ઉત્તર પ્રદેશમાં નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 28th, 12:15 pm

શું ઉદ્ઘાટન થઈ ગયું? ઉદ્ઘાટન થઈ ગયું? ના, તે ફક્ત અડધું થયું છે. મેં ફક્ત પડદો હટાવ્યો છે, પરંતુ આજે હું ઇચ્છું છું કે તમે બધા અહીં હાજર રહો અને આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરો. તો, તમારા મોબાઇલ ફોન કાઢો, તમારા મોબાઇલ ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરો અને તમે તેનું ઉદ્ઘાટન કરી રહ્યા છો. દીવો પ્રગટાવીને, અહીં હાજર દરેક વ્યક્તિ આજે આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરી રહ્યો છે. આ તમારો વિશ્વાસ છે, આ તમારું ભવિષ્ય છે, આ તમારો પ્રયાસ છે, અને તેથી તેનું ઉદ્ઘાટન પણ તમારા હાથ દ્વારા થઈ રહ્યું છે. ભારત માતાની જય બોલો, તમારા હાથ ઊંચા કરો, અને તમારી ફ્લેશલાઇટ સંપૂર્ણ રીતે બતાવો. ભારત માતાની જય. ભારત માતાની જય. ભારત માતાની જય. ખૂબ ખૂબ આભાર. હવે ઉદ્ઘાટન થઈ ગયું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આશરે ₹11,200 કરોડના રોકાણ સાથે વિકસિત નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું

March 28th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પોતાના ગર્વ અને ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે વિકસિત ઉત્તર પ્રદેશ, વિકસિત ભારત અભિયાનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. તેમણે નોંધ્યું કે ભારતનું સૌથી મોટું રાજ્ય હવે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિમાનમથકો ધરાવતા રાજ્યોમાંનું એક બની ગયું છે. પ્રધાનમંત્રી મોદીએ બેવડી ખુશી વ્યક્ત કરી - પ્રથમ કારણ કે તેમણે આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો અને હવે તેનું ઉદ્ઘાટન કરી રહ્યા છે; અને બીજું કારણ કે આ ભવ્ય એરપોર્ટ ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલું છે. શ્રી મોદીએ કહ્યું, આ એ જ રાજ્ય છે જેણે મને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યો અને મને સંસદ સભ્ય બનાવ્યો અને હવે તેની ઓળખ આ ભવ્ય એરપોર્ટ સાથે જોડાયેલી છે.

પશ્ચિમ એશિયાના સંકટમાં ઉભરતી પરિસ્થિતિના સંદર્ભમાં સજ્જતાની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી

March 27th, 09:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસથી ઉદ્ભવતી પરિસ્થિતિ અને ભારત પર તેની સંભવિત અસરના સંદર્ભમાં સજ્જતાની સમીક્ષા કરવા માટે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર રાજ્યસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 24th, 02:05 pm

આપણે સૌ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિથી વાકેફ છીએ. હું આજે સંસદના ઉપલા ગૃહ સમક્ષ અને દેશવાસીઓ સમક્ષ આ ભયંકર પરિસ્થિતિઓ પર સરકારનું વલણ રજુ કરવા માટે હાજર છું. પશ્ચિમ એશિયામાં આ યુદ્ધ ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. આ યુદ્ધે વિશ્વભરમાં ગંભીર ઊર્જા સંકટ પેદા કર્યું છે. આ પરિસ્થિતિ ભારત માટે પણ ચિંતાજનક છે. આ યુદ્ધ આપણા વેપાર માર્ગોને અસર કરી રહ્યું છે. તે પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતર જેવી આવશ્યક ચીજવસ્તુઓના નિયમિત પુરવઠાને અસર કરી રહ્યું છે. લગભગ 10 મિલિયન ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને કામ કરે છે. તેમના જીવન અને આજીવિકાની સલામતી પણ ભારત માટે એક મોટી ચિંતાનો વિષય છે. વિશ્વભરના અસંખ્ય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય ક્રૂ સભ્યો છે. આ ભારત માટે પણ ખૂબ જ ચિંતાનો વિષય છે. આવી ભયંકર પરિસ્થિતિમાં, ભારતીય સંસદના આ ઉપલા ગૃહમાંથી શાંતિ અને સંવાદ માટે સંયુક્ત અવાજ સમગ્ર વિશ્વમાં સાંભળવામાં આવે તે જરૂરી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે રાજ્યસભામાં સંબોધન કર્યું

