કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 11th, 02:45 pm

2026ના પ્રારંભ પછી આ મારો ગુજરાતનો પ્રથમ પ્રવાસ છે. અને સુખદ એટલા માટે પણ છે કારણ કે 2026 ની મારી યાત્રા સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને થઈ છે. અને હવે હું રાજકોટમાં આ શાનદાર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું. એટલે કે વિકાસ પણ, વિરાસત પણ, આ મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. હું દેશ અને દુનિયાભરમાંથી અહીં પધારેલા આપ સૌ સાથીઓનું વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં સ્વાગત કરું છું, અભિનંદન કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું

January 11th, 02:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે 2026 ની શરૂઆત પછી ગુજરાતની આ તેમની પ્રથમ મુલાકાત છે. તેમણે હાઇલાઇટ કર્યું કે વહેલી સવારે તેમણે ભગવાન સોમનાથના દિવ્ય દર્શન કર્યા હતા અને હવે તેઓ રાજકોટમાં આ ભવ્ય કાર્યક્રમમાં સહભાગી થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે “વિકાસ પણ, વિરાસત પણ” નો મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ભાગ લેવા માટે દેશ અને દુનિયાભરમાંથી આવેલા તમામ સાથીઓનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ગીરમાં 3જી માર્ચનાં રોજ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની 7મી બેઠકની અધ્યક્ષતા કરી

March 03rd, 04:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રી ગુજરાતના ગીરમાં સફારી પર ગયા

March 03rd, 12:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગીરમાં સફારી પર ગયા હતા, જે ભવ્ય એશિયાઈ સિંહોના ઘર તરીકે જાણીતું છે. તેમણે છેલ્લા ઘણા વર્ષોમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો સુનિશ્ચિત કરનારા સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી.