ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીની મોરેશિયસના PM સાથે મુલાકાત

February 20th, 10:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત કરી હતી. સપ્ટેમ્બર 2025માં તેમની સત્તાવાર મુલાકાત પછી, પ્રધાનમંત્રી રામગુલામની તેમના વર્તમાન કાર્યકાળ દરમિયાન ભારતની બીજી મુલાકાત છે. આ મુલાકાત 9 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમની તાજેતરની ટેલિફોનિક વાતચીત પછી થઈ છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરી

February 02nd, 11:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરી. ભારતીય ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને 18% કરવાની અદ્ભુત જાહેરાત બદલ શ્રી મોદીએ ભારતના 1.4 અબજ લોકો વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો.

મુલાકાતના પરિણામોની યાદી: યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખની ભારત મુલાકાત

January 27th, 02:53 pm

2030 સુધી: ભારત-યુરોપિયન યુનિયનની સંયુક્ત સર્વગ્રાહી વ્યૂહાત્મક કાર્યસૂચિ

ચિલીના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

April 01st, 12:31 pm

રાષ્ટ્રપતિ બોરિકની આ પહેલી ભારત મુલાકાત છે અને ભારત પ્રત્યેની તેમની મિત્રતાની ભાવના અને સંબંધોને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતા ખરેખર અદ્ભુત છે. આ માટે હું તેમને ખાસ અભિનંદન આપું છું. હું તેમનું અને તેમના પ્રતિષ્ઠિત પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું.

પરિણામોની યાદી : પ્રધાનમંત્રીની મોરેશિયસ મુલાકાત

March 12th, 01:56 pm

સરહદ પારના વ્યવહારો માટે સ્થાનિક ચલણ (INR અથવા MUR)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક માળખું સ્થાપિત કરવા માટે ભારતીય રિઝર્વ બેંક અને બેંક ઓફ મોરિશિયસ વચ્ચે કરાર.

નેતાઓનું નિવેદન: યુરોપિયન કમિશનના પ્રમુખ અને EU કોલેજ ઓફ કમિશનર્સ ટુ ઇન્ડિયા સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેનની મુલાકાત (ફેબ્રુઆરી 27-28, 2025)

February 28th, 06:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેને પુષ્ટિ કરી હતી કે, યુરોપિયન યુનિયન-ઇન્ડિયા વ્યૂહાત્મક ભાગીદારીએ તેમના લોકો માટે અને વ્યાપક વૈશ્વિક ભલાઈ માટે મજબૂત લાભ પ્રદાન કર્યા છે. તેમણે આ ભાગીદારીને ઉચ્ચ-સ્તર સુધી લઈ જવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જે ભારત-યુરોપિયન યુનિયનની વ્યૂહાત્મક ભાગીદારીના 20 વર્ષ અને ભારત-ઈસી સહકાર સમજૂતીના 30 વર્ષથી વધુના ગાળાને અનુરૂપ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે પૂર્ણ અધિવેશનમાં કરેલું પ્રારંભિક સંબોધન (ફેબ્રુઆરી 28, 2025)

February 28th, 01:50 pm

આ પહેલી વાર છે કે મારા મંત્રીઓ આટલા બધા દ્વિપક્ષીય ચર્ચા માટે ભેગા થયા છે. મને યાદ છે કે તમે 2022 માં રાયસીના સંવાદમાં કહ્યું હતું કે ભારત અને EU કુદરતી ભાગીદારો છે. અને ભારત સાથેના સંબંધોને મજબૂત અને ઉર્જાવાન બનાવવા એ આગામી દાયકામાં EU માટે પ્રાથમિકતા રહેશે.

દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક વક્તવ્ય

November 21st, 02:15 am

મારા મિત્રો, રાષ્ટ્રપતિ ઇરફાન અલી અને પ્રધાનમંત્રી ડિકોન મિશેલ સાથે બીજી ઇન્ડિયા-કેરિકોમ સમિટનું આયોજન કરવાની મને અત્યંત ખુશી છે. હું કેરિકોમ (CARICOM) પરિવારના તમામ સભ્યોને હાર્દિક આવકાર આપું છું અને આ સમિટના ઉત્કૃષ્ટ આયોજન માટે રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો ખાસ કરીને આભાર માનું છું.

