કેબિનેટે ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં હાઇબ્રિડ એન્યુટી મોડ પર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના દિલ્હી-ફરીદાબાદ-બલ્લભગઢ-સોહના સ્પુરથી જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધીના ગ્રીનફિલ્ડ કનેક્ટિવિટીના નિર્માણ માટે સુધારેલા ખર્ચના અંદાજને મંજૂરી આપી
March 10th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ઉત્તર પ્રદેશ અને હરિયાણા રાજ્યોમાં હાઇબ્રિડ એન્યુટી મોડ પર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના દિલ્હી-ફરીદાબાદ-બલ્લભગઢ-સોહના સ્પુરથી જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધીના ગ્રીનફિલ્ડ કનેક્ટિવિટીના નિર્માણ માટે ₹3630.77 કરોડના સુધારેલા કુલ મૂડી ખર્ચને મંજૂરી આપી છે.કેબિનેટે મધ્ય પ્રદેશમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના બદનાવર-પેટલાવદ-થાંદલા-તિમરવાની સેક્શન (NH-752D) ના ₹3,839.42 કરોડના ખર્ચે હાઇબ્રિડ એન્યુટી મોડ પર 4-લેનિંગના નિર્માણને મંજૂરી આપી
March 10th, 04:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે NH-752D ના બદનાવર-પેટલાવદ-થાંદલા-તિમરવાની સેક્શનના 80.45 કિલોમીટરની લંબાઈ ધરાવતા 4-લેન કોરિડોરના વિકાસને ₹3,839.42 કરોડના કુલ મૂડી ખર્ચ સાથે મંજૂરી આપી છે.કોટા એરપોર્ટના શિલાન્યાસ સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 07th, 03:15 pm
હમણાં ગયા અઠવાડિયે જ મને રાજસ્થાનની યાત્રા પર આવવાનો અવસર મળ્યો હતો. અજમેરની પાવન ધરતી પરથી આપણે રાજસ્થાનના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તે જ કાર્યક્રમમાં રાજસ્થાનના 21 હજારથી વધુ નવયુવાન સાથીઓને નિમણૂક પત્રો પણ સોંપવામાં આવ્યા હતા. હવે અજમેર યાત્રાના થોડા જ દિવસો બાદ, આજે મને કોટા સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ એરપોર્ટ પ્રોજેક્ટને શરૂ કરવાનો અવસર મળી રહ્યો છે. એક જ અઠવાડિયામાં રાજસ્થાનમાં વિકાસના આ બે મોટા કાર્યક્રમોનો બહુ મોટો સંદેશ છે. આ જણાવે છે કે આજે રાજસ્થાન કઈ ગતિએ આગળ વધી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, યુવાનો માટે રોજગારની તકો હોય, ખેડૂતો અને માતાઓ-બહેનો માટેની યોજનાઓ હોય, રાજસ્થાનમાં દરેક ક્ષેત્રમાં તેઝીથી કામ થઈ રહ્યું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોટા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો; હાડોતી ક્ષેત્રના પરિવર્તન પર આપ્યો ભાર
March 07th, 02:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો સંદેશ દ્વારા કોટા એરપોર્ટના શિલાન્યાસ સમારોહને સંબોધિત કર્યો હતો, જે હાડોતી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજસ્થાન અભૂતપૂર્વ ગતિએ પ્રગતિ કરી રહ્યું છે, અને આ નવું એરપોર્ટ આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે ઉદ્દીપક (catalyst) બનવા માટે તૈયાર છે.Cabinet approves upgradation of NH-160A section in Maharashtra worth Rs.3320.38 crore
February 14th, 01:05 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the rehabilitation and upgradation of NH-160A in Maharashtra worth Rs. 3,320.38 crore. The project, proposed in line with PM GatiShakti principles, will reduce travel time and enhance basic infrastructure in the tribal region, contributing to overall economic development.Cabinet approves upgradation of National Highway-56 sections in Gujarat at Rs.4583.64 Crore
February 14th, 01:02 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the project for the construction of 4-lane sections in Gujarat with a total project length of 107.67 km, costing Rs. 4583.64 crore. The project will improve connectivity to tribal areas, thereby supporting economic growth and development of the region. It will also enhance connectivity to the Statue of Unity.કેબિનેટે મહારાષ્ટ્રમાં રૂ. 19,142 કરોડના ખર્ચે 374 કિમી લંબાઈના 6-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ નાસિક-સોલાપુર-અક્કલકોટ કોરિડોરના BOT (Toll) મોડ પર નિર્માણને મંજૂરી આપી
