
પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો
June 05th, 11:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો છે. આ છોડ તેમને ગુજરાતના કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ ભેટમાં આપ્યો હતો. જેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અસાધારણ હિંમત અને દેશભક્તિ દર્શાવી હતી.
પ્રધાનમંત્રીએ 'પ્રોજેક્ટ લાયન' હેઠળ કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી
May 21st, 04:08 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'પ્રોજેક્ટ લાયન' હેઠળ કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી, જે ગુજરાતમાં સિંહોનું રક્ષણ સુનિશ્ચિત કરી રહ્યા છે અને તેમને અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યા છે.
મુંબઈમાં વેવ્સ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 01st, 03:35 pm
વેવ્ઝ સમિટમાં ઉપસ્થિત, મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ અશ્વિની વૈષ્ણવજી, એલ. મુરુગનજી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, વિશ્વના ખૂણે ખૂણેથી સર્જનાત્મક જગતના બધા દિગ્ગજો, વિવિધ દેશોના માહિતી, સંદેશાવ્યવહાર, કલા અને સંસ્કૃતિ વિભાગના મંત્રીઓ, વિવિધ દેશોના રાજદૂતો, વિશ્વના ખૂણેથી જોડાયેલા સર્જનાત્મક જગતના ચહેરાઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ WAVES 2025નું ઉદઘાટન કર્યું
May 01st, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે વેવ્સ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. જે આ પ્રકારની સૌપ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આજે ઉજવાતા મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી. રચનાત્મક ઉદ્યોગનાં તમામ આંતરરાષ્ટ્રીય મહાનુભાવો, રાજદૂતો અને નેતાઓની હાજરીને બિરદાવતાં પ્રધાનમંત્રીએ આ સમારંભનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને એ જણાવ્યું હતું કે, 100થી વધારે દેશોનાં કલાકારો, નવપ્રવર્તકો, રોકાણકારો અને નીતિનિર્માતાઓ પ્રતિભા અને રચનાત્મકતાની વૈશ્વિક ઇકોસિસ્ટમનો પાયો નાંખવા એકત્ર થયા છે. તેમણે નોંધ્યું હતું કે, વેવ્સ એ માત્ર સંક્ષિપ્ત શબ્દ જ નથી, પરંતુ સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને સાર્વત્રિક જોડાણનું પ્રતિનિધિત્વ કરતું મોજું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમિટ ફિલ્મો, સંગીત, ગેમિંગ, એનિમેશન અને સ્ટોરીટેલિંગની વિસ્તૃત દુનિયાને પ્રદર્શિત કરે છે. જે કલાકારો અને સર્જકોને જોડાવા અને સહયોગ કરવા માટે એક વૈશ્વિક મંચ પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક પ્રસંગે તમામ સહભાગીઓને અભિનંદન આપ્યાં હતાં તથા ભારત અને વિદેશમાંથી આવેલા વિશિષ્ટ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.પ્રધાનમંત્રી ભારત અને જાપાન વચ્ચે આર્થિક સહયોગને ગાઢ બનાવવાની ચર્ચા કરવા માટે કાઈઝાઈ દોયુકાઈના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળને મળ્યા
March 27th, 08:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે 7 લોક કલ્યાણ માર્ગ ખાતે ભારત અને જાપાન વચ્ચે આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવા માટે તેમના મંતવ્યો અને વિચારો સાંભળવા માટે કીઝાઈ દોયુકાઈ (જાપાન એસોસિએશન ઓફ કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ) ના અધ્યક્ષ શ્રી તાકેશી નીનામી અને 20 અન્ય વ્યાપાર પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું.પ્રધાનમંત્રીએ ગીરમાં 3જી માર્ચનાં રોજ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની 7મી બેઠકની અધ્યક્ષતા કરી
March 03rd, 04:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી.ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે 38મા રાષ્ટ્રીય રમતોના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
January 28th, 09:36 pm
