બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગના 45મા વર્ષગાંઠ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 10th, 11:05 am

હમણાં ગુરુદેવે ઘણું બધું જણાવ્યું, તમને લાગતું હશે કે તેઓ મારા વખાણ કરી રહ્યા હતા, પરંતુ મને લાગતું હતું કે તેઓ મને કામ જણાવી રહ્યા હતા. આપે સાચું કહ્યું કે મારો ધન્યવાદ ન હોઈ શકે, આપનો જ છું, આપની વચ્ચે આવ્યો છું અને આપના માટે જ આવ્યો છું, અને જ્યાં છું ત્યાં પણ આપના જ કારણે છું. આજે ગુરુદેવના 70 વર્ષનો આ કાર્યક્રમ છે, પરંતુ હું ઈચ્છીશ કે જ્યારે હું ઘરનો જ છું તો સામેથી કહી દઉં છું, કે જ્યારે તમારો શતાબ્દી સમારોહ હશે ત્યારે હું પણ ફરીથી એકવાર આવીશ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બેંગલુરુ, કર્ણાટકમાં આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થયા

May 10th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુ, કર્ણાટકમાં આર્ટ ઓફ લિવિંગની 45th વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો હતો. પ્રસંગની મંગલકારીતા પર ધ્યાન દોરતા, પ્રધાનમંત્રીએ બાળકો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સ્વાગત, ભગવાન ગણેશના દર્શન, શ્રી શ્રી રવિશંકર જીનું 70th વર્ષ અને આર્ટ ઓફ લિવિંગની 45th વર્ષગાંઠની ઉજવણી દ્વારા સમૃદ્ધ બનેલી સવારની વિશિષ્ટતાનું વર્ણન કર્યું હતું. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, આ એવી ક્ષણો છે જે હંમેશા મારી સ્મૃતિઓમાં રહેશે.