લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 25th, 06:16 pm
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા વરિષ્ઠ સહયોગી અને લખનૌના સાંસદ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહજી, યુપી ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન પંકજ ચૌધરીજી, પ્રદેશ સરકારના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠકજી, ઉપસ્થિત અન્ય મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું
December 25th, 05:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જીવન અને આદર્શોના સન્માનમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી વાજપેયીની 101મી જન્મજયંતી નિમિત્તે આયોજિત આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આજે લખનૌની ધરતી નવી પ્રેરણાની સાક્ષી બની રહી છે. તેમણે રાષ્ટ્ર અને વિશ્વને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું હતું કે ભારતમાં પણ લાખો ખ્રિસ્તી પરિવારો આજે આ તહેવાર ઉજવી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્રિસમસની આ ઉજવણી દરેકના જીવનમાં ખુશીઓ લાવે, જે સૌની સામૂહિક ઈચ્છા છે.પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે
October 29th, 10:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે, પ્રધાનમંત્રી કેવડિયામાં એકતા નગરની મુલાકાત લેશે અને ત્યાં લગભગ 5:15 વાગ્યે ઈ-બસોને લીલી ઝંડી આપશે. લગભગ 6:30 વાગ્યે તેઓ એકતા નગરમાં ₹1,140 કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.'મન કી બાત'ના 120મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30.03.2025)
March 30th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ખૂબ જ પાવન દિવસ પર મને તમારી સાથે 'મન કી બાત' કરવાનો અવસર મળ્યો છે. આજે ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આજથી ભારતીય નવ વર્ષનો પણ આરંભ થઈ રહ્યો છે. આ વખતે વિક્રમ સંવત 2082 શરૂ થઈ રહ્યું છે. આ સમયે મારી સામે તમારા ઘણા બધા પત્રો રખાયા છે. કોઈ બિહારથી છે, કોઈ બંગાળથી, કોઈ તમિલનાડુથી, કોઈ ગુજરાતથી છે. તેમાં ઘણી રોચક રીતે લોકોએ પોતાના મનની વાતો લખીને મોકલી છે. ઘણા બધા પત્રોમાં શુભકામનાઓ પણ છે, અભિનંદનના સંદેશ પણ છે. પરંતુ આજે મારું મન કહે છે કે કેટલાક સંદેશાઓ તમને સંભળાવું :-કેવડિયા, ગુજરાત ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 31st, 07:31 am
સરદાર સાહેબની ઓજસ્વી વાણી...સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેનો આ ભવ્ય કાર્યક્રમ...એકતા નગરનું આ વિહંગમ દ્રશ્ય અને અહીંનું અદ્ભુત પ્રદર્શન...મિની ઈન્ડિયાની આ ઝલક...બધું જ અદ્ભુત, પ્રેરણાદાયી છે. છે. 15મી ઑગસ્ટ અને 26મી જાન્યુઆરીની જેમ જ...31 ઑક્ટોબરે આયોજિત આ કાર્યક્રમ...સમગ્ર દેશને નવી ઊર્જાથી ભરી દે છે. હું તમામ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસની શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા
October 31st, 07:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ એકતા દિવસનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો અને રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે એકતા દિવસની પરેડ નિહાળી હતી, જે દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી માટે ઉજવવામાં આવે છે.પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે
October 29th, 03:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. 30મી ઑક્ટોબરે, તેઓ એકતા નગર, કેવડિયા જશે અને સાંજે 5:30 વાગ્યે, તેઓ એકતા નગરમાં રૂ. 280 કરોડથી વધુના મૂલ્યના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ 6 PM પર, તેઓ આરંભ 6.0માં 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે. 31મી ઑક્ટોબરે, સવારે લગભગ 7:15 વાગ્યે, પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઑફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરશે, જે પછી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે.ગુજરાતનાં દ્વારકામાં વિવિધ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 25th, 01:01 pm
મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદમાં મારા સાથીદાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, અન્ય તમામ મહાનુભાવો અને ગુજરાતના મારાં ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ ગુજરાતનાં દ્વારકામાં રૂ. 4150 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
February 25th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં દ્વારકામાં રૂ. 4150 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઓખાની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકાને જોડતી સુદર્શન સેતુ, વાડીનાર અને રાજકોટ-ઓખામાં પાઇપલાઇન પ્રોજેક્ટ, રાજકોટ-જેતલસર-સોમનાથ અને જેતલસર-વાંસજાળીયા રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા હતા. તેમણે એનએચ-927ના ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનને પહોળો કરવા, જામનગરમાં રિજનલ સાયન્સ સેન્ટર અને સિક્કા થર્મલ પાવર સ્ટેશન, જામનગરમાં ફ્લુ ગેસ ડિસુલ્ફ્યુરાઇઝેશન (એફજીડી) સિસ્ટમ ઇન્સ્ટોલેશનનો શિલાન્યાસ કર્યો હતો.પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતનાં કેવડિયામાં રૂ. 160 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
October 31st, 07:14 pm
જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં એકતા નગરથી અમદાવાદ સુધીની હેરિટેજ ટ્રેનનો સમાવેશ થાય છે. જીવંત નર્મદા આરતી માટેનો પ્રોજેક્ટ; કમલમ પાર્ક; સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર એક વોક-વે; 30 નવી ઇ-બસ, 210 ઇ-સાઇકલ અને મલ્ટીપલ ગોલ્ફ કાર્ટ; એકતા નગર ખાતે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના 'સહકાર ભવન'. વધુમાં પ્રધાનમંત્રીએ કેવડીયા ખાતે ટ્રોમા સેન્ટર અને સોલાર પેનલ સાથેની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું.પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, કેવડિયા ખાતે સંબોધનનો મૂળપાઠ
October 31st, 10:00 am
આપ સૌ યુવાનો, બહાદુરોનો આ ઉત્સાહ રાષ્ટ્રીય એકતા દિવસની મોટી તાકાત છે. એક રીતે જોઈએ તો મીની ઈન્ડિયાનું સ્વરૂપ મારી સામે દેખાય છે. રાજ્યો અલગ છે, ભાષા અલગ છે, પરંપરા અલગ છે, પરંતુ અહીં હાજર દરેક વ્યક્તિ એકતાના મજબૂત દોરથી જોડાયેલ છે. માળા ઘણા છે, પણ માળા એક છે. શરીર ઘણા છે, પણ મન એક છે. જે રીતે 15મી ઓગસ્ટ આપણી આઝાદીની ઉજવણીનો દિવસ છે અને 26મી જાન્યુઆરી આપણા પ્રજાસત્તાકની ઉજવણીનો દિવસ છે, તેવી જ રીતે 31મી ઓક્ટોબરનો આ દિવસ દેશના ખૂણે-ખૂણે રાષ્ટ્રવાદના સંચારનો તહેવાર બની ગયો છે.પ્રધાનમંત્રીએ ગુજરાતનાં કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો
October 31st, 09:12 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય એકતા દિવસ સાથે સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે સરદાર પટેલને તેમની જન્મજયંતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં બીએસએફ અને રાજ્યની વિવિધ પોલીસની ટુકડીઓ, તમામ મહિલા સીઆરપીએફ બાઇકર્સ દ્વારા ડેરડેવિલ શો, બીએસએફની મહિલા પાઇપ બેન્ડ, ગુજરાત મહિલા પોલીસ દ્વારા કોરિયોગ્રાફી કાર્યક્રમ, ખાસ એનસીસી શો, સ્કૂલ બેન્ડ્સ ડિસ્પ્લે, ઇન્ડિયન એરફોર્સ દ્વારા ફ્લાય પાસ્ટ, વાઇબ્રન્ટ ગામડાઓની આર્થિક સદ્ધરતાનું પ્રદર્શન વગેરેને નિહાળ્યા હતા.પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે
October 29th, 02:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે સવારે 10:30 વાગ્યે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે તેઓ આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.‘મન કી બાત’ (102મો હપ્તો) પ્રસારણ તારીખ :18.06.2023
June 18th, 11:30 am
સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ દ્વારા ગુજરાત જોબ ફેરના સંબોધનનો મૂળપાઠ
March 06th, 04:35 pm
હોળીના તહેવારની ગુંજ ચારેબાજુ સંભળાઈ રહી છે. હું પણ આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હોળીના આ મહત્વના તહેવાર પર આજની ઘટનાએ હજારો પરિવારોની ખુશીમાં વધારો કર્યો છે. ગુજરાતમાં ટૂંકા ગાળામાં બીજી વખત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્ય માટે હું અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ ગુજરાત રોજગાર મેળાને સંબોધન કર્યું
March 06th, 04:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ગુજરાત સરકારના રોજગાર મેળાને સંબોધન કર્યું હતું.વડાપ્રધાન શ્રીમોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, સોજિત્રા, ગુજરાત
December 02nd, 12:25 pm
વડાપ્રધાન શ્રીમોદીજીએ ગુજરાતને જાતિના આધારે વિભાજિત કરવા અને રાજ્યને અશાંતિમાં ધકેલી દેવાની કોંગ્રેસની ભૂલો ગણાવી હતી. વડાપ્રધાન શ્રીમોદીજીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ આજની તારીખ સુધી મહાન સરદાર પટેલના યોગદાનને અવગણી રહી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શ્રદ્ધાંજલિ ન આપવા બદલ તેમને નિશાન બનાવ્યા છે.વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેર સભાને સંબોધન, પાટણ, ગુજરાત
December 02nd, 12:20 pm
વડાપ્રધાનશ્રી મોદીજીએ પાટણમાં તેમની યાદો તાજી કરી અને લોકોને તેમના જીવન વિશે જણાવ્યું જ્યારે તેઓ કાગડા કી ખડકી ખાતે રહેતા હતા. તેમણે દેશમાં વિશ્વાસનું પ્રતિક બની રહેલી ભાજપ પર પણ વાત કરી હતી, વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, દેશને વિશ્વાસ છે કે પડકારો ગમે તેટલા મોટા હોય, માત્ર ભાજપ જ ઉકેલ શોધી શકે છે. વડાપ્રધાનશ્રી મોદીજીએ કોવિડ સમયગાળા દરમિયાન લોકોને રસી, નાણાકીય સહાય અને સબસિડી પ્રદાન કરવાના ભાજપ સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો.વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, અમદાવાદ, ગુજરાત
December 02nd, 12:16 pm
વડાપ્રધાનશ્રી મોદીજીએ ગુજરાતે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને દેશને અનેક મોરચે અગ્રેસર કર્યું છે તે બાબત નો ઉલ્લેખકર્યો, વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રકચર હોય કે ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતના લોકોએ દેશને એક ઉત્તમ મોડેલ રજૂ કર્યું છેવડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, કાંકરેજ, ગુજરાત
December 02nd, 12:01 pm
વડાપ્રધાનશ્રી મોદીજીએ આજે પણ ગુજરાતમાં આગામી ચૂંટણી માટે પ્રચાર ચાલુ રાખ્યો હતો. કાંકરેજ ખાતેની તેમની જાહેરસભામાં વડાપ્રધાનશ્રી મોદીજીએ ભારતીય સમાજમાં ગાયના આર્થિક અને ધાર્મિક મહત્વ વિશે વાત કરી હતી. વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, ભારતના ડેરી ઉદ્યોગની આર્થિક શક્તિ દેશમાં ઉત્પાદિત થનારા અનાજ કરતાં વધુ છે. આજે બનાસડેરીના વિસ્તરણથી દરેક ગામને ફાયદો થઈ રહ્યો છે.”