આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી ખાતે શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 19th, 11:00 am
શ્રી સત્ય સાંઈ બાબાનું આ જન્મશતાબ્દી વર્ષ ફક્ત આપણી પેઢી માટે ઉજવણી નથી; તે એક દૈવી આશીર્વાદ છે. ભલે તેઓ હવે શારીરિક રીતે આપણી વચ્ચે હાજર નથી, તેમના ઉપદેશો, તેમનો પ્રેમ અને તેમની સેવાની ભાવના લાખો લોકોને માર્ગદર્શન આપી રહી છે. 140થી વધુ દેશોમાં લાખો લોકો નવા પ્રકાશ, નવી દિશા અને નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
November 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ સાંઈ રામથી પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે પુટ્ટપર્થીની પવિત્ર ભૂમિ પર દરેકની વચ્ચે હાજર રહેવું એ એક ભાવનાત્મક અને આધ્યાત્મિક અનુભવ હતો. તેમણે યાદ કર્યું કે તેમને તાજેતરમાં બાબાની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાની તક મળી હતી. શ્રી મોદીએ ભાર મૂક્યો કે બાબાના ચરણોમાં નમન કરવાથી અને તેમના આશીર્વાદ મેળવવાથી હૃદય હંમેશા ગહન લાગણીઓથી ભરાઈ જાય છે.મંગોલિયાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
October 14th, 01:15 pm
છ વર્ષ પછી મંગોલિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત ખૂબ જ ખાસ પ્રસંગ છે. અને આ મુલાકાત ભારત અને મંગોલિયા રાજદ્વારી સંબંધોના 70 વર્ષ અને વ્યૂહાત્મક ભાગીદારીના 10 વર્ષની ઉજવણી કરે છે ત્યારે આવી રહી છે. આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે, અમે એક સંયુક્ત પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યું છે, જે આપણા સહિયારા વારસા, વિવિધતા અને ઊંડી સભ્યતાગત સંબંધોનું પ્રતીક છે.ગુજરાતના અમદાવાદમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 25th, 06:42 pm
તમે બધાએ આજે એક વાતાવરણ બનાવ્યું છે. ઘણી વાર મને લાગે છે કે આ લાખો લોકોનો પ્રેમ અને આશીર્વાદ મને મળે છે, હું તમારા બધાનો ગમે તેટલો આભાર માનું, તેટલો ઓછો છે. જુઓ એક નાનો નરેન્દ્ર ત્યાં ઉભો થયો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, ગુજરાત ખાતે 5,400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના ઉદ્ઘાટન, શિલાન્યાસ અને સમર્પિત કર્યા
August 25th, 06:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં 5,400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આખો દેશ હાલમાં ગણેશોત્સવના ઉત્સાહમાં ડૂબેલો છે. તેમણે ભાર મૂક્યો હતો કે ગણપતિ બાપ્પાના આશીર્વાદથી, આજે ગુજરાતની પ્રગતિ સાથે જોડાયેલા અનેક વિકાસ પ્રોજેક્ટ્સની શુભ શરૂઆત થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે તેમને લોકોના ચરણોમાં અનેક પ્રોજેક્ટ સમર્પિત કરવાનો સૌભાગ્ય મળ્યો છે અને આ વિકાસ પહેલ માટે તમામ નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતાં.મંત્રીમંડળે રૂ. 2000 કરોડના ખર્ચ સાથે "રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC)ને ગ્રાન્ટ ઈન એઈડ" નામની કેન્દ્રીય ક્ષેત્ર યોજનાને મંજૂરી આપી
July 31st, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય ક્ષેત્ર યોજના રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC) ને સહાય માટે ગ્રાન્ટને મંજૂરી આપી છે, જેનો ખર્ચ 2025-26થી 2028-29 સુધીના ચાર વર્ષના સમયગાળા માટે રૂ. 2000 કરોડ (નાણાકીય વર્ષ 2025-26 થી દર વર્ષે રૂ. 500 કરોડ) થશે.વારાણસીમાં વિવિધ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ/ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 11th, 11:00 am
સ્ટેજ પર બેઠેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, ઉપસ્થિત મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ, બનાસ ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી અને મારા પરિવારના બધા સભ્યો, જેઓ આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું
April 11th, 10:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. જનમેદનીને સંબોધતા તેમણે કાશી સાથેના તેમના ઊંડા જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો. આ આશીર્વાદ માટે તેમના પરિવાર અને આ વિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમને આપવામાં આવેલા પ્રેમ અને સમર્થનનો સ્વીકાર કર્યો હતો. તેમણે આ પ્રેમ પ્રત્યે પોતાની ઋણીતા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, કાશી તેમની છે અને તેઓ કાશીનાં છે. આવતીકાલે હનુમાન જન્મોત્સવનો પાવન પર્વ છે તેની નોંધ લઈને શ્રી મોદીએ કાશીમાં સંકટ મોચન મહારાજના દર્શન કરવાની તક મળતાં તેમનું સન્માન વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હનુમાન જન્મોત્સવ અગાઉ કાશીનાં લોકો કેવી રીતે વિકાસનાં પર્વની ઉજવણી કરવા એકત્ર થયાં છે.કેબિનેટે સંશોધિત રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ (એનપીડીડી)ને મંજૂરી આપી
