પ્રધાનમંત્રી 9 નવેમ્બરે દહેરાદૂનની મુલાકાત લેશે
November 08th, 09:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 નવેમ્બરના રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે દહેરાદૂનની મુલાકાત લેશે અને ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાની રજત જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે અને આ પ્રસંગે સભાને સંબોધિત કરશે.પ્રધાનમંત્રીએ દહેરાદૂનની મુલાકાત લીધી અને ઉત્તરાખંડમાં પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી
September 11th, 06:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 11 સપ્ટેમ્બર 2025ના રોજ દહેરાદૂનની મુલાકાત લીધી હતી અને ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર અને વરસાદથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી પરિસ્થિતિ અને નુકસાનની સમીક્ષા કરી હતી હતી.પ્રધાનમંત્રી 11 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે
September 10th, 01:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે.‘મન કી બાત’ના 119મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ ( 23.02.2025)
February 23rd, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપ સૌનુ સ્વાગત છે. હાલ ચેમ્પિયન્સ ટ્રોફી રમાઇ રહી છે, અને ચારે તરફ ક્રિકેટનું વાતવરણ છે. ક્રિકેટમાં સેન્ચૂરીનો રોમાંચ શું હોય છે એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ, પરંતુ આજે હું તમારા બધા સાથે ક્રિકેટ નહિં પણ ભારતે અંતરિક્ષમાં જે શાનદાર સદી નોંધાવી છે, તેની વાત કરવાનો છું. ગયા મહિને દેશ ઇસરોના એકસોમા રોકેટના પ્રક્ષેપણનો સાક્ષી બન્યો છે. આ કેવળ એક આંકડો નથી, પરંતુ તેનાથી અવકાશ વિજ્ઞાનમાં નિત નવી ઉંચાઇઓ હાંસલ કરવાના આપણા સંકલ્પનો પણ ખ્યાલ આપે છે. આપણી અવકાશયાત્રાની શરૂઆત બહુ જ સામાન્ય રીતે થઇ હતી. તેમાં ડગલેને પગલે પડકારો હતા, પરંતુ આપણા વૈજ્ઞાનિકો વિજય મેળવીને આગળ વધતા જ ગયા. સમયની સાથે અંતરિક્ષના આ ઉડ્ડયનમાં આપણી સફળતાઓની યાદી ખૂબ લાંબી થતી ગઇ છે. પ્રક્ષેપણ યાનનું નિર્માણ હોય, ચંદ્રયાનની સફળતા હોય, મંગળયાન હોય, આદિત્ય એલ-1 કે પછી એક જ રોકેટથી એક જ વારમાં એકસો ચાર ઉપગ્રહોને અવકાશમાં મોકલવાનું અભૂતપૂર્વ અભિયાન હોય, ઇસરોની સફળતાનું ક્ષેત્ર ઘણું મોટું રહ્યું છે. ગયા 10 વર્ષોમાં લગભગ 460 ઉપગ્રહો છોડવામાં આવ્યા. અને તેમાં બીજા દેશોના પણ ઘણા બધા ઉપગ્રહો સામેલ છે. તાજેતરના વર્ષોની એક મોટી બાબત એ પણ રહી છે કે, અવકાશ વિજ્ઞાનીઓની આપણી ટીમમાં નારી શક્તિની ભાગીદારી સતત વધી રહી છે. મને આ જોઇને પણ ખૂબ ખુશી થાય છે કે, આજે અવકાશ ક્ષેત્ર આપણા યુવાનો માટે ખૂબ માનીતું બની ગયું છે. થોડા વર્ષો પહેલા સુધી કોઇએ વિચાર્યું હશે કે, આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ અને ખાનગી ક્ષેત્રની અવકાશ કંપનીઓની સંખ્યા સેંકડોમાં પહોંચી જશે ! આપણા જે યુવાનો જીવનમાં કંઇક થ્રીલીંગ અને એકસાઇટીંગ કરવા ઇચ્છે છે, તેમના માટે અવકાશ ક્ષેત્ર એક સૌથી સરસ વિકલ્પ બની રહ્યો છે.ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે 38મા રાષ્ટ્રીય રમતોના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
January 28th, 09:36 pm