દેવભૂમિ ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, યુવા મુખ્યમંત્રી પુષ્કર ધામીજી, મારા મંત્રીમંડળના સાથીઓ અજય ટામ્ટાજી, રક્ષા ખડસેજી, ઉત્તરાખંડ વિધાનસભાના અધ્યક્ષ રીતુ ખંડુરીજી, રમતગમત મંત્રી રેખા આર્ય જી, કોમનવેલ્થ ગેમ્સના પ્રમુખ ક્રિસ જેનકિન્સજી, IOAના પ્રમુખ પી.ટી. ઉષાજી, સાંસદ મહેન્દ્ર ભટ્ટજી, રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા આવેલા દેશભરના તમામ ખેલાડીઓ અને અન્ય મહાનુભાવો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું
January 28th, 09:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડનાં દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ અત્યારે યુવાનોની ઊર્જાથી ભરપૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો આજથી બાબા કેદારનાથ, બદ્રીનાથ અને મા ગંગાનાં આશીર્વાદ સાથે શુભારંભ થઈ રહ્યો છે. ઉત્તરાખંડની સ્થાપનાને 25મું વર્ષ થયું હોવાનું જણાવતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી યુવાનો આ યુવા રાજ્યમાં તેમની સંભવિતતા પ્રદર્શિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સુંદર તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સની આ આવૃત્તિમાં ઘણી સ્થાનિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેની થીમ 'ગ્રીન ગેમ્સ' હતી, કારણ કે તેમાં પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુઓનો ઉપયોગ થતો હતો. આ વિષય પર વધુ વિસ્તૃત પણે જણાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટ્રોફીઓ અને ચંદ્રકો પણ ઇ-વેસ્ટનાં જ બનેલાં છે અને દરેક ચંદ્રક વિજેતાનાં નામે એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે, જે એક મહાન પહેલ છે. તેમણે શાનદાર પ્રદર્શન માટે તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ઉત્તરાખંડની સરકાર અને લોકોને આ પ્રકારનાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતાં.પ્રધાનમંત્રીએ બેટી બચાઓ, બેટી પઢાઓ આંદોલનનાં 10 વર્ષ પૂર્ણ કર્યા
January 22nd, 10:04 am
બેટી બચાઓ, બેટી પઢાઓ આંદોલનને આજે 10 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ આંદોલન પરિવર્તનકારી, જનશક્તિશાળી પહેલ બની ગયું છે અને જીવનનાં તમામ ક્ષેત્રોનાં લોકો પાસેથી સહભાગીતા પ્રાપ્ત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બેટી બચાઓ, બેટી પઢાઓએ લિંગ ભેદભાવ દૂર કરવામાં અને બાળકીઓને સશક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રી મોદીએ વધુમાં નોંધ્યું હતું કે, ઐતિહાસિક રીતે બાળકોનું લિંગપ્રમાણ ઓછું હોય તેવા જિલ્લાઓમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે તથા આ આંદોલનને પાયાનાં સ્તરે જીવંત બનાવનાર તમામ હિતધારકોની પ્રશંસા કરી હતી.ચૂંટણી પંચે સમયાંતરે આપણી મતદાન પ્રક્રિયાને મજબૂત બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
January 19th, 11:30 am
In the 118th episode of Mann Ki Baat, PM Modi reflected on key milestones, including the upcoming 75th Republic Day celebrations and the significance of India’s Constitution in shaping the nation’s democracy. He highlighted India’s achievements and advancements in space sector like satellite docking. He spoke about the Maha Kumbh in Prayagraj and paid tributes to Netaji Subhas Chandra Bose.પ્રધાનમંત્રી 6 જાન્યુઆરીએ બહુવિધ રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
January 05th, 06:28 pm
પ્રદેશમાં કનેક્ટિવિટીને વધુ પ્રોત્સાહન આપવાના મુખ્ય પગલામાં, પ્રધાનમંત્રી નવા જમ્મુ રેલ્વે વિભાગનું ઉદ્ઘાટન કરશે. સાથે તેલંગાણામાં ચારલાપલ્લી નવા ટર્મિનલ સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરશે અને પૂર્વ તટ રેલવેના રાયગડા રેલવે ડિવિઝન બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે.The World This Week on India
December 24th, 11:59 am
India’s footprint on the global stage this week has been marked by a blend of diplomatic engagements, economic aspirations, cultural richness, and strategic initiatives.The World This Week on India
December 17th, 04:23 pm
In a week filled with notable achievements and international recognition, India has once again captured the world’s attention for its advancements in various sectors ranging from health innovations and space exploration to climate action and cultural influence on the global stage.પ્રધાનમંત્રીએ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી
December 15th, 10:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. આ ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન 13થી 15 ડિસેમ્બર, 2024 દરમિયાન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.કાર્યકર સુવર્ણ મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 07th, 05:52 pm
કાર્યકર સુવર્ણ મહોત્સવના પાવન અવસરે હું ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં નમ્રતાપૂર્વક નમન કરું છું. આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી પણ છે, જેમને હું પણ શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, કારણ કે તેઓ દિવ્ય ગુરુ હરિ પ્રાગત બ્રહ્માનું મૂર્ત સ્વરૂપ હતા. પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના અથાગ પ્રયત્નો અને સમર્પણ દ્વારા આજે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો અને પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પો સાકાર થઈ રહ્યા છે. એક લાખ સ્વયંસેવકો, યુવાનો અને બાળકોને સાંકળતી આ ભવ્ય સાંસ્કૃતિક ઘટના બીજ, વૃક્ષ અને ફળના સારને સુંદર રીતે રજૂ કરે છે. જો કે હું તમારી વચ્ચે શારીરિક રીતે હાજર રહેવા માટે અસમર્થ છું, તેમ છતાં, હું આ ઘટનાની જીવંતતા અને ઊર્જાને મારા હૃદયમાં ઊંડે સુધી અનુભવી શકું છું. હું પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ અને તમામ પૂજ્ય સંતોને આવી ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને હું તેમને ઊંડા આદર સાથે નમન કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો
December 07th, 05:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે અમદાવાદમાં આયોજિત કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, પૂજ્ય સંતો અને સત્સંગી પરિવારના સભ્યો તથા અન્ય મહાનુભાવો અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવ પ્રસંગે ભગવાન સ્વામી નારાયણના ચરણોમાં નમન કર્યા હતા અને જણાવ્યું હતું કે આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની મહેનત અને સમર્પણથી આજે ભગવાન સ્વામી નારાયણના ઉપદેશો, પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પો ફળીભૂત થઈ રહ્યા છે. યુવાનો અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે આશરે એક લાખ કાર્યકરો સહિત આવા વિશાળ કાર્યક્રમને નિહાળીને શ્રી મોદીએ આનંદ વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે, તેઓ આ કાર્યક્રમના સ્થળે શારીરિક રીતે હાજર ન હોવા છતાં આ કાર્યક્રમની ઊર્જાનો અનુભવ કરી શકે છે. તેમણે પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, તમામ સંતોને આ ભવ્ય દિવ્ય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલ્સની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે
November 29th, 09:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન રાજ્ય કન્વેન્શન સેન્ટર, લોક સેવા ભવન, ભુવનેશ્વર, ઓડિશા ખાતે પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલ્સ 2024ની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે.The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi
November 21st, 08:00 pm
Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.પ્રધાનમંત્રીએ ગુયાનાની સંસદને સંબોધિત કર્યું
November 21st, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાની સંસદની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. સંબોધન માટે માનનીય સ્પીકર શ્રી મંજૂર નાદિર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને વધુ લોકોને તેમની માતાના સન્માનમાં એક વૃક્ષ વાવવા અને સ્થાયી ગ્રહ માટે યોગદાન આપવા વિનંતી કરી
November 16th, 09:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વધુ લોકોને તેમની માતાના સન્માનમાં એક વૃક્ષ વાવી અને ટકાઉ ગ્રહ માટે યોગદાન આપવા વિનંતી કરી. શ્રી મોદીએ એક પેડ મા કે નામ અભિયાનને વેગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો.