ઇન્ડોનેશિયામાં સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન

July 07th, 11:47 pm

આજે મારું સંબોધન શરૂ કરતા પહેલા, હું રાષ્ટ્રપતિ પ્રબોવોનો તેમના સ્નેહ અને શબ્દો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.

પ્રધાનમંત્રીએ જકાર્તામાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા

July 07th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં ભારતીય સમુદાયના એક સ્વાગત સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમના આગમન પર, ભારતીય પ્રવાસીઓ અને ભારતના ઇન્ડોનેશિયન મિત્રોની વિશાળ જનમેદની દ્વારા તેમનું ભવ્ય અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક વિશેષ આદરના પ્રતીક રૂપે, ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્ટો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા.

‘મન કી બાત’ના 135મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28.06.2026)

June 28th, 11:30 am

નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર તમારા બધા સાથે જોડાઈને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. 2026નું અડધું વર્ષ વિતવામાં છે. આ છ મહિનાઓમાં આપણે 'મન કી બાત'માં દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી છે. જૂનમાં પણ, દેશે કંઈક એવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે, જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. આ સફળતાઓ, દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે. તાજેતરમાં જ મને કોલકાતામાં નૌ સેના સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. ત્યાં INS દૂનાગિરી, INS સંશોધક અને INS અગ્રયને ભારતીય નૌ સેનાના બેડામાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં. આ જહાજોની ડિઝાઇન અને મેન્યુફૅક્ચરિંગ સુધી, બધું જ સ્વદેશી છે.

પેરિસમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 18th, 11:41 pm

જે રીતે તમે, ફ્રાન્સમાં ભારતીય સમુદાયે, 21મી સદીના ભારત-ફ્રાન્સ સંબંધોમાં જોડાણો બનાવ્યા છે તે અમારી વ્યૂહાત્મક ભાગીદારી માટે એક જબરદસ્ત તાકાત બની ગઈ છે. હું તમને 1.4 અબજ સાથી ભારતીયોની શુભેચ્છાઓ પાઠવું છું. આ ઉષ્માભર્યા અને પ્રેમાળ સ્વાગત માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.

પ્રધાનમંત્રીએ પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો

June 18th, 09:30 pm

પ્રધાનમંત્રીએ 18 જૂન 2026ના રોજ પેરિસમાં ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. સ્થળ પર પહોંચતા જ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું અને રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું, જે માતૃભૂમિ પ્રત્યે પ્રવાસી ભારતીયોના ઊંડા સ્નેહને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ SAFF વિમેન્સ ચેમ્પિયનશિપ 2026 જીતવા બદલ ભારતીય મહિલા ફૂટબોલ ટીમને અભિનંદન પાઠવ્યા

June 07th, 01:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે SAFF વિમેન્સ ચેમ્પિયનશિપ 2026 જીતવા બદલ ભારતીય મહિલા ફૂટબોલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે તેઓ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રીતે રમ્યા છે. શ્રી મોદીએ અવલોકન કર્યું હતું કે આનાથી આગામી સમયમાં વધુ યુવાનોને ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રીએ ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

'મન કી બાત' માં PM મોદીએ ગરમીથી બચવા માટે ટિપ્સ શેર કરી અને નાગરિકોને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી

May 31st, 11:30 am

મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદભૂત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો, આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઇ. તેમાં લગભગ આઠસો ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપક કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

ગંગટોકમાં સિક્કિમના 50મા રાજ્ય સ્થાપના વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 28th, 10:25 am

સિક્કિમના રાજ્યપાલ શ્રી ઓમ માથુરજી, અહીંના લોકપ્રિય, ઉર્જાવાન યુવા અને મારા પરમ મિત્ર શ્રી પ્રેમ સિંહ તમાંગજી, સંસદમાં મારા સાથી શ્રી દોરજી શેરિંગ લેપચાજી, ડૉ. ઇન્દ્ર હાંગ સુબ્બાજી, શ્રી દિલી રામ થાપાજી અને સિક્કિમના મારા વહાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગંગટોક, સિક્કિમમાં સિક્કિમ રાજ્યના 50મા વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં ભાગ લીધો

April 28th, 10:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગંગટોક, સિક્કિમમાં એક ભવ્ય સમારોહમાં હજારો કરોડ રૂપિયાના 30 થી વધુ વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ સાથે સિક્કિમ રાજ્યના 50મા વર્ષની ઉજવણીના સમાપન સમારોહને ચિહ્નિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ સિક્કિમના ગંગટોકમાં યુવાનો સાથે એક ઉત્સાહી ફૂટબોલ સત્રમાં ભાગ લીધો

April 28th, 09:46 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમના ગંગટોકમાં એક સુંદર સવારે યુવાનો સાથે એક ઉત્સાહી ફૂટબોલ સત્રમાં ભાગ લીધો હતો.

