હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 28th, 06:00 pm

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, રામ મોહન નાયડુજી, મુરલીધર મોહોલજી, વિશ્વભરમાંથી આવેલા માનનીય મંત્રીઓ (Honourable Ministers), ગ્લોબલ એવિએશન ઈન્ડસ્ટ્રીના લીડર્સ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન્સના રિપ્રેઝન્ટેટિવ્સ, પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ (Distinguished Delegates), દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને સંબોધિત કર્યો

January 28th, 05:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેલંગાણાના હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ઉદ્યોગ જગતના નેતાઓ, નિષ્ણાતો અને રોકાણકારોનું સ્વાગત કર્યું હતું અને નોંધ્યું હતું કે ઉડ્ડયન ઉદ્યોગનો આગામી યુગ આકાંક્ષાઓથી ભરેલો છે અને ભારત એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે. તેમણે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ, પાયલોટ ટ્રેનિંગ, એડવાન્સ્ડ એર મોબિલિટી અને એરક્રાફ્ટ લીઝિંગમાં ભારત જે વિશાળ તકો રજૂ કરે છે તેના પર પ્રકાશ પાડ્યો અને તમામ હિતધારકો માટે વિંગ્સ ઈન્ડિયા સમિટના મહત્વ પર ભાર મૂક્યો હતો.

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 25th, 06:16 pm

રશિયાના નાયબ પ્રધાનમંત્રી દિમિત્રી પાત્રુશેવ, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદાર ચિરાગ પાસવાન, રવનીતજી, પ્રતાપરાવ જાધવજી, વિવિધ દેશોથી અહીં પધારેલ મંત્રીગણ, અન્ય પ્રતિનિધિઓ, અતિથિગણ, દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025ને સંબોધિત કર્યુ

September 25th, 06:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025 દરમિયાન એક સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, નવીનતાઓ અને ગ્રાહકો બધા આ કાર્યક્રમમાં એકસાથે ઉપસ્થિત હતા, જે વર્લ્ડ ફૂડ ઈન્ડિયાને નવા સંપર્ક, નવા જોડાણ અને સર્જનાત્મકતાનું પ્લેટફોર્મ બનાવે છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે હમણાં જ પ્રદર્શનોની મુલાકાત લીધી હતી અને ખુશી વ્યક્ત કરી હતી કે પ્રાથમિક ધ્યાન પોષણ, તેલનો વપરાશ ઘટાડવા અને પેકેજ્ડ ઉત્પાદનોની આરોગ્યપ્રદતા વધારવા પર હતું. પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ સહભાગીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

ONDCએ નાના ઉદ્યોગોને સશક્ત બનાવવામાં અને ઈ-કોમર્સમાં ક્રાંતિ લાવવામાં યોગદાન આપ્યું છેઃ પ્રધાનમંત્રી

January 02nd, 10:23 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નાના ઉદ્યોગોને સશક્ત બનાવવા અને ઈ-કોમર્સમાં ક્રાંતિ લાવવામાં ONDCના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે તે વિકાસ અને સમૃદ્ધિને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

નવી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસી કેડેટ્સ રેલીમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

January 27th, 05:00 pm

એક ભૂતપૂર્વ એનસીસી કેડેટ હોવાનાં કારણે જ્યારે પણ હું તમારી વચ્ચે આવું છું ત્યારે ઘણી જૂની યાદો તાજી થાય તે ખૂબ જ સ્વાભાવિક છે. જ્યારે આપણે એનસીસી કેડેટ્સમાં આવીએ છીએ, ત્યારે આપણને સૌ પ્રથમ એક ભારત-શ્રેષ્ઠ ભારતનાં દર્શન થાય છે. તમે લોકો તો દેશના ખૂણે ખૂણેથી અહીં આવ્યા છો. અને મને ખુશી છે કે વીતેલાં વર્ષોમાં એનસીસી રેલીનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે. અને આ વખતે અહીં વધુ એક નવી શરૂઆત થઈ છે. આજે અહીં, જેને સરકાર વાઇબ્રન્ટ ગામો તરીકે વિકસાવી રહી છે તેવાં દેશભરનાં સરહદી ગામોના 400થી વધુ સરપંચો આપણી વચ્ચે છે. આ ઉપરાંત દેશભરમાંથી સ્વ-સહાય જૂથોના પ્રતિનિધિ તરીકે 100થી વધુ બહેનો પણ હાજર છે. હું આપ સૌનું પણ હાર્દિક સ્વાગત કરું છું.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસી પીએમ રેલીને સંબોધન કર્યું