March 19th, 04:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ડેરી વિકાસ માટેનાં રાષ્ટ્રીય કાર્યક્રમ (એનપીડીડી)ને મંજૂરી આપી દીધી છે.બિહારના ભાગલપુરમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 24th, 02:35 pm
મંચ પર બેઠેલા રાજ્યપાલ, શ્રી આરિફ મોહમ્મદ ખાનજી, આપણા પ્રિય મુખ્યમંત્રી જે બિહારના વિકાસ માટે લોકપ્રિય અને સમર્પિત છે, નીતિશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, શિવરાજ સિંહ ચૌહાણજી, જીતન રામ માંઝીજી, લલ્લન સિંહજી, ગિરિરાજ સિંહજી, ચિરાગ પાસવાનજી, રાજ્યમંત્રી શ્રી રામનાથ ઠાકુરજી, બિહાર સરકારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીજી, વિજય સિંહાજી, રાજ્યના અન્ય મંત્રીઓ અને જનપ્રતિનિધિઓ, ઉપસ્થિત મહાનુભાવો અને બિહારના મારા પ્રિય ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 19મો હપ્તો બહાર પાડ્યો, બિહારનાં ભાગલપુરથી વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કર્યો
February 24th, 02:30 pm
ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાનનો 19મો હપ્તો પ્રસિદ્ધ કર્યો હતો. તેમણે આ પ્રસંગે અનેક વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ પણ કર્યો હતો. શ્રી મોદીએ આ કાર્યક્રમમાં સામેલ થયેલા તમામ મહાનુભવો અને લોકોનું વર્ચ્યુઅલ સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે મહા કુંભના પવિત્ર સમયગાળા દરમિયાન મંદારચલની ભૂમિમાં પગ મૂકવો એ ખૂબ જ સૌભાગ્યની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સ્થળ આધ્યાત્મિકતા, વારસો ધરાવે છે અને સાથે સાથે વિકસિત ભારતની સંભવિતતા પણ ધરાવે છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, આ ભૂમિ શહીદ તિલ્કા માંઝીની સાથે-સાથે સિલ્ક સિટી તરીકે પ્રસિદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, બાબા અજગૈબીનાથની પવિત્ર ભૂમિમાં પણ આગામી મહા શિવરાત્રીની તૈયારીઓ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની પવિત્ર ક્ષણ દરમિયાન પ્રધાનમંત્રી કિસાનનો 19મો હપ્તો બહાર પાડવાનું સૌભાગ્ય તેમને મળ્યું છે અને આશરે રૂ. 22,000 કરોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે ખેડૂતોનાં બેંક ખાતાઓમાં સીધા જમા થયા છે.શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
December 16th, 01:00 pm
આદરણીય મહામહિમ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, શુભેચ્છાઓ!ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિવિધ પરિયોજનાઓના શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 23rd, 02:45 pm
મંચ પર બિરાજમાન ઉત્તર પ્રદેશ સરકારના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી મહેન્દ્ર નાથ પાંડેજી, નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રજેશ પાઠકજી, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્ર ચૌધરીજી, રાજ્યના અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને કાશીના મારા પરિવારથી આવેલાં ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ વારાણસીમાં રૂ. 13,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
February 23rd, 02:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂ. 13,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વારાણસીનાં કરખિયાંવમાં યુપીએસઆઈડીએ એગ્રો પાર્કમાં નિર્મિત બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડનાં દૂધ પ્રસંસ્કરણ એકમ બનાસ કાશી સંકુલની પણ મુલાકાત લીધી હતી અને ગૌ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ રોજગાર પત્રો અને જીઆઈ-અધિકૃત યુઝર સર્ટિફિકેટ પણ આપ્યા હતા. આજની વિકાસ પરિયોજનાઓ માર્ગ, રેલ, ઉડ્ડયન, પર્યટન, શિક્ષણ, સ્વાસ્થ્ય, પીવાનું પાણી, શહેરી વિકાસ અને સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પૂરી પાડે છે.17મી ભારતીય સહકારી કૉંગ્રેસનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
July 01st, 11:05 am