TMC came to power by lying in the name of “Maa, Maati, Manush”: PM Modi in Dakshin Dinajpur, West Bengal

April 11th, 11:40 am

PM Modi addressed a massive rally Dakshin Dinajpur, West Bengal. In his speech, he prioritised women’s safety, justice, and empowerment, outlining measures like fast-tracking cases, increasing women police recruitment, and financial support initiatives. He remarked that while the BJP believes in Sabka Saath, Sabka Vikas, it will also ensure that ‘hisaab’ is fulfilled in West Bengal.

Massive public meetings in Purba Bardhaman, Jangipur & Dakshin Dinajpur, West Bengal

April 11th, 11:30 am

Tapping into the growing momentum in West Bengal, PM Modi addressed a massive public gathering in Purba Bardhaman, highlighting BJP’s vision for a fear-free, Viksit Bengal while launching a sharp attack on the TMC government over corruption, lawlessness and appeasement politics.

વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં પશ્ચિમ એશિયાના સંકટને દૂર કરવા માટે 140 કરોડ ભારતીયોની એકતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

March 29th, 11:30 am

આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં, વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયાના સંઘર્ષ વિશે વાત કરી અને કટોકટીને દૂર કરવા માટે એકતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે નાગરિકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા અને ફક્ત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી પર આધાર રાખવાની અપીલ કરી. પ્રધાનમંત્રીએ જ્ઞાન ભારતમ સર્વે, રમતગમત અને તંદુરસ્તી, જળ સંરક્ષણ, મત્સ્યઉદ્યોગ અને સૌર ઉર્જા જેવા મુખ્ય વિષયો પર પણ વાત કરી.

‘વોકલ ફોર લોકલ’ મન કી વાતમાં, પીએમ મોદીએ સ્વદેશી ગૌરવ સાથે તહેવારો ઉજવવા વિનંતી કરી

August 31st, 11:30 am

આ મહિનાના મન કી બાત સંબોધનમાં, વડાપ્રધાન મોદીએ પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મદદ કરનારા સુરક્ષા દળો અને નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં રમતગમતના કાર્યક્રમો, સૌર ઉર્જા, 'ઓપરેશન પોલો' અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ નાગરિકોને તહેવારોની મોસમ દરમિયાન મેડ-ઇન-ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવા અને સ્વચ્છતા જાળવવાના મહત્વ વિશે વધુ યાદ અપાવ્યું.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

July 08th, 08:30 pm

રિયો અને બ્રાઝિલિયામાં અમારા ઉષ્માભર્યા સ્વાગત માટે હું મારા મિત્ર રાષ્ટ્રપતિ લુલાનો હૃદયપૂર્વક આભાર માનું છું. એમેઝોનની કુદરતી સુંદરતા અને તમારી ઉષ્માભરી લાગણીએ અમને મંત્રમુગ્ધ કરી દીધા છે.

'મન કી બાત'ના 123મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.06.2025)

June 29th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સૌનું સ્વાગત છે, અભિનંદન છે. આપ સૌ આ સમયે યોગની ઉર્જા અને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની સ્મૃતિઓથી ભરેલા હશો. આ વખતે પણ 21 જૂનના દિવસે દેશ અને દુનિયાના કરોડો લોકોએ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'માં ભાગ લીધો. તમને યાદ છે, આજથી દસ વર્ષ પહેલા તેની શરૂઆત થઈ હતી. હવે દસ વર્ષમાં આ સિલસિલો દર વર્ષે વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. આ એનો પણ સંકેત આપે છે કે વધુને વધુ લોકો તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવી રહ્યા છે. આ વખતે આપણે 'યોગ દિવસ'ની ઘણી આકર્ષક તસવીરો જોઈ છે. વિશાખાપટ્ટનમના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ એક સાથે યોગ કર્યા. વિશાખાપટ્ટનમથી જ એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું, બે હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ સુધી 108 સૂર્ય નમસ્કાર કર્યા. વિચારો કે કેટલી શિસ્ત અને સમર્પણ રહ્યું હશે. આપણા નૌકાદળના જહાજો પર પણ, યોગની ભવ્ય ઝલક જોવા મળી. તેલંગાણામાં ત્રણ હજાર દિવ્યાંગ સાથીઓએ સાથે મળીને યોગ શિબિરમાં ભાગ લીધો. તેમણે બતાવ્યું કે યોગ કેવી રીતે સશક્તિકરણનું માધ્યમ પણ છે.

