પ્રધાનમંત્રી સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે ASML અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચેના કરાર હસ્તાક્ષરના સાક્ષી બન્યા

May 16th, 10:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબ જેટેનની સાથે આજે ધોલેરા, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ફેબ (Fab)ને સહયોગ આપવા માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ASML વચ્ચેના કરાર પર હસ્તાક્ષર કરવાના સાક્ષી બન્યા હતા.

પ્રધાનમંત્રી ડચ CEOs સાથે મુલાકાત કરી

May 16th, 10:15 pm

બેઠક પૂર્વે, બંને નેતાઓની ઉપસ્થિતિમાં ASML અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેઓએ ગુજરાતના ધોલેરામાં ભારતના પ્રથમ ફ્રન્ટ-એન્ડ સેમિકન્ડક્ટર FAB માટે એકસાથે ભાગીદારી કરવાના ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ASMLના નિર્ણયને આવકાર્યો હતો.

કેબિનેટે ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાને આવરી લેતા એક નવા પ્રોજેક્ટને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 134 કિમીનો વધારો થશે

May 13th, 03:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ​​રેલવે મંત્રાલયના અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને આશરે રૂ. 20,667 કરોડના કુલ ખર્ચ સાથે મંજૂરી આપી છે. તે ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ પ્રોજેક્ટ હશે, જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી સાથે આયોજિત કરવામાં આવ્યો છે.

વડોદરા, ગુજરાતમાં સરદારધામ હોસ્ટેલના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો પાઠ

May 11th, 06:15 pm

આજનો આ દિવસ કોઈ પુણ્ય પર્વથી ઓછો નથી। અહીં આવતા પહેલા હું સોમનાથ મંદિરમાં હતો. સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થયા છે। સોમનાથ મંદિરની પુનઃસ્થાપના, આ સ્વપ્ન સરદાર પટેલના સંકલ્પથી જ પૂરું થયું હતું. આ અવસર પર, પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. અને તે જ દિવસે, અહીં વડોદરામાં સરદાર ધામ સાથે જોડાયેલા એક અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ થઈ રહ્યો છે. ડૉ. દુષ્યંત અને દક્ષા પટેલ કોમ્પ્લેક્સનું લોકાર્પણ, શિક્ષણ સહાય યોજનાનો શુભારંભ, નવી પરિયોજનાઓનું ભૂમિપૂજન, આ તમામ કાર્ય, ભવિષ્યમાં રાષ્ટ્ર નિર્માણના પ્રભાવી પ્રકલ્પ સાબિત થશે. એક રીતે, આ સંસ્થાન યુવાનો માટે ભવિષ્યની કારકિર્દીના launching pad નું કામ કરશે। હું આપ સૌને, સમાજના તમામ લોકોને આ પુણ્ય કાર્ય માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું ઉદઘાટન કર્યું

May 11th, 06:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું ઉદઘાટન કર્યું હતું. સોમનાથ મંદિરના 75મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે જ વડોદરાના સરદાર ધામ ખાતે એક પ્રતિષ્ઠિત મેળાવડાને સંબોધતા પ્રધાનમંત્રીએ શૈક્ષણિક સંસ્થાઓના ઉદઘાટન અને આધ્યાત્મિક સ્મરણના શુભ સંયોગને ચિહ્નિત કર્યો હતો. શિક્ષણ સહાય યોજના શરૂ કરવાની સાથે ડો. દુષ્યંત અને દક્ષા પટેલ કોમ્પ્લેક્સનું ઉદઘાટન અને બહુવિધ શૈક્ષણિક પ્રોજેક્ટ્સ માટે ભૂમિપૂજન વિધિ સંપન્ન કરતા પ્રધાનમંત્રીએ આ પહેલોને યુવાનોની ભાવિ કારકિર્દી માટે 'લોન્ચિંગ પેડ' તરીકે ઓળખાવી હતી. થોડા કલાકો પહેલા જ હું પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો હતો અને હવે આપણે અહીં પરિવર્તનકારી શૈક્ષણિક સંસ્થાઓનું ઉદઘાટન કરી રહ્યા છીએ, આ સમકાલીનતા પ્રતીક છે કે કેવી રીતે વારસો અને પ્રગતિ સાથે આગળ વધે છે, તેમ શ્રી મોદીએ અવલોકન કર્યું હતું.

