દિલ્હીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 08th, 03:54 pm
આજે આપણે સૌ દિલ્હીમાં વિકાસને નવી ગતિ આપવા માટે અહીં એકઠા થયા છીએ. થોડીવાર પહેલા જ અહીં સાડા તેત્રીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. મેટ્રોના વિસ્તરણથી લઈને હજારો સરકારી કર્મચારીઓના આવાસ સુધી દેશની રાજધાનીમાં સુવિધાઓનું સતત મજબૂત વિસ્તરણ થઈ રહ્યું છે, એક નવી મજબૂતી આપવામાં આવી રહી છે. દિલ્હીના આપ લોકોએ એક વર્ષ પહેલા જે નવી આશા અને નવા સંકલ્પ સાથે, અહીં ભાજપની ડબલ એન્જિન સરકાર બનાવી હતી, તેનું પરિણામ આજે અહીં વિકાસ કાર્યોમાં દેખાઈ રહ્યું છે. હું દિલ્હીના તમામ નાગરિકોને આ વિકાસની અવિરત ધારા માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે ₹33,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
March 08th, 10:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે ₹33,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. જનસભાને સંબોધતા શ્રી મોદીએ ભાર મૂકતા કહ્યું કે, આજે આપણે સૌ દિલ્હીના વિકાસને નવી ગતિ આપવા માટે અહીં એકઠા થયા છીએ.પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યજીવન દિવસ પર વન્યજીવન સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
March 03rd, 08:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વ વન્યજીવન દિવસ એ અદ્ભુત પ્રાણીસૃષ્ટિ વિવિધતાની ઉજવણી વિશે છે, જે આપણા ગ્રહને સમૃદ્ધ બનાવે છે અને આપણી ઇકોસિસ્ટમને ટકાવી રાખે છે. તેમણે કહ્યું કે આ દિવસ વન્યજીવન સંરક્ષણ તરફ કામ કરતા દરેક વ્યક્તિને સ્વીકારવાનો અને સંરક્ષણ, ટકાઉ પ્રથાઓ અને રહેઠાણોના રક્ષણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવાનો છે. જેથી વન્યજીવનનો વિકાસ ચાલુ રહે.નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે "આદિ મહોત્સવ"ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
February 16th, 10:31 am
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો અર્જુન મુંડાજી, ફગ્ગન સિંહ કુલસ્તેજી, શ્રીમતી રેણુકા સિંહજી, ડૉ. ભારતી પવારજી, બિશેશ્વર ટુડૂજી, અન્ય મહાનુભાવો અને દેશનાં વિવિધ રાજ્યોમાંથી આવેલાં મારાં તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો! આદિ મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.પ્રધાનમંત્રીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું
February 16th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે મેગા રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ ‘આદિ મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આદિ મહોત્સવ એ આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય ફલક પર પ્રદર્શિત કરવાનો પ્રયાસ છે અને તે આદિવાસી સંસ્કૃતિ, હસ્તકળા, ભોજન, વેપાર અને પરંપરાગત કળાની ભાવનાની ઉજવણી કરે છે. આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આદિજાતિ સહકારી માર્કેટિંગ વિકાસ સંઘ લિમિટેડ (TRIFED) દ્વારા હાથ ધરવામાં આવતી આ વાર્ષિક પહેલ છે.સૌર અને અવકાશ ક્ષેત્રે ભારતના અજાયબીઓથી વિશ્વ આશ્ચર્યચકિત છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 30th, 11:30 am
