80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
August 15th, 04:44 pm
80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં, તેમણે છેલ્લા 12 વર્ષમાં ઉત્પાદન, ડિજિટલ વિકાસ અને નાગરિકોને સેવા પહોંચાડવા જેવા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિનું વિગતવાર વર્ણન કર્યું. રાષ્ટ્રીય લક્ષ્યોને હાંસલ કરવા માટે તેમણે સાત મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ કરતી પરિવર્તનકારી ‘સપ્તધારા’નું પણ અનાવરણ કર્યું.80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ
August 15th, 07:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. તેમણે પોતાની હાર્દિક શુભકામનાઓ પાઠવતા નોંધ્યું હતું કે વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરતી વખતે દેશભરના દરેક ધબકારા અને ઘરમાં તિરંગાની ભાવના અને નવા સંકલ્પો ગુંજી રહ્યા છે.80મા સ્વતંત્રતા દિવસના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું
August 15th, 06:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. તેમણે પોતાની હાર્દિક શુભકામનાઓ પાઠવતા નોંધ્યું હતું કે વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરતી વખતે દેશભરના દરેક ધબકારા અને ઘરમાં તિરંગાની ભાવના અને નવા સંકલ્પો ગુંજી રહ્યા છે.ભારતે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો.
August 15th, 06:45 am
લાલ કિલ્લા પરથી 80મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ 140 કરોડ ભારતીયોની શક્તિ અને સંકલ્પનો ઉપયોગ કરીને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના તેમના સ્વપ્ન વિશે વાત કરી. તેમણે શાંતિ કાયદો, રેલવે વીજળીકરણ, ભારતના વેપાર કરારો, નક્સલવાદનો નાશ અને અન્ય મહત્વપૂર્ણ પહેલોનો ઉલ્લેખ કર્યો. તેમણે દેશવાસીઓને શક્તિની સપ્તધારા ને સ્વીકારવાનું આહ્વાન કર્યું.ગાલા લંચ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 11th, 12:32 pm
ગયા વર્ષે પ્રધાનમંત્રી લક્સનની ભારત મુલાકાતે આપણા સંબંધોના દરેક પાસામાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. તેમનું નેતૃત્વ, સ્પષ્ટ દ્રષ્ટિ અને મજબૂત પ્રતિબદ્ધતાએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મિત્રતાને નવી ગતિ અને દિશા આપી છે. આજે, ચાલીસ વર્ષ પછી, એક ભારતીય પ્રધાનમંત્રી મુલાકાત લઈ રહ્યા છે. અને હું હંમેશા કહું છું કે મારા પુરોગામીઓ દ્વારા મારા માટે ઘણું સારું કામ બાકી રહ્યું છે, જે હું પૂર્ણ કરી રહ્યો છું. મિત્રો, આ આપણા સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત દર્શાવે છે.પ્રધાનમંત્રીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી દ્વારા આયોજિત "ઇન્ડિયા-ન્યુઝીલેન્ડ: એ વિનિંગ પાર્ટનરશિપ" થીમ આધારિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી
July 11th, 12:30 pm
તેમના સ્વાગત પ્રવચનમાં, પ્રધાનમંત્રી લક્સને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના ઊંડા અને સ્થાયી સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા તેમજ પરસ્પર સમૃદ્ધિને આગળ વધારવા માટેના સહિયારા વિઝનની રૂપરેખા આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ બંને દેશો વચ્ચેની પૂરકતાઓ અને તેમના સ્થાયી પરસ્પર લોકો વચ્ચેના સંબંધોની નોંધ લીધી હતી. તેમણે દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી (Strategic Partnership) ના સ્તર સુધી લઈ જવાનું સ્વાગત કર્યું હતું અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે ચાલુ સહયોગને વધુ ગાઢ બનાવશે. તેમણે જણાવ્યું હતું કે રેકોર્ડ સમયમાં પૂર્ણ થયેલ ભારત-ન્યુઝીલેન્ડ FTA બંને દેશોના વ્યવસાયો, યુવાનો અને ખેડૂતો માટે નવી તકો ખોલશે અને 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.ભારત-ન્યુઝીલેન્ડ બિઝનેસ ઇવેન્ટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 11th, 08:20 am