દેવભૂમિ ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, યુવા મુખ્યમંત્રી પુષ્કર ધામીજી, મારા મંત્રીમંડળના સાથીઓ અજય ટામ્ટાજી, રક્ષા ખડસેજી, ઉત્તરાખંડ વિધાનસભાના અધ્યક્ષ રીતુ ખંડુરીજી, રમતગમત મંત્રી રેખા આર્ય જી, કોમનવેલ્થ ગેમ્સના પ્રમુખ ક્રિસ જેનકિન્સજી, IOAના પ્રમુખ પી.ટી. ઉષાજી, સાંસદ મહેન્દ્ર ભટ્ટજી, રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા આવેલા દેશભરના તમામ ખેલાડીઓ અને અન્ય મહાનુભાવો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું
January 28th, 09:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડનાં દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ અત્યારે યુવાનોની ઊર્જાથી ભરપૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો આજથી બાબા કેદારનાથ, બદ્રીનાથ અને મા ગંગાનાં આશીર્વાદ સાથે શુભારંભ થઈ રહ્યો છે. ઉત્તરાખંડની સ્થાપનાને 25મું વર્ષ થયું હોવાનું જણાવતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી યુવાનો આ યુવા રાજ્યમાં તેમની સંભવિતતા પ્રદર્શિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સુંદર તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સની આ આવૃત્તિમાં ઘણી સ્થાનિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેની થીમ 'ગ્રીન ગેમ્સ' હતી, કારણ કે તેમાં પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુઓનો ઉપયોગ થતો હતો. આ વિષય પર વધુ વિસ્તૃત પણે જણાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટ્રોફીઓ અને ચંદ્રકો પણ ઇ-વેસ્ટનાં જ બનેલાં છે અને દરેક ચંદ્રક વિજેતાનાં નામે એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે, જે એક મહાન પહેલ છે. તેમણે શાનદાર પ્રદર્શન માટે તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ઉત્તરાખંડની સરકાર અને લોકોને આ પ્રકારનાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતાં.પ્રધાનમંત્રી શ્રીએ દેહરાદૂનમાં ઈન્વેસ્ટર્સ સમિટમાં સ્વદેશી ઉત્પાદનો પર ભાર મૂક્યો
December 08th, 05:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેહરાદૂનમાં ઈન્વેસ્ટર્સ સમિટમાં પ્રદર્શિત સ્વદેશી ઉત્પાદનોની ઝલક શેર કરી છે.પ્રધાનમંત્રી 8મી ડિસેમ્બરે દેહરાદૂનની મુલાકાત લેશે અને ‘ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’નું ઉદ્ઘાટન કરશે
December 06th, 02:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી ડિસેમ્બર, 2023ના રોજ દેહરાદૂન, ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 10:30 વાગ્યે, તેઓ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દેહરાદૂનમાં આયોજિત ‘ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી શ્રી 12 ઓક્ટોબરે ઉત્તરાખંડની મુલાકાત લેશે
October 10th, 08:12 pm
સવારે લગભગ 8:30 વાગ્યે, પ્રધાનમંત્રી પિથોરાગઢ જિલ્લાના જોલિંગકોંગ પહોંચશે, જ્યાં તેઓ પાર્વતી કુંડમાં પૂજા અને દર્શન કરશે. પ્રધાનમંત્રી આ સ્થાન પર પવિત્ર આદિ-કૈલાસના આશીર્વાદ પણ લેશે. આ વિસ્તાર તેના આધ્યાત્મિક મહત્વ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે.દહેરાદૂનથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
May 25th, 11:30 am
ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રી ગુરમીત સિંહ, ઉત્તરાખંડના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઉત્તરાખંડ સરકારના મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, મેયર, જિલ્લા પરિષદના સભ્યો, અન્ય મહાનુભાવો, અને ઉત્તરાખંડના મારાં પ્રિય ભાઈઓ અને બહેનો, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માટે ઉત્તરાખંડના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન.પ્રધાનમંત્રીએ દેહરાદૂનથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસની પહેલી યાત્રાને લીલી ઝંડી આપી
May 25th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે દહેરાદૂનથી દિલ્હી સુધીની વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ યાત્રાને લીલી ઝંડી આપી હતી. તેમણે નવા વિદ્યુતીકૃત રેલવે સેક્શનો પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અને ઉત્તરાખંડને 100 ટકા વિદ્યુત ટ્રેક્શન રાજ્ય જાહેર કર્યું હતું.પ્રધાનમંત્રી શ્રી 25મી મેના રોજ દેહરાદૂનથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટનને લીલી ઝંડી આપશે
May 24th, 04:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25મી મેના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેહરાદૂનથી દિલ્હી સુધીની વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટનને લીલી ઝંડી બતાવશે.ભારત લોકશાહીની માતા છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
January 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2023 ની આ પહેલી મન કી બાત અને તેની સાથે સાથે આ કાર્યક્રમનો આજે 97 મો એપિસોડ પણ છે. આપ બધાની સાથે ફરી એકવાર વાતચીત કરીને મને ઘણી જ ખુશી થઈ રહી છે. દર વર્ષે જાન્યુઆરીનો મહિનો ઘણો eventful હોય છે. આ મહિને 14 જાન્યુઆરીની આસપાસ ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી, આખા દેશમાં તહેવારોની રોનક હોય છે. ત્યારબાદ દેશ પોતાનો ગણતંત્ર દિવસ પણ મનાવે છે. આ વખતે પણ ગણતંત્ર દિવસ સમારોહમાં અનેક પાસાઓની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. જેસલમેરથી પુલ્કિતે મને લખ્યું છે કે 26 જાન્યુઆરીની પરેડ દરમિયાન કર્તવ્ય પથના નિર્માણ કરનારા શ્રમિકોને જોઈને ઘણું સારું લાગ્યું. કાનપુરથી જયાએ લખ્યું છે કે તેમણે પરેડમાં સામેલ ઝાંખીઓમાં ભારતની સંસ્કૃતિના વિવિધ પાસાઓને જોઈને આનંદ આવ્યો. આ પરેડમાં પહેલીવાર ભાગ લેનારી Women Camel Riders અને સીઆરપીએફની મહિલાદળની ટુકડીઓની પણ ઘણી જ પ્રશંસા થઈ રહી છે.પ્રધાનમંત્રી શ્રીએ KV ONGC, દેહરાદૂનની વિદ્યાર્થિની કુ. દિયાની, પરીક્ષાઓ પર તેણીની સ્વ-રચિત કવિતા શેર કરવા બદલ પ્રશંસા કરી
January 07th, 03:55 pm
પ્રધાનમંત્રી શ્રીએ KV ONGC, દેહરાદૂનની વિદ્યાર્થિની કુ.દિયાની, પરીક્ષાઓ પર તેણીની સ્વ-રચિત કવિતા શેર કરવા બદલ પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ શ્રી પુષ્કર સિંહ ધામીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
March 23rd, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી પુષ્કર સિંહ ધામીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ દહેરાદૂનના વિદ્યાર્થી અનુરાગ રામોલાને પત્ર લખ્યો, નાની ઉંમરે વિદ્યાર્થીની રાષ્ટ્રીય હિતના મુદ્દાઓની સમજથી પ્રભાવિત
