પ્રધાનમંત્રી 29 ઓક્ટોબરે મુંબઈની મુલાકાત લેશે
October 27th, 10:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર 2025ના રોજ મુંબઈની મુલાકાત લેશે અને સાંજે 4:00 વાગ્યે તેઓ મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવને સંબોધિત કરશે તેમજ નેસ્કો એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે યોજાનાર ઇન્ડિયા મેરીટાઇમ વીક 2025માં ગ્લોબલ મેરીટાઇમ સીઈઓ ફોરમની અધ્યક્ષતા કરશે.