ગુજરાતના વાવ-થરાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 31st, 05:00 pm

હજુ થોડા દિવસ પહેલા જ પવિત્ર નવરાત્રીનો પર્વ પૂર્ણ થયો છે. આ મા અંબાજીની કૃપા જ છે કે મને તેમના ચરણોમાં આજે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમની કૃપાથી આજે, આપ સૌના, મારા પોતાના પરિવારજનોના, આપ સૌના દર્શન કરવાનો મને આજે લાભ મળ્યો છે. હું મા અંબાજીના ચરણોમાં પ્રણામ કરું છું. આપણા વરાહ સ્વરૂપ ભગવાન શ્રી ધણીધર જી, હું તેમને પણ આજે શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું. એ પણ એક સુખદ સંયોગ છે કે આજે આપણે ભગવાન મહાવીર જયંતી પણ ઉજવી રહ્યા છીએ. આપણો આ વિસ્તાર અનેક જૈન તીર્થોની ધરતી છે. હું ભગવાન મહાવીરને પ્રણામ કરું છું, અને આપ સૌને પવિત્ર મહાવીર જનકલ્યાણક દિવસની, મહાવીર જયંતીની વધામણી પણ આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વાવ-થરાદમાં ₹20,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કર્યું

March 31st, 04:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે ઉત્તર ગુજરાત માટે અંદાજે ₹20,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. નવરાત્રિનો પવિત્ર તહેવાર હમણાં જ સંપન્ન થયો છે અને આજે ભગવાન મહાવીર જયંતી પણ છે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ મા અંબાજી અને ભગવાન શ્રી ધરણીધરજીને નમન કર્યા હતા.

The inauguration of Micron’s semiconductor facility marks a milestone in India’s journey towards technology leadership: PM Modi in Sanand, Gujarat

February 28th, 02:45 pm

During the inauguration of the Micron ATMP facility in Sanand, Gujarat, PM Modi said that India is now rapidly strengthening its identity in the hardware sector. He highlighted the project’s rapid progress and emphasized that the facility is a testament to the robust India-US partnership. He expressed confidence that the Micron facility would anchor a new semiconductor ecosystem in the country and asserted that India is ready, reliable and delivers.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાણંદ, ગુજરાતમાં માઈક્રોન ટેકનોલોજીની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) સુવિધાનું ઉદ્ઘાટન કર્યું

February 28th, 02:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદમાં માઈક્રોન ATMP (એસેમ્બલી, ટેસ્ટ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. વ્યાપારી ઉત્પાદનના પ્રારંભને ચિહ્નિત કરતી આ સીમાચિહ્નરૂપ ઘટના, વૈશ્વિક ટેકનોલોજી નેતૃત્વ તરફની ભારતની સફરમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે.

સંયુક્ત નિવેદન: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારત મુલાકાત

January 19th, 08:10 pm

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ, મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને 19 જાન્યુઆરી 2026ના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. છેલ્લા દસ વર્ષમાં મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની આ પાંચમી ભારત મુલાકાત હતી અને UAEના રાષ્ટ્રપતિ તરીકે તેમની ત્રીજી સત્તાવાર ભારત મુલાકાત હતી.

કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 11th, 02:45 pm

2026ના પ્રારંભ પછી આ મારો ગુજરાતનો પ્રથમ પ્રવાસ છે. અને સુખદ એટલા માટે પણ છે કારણ કે 2026 ની મારી યાત્રા સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને થઈ છે. અને હવે હું રાજકોટમાં આ શાનદાર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું. એટલે કે વિકાસ પણ, વિરાસત પણ, આ મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. હું દેશ અને દુનિયાભરમાંથી અહીં પધારેલા આપ સૌ સાથીઓનું વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં સ્વાગત કરું છું, અભિનંદન કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું

January 11th, 02:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે 2026 ની શરૂઆત પછી ગુજરાતની આ તેમની પ્રથમ મુલાકાત છે. તેમણે હાઇલાઇટ કર્યું કે વહેલી સવારે તેમણે ભગવાન સોમનાથના દિવ્ય દર્શન કર્યા હતા અને હવે તેઓ રાજકોટમાં આ ભવ્ય કાર્યક્રમમાં સહભાગી થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે “વિકાસ પણ, વિરાસત પણ” નો મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ભાગ લેવા માટે દેશ અને દુનિયાભરમાંથી આવેલા તમામ સાથીઓનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 17th, 12:25 pm

તમારા દ્વારા, હું ખેતરોમાં કામ કરતા તમારા ખેડૂતો, નવા વિચારો રજૂ કરતા સાહસિકો, સમુદાયો અને સંસ્થાઓનું નેતૃત્વ કરતી ગૌરવશાળી મહિલાઓ અને ભવિષ્યને આકાર આપી રહેલા ઇથોપિયાના યુવાનો સાથે પણ વાત કરી રહ્યો છું. આ અપાર સૌભાગ્ય બદલ હું તમારો આભાર માનું છું.

