રોજેક્ટ્સ શરૂ થઈ રહ્યા છે. આજે જે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે, તેનાથી અહીં હજારો નવા રોજગાર ઉભા થશે અને તેલંગાણાની કનેક્ટિવિટી પણ સશક્ત થશે. હું તેલંગાણાની જનતાને આ પ્રોજેક્ટ્સ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ, તેલંગાણામાં અંદાજે ₹9,400 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, લોકાર્પણ કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા

May 10th, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદ, તેલંગાણામાં અંદાજે ₹9,400 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, લોકાર્પણ કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય અને વૈશ્વિક બંને દ્રષ્ટિએ મહત્વના કેન્દ્ર તરીકે હૈદરાબાદના પરિવર્તનકારી મહત્વ પર ભાર મૂક્યો હતો. તેલંગાણા અને સમગ્ર દેશ માટે ઝડપી વિકાસ લાવવામાં આ પ્રદેશની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકતા, તેમણે આજે શરૂ કરાયેલા વિવિધ મોટા પાયાના પ્રોજેક્ટ્સ તેલંગાણાને એક મુખ્ય મેન્યુફેક્ચરિંગ હબ તરીકે કેવી રીતે સ્થાપિત કરશે તેની રૂપરેખા આપી હતી. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત થવાની સાથે હજારો નવી રોજગારીની તકો ઊભી થશે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટ્સ માટે તેલંગાણાના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં લેવામાં આવી રહેલા પગલાંની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રીએ CCS બેઠકની અધ્યક્ષતા કરી

April 01st, 10:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 7 લોક કલ્યાણ માર્ગ ખાતે પશ્ચિમ એશિયાના ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં વિવિધ મંત્રાલયો/વિભાગો દ્વારા લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરવા અને લેવામાં આવનારી વધુ પહેલો અંગે ચર્ચા કરવા માટે સુરક્ષા વિષયક કેબિનેટ સમિતિ (CCS) ની વિશેષ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ મુદ્દે આ બીજી વિશેષ CCS બેઠક હતી.

ટીવી9 સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 23rd, 08:30 pm

સાથીઓ, આજે જ્યારે દુનિયા, conflicts (સંઘર્ષો) ને કારણે ગૂંચવાયેલી છે, જ્યારે આ સંઘર્ષોની દુષ્પ્રેરણા આખી દુનિયા પર દેખાઈ રહી છે, ત્યારે India and the world ની વાત કરવી ખૂબ જ પ્રાસંગિક છે. ભારત આજે એ દેશ છે, જેની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. 2014 પહેલાની સ્થિતિઓને પાછળ છોડીને આજે ભારત એક નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. હવે ભારત પડકારોને ટાળતું નથી પરંતુ પડકારો સામે ટકરાય છે. તમે છેલ્લા 5-6 વર્ષમાં જુઓ, કોરોનાની મહામારી પછી પડકારો એક પછી એક વધતા જ ગયા છે. એવું કોઈ વર્ષ નથી, જેણે ભારતની, ભારતીયોની પરીક્ષા ન લીધી હોય. પરંતુ 140 કરોડ દેશવાસીઓના એકજૂટ પ્રયાસથી ભારત દરેક આપત્તિનો સામનો કરતા આગળ વધી રહ્યું છે. આ સમયે યુદ્ધની પરિસ્થિતિઓમાં પણ ભારતની નીતિ અને વ્યૂહરચના જોઈને, ભારતનું સામર્થ્ય જોઈને દુનિયાના અનેક દેશો હેરાન છે. આપણે ત્યાં કહેવત છે, સાંચ કો આંચ નહીં. 28 ફેબ્રુઆરીથી દુનિયામાં જે ઉથલપાથલ મચી છે, આ કઠોર વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભારત પ્રગતિના, વિકાસના, વિશ્વાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આ 23 દિવસોમાં ભારતે પોતાની Relationship Building Capacity બતાવી છે, Decision Making Capacity બતાવી છે અને Crisis Management Capacity બતાવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ TV-9 નેટવર્ક સમિટને સંબોધિત કરી