January 27th, 04:30 pm

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ એનસીસી કેડેટ તરીકે પોતે એનસીસી કેડેટ તરીકે એનસીસી કેડેટની વચ્ચે જ્યારે તેઓ ઉપસ્થિત હોય છે, ત્યારે તેમની યાદોને યાદ કરવી સ્વાભાવિક છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એનસીસી કેડેટ્સ વચ્ચે ઉપસ્થિત રહેવાથી એક ભારત, શ્રેષ્ઠ ભારતનો વિચાર પ્રદર્શિત થાય છે. તેમણે દેશનાં વિવિધ ભાગોનાં કેડેટ્સની હાજરીનું અવલોકન કર્યું હતું. તેમણે એનસીસીનું ક્ષેત્ર સતત વધી રહ્યું છે એ બદલ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આજનો પ્રસંગ નવી શરૂઆતનો સંકેત છે. તેમણે વાયબ્રન્ટ વિલેજ યોજના હેઠળ સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલા સરહદી વિસ્તારોના ગામોના 400થી વધુ સરપંચો અને દેશભરના સ્વસહાય જૂથોની 100થી વધુ મહિલાઓની હાજરીની પણ નોંધ લીધી હતી.

'પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન (પીએમ વિકાસ)' વિષય પર બજેટ બાદના વેબિનારમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

March 11th, 10:36 am

છેલ્લા ઘણા દિવસોથી બજેટ પછીના વેબિનારની હારમાળા ચાલી રહી છે. છેલ્લાં ત્રણ વર્ષથી અમે બજેટ પછી બજેટ વિશે હિતધારકો સાથે વાત કરવાની પરંપરા શરૂ કરી છે. અને જે બજેટ આવ્યું છે એને ખૂબ જ કેન્દ્રિત રીતે વહેલામાં વહેલી તકે કેવી રીતે અમલમાં મૂકીએ. તે માટે હિતધારકો શું સૂચનો આપે છે, સરકાર તેમનાં સૂચનો પર કેવી રીતે અમલ કરે, એટલે કે તે અંગે ખૂબ સરસ મંથન ચાલી રહ્યું છે. અને હું ખુશ છું કે તમામ સંગઠનો, વેપાર અને ઉદ્યોગો સાથે સંકળાયેલા જેમની સાથે બજેટનો સીધો સંબંધ છે, પછી તે ખેડૂતો હોય, મહિલાઓ હોય, યુવાનો હોય, આદિવાસીઓ હોય, આપણા દલિત ભાઈઓ અને બહેનો હોય, તમામ હિતધારકો અને હજારોની સંખ્યામાં અને આખો દિવસ બેસીને, બહુ જ સરસ સૂચનો બહાર આવ્યાં છે. એવાં સૂચનો પણ આવ્યાં છે જે સરકાર માટે પણ ઉપયોગી છે. અને મારા માટે ખુશીની વાત છે કે આ વખતે બજેટના વેબિનારમાં બજેટમાં આમ હોતે, પેલું ન હતે, આમ થાત, આવી બાબતોની કોઇ ચર્ચા કરવાને બદલે તમામ હિતધારકોએ આ બજેટને કેવી રીતે સૌથી વધુ ઉપકારક બનવી શકાય, તેના માટેના રસ્તાઓ શું છે તેની ચોક્કસ ચર્ચાઓ કરી છે.

પ્રધાનમંત્રીએ ‘પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન’ વિષય પર બજેટ પછી યોજાયેલા વેબિનારમાં સંબોધન આપ્યું

March 11th, 10:12 am

આ વેબિનારમાં ભાગ લેનારાઓને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી હિતધારકો સાથે બજેટ પછીના સંવાદની પરંપરા ઉભરી આવી છે. તેમણે એ વાતની ખુશી વ્યક્ત કરી કે તમામ હિતધારકોએ આ ચર્ચાઓમાં ઉત્પાદક રીતે ભાગ લીધો છે. તેમણે એ પણ નોંધ્યું હતું કે, બજેટ તૈયાર કરવા અંગે ચર્ચા કરવાને બદલે, હિતધારકોએ બજેટની જોગવાઇઓને અમલમાં મૂકવા માટેની શ્રેષ્ઠ સંભવિત રીતો અંગે ચર્ચા કરી છે. પ્રધાનમંત્રીએ એવી પણ ટિપ્પણી કરી હતી કે બજેટ પછીના વેબિનારોની આ શ્રેણી એ એક નવો અધ્યાય છે જ્યાં સંસદની અંદર સાંસદો દ્વારા કરવામાં આવતી ચર્ચાઓ તમામ હિતધારકો દ્વારા કરવામાં આવે છે, જ્યાં તેમના તરફથી મૂલ્યવાન સૂચનો મેળવવાથી ખૂબ જ ઉપયોગી પ્રથા તૈયાર થાય છે.