પ્રધાનમંત્રીએ ઇથોપિયામાં સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું

December 17th, 12:12 pm

ભારત અને ઇથોપિયા વચ્ચેના સભ્યતાપૂર્ણ સંબંધોને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે બંને દેશો પ્રાચીન શાણપણને આધુનિક મહત્વાકાંક્ષા સાથે જોડે છે. આ સંદર્ભમાં તેમણે નોંધ્યું કે ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને ઇથોપિયાનું રાષ્ટ્રગીત બંને તેમની ભૂમિને માતા તરીકે સંબોધે છે. બંને દેશોના સહિયારા સંઘર્ષનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ 1941માં ઇથોપિયાના લોકોની સાથે તેમની સ્વતંત્રતા માટે લડનારા ભારતીય સૈનિકોના યોગદાન પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ઇથોપિયાના લોકોના બલિદાનના પ્રતીક, એડવા વિજય સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવી એ તેમના માટે સન્માનની વાત છે.

'વંદે માતરમ' ની ભાવના ભારતની શાશ્વત ચેતના સાથે જોડાયેલી છે: મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદી

October 26th, 11:30 am

આ મહિનાની મન કી બાત સંબોધનમાં, પ્રધાનમંત્રી મોદીએ 31 ઓક્ટોબરે સરદાર પટેલને તેમની 150મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે છઠ પૂજા ઉત્સવ, પર્યાવરણીય સંરક્ષણ, ભારતીય શ્વાનની જાતિઓ, ભારતીય કોફી, આદિવાસી સમુદાયના નેતાઓ અને સંસ્કૃત ભાષાના મહત્વ જેવા રસપ્રદ વિષયો પર પણ વાત કરી. પ્રધાનમંત્રીએ 'વંદે માતરમ' ગીતના 150મા વર્ષનો ખાસ ઉલ્લેખ કર્યો.

કેબિનેટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (આઇએસએમ) હેઠળ વધુ એક સેમીકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

September 02nd, 03:32 pm

સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને જીવંત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની ગુજરાતનાં સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.

17 જાન્યુઆરી, 2018નાં રોજ અમદાવાદનાં દેવ ધોલેરા ગામ ખાતે iCreate કેન્દ્રનાં ઉદઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

January 17th, 03:15 pm

મહામહિમ, ઇઝરાયલનાં પ્રધાનમંત્રી શ્રી બેન્જામિન નેતન્યાહૂ, શ્રીમતી સારા નેતન્યાહૂ, ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિન પટેલજી, iCrate સાથે જોડાયેલા તમામ બૌદ્ધિક નવપ્રવર્તકો, સંશોધનનાં વિદ્યાર્થીઓ, અધિકારીગણ અને અહીં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો તથા નવયુવાન મિત્રો.

પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આઇક્રિએટ સેન્ટર દેશને સમર્પિત કર્યું

January 17th, 03:14 pm

પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આજે (17-01-2018) અમદાવાદ નજીકનાં વિસ્તારમાં સ્થિત આઇક્રીએટ સુવિધા કેન્દ્ર દેશને સમર્પિત કર્યું હતું. આઇક્રીએટ ખાદ્ય સુરક્ષા, જળ, જોડાણ, સાયબર સુરક્ષા, આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ, ઊર્જા, બાયો-મેડિકલ સાધનો અને ઉપકરણો વગેરે જેવા મોટાં પડકારો ઝીલવા રચનાત્મકતા, નવીનતા, એન્જિનીયરિંગ, પ્રોડક્ટ ડિઝાઇન અને વિકસતી ટેકનોલોજીનાં ઉપયોગનાં સુભગ સમન્વય મારફતે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા ઊભું કરવામાં આવેલું સ્વતંત્ર કેન્દ્ર છે.

Creating dynamic, people oriented cities of the future: The Gujarat Experience

August 21st, 12:05 pm

Creating dynamic, people oriented cities of the future: The Gujarat Experience

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડની બેઠકમાં લેવાયેલા દૂરોગામી નિર્ણયો

July 23rd, 06:50 pm

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડની બેઠકમાં લેવાયેલા દૂરોગામી નિર્ણયો