પોડકાસ્ટમાં લેક્સ ફ્રીડમેન સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

March 16th, 11:47 pm

પ્રધાનમંત્રી: મારી તાકાત મોદી નથી, 140 કરોડ દેશવાસીઓ છે, હજારો વર્ષોની મહાન સંસ્કૃતિ અને પરંપરા છે, તે જ મારી તાકાત છે. એટલા માટે જ હું જ્યાં પણ જાઉં છું ત્યાં મોદી નથી જતા, વિવેકાનંદની મહાન પરંપરાને હજારો વર્ષોના વેદોથી લઈને 140 કરોડ લોકો સુધી લઈ જાઉ છું, તેમના સપના, તેમની આકાંક્ષાઓ અને તેથી જ હું દુનિયાના કોઈ પણ નેતા સાથે હાથ મિલાવું છું, ત્યારે મોદી હાથ મિલાવતા નથી, તે 140 કરોડ લોકોનો હાથ છે. એટલે તાકાત મોદીની નહીં, પરંતુ ભારતની ક્ષમતા છે. જ્યારે પણ આપણે શાંતિ માટે વાત કરીએ છીએ, ત્યારે વિશ્વ અમારું સાંભળે છે. કારણ કે આ બુદ્ધની ભૂમિ છે, આ મહાત્મા ગાંધીની ભૂમિ છે, વિશ્વ અમારી વાત સાંભળે છે અને અમે સંઘર્ષના પક્ષમાં જ નથી. અમે સંકલનના પક્ષમાં છીએ. અમે પ્રકૃતિ સાથે સંઘર્ષ નથી ઇચ્છતા, અમે રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષ ઇચ્છતા નથી, અમે સંકલન ઇચ્છીએ છીએ. અને એમાં અમે કોઇ ભૂમિકા ભજવી શકીએ તો સતત પ્રયત્ન કર્યો છે. મારું જીવન અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યું. પરંતુ મેં ક્યારેય ગરીબીનો ભાર અનુભવ્યો નથી, કારણ કે જે વ્યક્તિ સારા જૂતા પહેરે છે અને જો તેના જૂતા નથી, તો તેને લાગે છે કે યાર આ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટમાં લેક્સ ફ્રિડમેન સાથે વાર્તાલાપ કર્યો

