નવી દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 21st, 05:00 pm
વરિષ્ઠ નેતા શ્રી શરદ પવારજી, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ ડૉ. તારા ભાવલકરજી, ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રવિન્દ્ર શોભણેજી, સર્વ સભ્યો, મરાઠી ભાષાના સર્વ વિદ્વાનો અને કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કર્યું
February 21st, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા તેમણે નવી દિલ્હીમાં આયોજિત મરાઠી ભાષાના ભવ્ય કાર્યક્રમમાં તમામ મરાઠીઓનું સ્વાગત કર્યું હતું. અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન કોઈ ભાષા કે પ્રદેશ પૂરતું મર્યાદિત નથી એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, આ સંમેલનમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો સાર તેમજ મહારાષ્ટ્ર અને રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાનો સમાવેશ થાય છે.