કેરળમાં આર્ય વૈદ્ય શાળા ચેરિટેબલ હોસ્પિટલના શતાબ્દી સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 28th, 02:39 pm

આ ગૌરવપૂર્ણ પ્રસંગે આપ સૌ સાથે જોડાવાનો મને ખૂબ આનંદ છે. આર્ય વૈદ્ય શાળાએ આયુર્વેદના સંરક્ષણ, રક્ષણ અને પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેની 125 વર્ષની સફર દરમિયાન, આ સંસ્થાએ આયુર્વેદને એક શક્તિશાળી દવા પ્રણાલી તરીકે સ્થાપિત કર્યું છે. આ પ્રસંગે, હું આર્ય વૈદ્ય શાળાના સ્થાપક, વૈદ્ય રત્નમ પી.એસ. વારિયરના યોગદાનને યાદ કરું છું. આયુર્વેદ પ્રત્યેનો તેમનો અભિગમ અને જાહેર કલ્યાણ પ્રત્યેનું તેમનું સમર્પણ આપણને પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેરળમાં આર્ય વૈદ્ય શાળા ચેરિટેબલ હોસ્પિટલના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો

January 28th, 02:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેરળમાં આર્ય વૈદ્ય શાળા ચેરિટેબલ હોસ્પિટલના શતાબ્દી સમારોહને વીડિયો સંદેશ દ્વારા સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આ ગૌરવપૂર્ણ પ્રસંગે, દરેક સાથે જોડાવાનો તેમના માટે આનંદની વાત છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે આર્ય વૈદ્ય શાળાએ આયુર્વેદના સંરક્ષણ, રક્ષણ અને પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. શ્રી મોદીએ નોંધ્યું કે તેની 125 વર્ષની સફરમાં, સંસ્થાએ આયુર્વેદને એક શક્તિશાળી સારવાર પ્રણાલી તરીકે સ્થાપિત કર્યો છે. તેમણે આર્ય વૈદ્ય સાલાના સ્થાપક, વૈદ્ય રત્નમ પી.એસ. વારિયરના યોગદાનને યાદ કર્યું, ભાર મૂક્યો કે આયુર્વેદ પ્રત્યેનો તેમનો અભિગમ અને જાહેર કલ્યાણ પ્રત્યેનું તેમનું સમર્પણ પ્રેરણાદાયક છે.

જોહાનિસબર્ગમાં G20 નેતાઓના સમિટ દરમિયાન પ્રધાનમંત્રી જાપાનના પ્રધાનમંત્રીને મળ્યા

November 23rd, 09:46 pm

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 નેતાઓની સમિટ દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સના તાકાચી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. 29 ઓક્ટોબર, 2025ના રોજ પ્રધાનમંત્રી તાકાચી સાથે ટેલિફોન પર વાતચીત કર્યા પછી પ્રધાનમંત્રીની તેમની સાથે આ પહેલી મુલાકાત હતી.

જોહાનિસબર્ગમાં G20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી કેનેડિયન પ્રધાનમંત્રીને મળ્યા

November 23rd, 09:41 pm

નેતાઓએ ઓસ્ટ્રેલિયા-કેનેડા-ભારત ટેકનોલોજી અને નવીનતા (ACITI) ભાગીદારી અપનાવવાનું સ્વાગત કર્યું, જે મહત્વપૂર્ણ ટેકનોલોજી, પરમાણુ ઉર્જા, સપ્લાય ચેઇન વૈવિધ્યકરણ અને AIમાં ત્રિ-માર્ગીય સહયોગને પ્રોત્સાહન આપશે. તેમણે જૂન 2025માં G7 સમિટ અંતર્ગત કનાનાસ્કિસમાં તેમની મુલાકાત અને ઓક્ટોબર 2025માં વિદેશ પ્રધાનો દ્વારા દ્વિપક્ષીય જોડાણ માટે એક નવો રોડમેપ લોન્ચ કર્યા પછી સંબંધોમાં નવી ગતિની પ્રશંસા કરી. બંને પ્રધાનમંત્રીએ વેપાર અને રોકાણ, સંરક્ષણ, શિક્ષણ, અવકાશ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઊર્જામાં સહયોગની ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ કાર્નેએ ફેબ્રુઆરી 2026માં ભારત દ્વારા આયોજિત થનારા AI સમિટ માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.

રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકાની યાત્રા પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

November 21st, 06:45 am

હું 21-23 નવેમ્બર, 2025 દરમિયાન દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકની મુલાકાતે જઈ રહ્યો છું. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ માન. શ્રી સિરિલ રામાફોસા ના આમંત્રણ પર જોહાનેસબર્ગમાં દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં યોજાનારી 20મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે હું ત્યાં જઈ રહ્યો છું.