March 23rd, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'ભારત અને વિશ્વ' થીમ પર આધારિત TV9 સમિટને સંબોધિત કરી હતી. અભૂતપૂર્વ અને ગંભીર વૈશ્વિક પરિસ્થિતિઓને સ્વીકારતા, પ્રધાનમંત્રીએ એક નિર્ણાયક વળાંક પર વિચારોના આદાનપ્રદાન માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનાવવા બદલ TV9 નેટવર્કની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ જે ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ અને અત્યંત ગંભીર છે, અને આની વચ્ચે TV9 નેટવર્કે વિચારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ઊભું કર્યું છે.

પ્રધાનમંત્રીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી

March 21st, 04:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મસૂદ પેઝેશ્કિયન સાથે પ્રાદેશિક ઘટનાક્રમો પર ચર્ચા કરવા અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે વાત કરી હતી.

NXT સમિટ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 12th, 10:47 pm

આજે 12 માર્ચનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. 12 માર્ચ, 1930ના રોજ મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી. આ ભારતની સ્વતંત્રતા આંદોલનનું એક ટર્નિંગ પોઈન્ટ હતું. કારણ કે આ યાત્રાએ દેશના ખૂણે-ખૂણાને એક લક્ષ્ય સાથે જોડી દીધા હતા અને આ લક્ષ્ય હતું- ભારતની આઝાદી. આજે આ ઐતિહાસિક યાત્રાના લગભગ 100 વર્ષોની આસપાસ આપણે ભારતીયો ફરી એક નવી યાત્રા પર નીકળ્યા છીએ. આ યાત્રા છે- વિકસિત ભારતની યાત્રા. આપણું લક્ષ્ય એક છે, આપણી મંજિલ એક છે - વિકસિત ભારત. અને આ લક્ષ્યની પ્રાપ્તિમાં આવી સમિટ્સમાં થયેલું મંથન, તેમાંથી નીકળેલું અમૃત મોટી ભૂમિકા ભજવે છે. હું આપ સૌનો આભારી છું કે તમે મને નેક્સ્ટ સમિટ માટે આમંત્રિત કર્યો. અહીં દેશમાંથી, દુનિયામાંથી ઘણા બધા સાથીઓ આવ્યા છે, કેટલાક જૂના પરિચિત પણ છે, હું આપ સૌનું અભિનંદન કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NXT સમિટને સંબોધિત કરી

March 12th, 08:30 pm

પ્રધાનમંત્રીએ આજે iTV નેટવર્કની NXT સમિટને સંબોધિત કરી, જે દાંડી કૂચની ઐતિહાસિક વર્ષગાંઠને ચિહ્નિત કરે છે અને ભારતની સ્વતંત્રતા માટેના સંઘર્ષ અને વિકસિત રાષ્ટ્ર બનવાના તેના વર્તમાન પ્રયાસો વચ્ચે સમાનતા દર્શાવે છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જે રીતે 1930ની કૂચએ દેશને સ્વતંત્રતા તરફ એકત્ર કર્યો હતો, તે જ રીતે વર્તમાન વિકસિત ભારત મિશન 140 કરોડ ભારતીયોનું સામૂહિક લક્ષ્ય છે. આજે, તે ઐતિહાસિક મુસાફરીના લગભગ 100 વર્ષ પછી, આપણે ભારતીયોએ ફરી એકવાર 'વિકસિત ભારત' માટે એક નવી મુસાફરી શરૂ કરી છે, પ્રધાનમંત્રીએ કહ્યું.

The inauguration of Micron’s semiconductor facility marks a milestone in India’s journey towards technology leadership: PM Modi in Sanand, Gujarat

February 28th, 02:45 pm

During the inauguration of the Micron ATMP facility in Sanand, Gujarat, PM Modi said that India is now rapidly strengthening its identity in the hardware sector. He highlighted the project’s rapid progress and emphasized that the facility is a testament to the robust India-US partnership. He expressed confidence that the Micron facility would anchor a new semiconductor ecosystem in the country and asserted that India is ready, reliable and delivers.