કેબિનેટે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શન્સ (P2M)ને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી

January 11th, 03:30 pm

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એપ્રિલ 2022થી એક વર્ષના સમયગાળા માટે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારો (વ્યક્તિ-થી-વેપારી)ને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી છે.

તમામ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના શ્રમ મંત્રીઓ સાથે રાષ્ટ્રીય શ્રમ પરિષદ ખાતે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 25th, 04:31 pm

ચંદીગઢના વહીવટદાર શ્રીમાન બનવારી લાલ પુરોહિતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, શ્રી રામેશ્વર તેલીજી, તમામ રાજ્યોના આદરણીય શ્રમ મંત્રી ગણ, શ્રમ સચિવ ગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો, સૌ પ્રથમ હું ભગવાન તિરુપતિ બાલાજીના ચરણોમાં વંદન કરું છું. જે પવિત્ર સ્થાન પર આપ સૌ ઉપસ્થિત છો તે ભારતના શ્રમ અને સામર્થ્યનું સાક્ષી રહ્યું છે. મને વિશ્વાસ છે આ પરિષદમાંથી બહાર આવનારા વિચારો દેશના શ્રમ સામર્થ્યને મજબૂત કરશે. હું આ તમામને ખાસ કરીને શ્રમ મંત્રાલયને આ આયોજન માટે અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રીએ તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓને રાષ્ટ્રીય શ્રમ પરિષદમાં સંબોધન કર્યુ

August 25th, 04:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ શ્રી ભૂપેન્દ્ર યાદવ અને શ્રી રામેશ્વર તેલી તેમજ રાજ્યોના શ્રમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર, ગુજરાતમાં ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ 2022 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 04th, 10:57 pm

નમસ્તે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી શ્રી અશ્વિની વૈષ્ણવજી, શ્રી રાજીવ ચંદ્રશેખરજી, અલગ અલગ રાજ્યો સાથે સંકળાયેલા તમામ પ્રતિનિધિ, ડિજિટલ ઇન્ડિયાના તમામ લાભાર્થી, સ્ટાર્ટ અપ્સ અને ઇન્ડસ્ટ્રી સાથે સકળાયેલા તમામ સાથીઓ, નિષ્ણાતો, એકેડમીડિશિયન, સંશોધકો, દેવીઓ તથા સજ્જનો.

પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું

July 04th, 04:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગાંધીનગરમાં ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું હતું, જેની થીમ ‘Catalyzing New India’s Techade’ છે. કાર્યક્રમ દરમિયાન, તેમણે ટેકનોલોજીની સુલભતા વધારવા, જીવનની સરળતા સુનિશ્ચિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવાના હેતુથી બહુવિધ ડિજિટલ પહેલ પણ શરૂ કરી હતી. તેમણે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ (C2S) પ્રોગ્રામ હેઠળ સહાયિત થનારી 30 સંસ્થાઓના પ્રથમ સમૂહની પણ જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ્સ અને આ ક્ષેત્રના અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.

Start-ups are reflecting the spirit of New India: PM Modi during Mann Ki Baat

May 29th, 11:30 am

During Mann Ki Baat, Prime Minister Narendra Modi expressed his joy over India creating 100 unicorns. PM Modi said that start-ups were reflecting the spirit of New India and he applauded the mentors who had dedicated themselves to promote start-ups. PM Modi also shared thoughts on Yoga Day, his recent Japan visit and cleanliness.