March 11th, 02:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશની યુવા પેઢી, ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે સમયાંતરે સંવાદ સ્થાપિત કરીને તેમનું મનોબળ વધારતા રહે છે. ‘મન કી બાત’ હોય, ‘પરીક્ષા પે ચર્ચા’ હોય કે અંગત સંવાદો હોય, પ્રધાનમંત્રી મોદીએ હંમેશા યુવાનોની ચિંતાઓ અને જિજ્ઞાસાઓને વિવિધ માધ્યમો દ્વારા સમજીને પ્રોત્સાહિત કર્યા છે. જેના ભાગરૂપે પ્રધાનમંત્રીએ તેમના પત્રનો જવાબ આપીને દેહરાદૂનના 11મા ધોરણના વિદ્યાર્થી અનુરાગ રામોલાની કલા અને વિચારોની ફરી એકવાર પ્રશંસા કરી છે.Working for development of Uttarakhand is priority for BJP-led government: PM Modi
February 07th, 02:40 pm
Prime Minister Narendra Modi today addressed a virtual Vijay Sankalp Sabha in Uttarakhand's Haridwar and Dehradun. Addressing the gathering virtually, PM Modi said, “Uttarakhand is Dev Bhumi for us, but these people consider Uttarakhand as their vault. These people want to keep on looting the natural wealth and resources that God has given the state, they want it to fill their pockets. This is their mindset.”PM Modi addresses a virtual Vijay Sankalp Sabha in Uttarakhand's Haridwar and Dehradun
February 07th, 02:39 pm
Prime Minister Narendra Modi today addressed a virtual Vijay Sankalp Sabha in Uttarakhand's Haridwar and Dehradun. Addressing the gathering virtually, PM Modi said, “Uttarakhand is Dev Bhumi for us, but these people consider Uttarakhand as their vault. These people want to keep on looting the natural wealth and resources that God has given the state, they want it to fill their pockets. This is their mindset.”ઉત્તરાખંડના દેહરાદૂનમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાયન્સ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રી મોદીના સંબોધનનો મૂળ પાઠ
December 04th, 12:35 pm
ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રીમાન ગુરમીત સિંઘજી, અહીંના લોકપ્રિય ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી પ્રહલાદ જોશીજી, અજય ભટ્ટજી, ઉત્તરાખંડમાં મંત્રી સતપાલ મહારાજજી, હરક સિંહ રાવતજી, રાજ્ય મંત્રીમંડળના અન્ય સભ્યગણ, સંસદમાં મારા સાથી નિશંકજી, તીરથ સિંહ રાવતજી, અન્ય સાંસદગણ, ભાઈ ત્રિવેન્દ્ર સિંહ રાવતજી, વિજય બહુગુણાજી, રાજ્ય વિધાનસભાના અન્ય સભ્ય, મેયરશ્રી, જિલ્લા પંચાયતના સભ્યો, ભાઈ મદન કૌશિકજી તથા મારા પ્રિય ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીના હસ્તે દહેરાદૂનમાં અંદાજે રૂ.18,000 કરોડનો ખર્ચ ધરાવતા વિવિધ પ્રોજેકટસનુ ઉદ્દઘાટન અને શિલારોપણ વિધી
December 04th, 12:34 pm
આ વિસ્તારમાં તેમણે ભૂસ્ખલનની સમસ્યા હલ કરવા માટે દેવપ્રયાગથી શ્રીકોટ સુધી અને નેશનલ હાઈવે-58 ઉપર બ્રહ્મપુરીથી કોડિયાલા સુધી માર્ગ પહોળો કરવાનો પ્રોજેક્ટ, 120 મેગાવોટનો યમુના નદી પર બંધાયેલો વ્યાસી હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેક્ટ, દહેરાદૂનમાં હિમાલયન કલ્ચરલ સેન્ટર ઉપરાંત, દહેરાદૂનમાં અરોમા લેબોરેટરી (સેન્ટર ફોર એરોમેટિક પ્લાન્ટસ)નું ઉદ્દઘાટન કર્યું હતું.