FAOના એગ્રીકોલા મેડલ માટે પ્રધાનમંત્રીનું સ્વીકૃતિ ભાષણ

May 20th, 11:00 pm

અમારા શાનદાર સ્વાગત અને ‘એગ્રી-કોલા મેડલ’ (Agricola Medal)થી સન્માનિત કરવા માટે હું FAOના ડાયરેક્ટર જનરલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત પ્રત્યે તેમના મિત્રતાભર્યા શબ્દો અને FAO માં તેમના વર્ષોના યોગદાન માટે હું તેમનું અભિનંદન કરું છું.

પ્રધાનમંત્રીએ રોમમાં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) પાસેથી એગ્રિકોલા મેડલ સ્વીકાર્યો

May 20th, 10:55 pm

પ્રધાનમંત્રીએ FAOના મહાનિદેશક ડૉ. ક્યુ ડોંગ્યુ પાસેથી આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. તેમણે આ સન્માન ભારતના ખેડૂતો અને ભારતીય કૃષિ વૈજ્ઞાનિક સમુદાયને સમર્પિત કર્યું હતું, જેઓ ભારતીયો અને વિશ્વભરના લોકો માટે ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે અથાક કાર્ય કરે છે. તેમણે રેખાંકિત કર્યું કે આ માન્યતા માનવ કલ્યાણ, ખાદ્ય સુરક્ષા અને ટકાઉ વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને અંજલિ સમાન છે. ભારતમાં કૃષિ જીવનની કેન્દ્રીયતા પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિ એ ધરતી માતા અને ભારતના લોકો વચ્ચેનો એક પવિત્ર સંબંધ છે.