ઓકલેન્ડમાં આપ સૌની વચ્ચે આવીને મને ખૂબ આનંદ થાય છે. હું પ્રધાનમંત્રી લક્સનનો તેમના સકારાત્મક વિચારો અને ભારત પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતા બદલ ખાસ આભાર વ્યક્ત કરું છું.Prime Minister addresses business leaders in New Zealand
July 11th, 08:16 am
PM Modi interacted with leading CEOs and business leaders from India and New Zealand, highlighting the vast opportunities for trade, investment and innovation. He invited New Zealand businesses to partner India's growth story and help achieve the shared goal of doubling bilateral trade to NZD 7 billion by 2030.પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે સત્તાવાર વાર્તાલાપ કર્યો
July 11th, 08:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં ગવર્નમેન્ટ હાઉસ ખાતે ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે મુલાકાત કરી હતી. ગવર્નમેન્ટ હાઉસ પહોંચ્યા બાદ તેમનું પરંપરાગત માઓરી સ્વાગત કરવામાં આવ્યું. સમારોહમાં શાંતિ, આદર અને સ્વાગતનું પ્રતીક કરતી પરંપરાગત માઓરી વિધિઓનો સમાવેશ થતો હતો. ઔપચારિક સ્વાગત પછી, પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.ભારત-ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી અને 2030 સુધીનો રોડમેપ
July 11th, 08:06 am
ભારત અને ન્યૂઝીલેન્ડે તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કર્યા છે, જે વેપાર, સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, પ્રવાસન, સંસ્કૃતિ, રમતગમત, એગ્રી-ટેક, લોકો વચ્ચેના સંબંધો તેમજ ઈન્ડો-પેસિફિક પ્રાથમિકતાઓ અને બહુપક્ષીય મુદ્દાઓ પર સંકલનને મજબૂત બનાવે છે. રોડમેપ ટૂ 2030 આગામી ચાર વર્ષ માટે સંબંધિત મંત્રાલયો અને હિતધારકોમાં ભારત-ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીના સુવ્યવસ્થિત અમલીકરણને માર્ગદર્શન આપવા માટે એક વ્યૂહાત્મક રોડમેપ પૂરો પાડે છે.ભારત-ન્યૂઝીલેન્ડ સંયુક્ત નિવેદન
July 11th, 07:59 am
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી માનનીય ક્રિસ્ટોફર લક્સનના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી, 10 અને 11 જુલાઈ 2026ના રોજ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડની સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત 40 વર્ષોમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ન્યૂઝીલેન્ડની પ્રથમ મુલાકાત છે, જે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે અને બંને દેશો વચ્ચેની સ્થાયી મિત્રતા અને ભાગીદારીમાં એક નવો માર્ગ પ્રશસ્ત કરે છે.ભારત-ન્યુઝીલેન્ડ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ
July 11th, 07:00 am
અને તમારા મંત્રી આખી રાત મારી સાથે હતા. મને આનંદ છે કે 40 વર્ષ પછી, ભારતના પ્રધાનમંત્રી ન્યુઝીલેન્ડની મુલાકાતે આવી રહ્યા છે, અને તમારી આર્થિક રાજધાનીમાં એક કાર્યક્રમનું આયોજન કરીને, તમે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના સંબંધોને નવી ગતિ આપવાની તક ઉભી કરી છે. અને આ માટે, હું ખૂબ આભારી છું.ઓસ્ટ્રેલિયામાં એક સામુદાયિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 09th, 03:22 pm
હું, મારા મિત્ર, ભારતના મિત્ર, પ્રાઇમ મિનિસ્ટર એન્થની અલ્બેનીઝનો પણ આભારી છું. આપ સિડનીમાં પણ સાથે હતા, અને આજે અહીં મેલબોર્નમાં પણ, ભારતીય સમુદાયની વચ્ચે આવ્યા છો. અને આ એક પ્રકારે પૂર્ણ ચક્ર થઈ ગયું છે.પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