December 31st, 03:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે મહારાષ્ટ્ર રાજ્યમાં 374 કિમીની પ્રોજેક્ટ લંબાઈ અને રૂ. 19,142 કરોડના કુલ મૂડી ખર્ચ સાથે BOT (Toll) મોડ પર 6-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ નાસિક-સોલાપુર-અક્કલકોટ કોરિડોરના નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ નકશામાં દર્શાવેલ મુજબ, કુર્નૂલને જોડતા નાસિક, અહિલ્યાનગર, સોલાપુર જેવા મહત્વપૂર્ણ પ્રાદેશિક શહેરોને કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ માળખાગત સુવિધા પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન સિદ્ધાંત હેઠળ સંકલિત પરિવહન માળખાકીય વિકાસને સુવિધાજનક બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.રાજસ્થાનના બિકાનેરમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
May 22nd, 12:00 pm
રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભજનલાલજી, પૂર્વ મુખ્યમંત્રી બહેન વસુંધરા રાજેજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો અશ્વિની વૈષ્ણવજી, અર્જુન રામ મેઘવાલજી, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી, પ્રેમચંદજી, રાજસ્થાન સરકારના અન્ય મંત્રીઓ. સાંસદો અને ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને શુભારંભ કરાવ્યો
May 22nd, 11:30 am
શ્રી મોદીએ કહ્યું કે તેઓ કરણી માતાના આશીર્વાદ લીધા પછી કાર્યક્રમમાં પહોંચ્યા છે. તેમણે ભાર મૂક્યો કે આ આશીર્વાદ વિકસિત ભારતનું નિર્માણ કરવાના રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો ઉલ્લેખ કરતા, તેમણે દેશના વિકાસને આગળ વધારવામાં તેમના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આ પરિવર્તનશીલ પહેલો માટે નાગરિકોને અભિનંદન આપ્યા હતા.ગુજરાતના સુરતમાં સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 07th, 05:34 pm
મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ; કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી સી.આર. પાટિલજી, રાજ્ય સરકારના મંત્રીઓ, અહીં હાજર બધા જનપ્રતિનિધિઓ અને સુરતના મારા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો
March 07th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લિંબાયત, સુરતમાં સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ 2.3 લાખથી વધારે લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત લાભનું વિતરણ પણ કર્યું હતું. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સુરત શહેરની વિશિષ્ટ ભાવના પર ભાર મૂક્યો હતો અને તેના કાર્ય અને સખાવતના મજબૂત પાયા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, કેવી રીતે શહેરના હાર્દને ભૂલી શકાય નહીં, કારણ કે તે સામૂહિક સમર્થન દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને બધાના વિકાસની ઉજવણી કરે છે.સિલ્વાસામાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
March 07th, 03:00 pm
સિલ્વાસાની આ કુદરતી સુંદરતા, અહીંના લોકોનો પ્રેમ અને દાદરા નગર હવેલી, દમણ દીવ, તમે બધા જાણો છો કે તમારો અને મારો સંબંધ કેટલો જૂનો છે. આ દાયકાઓ જૂની નિકટતા અને અહીં આવીને મને કેટલો આનંદ મળે છે, તે ફક્ત તમે અને હું જ જાણીએ છીએ. આજે હું ખૂબ જૂના મિત્રોને મળી રહ્યો હતો. વર્ષો પહેલા મને અહીં ઘણી વાર આવવાની તક મળી હતી. તે સમયે સિલવાસા અને સમગ્ર દાદરા નગર હવેલી, દમણ-દીવની સ્થિતિ કેવી હતી, તે કેટલી અલગ હતી અને લોકો એવું પણ માનતા હતા કે તે દરિયા કિનારે એક નાનું સ્થળ છે, ત્યાં શું થઈ શકે? પણ મને અહીંના લોકોમાં, અહીંના લોકોની ક્ષમતાઓમાં વિશ્વાસ હતો, મને તમારામાં વિશ્વાસ હતો. 2014માં કેન્દ્રમાં સરકાર બનાવ્યા પછી, અમારી સરકારે આ વિશ્વાસને શક્તિમાં પરિવર્તિત કર્યો, તેને આગળ ધપાવ્યો અને આજે આપણું સિલવાસા, આ રાજ્ય એક આધુનિક ઓળખ સાથે ઉભરી રહ્યું છે. સિલવાસા એક એવું શહેર બની ગયું છે જ્યાં દરેક જગ્યાએથી લોકો રહે છે. અહીંનો આ વૈશ્વિક મિજાજ દર્શાવે છે કે દાદરા નગર હવેલીમાં કેટલી ઝડપથી નવી તકોનો વિકાસ થયો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં રૂ. 2580 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શુભારંભ કરાવ્યો
March 07th, 02:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં આજે રૂ. 2580 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ કાર્યક્રમની શરૂઆતમાં સિલવાસામાં નમો હોસ્પિટલનું ઉદઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના સમર્પિત કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. જેમણે તેમને આ વિસ્તાર સાથે જોડાવાની અને તેમની સાથે જોડાવાની તક આપી હતી. તેમણે લોકો સાથે લાંબા ગાળાનાં જોડાણ અને ઉષ્માભર્યા સંબંધોનો સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ ક્ષેત્ર સાથેનો તેમનો નાતો દાયકાઓ જૂનો છે. તેમણે વર્ષ 2014માં તેમની સરકાર સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો અને દાદરા અને નગર હવેલી, દમણ અને દીવની સંભવિતતાને આધુનિક અને પ્રગતિશીલ ઓળખમાં પરિવર્તિત કરી હતી.મહારાષ્ટ્રના પાલઘરમાં વાઢવણ પોર્ટના શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
