પ્રધાનમંત્રી 25-26 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાત લેશે

August 24th, 01:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. 25 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યે, તેઓ અમદાવાદના ખોડલધામ મેદાન ખાતે 5,400 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.