March 24th, 02:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાને સંબોધિત કરી હતી, જેમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષથી ઉદ્ભવેલી પરિસ્થિતિ પર સરકારનું વલણ રજૂ કર્યું હતું. ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધે ભારત માટે અત્યંત ચિંતાજનક અસરો સાથે ગંભીર વૈશ્વિક ઊર્જા સંકટ ઊભું કર્યું છે તે નોંધતા, પીએમ મોદીએ ધ્યાન દોર્યું હતું કે આ સંઘર્ષ ભારતના વેપાર માર્ગોને ખોરવી રહ્યો છે અને પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતર જેવી આવશ્યક ચીજવસ્તુઓના નિયમિત પુરવઠાને અસર કરી રહ્યો છે. ખાડી દેશોમાં લગભગ એક કરોડ ભારતીયો રહે છે અને કામ કરે છે, તેમની સુરક્ષા અને આજીવિકા ગંભીર ચિંતાનો વિષય છે, તેમ પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું, સાથે જ હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજો પર ફસાયેલા મોટી સંખ્યામાં ભારતીય ક્રૂ મેમ્બર્સ તરફ પણ ધ્યાન દોર્યું હતું. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવા કપરા સંજોગોમાં, એ અનિવાર્ય છે કે ભારતીય સંસદના આ ગરિમામય ઉચ્ચ સદનમાંથી શાંતિ અને સંવાદનો એકજૂથ અવાજ સમગ્ર વિશ્વમાં જાય.

ટીવી9 સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 23rd, 08:30 pm

સાથીઓ, આજે જ્યારે દુનિયા, conflicts (સંઘર્ષો) ને કારણે ગૂંચવાયેલી છે, જ્યારે આ સંઘર્ષોની દુષ્પ્રેરણા આખી દુનિયા પર દેખાઈ રહી છે, ત્યારે India and the world ની વાત કરવી ખૂબ જ પ્રાસંગિક છે. ભારત આજે એ દેશ છે, જેની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. 2014 પહેલાની સ્થિતિઓને પાછળ છોડીને આજે ભારત એક નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. હવે ભારત પડકારોને ટાળતું નથી પરંતુ પડકારો સામે ટકરાય છે. તમે છેલ્લા 5-6 વર્ષમાં જુઓ, કોરોનાની મહામારી પછી પડકારો એક પછી એક વધતા જ ગયા છે. એવું કોઈ વર્ષ નથી, જેણે ભારતની, ભારતીયોની પરીક્ષા ન લીધી હોય. પરંતુ 140 કરોડ દેશવાસીઓના એકજૂટ પ્રયાસથી ભારત દરેક આપત્તિનો સામનો કરતા આગળ વધી રહ્યું છે. આ સમયે યુદ્ધની પરિસ્થિતિઓમાં પણ ભારતની નીતિ અને વ્યૂહરચના જોઈને, ભારતનું સામર્થ્ય જોઈને દુનિયાના અનેક દેશો હેરાન છે. આપણે ત્યાં કહેવત છે, સાંચ કો આંચ નહીં. 28 ફેબ્રુઆરીથી દુનિયામાં જે ઉથલપાથલ મચી છે, આ કઠોર વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભારત પ્રગતિના, વિકાસના, વિશ્વાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આ 23 દિવસોમાં ભારતે પોતાની Relationship Building Capacity બતાવી છે, Decision Making Capacity બતાવી છે અને Crisis Management Capacity બતાવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ TV-9 નેટવર્ક સમિટને સંબોધિત કરી

March 23rd, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'ભારત અને વિશ્વ' થીમ પર આધારિત TV9 સમિટને સંબોધિત કરી હતી. અભૂતપૂર્વ અને ગંભીર વૈશ્વિક પરિસ્થિતિઓને સ્વીકારતા, પ્રધાનમંત્રીએ એક નિર્ણાયક વળાંક પર વિચારોના આદાનપ્રદાન માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનાવવા બદલ TV9 નેટવર્કની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ જે ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ અને અત્યંત ગંભીર છે, અને આની વચ્ચે TV9 નેટવર્કે વિચારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ઊભું કર્યું છે.