ગુજરાતના અનેક હિસ્સાઓમાં છઠનું મોટા સ્તર પર આયોજન થવા લાગ્યું છે. મને તો યાદ છે કે પહેલાં ગુજરાતમાં આટલી છઠ પૂજા નહોતી થતી. પરંતુ સમયની સાથે આજે લગભગ આખા ગુજરાતમાં છઠ પૂજાના રંગ નજરે પડવા લાગ્યા છે. આ જોઈને મને પણ ખૂબ જ આનંદ થાય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે વિદેશોમાં થી પણ છઠ પૂજાની કેટલી ભવ્ય તસવીરો સામે આવે છે. એટલે કે ભારતનો સમૃદ્ધ વારસો, આપણી આસ્થા, દુનિયાના ખૂણા-ખૂણામાં પોતાની ઓળખ વધારી રહ્યાં છે. આ મહાપર્વમાં સહભાગી થનારા દરેક આસ્થાવાનને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.નાની ઓનલાઈન ચુકવણીઓ મોટી ડિજિટલ અર્થવ્યવસ્થાનું નિર્માણ કરે છે:પીએમ મોદી મન કી બાત દરમિયાન
April 24th, 11:30 am
શ્રીમાન પી. વી. નરસિમ્હારાવજી જમીન સુધારાના કામમાં ખૂબ જ ગાઢ રૂચિ લેતા હતા.સાર્થકજીને પણ આ મ્યૂઝિયમમાં આવીને જ ખબર પડી કે ચંદ્રશેખરજીએ ૪ હજાર કિલોમીટરથી વધુ પગપાળા ચાલીને ઐતિહાસિક ભારત યાત્રા કરી હતી. તેમણે જ્યારે સંગ્રહાલયમાં એ ચીજોને જોઈ જે અટલજી ઉપયોગ કરતા હતા, તેમનાં ભાષણોને સાંભળ્યાં તો તેઓ ગર્વાન્વિત થઈ ગયા. સાર્થકજીએ એ પણ કહ્યું કે આ સંગ્રહાલયમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડૉ. આંબેડકર, જયપ્રકાશ નારાયણ અને આપણા પ્રધાનમંત્રીજવાહરલાલ નહેરુ વિશે પણ ઘણી રોચક જાણકારીઓ છે.મેઘાલયના 50મા રાજ્ય સ્થાપના દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 21st, 01:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેઘાલયના 50મા રાજ્ય સ્થાપના દિવસ પર મેઘાલયના લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે રાજ્યની સ્થાપના અને વિકાસમાં યોગદાન આપનાર દરેકને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે બોલતા, તેમણે પ્રધાનમંત્રી બન્યા પછી ઉત્તર પૂર્વીય પરિષદની બેઠકમાં હાજરી આપવા શિલોંગની તેમની મુલાકાતને યાદ કરી હતી. 3-4 દાયકાના અંતરાલ પછી કોઈપણ પ્રધાનમંત્રી દ્વારા રાજ્યની આ પ્રથમ મુલાકાત હતી. તેમણે પ્રકૃતિની નજીકના લોકો તરીકે તેમની ઓળખને વધુ મજબૂત કરવા માટે રાજ્યના લોકોને પૂરક બનાવ્યા. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે મેઘાલયે વિશ્વને પ્રકૃતિ, પ્રગતિ, સંરક્ષણ અને ઇકો-સસ્ટેનેબિલિટીનો સંદેશ આપ્યો છે,મેઘાલયના 50મા રાજ્ય સ્થાપના દિવસ પર પ્રધાનમંત્રીનું સંબોધન
January 21st, 01:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેઘાલયના 50મા રાજ્ય સ્થાપના દિવસ પર મેઘાલયના લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે રાજ્યની સ્થાપના અને વિકાસમાં યોગદાન આપનાર દરેકને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે બોલતા, તેમણે પ્રધાનમંત્રી બન્યા પછી ઉત્તર પૂર્વીય પરિષદની બેઠકમાં હાજરી આપવા શિલોંગની તેમની મુલાકાતને યાદ કરી હતી. 3-4 દાયકાના અંતરાલ પછી કોઈપણ પ્રધાનમંત્રી દ્વારા રાજ્યની આ પ્રથમ મુલાકાત હતી. તેમણે પ્રકૃતિની નજીકના લોકો તરીકે તેમની ઓળખને વધુ મજબૂત કરવા માટે રાજ્યના લોકોને પૂરક બનાવ્યા. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે મેઘાલયે વિશ્વને પ્રકૃતિ, પ્રગતિ, સંરક્ષણ અને ઇકો-સસ્ટેનેબિલિટીનો સંદેશ આપ્યો છે,75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની મુખ્ય વાતો