બીજું ભારત-કારિકોમ શિખર સંમેલન

November 21st, 02:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી અને કેરિકોમના હાલના અધ્યક્ષ મહામહિમ શ્રી ડિકોન મિશેલે, 20 નવેમ્બર, 2024ના રોજ જ્યોર્જટાઉનમાં આયોજિત બીજા ભારત-કારિકોમ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ ગયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ઇરફાન અલીનો આ શિખર સંમેલનના ભવ્ય આયોજન માટે આભાર માન્યો હતો. સૌપ્રથમ ઇન્ડિયા-કેરિકોમ સમિટ વર્ષ 2019માં ન્યૂયોર્કમાં યોજાઈ હતી. આ શિખર સંમેલનમાં ગુયાનાના પ્રમુખ અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી ઉપરાંત નીચેની બાબતો સામેલ થઈ હતી.

પ્રધાનમંત્રીએ જી-7 સમિટની સાથે-સાથે યુકેના પ્રધાનમંત્રી સાથે બેઠક કરી

June 14th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇટાલીનાં અપુલિયામાં જી-7 શિખર સંમેલનની સાથે સાથે બ્રિટનનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પ્રધાનમંત્રી સુનકે પ્રધાનમંત્રીને સતત ત્રીજી વાર ઐતિહાસિક કાર્યકાળ બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરવા બંને દેશોની સહિયારી કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.

પ્રધાનમંત્રીને ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પોથી નવાજવામાં આવ્યા

March 22nd, 03:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને થિમ્પુના ટેન્ડ્રેલથાંગ ખાતે એક જાહેર સમારંભમાં મહામહિમ ભૂટાનના રાજા દ્વારા ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક ખિતાબ, ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલ્પો એનાયત કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મોદી પ્રથમ વિદેશી નેતા છે જેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત પ્રેસ મીટિંગમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન

May 24th, 06:41 am

ઓસ્ટ્રેલિયાની મારી મુલાકાત દરમિયાન મને અને મારા પ્રતિનિધિમંડળને આપવામાં આવેલ આતિથ્ય અને સન્માન માટે હું ઓસ્ટ્રેલિયાના લોકો અને પ્રધાનમંત્રી અલ્બેનીઝનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા મિત્ર પ્રધાનમંત્રી અલ્બેનીઝની ભારત મુલાકાતના બે મહિનામાં હું ઓસ્ટ્રેલિયાની મુલાકાત લઈ રહ્યો છું. છેલ્લા એક વર્ષમાં આ અમારી છઠ્ઠી બેઠક છે.

પ્રધાનમંત્રીશ્રી 23મી જૂને વાણિજ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે અને નિર્યાત પોર્ટલ લોન્ચ કરશે

June 22nd, 03:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી જૂન 2022ના રોજ સવારે 10:30 વાગ્યે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા 'વાણિજ્ય ભવન' પરિસરનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી એક નવું પોર્ટલ - નિર્યાત (વેપારના વાર્ષિક વિશ્લેષણ માટે રાષ્ટ્રીય આયાત-નિકાસ રેકોર્ડ) પણ લોંચ કરશે - જે ભારતના વિદેશી વેપારને લગતી તમામ જરૂરી માહિતી મેળવવા માટે હિતધારકો માટે વન સ્ટોપ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.

Finalisation of the BRICS Counter Terrorism Strategy an important achievement: PM

November 17th, 05:03 pm

In his intervention during the BRICS virtual summit, PM Narendra Modi expressed his contentment about the finalisation of the BRICS Counter Terrorism Strategy. He said it is an important achievement and suggested that NSAs of BRICS member countries discuss a Counter Terrorism Action Plan.