વિદેશમાં ભારતીય મિશનના વડાઓ અને વેપાર તથા વાણિજ્ય ક્ષેત્રના હિસ્સેદારો સાથે સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 06th, 06:31 pm

કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગી ગણ. દુનિયાભરમાં સેવા આપી રહેલા રાજદૂતો, હાઈ કમિશનર્સ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ અધિકારીગણ. અલગ અલગ એક્સપોર્ટ કાઉન્સિલ તથા ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્સ્ટ્રીના તમામ નેતાગણ. દેવીઓ અને સજ્જનો. આ સમયગાળો સ્વતંત્રતાના અમૃત મહોત્સવનો છે. આ સમયગાળો આઝાદીના 75 વર્ષમાં આપણી સ્વતંત્રતાની ઉજવણનો તો છે જ, કરવાનું તો છે જ પણ સાથે સાથે ભવિષ્યના ભારત માટે એક સ્પષ્ટ વિઝન અને રોડમેપના નિર્માણનો પણ અવસર છે. તેમાં આપણી નિકાસની મહત્વાકાંક્ષાનો અને તેમાં તમારા તમામ સાથીઓના જોડાણ, પહેલ, તમારી ભૂમિકા ઘણી મહત્વની છે. આજે જે વૈશ્વિક સ્તરે થઈ રહ્યું છે તેમાં હું માનું છું કે આપણે તમામ તથા અહીં મારી સમક્ષ ઉપસ્થિત જે લોકો છે તે સૌ તેનાથી વઘારે માહિતગાર છે. આજે ફિઝિકલ, ટેકનોલોજીકલ અને ફાઇનાન્સિયલ જોડાણને કારણે દુનિયા દિન પ્રતિદિન નાની બનતી જાય છે. આ સંજોગોમાં આપણી નિકાસના વ્યાપ માટે દુનિયાભરમાં નવી સંભાવનાઓ બની રહી છે. અને હું સમજું છું કે મારા કરતાં પણ તમે બધા તેનાથી અનુભવી અને પારખું છો. હું આપ સૌને આ પહેલ માટે અને આવી રીતે બંને પક્ષની વાતો રજૂ કરવા માટે જે તક મળી છે તેના માટે અભિનંદન પાઠવું છું. તમે તમામે નિકાસને લઈને આપણી મહત્વાકાંક્ષાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે જે ઉત્સાહ, આશાવાદ અને પ્રતિબદ્ધતા દાખવી છે તે પણ પ્રશંસનીય છે.

પ્રધાનમંત્રીએ વિદેશમાં ભારતીય મિશનના વડાઓ અને વેપાર તેમજ વાણિજ્ય ક્ષેત્રના હિતધારકો સાથે વાતચીત કરી

August 06th, 06:30 pm

આ પ્રકારની પહેલવહેલી પહેલ કરીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિદેશમાં ભારતીય મિશનોના વડાઓ અને વેપાર તેમજ વાણિજ્ય ક્ષેત્રના હિતધારકો સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને વિદેશ મંત્રી પણ આ વાતચીતમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વાતચીતમાં વીસથી વધુ વિભાગોના સચિવો, રાજ્ય સરકારના અધિકારીઓ, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સના સભ્યો અને ચૅમ્બર ઑફ કૉમર્સના સભ્યો પણ સામેલ થયા હતા.

Increase social distancing, reduce emotional distancing: PM Modi during Mann Ki Baat

March 29th, 10:36 am

During ‘Mann Ki Baat’, PM Modi spoke at length about the Coronavirus pandemic. PM Modi emphasized on ‘social distancing’ to fight the COVID-19 menace and applauded the doctors and other health care workers for their untiring efforts. He hailed them as the ‘front-line soldiers.’ The Prime Minister said the ongoing lockdown was necessary to break the chain of virus transmission and ensure everyone’s safety.

વારાણસીમાં ‘કાશી એક રૂપ અનેક’ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 16th, 02:46 pm

કાશીમાં આ મારો આજનો ત્રીજો કાર્યક્રમ છે. સૌથી પહેલા હું અધ્યાત્મના કુંભમાં હતો. પછી આધુનિકતાના કુંભમાં ગયો, બનારસ માટે સેંકડો કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો અને હવે હું એક રીતે સ્વરોજગારના આ કુંભમાં પહોંચી ગયો છું.

પ્રધાનમંત્રીએ વારાણસીમાં ‘કાશી એક રૂપ અનેક’ કાર્યક્રમમાં ભાગ લીધ

February 16th, 02:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશને 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માટે સરકાર નિર્ણયો લેવાનું ચાલુ રાખશે. વારાણસીમાં બપોર પછી એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, દેશમાં પરંપરાગત હસ્તકળાના કારીગરો, શિલ્પકારો અને MSMEને સુવિધાઓ આપવાથી તેમજ તેમને વધુ મજબૂત બનાવવાથી આ લક્ષ્ય સિદ્ધ કરવામાં મદદ મળશે.