August 15th, 03:02 pm
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.75મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 15th, 07:38 am
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકશાહીને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ.ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે
August 15th, 07:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું કારણ કે દેશ 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભાષણ દરમિયાન, પીએમ મોદીએ તેમની સરકારની સિદ્ધિઓની યાદી આપી અને ભવિષ્ય માટે યોજનાઓની રૂપરેખા રજૂ કરી.તેમણે સબકા સાથ,સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્રમાં સબકા પ્રાયસ ઉમેરો કર્યો.“મૅરિટાઇમ સલામતી વધારવી: આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો વિષય” પર યુએનએસસીની ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચા ખાતે પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ
August 09th, 05:41 pm
મૅરિટાઇમ સલામતી પર આ મહત્વની ચર્ચામાં સામેલ થવા બદલ આપ સૌનો ધન્યવાદ. હું સેક્રેટરી જનરલના સકારાત્મક સંદેશ અને યુ.એન.ઓ.ડી.સીનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દ્વારા બ્રીફિંગ માટે આભાર વ્યક્ત કરું છું. કૉંગો લોકતાંત્રિક ગણરાજ્યના રાષ્ટ્રપતિએ આફ્રિકન યુનિયનના અધ્યક્ષ તરીકે પોતાનો સંદેશ આપ્યો. હું ખાસ કરીને એમનો આભારી છું. હું રશિયાના રાષ્ટ્રપતિ, કેન્યાના રાષ્ટ્રપતિ અને વિયેટનામના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ માટે પણ હ્રદયથી આભાર વ્યક્ત કરું છું.ચેન્નઇમાં વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન/ અર્પણ/ શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
February 14th, 11:31 am
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ તમામ પ્રોજેક્ટ નવીનતા અને સ્વદેશી વિકાસનું પ્રતીક સમાન છે. વળી આ બધા પ્રોજેક્ટ તમિલનાડુના વિકાસને વેગ આપશે.” તેમણે જણાવ્યું હતું કે, તાંજોર અને પુડુક્કોટ્ટાઈને ખાસ લાભ થશે, કારણ કે આજે 636 કિલોમીટર લાંબી ગ્રાન્ડ એનિકટ કેનાલ સિસ્ટમનું આધુનિકીકરણ કરવા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આની લાંબા ગાળે બહુ મોટી અસર થશે. એનાથી 2.27 લાખ એકર જમીન માટે સિંચાઈની સુવિધામાં વધારો થશે. શ્રી મોદીએ તમિલનાડુના ખેડૂતોની રેકોર્ડ અનાજનું ઉત્પાદન કરવા અને જળ સંસાધનોનો સારો ઉપયોગ કરવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગ્રાન્ડ એનિકટ આપણા ભવ્ય ભૂતકાળનું પ્રતીક છે. આ આપણા દેશના “આત્મનિર્ભર ભારત”ના લક્ષ્યાંક માટે પણ પ્રેરણારૂપ છે. તમિલ કવિ અવ્વૈયરને ટાંકીને પ્રધાનમંત્રીએ જળનું સંરક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે આ ફક્ત રાષ્ટ્રીય સમસ્યા નથી, પણ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે. તેમણે બુંદ દીઠ વધારે પાકના મંત્રને યાદ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં વિવિધ મુખ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું
February 14th, 11:30 am