છત્તીસગઢના નવા રાયપુર ખાતે રજત મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 01st, 03:30 pm

છત્તીસગઢના રાજ્યપાલ, રમણ ડેકાજી, રાજ્યના લોકપ્રિય અને ઉર્જાવાન મુખ્યમંત્રી, વિષ્ણુ દેવ સાંઈજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા વરિષ્ઠ સાથીઓ, જુઆલ ઓરાઓનજી, દુર્ગા દાસ ઉઇકે જી, તોખાન સાહુજી, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ, રમણ સિંહજી, નાયબ મુખ્યમંત્રી અરુણ સાહુજી, વિજય શર્માજી, હાજર મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, અને છત્તીસગઢના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં આવેલા મારા બધા પ્રિય ભાઈઓ અને બહેનો,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ રજત મહોત્સવમાં સંબોધન કર્યુ

November 01st, 03:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવા રાયપુર ખાતે છત્તીસગઢ રાજ્યની સ્થાપનાના 25 વર્ષ નિમિત્તે છત્તીસગઢ રજત મહોત્સવને સંબોધિત કર્યો હતો. તેમણે રસ્તા, ઉદ્યોગ, આરોગ્યસંભાળ અને ઉર્જા જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લેતા ₹14,260 કરોડથી વધુના વિકાસલક્ષી અને પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યું હતું. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ છત્તીસગઢના લોકોને શુભેચ્છા પાઠવી અને કહ્યું હતું કે આજે, છત્તીસગઢ રાજ્યની રચનાના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે તેમણે છત્તીસગઢના તમામ લોકોને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

NDA freed Bihar from Naxalism and Maoist terror — now you can live and vote fearlessly: PM Modi in Begusarai

October 24th, 12:09 pm

Addressing a massive public rally in Begusarai, PM Modi stated, On one side, there is the NDA, an alliance with mature leadership, and on the other, there is the 'Maha Lathbandhan'. He highlighted that nearly 90% of purchases in the country are of Swadeshi products, benefiting small businesses. The PM remarked that the NDA has freed Bihar from Naxalism and Maoist terror, and that every vote of the people of Bihar will help build a peaceful, prosperous state.

We’re connecting Bihar’s heritage with employment, creating new opportunities for youth: PM Modi in Samastipur

October 24th, 12:04 pm

Ahead of the Bihar Assembly elections, PM Modi kickstarted the NDA’s campaign by addressing a grand public meeting in Samastipur, Bihar. He said, “The trumpet of the grand festival of democracy has sounded. The entire Bihar is saying, ‘Phir Ek Baar NDA Sarkar!’” Remembering Bharat Ratna Jan Nayak Karpoori Thakur ji, the PM said, “It is only due to his blessings that people like us, who come from humble and backward families, are able to stand on this stage today.”

PM Modi addresses enthusiastic crowds in Bihar’s Samastipur and Begusarai

October 24th, 12:00 pm

Ahead of the Bihar Assembly elections, PM Modi kickstarted the NDA’s campaign by addressing massive gatherings in Samastipur and Begusarai, Bihar. He said, “The trumpet of the grand festival of democracy has sounded. The entire Bihar is saying, ‘Phir Ek Baar NDA Sarkar!’” Remembering Bharat Ratna Jan Nayak Karpoori Thakur ji, the PM remarked, “It is only due to his blessings that people like us, who come from humble and backward families, are able to stand on this stage today.”

નવી દિલ્હીમાં NDTV વર્લ્ડ સમિટ 2025માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 17th, 11:09 pm

મહામહિમ, શ્રીલંકાના પ્રધાનમંત્રી, હરિની અમરસુરિયા, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મારા મિત્ર ટોની એબોટ, યુકેના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, ઋષિ સુનક, પ્રતિષ્ઠિત મહેમાન, દેવીઓ અને સજ્જનો, નમસ્કાર!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં NDTV વર્લ્ડ સમિટ 2025ને સંબોધિત કર્યું