મંત્રીમંડળના મારા સહયોગી શ્રીમાન અમિત શાહ, રાષ્ટ્રીય સહકારી સંઘના પ્રમુખ શ્રી દિલીપ સંઘાણી, ડૉ. ચંદ્રપાલ સિંહ યાદવ, દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા સહકારી સંઘોના તમામ સભ્યો, આપણાં ખેડૂત ભાઈઓ અને બહેનો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો, આપ સૌને સત્તરમા ભારતીય સહકારી મહાસંમેલન માટે ખૂબ ખૂબ અભિનંદન. હું આ સંમેલનમાં તમારું સૌનું સ્વાગત કરું છું, તમને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 17મી ભારતીય સહકારી કૉંગ્રેસને સંબોધન કર્યું
July 01st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસના અવસરે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે 17મી ભારતીય સહકારી કૉંગ્રેસને સંબોધન કર્યું હતું. 17મી ભારતીય સહકારી કૉંગ્રેસની મુખ્ય થીમ 'અમૃત કાલ: વાઇબ્રન્ટ ઇન્ડિયા માટે સહકાર દ્વારા સમૃદ્ધિ' છે. શ્રી મોદીએ કોઓપરેટિવ માર્કેટિંગ અને કોઓપરેટિવ એક્સ્ટેન્શન અને સલાહકાર સેવાઓ પોર્ટલ માટેની ઇ-કોમર્સ વેબસાઇટનાં ઇ-પોર્ટલ્સનો પણ શુભારંભ કર્યો હતો.કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા અને પાયા સુધી તેની પહોંચને વધુ ઊંડી બનાવવા માટે મંજૂરી આપી
February 15th, 03:49 pm
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા અને પાયાનાં સ્તરે તેની પહોંચ વધારે ગાઢ બનાવવાની મંજૂરી આપી દીધી છે. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં દીર્ઘદ્રષ્ટાં નેતૃત્વ હેઠળ અને માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહનાં સક્ષમ માર્ગદર્શન હેઠળ સહકારિતા મંત્રાલયે દરેક ન આવરી લેવાયેલી પંચાયતમાં આર્થિક રીતે વ્યવહારુ પેક્સ સ્થાપિત કરવા, દરેક આવરી ન લેવાયેલી પંચાયત/ગામમાં વ્યવહારુ ડેરી સહકારી મંડળીઓ અને દરેક દરિયાકિનારાની પંચાયત/ગામ તેમજ વિશાળ જળાશયો ધરાવતાં પંચાયત/ગામમાં વ્યવહારુ મત્સ્યપાલન સહકારી મંડળીઓ સ્થાપિત કરવાની યોજના ઘડી કાઢી છે અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયની વિવિધ યોજનાઓના સમન્વય મારફતે 'સંપૂર્ણ સરકાર' અભિગમનો ઉપયોગ કરીને હાલની પીએસીએસ/ડેરી/મત્સ્યપાલન સહકારી મંડળીઓને મજબૂત કરવાની યોજના છે. શરૂઆતમાં આગામી પાંચ વર્ષમાં 2 લાખ પીએસીએસ/ડેરી/મત્સ્ય પાલન સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવશે. પ્રોજેક્ટનાં અમલીકરણ માટેની કાર્યયોજના નાબાર્ડ, રાષ્ટ્રીય ડેરી વિકાસ બૉર્ડ (એનડીડીબી) અને રાષ્ટ્રીય મત્સ્યપાલન વિકાસ બૉર્ડ (એનએફડીબી) દ્વારા તૈયાર કરવામાં આવશે.લખનૌ, ઉત્તર પ્રદેશમાં વૈશ્વિક રોકાણકાર શિખર 2023 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
February 10th, 11:01 am
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદી બહેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય જી, બ્રજેશ પાઠક જી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી તથા અહીં લખનૌના પ્રતિનિધિ શ્રીમાન રાજનાથ સિંહ જી, અલગ અલગ દેશોમાંથી આવેલા આપ તમામ વરિષ્ઠ મહાનુભાવો, ઉત્તર પ્રદેશના તમામ મંત્રીગણ તથા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિત (વૈશ્વિક રોકાણકાર શિખર)માં પધારેલા ઉદ્યોગ જગતના સન્માનનીય સદસ્ય, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમૂદાય, નીતિ ઘડવૈયા, કોર્પોરેટ્સના આગેવાનો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રીએ લખનઉમાં ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023નું ઉદ્ઘાટન કર્યું
February 10th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023નું ઉદ્ઘાટન કર્યું. તેમણે વૈશ્વિક વેપાર શોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન ઇન્વેસ્ટ યુપી 2.0 લોન્ચ કર્યું હતું. ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023 એ ઉત્તરપ્રદેશ સરકારનું મુખ્ય રોકાણકાર સંમેલન છે જે નીતિ નિર્માતાઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ, શિક્ષણવિદો, થિંક ટેન્ક અને દુનિયાભરના અગ્રણીઓને સામૂહિક રીતે વ્યવસાયની તકો શોધવા માટે અને ભાગીદારી બનાવવા માટે એક મંચ પર આવશે. પ્રધાનમંત્રીએ અહીં યોજાયેલા પ્રદર્શનમાં પ્રદર્શન પણ લટાર મારી હતી.ગુજરાતે દેશને વિકાસ આધારિત ચૂંટણીની પ્રથા આપી છેઃ જંબુસરમાં પીએમ મોદી
November 21st, 12:31 pm
In his second rally for the day at Jambusar, PM Modi enlightened people on how Gujarat has given the nation the practice of elections based on development and doing away with elections that only talked about corruption and scams. PM Modi further highlighted that Gujarat is able to give true benefits of schemes to the correct beneficiaries because of the double-engine government.