Bihar doesn't need ‘Katta Sarkar’: PM Modi in Sitamarhi

November 08th, 11:15 am

PM Modi addressed a large and enthusiastic gathering in Sitamarhi, Bihar, seeking blessings at the sacred land of Mata Sita and underlining the deep connection between faith and nation building. Recalling the events of November 8 2019, when he had prayed for a favourable Ayodhya judgment before inauguration duties the next day, he said today he had come to Sitamarhi to seek the people’s blessings for a Viksit Bihar. He reminded voters that this election will decide the future of Bihar’s youth and urged them to vote for progress.

Unstoppable wave of support as PM Modi addresses rallies in Sitamarhi and Bettiah, Bihar

November 08th, 11:00 am

PM Modi today addressed large and enthusiastic gatherings in Sitamarhi and Bettiah, Bihar, seeking blessings in the sacred land of Mata Sita and highlighting the deep connection between faith and nation-building. Recalling the events of November 8, 2019, when he had prayed for a favourable Ayodhya verdict before heading for an inauguration the following day, he said he had now come to Sitamarhi to seek the people’s blessings for a Viksit Bihar.

કેન્દ્રીય મંત્રીમંડળે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં રૂ. 4600 કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોને મંજૂરી આપી

August 12th, 03:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ વધુ ચાર સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.

2047 માં વિકસિત ભારતનો માર્ગ આત્મનિર્ભરતામાંથી પસાર થાય છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

July 27th, 11:30 am

'મન કી બાત'માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના પર દરેક ભારતવાસીને ગર્વ છે. હમણાં જ શુભાંશુ શુક્લના અંતરિક્ષથી પુનરાગમન અંગે દેશમાં ઘણી ચર્ચા થઈ. જેવા શુભાંશુ ધરતી પર સુરક્ષિત ઉતર્યા, લોકો ઊછળી પડ્યા, પ્રત્યેકના મનમાં ખુશીની લહેર દોડી ગઈ. આખો દેશ ગર્વથી છલોછલ થઈ ગયો. મને યાદ છે, જ્યારે ઑગસ્ટ 2023માં ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ થયું હતું ત્યારે દેશમાં એક નવું વાતાવરણ બન્યું હતું. સાયન્સ માટે, સ્પેસ માટે બાળકોમાં એક નવી જિજ્ઞાસા પણ જાગી. હવે નાનાં-નાનાં બાળકો પણ કહે છે, અમે પણ સ્પેસમાં જઈશું, અમે પણ ચંદ્ર પર ઉતરીશું- સ્પેસ સાયન્ટિસ્ટ બનીશું.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

July 08th, 08:30 pm

રિયો અને બ્રાઝિલિયામાં અમારા ઉષ્માભર્યા સ્વાગત માટે હું મારા મિત્ર રાષ્ટ્રપતિ લુલાનો હૃદયપૂર્વક આભાર માનું છું. એમેઝોનની કુદરતી સુંદરતા અને તમારી ઉષ્માભરી લાગણીએ અમને મંત્રમુગ્ધ કરી દીધા છે.

ત્રણ પરમ રૂદ્ર સુપર કમ્પ્યુટર્સ અને હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ રાષ્ટ્રને અર્પણ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 26th, 05:15 pm

આદરણીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, દેશભરની વિવિધ સંશોધન સંસ્થાઓના આદરણીય નિયામકો, પ્રતિષ્ઠિત વરિષ્ઠ વૈજ્ઞાનિકો, ઇજનેરો, સંશોધકો, વિદ્યાર્થીઓ, અન્ય મહાનુભાવો અને દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ત્રણ પરમ રૂદ્ર સુપર કોમ્પ્યુટર દેશને અર્પણ કર્યા

September 26th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આશરે રૂ. 130 કરોડનાં મૂલ્યનાં ત્રણ પરમ રૂદ્ર સુપર કમ્પ્યુટર દેશને અર્પણ કર્યા હતાં. નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન (એનએસએમ) હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા આ સુપર કમ્પ્યુટર્સને પૂણે, દિલ્હી અને કોલકાતામાં અગ્રણી વૈજ્ઞાનિક સંશોધનની સુવિધા આપવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ હવામાન અને આબોહવામાં સંશોધન માટે તૈયાર થયેલી હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ (એચપીસી) સિસ્ટમનું પણ ઉદઘાટન કર્યું હતું.