October 17th, 08:00 pm

પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું કે વિવિધ અવરોધો અને સ્પીડ બ્રેકર્સનો સામનો કરી રહેલા વિશ્વમાં, અનસ્ટોપેબલ ઈન્ડિયાની આસપાસની ચર્ચા સ્વાભાવિક અને સમયસર બંને છે. તેમણે આ થીમને અગિયાર વર્ષ પહેલાંની પરિસ્થિતિ અને વર્તમાનના સંદર્ભમાં મૂકવાનો પ્રયાસ કર્યો. 2014 પહેલાના યુગને યાદ કરતા, શ્રી મોદીએ તે સમયે આવા સમિટમાં પ્રભુત્વ ધરાવતી ચર્ચાઓના સ્વરૂપ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભારત વૈશ્વિક અવરોધોનો સામનો કેવી રીતે કરશે, તે ફ્રેજીલ ફાઇવ જૂથમાંથી કેવી રીતે બહાર નીકળશે, રાષ્ટ્ર કેટલો સમય નીતિગત લકવામાં ફસાયેલું રહેશે અને મોટા પાયે કૌભાંડોનો યુગ ક્યારે સમાપ્ત થશે જેવી ચિંતાઓ તરફ ધ્યાન દોર્યું હતું.

પીએમ 16મી ઓક્ટોબરે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે

October 14th, 05:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી ઓક્ટોબરે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 વાગ્યે, તે નંદ્યાલ જિલ્લામાં શ્રીશૈલમ, શ્રી ભ્રામરામ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ, બપોરે લગભગ 12:15 વાગ્યે, તેઓ શ્રીશૈલમમાં શ્રી શિવાજી સ્ફૂર્તિ કેન્દ્રની મુલાકાત લેશે.

બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમના સંવાદનો મૂળપાઠ

September 26th, 03:00 pm

હવે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાના પસંદ કરાયેલા લાભાર્થીઓના અનુભવો શેર કરવાના છે. હું સૌપ્રથમ પશ્ચિમ ચંપારણ જિલ્લાની રંજીતા કાઝી દીદીને તેમનો અનુભવ શેર કરવા વિનંતી કરીશ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી

September 26th, 02:49 pm

જીવિકા સ્વ-સહાય જૂથ સાથે સંકળાયેલ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાની આદિવાસી મહિલા લાભાર્થી શ્રીમતી રંજીતા કાઝીએ તેમના ક્ષેત્રમાં લાવવામાં આવેલા પરિવર્તનકારી ફેરફારો માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારનો હૃદયપૂર્વક આભાર માન્યો.તેમણે ભાર મૂક્યો કે તેમનો જંગલ વિસ્તાર - જે એક સમયે મૂળભૂત માળખાગત સુવિધાઓથી વંચિત હતો - હવે રસ્તાઓ, વીજળી, પાણી, સ્વચ્છતા અને શિક્ષણની સુવિધાનો આનંદ માણે છે. તેમણે મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી પહેલો માટે મુખ્યમંત્રીનો આભાર માન્યો, જેમાં સરકારી નોકરીઓ અને પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલા પ્રતિનિધિત્વ વધારવા માટે અનામતની જોગવાઈઓનો સમાવેશ થાય છે. તેમણે સાયકલ અને ગણવેશ યોજનાઓની પ્રશંસા કરી, છોકરીઓ શાળા ગણવેશમાં સાયકલ ચલાવતી વખતે જે ગર્વ અનુભવે છે તે નોંધ્યું.

TMC hatao, Bangla bachao: PM Modi in Durgapur, West Bengal

July 18th, 05:00 pm

In a stirring address to an enthusiastic crowd in Durgapur, West Bengal, PM Modi reignited the dream of a Viksit Bengal and assured the people that change is not just possible but inevitable. From invoking Bengal’s proud industrial and cultural legacy to exposing TMC’s failures, PM Modi presented a clear roadmap for restoring the state’s glory and integrating it into the journey of Viksit Bharat. He reaffirmed his unwavering commitment with a resounding assurance: “Viksit Bangla, Modi ki Guarantee!”

PM Modi calls for a Viksit Bengal at Durgapur rally!

July 18th, 04:58 pm

In a stirring address to an enthusiastic crowd in Durgapur, West Bengal, PM Modi reignited the dream of a Viksit Bengal and assured the people that change is not just possible but inevitable. From invoking Bengal’s proud industrial and cultural legacy to exposing TMC’s failures, PM Modi presented a clear roadmap for restoring the state’s glory and integrating it into the journey of Viksit Bharat. He reaffirmed his unwavering commitment with a resounding assurance: “Viksit Bangla, Modi ki Guarantee!”

ભારત-અમેરિકા સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન

February 14th, 04:57 am

સૌ પ્રથમ હું મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મારા શાનદાર સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નેતૃત્વ દ્વારા ભારત-અમેરિકા સંબંધોને પોષ્યા અને જીવંત કર્યા છે.