July 09th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. એક વિશેષ સદ્ભાવના તરીકે, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી, માનનીય એન્થોની અલ્બેનીઝ પણ આ પ્રવાસી ભારતીય સમુદાયના કાર્યક્રમમાં જોડાયા હતા.India-Australia Joint Statement on Energy Security
July 09th, 11:02 am
The India-Australia Joint Statement on Energy Security noted the two countries' deep concern over the situation in the Middle East. They shared their commitment to working together to strengthen energy supply chain resilience, including by deepening regional cooperation, accelerating the energy transition, promoting the uptake of renewable energy resources and upholding open trade arrangements for energy and liquid fuels.ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની તેમની ત્રણ દેશોની મુલાકાત પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન વક્તવ્ય
July 06th, 09:00 am
હું 6-11 જુલાઈ 2026 દરમિયાન ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ત્રણ દેશોની મુલાકાત લઈ રહ્યો છું.પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત પ્રોત્સાહનોનું વિતરણ કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 19th, 05:15 pm
મંત્રીમંડળના મારા સાથી શ્રી મનસુખ માંડવિયાજી, બહેન શોભાજી, દેશના વિવિધ ભાગોના અલગ-અલગ કાર્યક્રમોમાં જોડાયેલા, ટેકનોલોજીથી જોડાયેલા તમામ મહાનુભાવ, અને જેમ હમણાં મંચ સંચાલક જણાવી રહ્યા હતા કે, 200 સ્થાનો પર આશરે બે લાખ લોકો અત્યારે આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયેલા છે, હું તે બધાને પણ ભલે દૂરથી જ સાચું, પરંતુ દિલથી આપ સૌને મારી શુભેચ્છાઓ આપું છું. ઉદ્યોગ જગત સાથે પણ જોડાયેલા બહુ બધા મહાનુભાવ હું આજે અહીં જોઈ રહ્યો છું, અને યુવા સાથીઓનો ઉત્સાહ તો ધ્યાનમાં આવે જ આવે છે, આટલી મોટી સંખ્યામાં.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું
June 19th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને હિતધારકોને સંબોધિત કર્યા હતા, અને ભારતના યુવાનોને સશક્ત બનાવવા તથા દેશભરમાં રોજગાર નિર્માણને વેગ આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું હતું, જે ભારત સરકારની આ ફ્લેગશિપ રોજગાર-લિંક્ડ પ્રોત્સાહન યોજનાના અમલીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને વિવિધ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષા કવચનો વિસ્તાર કરે છે. આ પ્રોત્સાહને દેશભરમાં 15 લાખ રોજગારીની તકોના નિર્માણને ટેકો આપ્યો છે.પેરિસમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 18th, 11:41 pm
જે રીતે તમે, ફ્રાન્સમાં ભારતીય સમુદાયે, 21મી સદીના ભારત-ફ્રાન્સ સંબંધોમાં જોડાણો બનાવ્યા છે તે અમારી વ્યૂહાત્મક ભાગીદારી માટે એક જબરદસ્ત તાકાત બની ગઈ છે. હું તમને 1.4 અબજ સાથી ભારતીયોની શુભેચ્છાઓ પાઠવું છું. આ ઉષ્માભર્યા અને પ્રેમાળ સ્વાગત માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.પ્રધાનમંત્રીએ પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
June 18th, 09:30 pm
પ્રધાનમંત્રીએ 18 જૂન 2026ના રોજ પેરિસમાં ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. સ્થળ પર પહોંચતા જ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું અને રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું, જે માતૃભૂમિ પ્રત્યે પ્રવાસી ભારતીયોના ઊંડા સ્નેહને પ્રતિબિંબિત કરે છે.