વર્ચ્યુઅલ બ્રિક્સ સમિટ-2020ના પ્રારંભે પ્રધાનમંત્રીનું સંબોધન

November 17th, 05:02 pm

આ વર્ષની સમિટનો વિષય “વૈશ્વિક સ્થિરતા, પરસ્પરની સુરક્ષા અને નવીન વૃધ્ધિ માટે ભાગીદારી” પ્રાસંગિક તો છે જ, પરંતુ તેમાં લાંબા ગાળાનું વિઝન પણ સામેલ છે. વિશ્વમાં મહત્વના જિયો-સ્ટ્રેટેજીક પરિવર્તનો આવી રહ્યાં છે, ત્યારે તેની અસર સ્થિરતા, સુરક્ષા અને વૃધ્ધિ ઉપર પડતી રહેવાની છે અને આ ત્રણેય ક્ષેત્રોમાં બ્રિક્સની ભૂમિકા મહત્વની બની રહેવાની છે.

પ્રધાનમંત્રી મોદી ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિને મળ્યાં

November 03rd, 06:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગકોકમાં આસિયાન/ઈએએસ સંબંધિત બેઠકો દરમિયાન 3 નવેમ્બર, 2019નાં રોજ ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ મહામહિમ જોકો વિડોડો સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીની થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી સાથે બેઠક

November 03rd, 06:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 નવેમ્બર, 2019નાં રોજ 35માં આસિયાન શિખર સંમેલન, 14માં ઇસ્ટ એશિયા શિખર સંમેલન (ઇએએસ) અને 16માં ભારત-આસિયન શિખર સંમેલનની સાથે-સાથે થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી જનરલ (નિવૃત્ત) પ્રયુત ચાન-ઓ-ચાને મળ્યાં હતાં.

યુએનજીએનાં 74માં સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ બેલ્જિયમનાં પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી

September 26th, 09:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર, 2019નાં રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાનાં 74માં સત્રનાં ઉચ્ચસ્તરીય સેગમેન્ટની સાથે સાથે બેલ્જિયમનાં પ્રધાનમંત્રી શ્રી ચાર્લ્સ માઇકલ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય

January 25th, 01:00 pm

આપણા માટે ખૂબજ પ્રસન્નતાનો વિષય છે કે ભારતના અભિન્ન્ન મિત્ર, રાષ્ટ્રપતિ રામાફોસા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમના માટે ભારત નવું નથી, પરંતુ રાષ્ટ્રપતિના રૂપમાં આ તેમની પ્રથમ ભારત યાત્રા છે અને તેમની આ ભારત યાત્રા આપણા સંબંધોના એક વિશેષ પડાવ પર યોજાઈ રહી છે. આ વર્ષે મહાત્મા ગાંધીજીની 150મી વર્ષગાંઠ છે. ગયા વર્ષે નેલ્સન મંડેલાજીની જન્મ શતાબ્દીનું વર્ષ હતું અને ગયું વર્ષ આપણા રાજનૈતિક સંબંધોની રજત જયંતિ પણ હતી. મને ઘણી ખુશી છે કે આ વિશેષ પડાવ પર રાષ્ટ્રપતિ રામાફોસા ભારત પધાર્યા છે અને તેમની આ ભારત યાત્રા આપણા માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે ગઈકાલે તેઓ ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથીના રૂપમાં સહભાગી બનશે. આ સન્માન અને ગૌરવ તેઓ આપણને આપી રહ્યા છે તેના માટે સમગ્ર ભારત તેમનું આભારી છે.

મોરોક્કો સલ્તનતનાં વિદેશ વેપારનાં ઇનચાર્જ રાષ્ટ્રીય સચિવ સુશ્રી રાકિયા એડરહામે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

January 17th, 11:33 pm

મોરક્કો સલ્તનતનાં ઉદ્યોગ, રોકાણ, વેપાર અને ડિજિટલ અર્થતંત્ર મંત્રાલયનાં વિદેશી વેપારનાં રાષ્ટ્રીય સચિવ સુશ્રી રાકિયા એડરહામ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.