March 16th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિવિધ વિષયો પર પોડકાસ્ટમાં લેક્સ ફ્રિડમેન સાથે વાતચીત કરી હતી. એક નિખાલસ વાતચીતમાં, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ શા માટે ઉપવાસ કરે છે અને તેઓ કેવી રીતે વ્યવસ્થા કરે છે, ત્યારે પ્રધાનમંત્રીએ લેક્સ ફ્રિડમેનનો આભાર માન્યો હતો કે, ભારતમાં, ધાર્મિક પરંપરાઓ દૈનિક જીવન સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલી છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, હિન્દુ ધર્મ એ માત્ર ધાર્મિક વિધિઓ વિશે જ નથી, પરંતુ જીવનને માર્ગદર્શન આપતી ફિલસૂફી છે. જેનું અર્થઘટન ભારતની માનનીય સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉપવાસ એ શિસ્ત કેળવવા અને આંતરિક અને બાહ્ય સ્વને સંતુલિત કરવા માટેનું એક સાધન છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વધારે છે. જે તેમને વધારે સંવેદનશીલ અને જાગૃત બનાવે છે. તેમણે નોંધ્યું હતું કે ઉપવાસ દરમિયાન, કોઈ પણ વ્યક્તિ સૂક્ષ્મ સુગંધ અને વિગતોને વધુ આબેહૂબ રીતે અનુભવી શકે છે. તેમણે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે ઉપવાસ કરવાથી વિચારપ્રક્રિયા ઝડપી બને છે. જે નવા દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે અને આઉટ-ઓફ-ધ-બોક્સ વિચારસરણીને પ્રોત્સાહિત કરે છે. શ્રી મોદીએ સ્પષ્ટતા કરી હતી કે, ઉપવાસ એટલે માત્ર ભોજનથી દૂર રહેવાનો જ અર્થ નથી; તેમાં તૈયારી અને ડિટોક્સિફિકેશનની વૈજ્ઞાનિક પ્રક્રિયા શામેલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ અગાઉથી ઘણા દિવસો સુધી આયુર્વેદિક અને યોગ પદ્ધતિઓનું પાલન કરીને તેમના શરીરને ઉપવાસ માટે તૈયાર કરે છે અને આ સમયગાળા દરમિયાન હાઇડ્રેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો. એક વાર ઉપવાસ શરૂ થઈ જાય, પછી તે તેને ભક્તિ અને સ્વ-શિસ્તના કાર્ય તરીકે જુએ છે, જે ઊંડા આત્મનિરીક્ષણ અને ધ્યાનને મંજૂરી આપે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની ઉપવાસની પ્રથા વ્યક્તિગત અનુભવને આધારે ઉદ્ભવી છે. જેની શરૂઆત મહાત્મા ગાંધી દ્વારા પ્રેરિત એક આંદોલનથી થઈ હતી, જેની શરૂઆત શાળાના દિવસો દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા પ્રેરિત આંદોલનથી થઈ હતી. પોતાના પ્રથમ ઉપવાસ દરમિયાન જ તેમને ઊર્જા અને જાગૃતિમાં વધારો થયો હતો, જેણે તેમને તેની પરિવર્તનકારી શક્તિની પ્રતીતિ કરાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉપવાસ કરવાથી તેની ગતિ ધીમી પડતી નથી; તેના બદલે, તે ઘણી વાર તેની ઉત્પાદકતામાં વધારો કરે છે. તેમણે નોંધ્યું હતું કે ઉપવાસ દરમિયાન તેમના વિચારો વધુ મુક્તપણે અને સર્જનાત્મક રીતે વહે છે, જે પોતાની જાતને વ્યક્ત કરવા માટેનો એક અવિશ્વસનીય અનુભવ બનાવે છે.

પ્રધાનમંત્રીએ કુવૈતના મહામહિમ અમીરના ગેસ્ટ ઓફ ઓનર તરીકે અરેબિયન ગલ્ફ કપમાં ઉપસ્થિત રહ્યાં

December 21st, 10:24 pm

કુવૈતના અમીર મહામહિમ શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં 26માં અરેબિયન ગલ્ફ કપના ઉદ્ઘાટન સમારોહમાં તેમના 'ગેસ્ટ ઑફ ઓનર' તરીકે હાજરી આપી હતી. પ્રધાનમંત્રી મહામહિમ અમીર, મહામહિમ ક્રાઉન પ્રિન્સ અને કુવૈતના પ્રધાનમંત્રીની સાથે ભવ્ય ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમે કુવૈતના નેતૃત્વ સાથે પ્રધાનમંત્રીની અનૌપચારિક વાતચીતની તક પણ પૂરી પાડી હતી.

નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

November 15th, 06:32 pm

આજે કાર્તિક પૂર્ણિમાનો શુભ અવસર છે. આજે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હું દેશભરના લોકોને આ તહેવારની શુભકામનાઓ પાઠવું છું. આજે ગુરુ નાનક દેવજીનું 555મુ પ્રકાશ પર્વ પણ છે. હું આ અવસર પર સમગ્ર રાષ્ટ્રને અને ખાસ કરીને વિશ્વભરના આપણા શીખ ભાઈ-બહેનોને અભિનંદન આપું છું. આજે સમગ્ર દેશ આદિવાસી ગૌરવ દિવસની પણ ઉજવણી કરી રહ્યો છે. આજે સવારે જ મેં બિહારના જમુઈમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને હવે સાંજે અહીં પહેલો બોડો મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. આસામ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી બોડો સમુદાયના લોકો પ્રથમ બોડોલેન્ડ ફેસ્ટિવલ માટે આવ્યા છે. હું તમામ બોડો મિત્રોને અભિનંદન આપું છું જેઓ અહીં શાંતિ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના નવા ભવિષ્યની ઉજવણી કરવા માટે એકઠા થયા છે.