August 30th, 01:41 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી રાજીવ રંજન સિંહજી, સર્બાનંદ સોનોવાલજી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, અજિત દાદા પવારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા અન્ય સાથીદારો, મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ, અન્ય મહાનુભાવો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં આશરે રૂ. 76,000 કરોડના મૂલ્યના વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કર્યો
August 30th, 01:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં પાલઘરમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આજની પરિયોજનાઓમાં આશરે 76,000 કરોડ રૂપિયાના ખર્ચે વાઢવણ બંદરનો શિલાન્યાસ અને આશરે 1560 કરોડ રૂપિયાના 218 મત્સ્યઉદ્યોગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ સામેલ છે. શ્રી મોદીએ આશરે રૂ. 360 કરોડનાં ખર્ચે વેસલ કમ્યુનિકેશન એન્ડ સપોર્ટ સિસ્ટમનાં નેશનલ રોલઆઉટનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ મત્સ્યપાલનનાં બંદરોનો વિકાસ, અપગ્રેડેશન અને આધુનિકીકરણ, મત્સ્ય ઉતરાણ કેન્દ્રો અને મત્સ્ય બજારનાં નિર્માણ સહિત મત્સ્ય સંબંધિત માળખાગત સુવિધાઓની મહત્ત્વપૂર્ણ યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે માછીમાર લાભાર્થીઓને ટ્રાન્સપોન્ડર સેટ અને કિસાન ક્રેડિટ કાર્ડ એનાયત કર્યા હતા.YSR Congress got 5 years in Andhra Pradesh, but they wasted these 5 years: PM Modi in Rajahmundry
May 06th, 03:45 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed a massive public meeting in Rajahmundry, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”PM Modi campaigns in Andhra Pradesh’s Rajahmundry and Anakapalle
May 06th, 03:30 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed two massive public meetings in Rajahmundry and Anakapalle, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”પાકિસ્તાન સાથે કોંગ્રેસની ઊંડી ભાગીદારી અને સહયોગનો પર્દાફાશ થયો છેઃ પીએમ મોદી આણંદમાં
May 02nd, 11:10 am
આગામી લોકસભા ચૂંટણી પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આણંદમાં એક પ્રભાવશાળી રેલીને સંબોધિત કરી. તેમણે ઉમેર્યું હતું કે તેમનું મિશન 'વિકસીત ભારત' છે અને ઉમેર્યું હતું કે, વિકસીત ભારતને સક્ષમ કરવા માટે 2047 માટે 24 x 7. કામ કરવાનું છેPM Modi addresses powerful rallies in Anand, Surendranagar, Junagadh and Jamnagar in Gujarat
May 02nd, 11:00 am
Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi addressed powerful rallies in Anand, Surendranagar, Junagadh and Jamnagar in Gujarat. He added that his mission is a 'Viksit Bharat' and added, 24 x 7 for 2047 to enable a Viksit Bharat.હરિયાણાના ગુરુગ્રામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન/શિલારોપણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 11th, 01:30 pm
હું ફક્ત મારી સામે સ્ક્રીન પર જોઈ રહ્યો હતો, દેશના ખૂણે ખૂણે લાખો લોકો આધુનિક ટેક્નોલોજી કનેક્ટિવિટી દ્વારા અમારા કાર્યક્રમ સાથે જોડાયેલા છે. એક સમય હતો જ્યારે દિલ્હીના વિજ્ઞાન ભવનથી કાર્યક્રમો યોજાતા હતા અને દેશ જોડાતા હતા. સમય બદલાયો છે, ગુરુગ્રામમાં કાર્યક્રમો થાય છે, દેશ સામેલ થાય છે. હરિયાણા આ સંભાવના દર્શાવે છે. આજે દેશે આધુનિક કનેક્ટિવિટી તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મને ખુશી છે કે આજે મને દ્વારકા એક્સપ્રેસ વે દેશને સમર્પિત કરવાની તક મળી છે. આ એક્સપ્રેસ વે પર 9 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આજથી દિલ્હી-હરિયાણા વચ્ચેના ટ્રાફિકનો અનુભવ હંમેશા માટે બદલાઈ જશે. આ આધુનિક એક્સપ્રેસ વે માત્ર વાહનોમાં જ નહીં પરંતુ દિલ્હી-એનસીઆરના લોકોના જીવનમાં પણ ગિયર બદલવાનું કામ કરશે. હું દિલ્હી-NCR અને હરિયાણાના લોકોને આ આધુનિક એક્સપ્રેસ વે માટે શુભેચ્છા પાઠવું છું.