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ તમામ પ્રોજેક્ટ નવીનતા અને સ્વદેશી વિકાસનું પ્રતીક સમાન છે. વળી આ બધા પ્રોજેક્ટ તમિલનાડુના વિકાસને વેગ આપશે.” તેમણે જણાવ્યું હતું કે, તાંજોર અને પુડુક્કોટ્ટાઈને ખાસ લાભ થશે, કારણ કે આજે 636 કિલોમીટર લાંબી ગ્રાન્ડ એનિકટ કેનાલ સિસ્ટમનું આધુનિકીકરણ કરવા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આની લાંબા ગાળે બહુ મોટી અસર થશે. એનાથી 2.27 લાખ એકર જમીન માટે સિંચાઈની સુવિધામાં વધારો થશે. શ્રી મોદીએ તમિલનાડુના ખેડૂતોની રેકોર્ડ અનાજનું ઉત્પાદન કરવા અને જળ સંસાધનોનો સારો ઉપયોગ કરવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગ્રાન્ડ એનિકટ આપણા ભવ્ય ભૂતકાળનું પ્રતીક છે. આ આપણા દેશના “આત્મનિર્ભર ભારત”ના લક્ષ્યાંક માટે પણ પ્રેરણારૂપ છે. તમિલ કવિ અવ્વૈયરને ટાંકીને પ્રધાનમંત્રીએ જળનું સંરક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે આ ફક્ત રાષ્ટ્રીય સમસ્યા નથી, પણ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે. તેમણે બુંદ દીઠ વધારે પાકના મંત્રને યાદ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.હુનર હાટ કારીગરની આકાંક્ષાઓને પાંખો આપી છે :- મન કી બાત દરમિયાન પીએમ મોદી
February 23rd, 11:30 am
તેનો અર્થ છે કે આપણે જાણીએ છીએ, તે માત્ર મુઠ્ઠીભર એક રેતી છે પરંતુ જે આપણે નથી જાણતા. તે પોતાનામાં આખા બ્રહ્માંડને સમાન છે. આ દેશની વિવિધતા સાથે પણ આવું જ છે, જેટલું જાણીએ એટલું ઓછું છે. આપણી biopersity પણ માનવ જાત માટે એક અનોખો ખજાનો છે જેને આપણે સંભાળવાનો છે, સુરક્ષિત રાખવાનો છે અને explore પણ કરવાનો છે.ગુજરાતનાં ગાંધીનગરમાં યાયાવર પ્રજાતિઓ પર સંમલેન માટે 13મી સીઓપીનાં ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપા
February 17th, 01:37 pm
મને તમારા બધાનું 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝમાં સ્વાગત કરવાની ખુશી છે. આ 13મી કોન્ફરન્સ યાયાવર પ્રજાતિઓનાં સંરક્ષણ પર કેન્દ્રીત છે. કોન્ફરન્સ મહાત્મા ગાંધીની ભૂમિ ગાંધીનગરમાં યોજાઈ રહી છે.પ્રધાનમંત્રીએ ગાંધીનગર ખાતે સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓના સંરક્ષણ પર 13મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝનો શુભારંભ કરાવ્યો
February 17th, 12:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓની પ્રજાતિઓના સંરક્ષણ માટેની 13મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો.સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષાની યાત્રામાં પ્રધાનમંત્રી મોદી સાથે જોડાઓ!
August 12th, 09:35 pm
પર્યાવરણ સંરક્ષણ અને સુરક્ષાની યાત્રામાં પ્રધાનમંત્રી મોદી સાથે જોડાઓ. પર્યાવરણ, પ્રકૃતિ અને ગ્રહના સંરક્ષણના ઉપાયો વિશે તમારા વિચારો પ્રધાનમંત્રી સાથે શેર કરો.The 'remote control' Congress government never paid attention to Madhya Pradesh's needs: PM Modi
November 20th, 04:17 pm
Prime Minister Narendra Modi today addressed two huge public meeting in Jhabua and Rewa in Madhya Pradesh. These public meetings come amid a series of similar public meetings addressed by PM Modi in the election-bound state of Madhya Pradesh.