પ્રધાનમંત્રીએ અક્રામાં નક્રુમાહ મેમોરિયલ પાર્ક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

July 03rd, 03:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઘાનાના અક્રામાં નક્રુમાહ મેમોરિયલ પાર્કની મુલાકાત લીધી અને ઘાનાના સ્થાપક રાષ્ટ્રપતિ અને આફ્રિકન સ્વતંત્રતા ચળવળના આદરણીય નેતા ડૉ. ક્વામે નક્રુમાહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમની સાથે ઘાનાના ઉપરાષ્ટ્રપતિ, મહામહિમ પ્રો. નાના જેન ઓપોકુ-અગ્યેમાંગ પણ હતા. પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા, એકતા અને સામાજિક ન્યાયમાં ડૉ. નક્રુમાહના કાયમી યોગદાનના સન્માનમાં પુષ્પમાળા અર્પણ કરી અને મૌન પાળ્યું.