ત્રીજી ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

July 09th, 12:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9 જુલાઈ 2026ના રોજ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી, માનનીય એન્થોની અલ્બેનીઝ સાંસદ દ્વારા આયોજિત ત્રીજા ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં હાજરી આપી હતી. ગવર્નમેન્ટ હાઉસ ખાતે પહોંચ્યા બાદ, પ્રધાનમંત્રી મોદીનું પ્રધાનમંત્રી અલ્બેનીઝ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેસ નિવેદનનો મૂળપાઠ

July 09th, 11:15 am

2022 માં હસ્તાક્ષર કરાયેલ આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA) એ આપણા વેપાર અને રોકાણના વ્યાપને સતત વિસ્તૃત કર્યો છે. અમે હવે વ્યાપક આર્થિક સહકાર કરાર (CECA) પર કામ ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે, જે બંને રાષ્ટ્રો માટે સંતુલિત, મહત્વાકાંક્ષી અને પરસ્પર ફાયદાકારક રહેશે. અમે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર પણ ઝડપથી આગળ વધીશું.

આર્થિક રોડમેપ બિઝનેસ રિસેપ્શનમાં પ્રધાનમંત્રીનું સંબોધન

July 09th, 06:15 am

ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો અને 2070 સુધીમાં નેટ ઝીરો સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી, મૂડી અને સંસાધનો આ સંક્રમણને વેગ આપી શકે છે.

Prime Minister addresses Australia-India CEOs Forum and Economic Roadmap Business event

July 09th, 06:00 am

PM Modi participated in the Australia-India CEOs Forum and the Economic Roadmap Business event in Melbourne. Addressing the CEOs Forum, he highlighted India's strong economic growth, policy reforms, digital transformation and expanding innovation ecosystem. Addressing the Economic Roadmap Business event, he expressed satisfaction at the growth of trade and investment ties based on ECTA and called for early conclusion of the proposed CECA.

પરિણામોની સૂચિ: 16મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે જાપાનના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત

July 02nd, 10:39 pm

સેમિકન્ડક્ટર્સ, મહત્વપૂર્ણ ખનિજો, એઆઈ (AI) સહિત માહિતી અને સંચાર ટેકનોલોજી, સ્વચ્છ ઊર્જા અને ફાર્માસ્યુટિકલ્સ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સંયુક્ત સ્થિતિસ્થાપકતા વધારવા માટે પ્રોજેક્ટ-આધારિત સહયોગને પ્રોત્સાહન આપે છે. ભારત-જાપાન ફેક્ટ શીટ 2.0 આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં વધી રહેલી ભારત-જાપાન G2G અને B2B ભાગીદારીને દર્શાવે છે.

ભારત-જાપાન બિઝનેસ ફોરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

July 02nd, 03:35 pm

તે જ રીતે, એર કંડિશનર હોય, પાવર ગ્રીડના સાધનો હોય, પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ (ચોક્કસાઈપૂર્વકનું ઉત્પાદન) હોય કે મેડિકલ ટેકનોલોજી હોય, જ્યારે જાપાનની કુશળતા અને રોકાણ ભારતની ગતિ અને સ્કેલ (વ્યાપ) સાથે ભળે છે, ત્યારે સમગ્ર વિશ્વને તેનો લાભ મળે છે.

સેશેલ્સની નેશનલ એસેમ્બલીમાં પ્રધાનમંત્રીનું સંબોધન

June 28th, 05:00 pm

પ્રધાનમંત્રી તરીકે મેં હિંદ મહાસાગર ક્ષેત્રના જે પ્રથમ દેશની મુલાકાત લીધી હતી તે 2015 માં સેશેલ્સ હતો. પ્રધાનમંત્રી તરીકે આ મારી આફ્રિકાની પણ પ્રથમ મુલાકાત હતી. હું અહીં એટલા માટે આવ્યો હતો કારણ કે હું માનતો હતો કે હિંદ મહાસાગર માટેના ભારતના વિઝનમાં સેશેલ્સ એક વિશેષ સ્થાન ધરાવે છે. આજે, એક દાયકા પછી જ્યારે હું અહીં પરત ફર્યો છું, ત્યારે મારો તે વિશ્વાસ અગાઉ કરતાં વધુ મજબૂત બન્યો છે.

સેશેલ્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

June 28th, 02:02 pm

અમારો વિશ્વાસ છે કે હિંદ મહાસાગર આપણું સહિયારું ઘર છે; આની સુરક્ષા, ટકાઉપણું અને સમૃદ્ધિ આપણી સામૂહિક જવાબદારી છે. આ જ ભાવના આપણા મહાસાગર વિઝનનો આધાર છે.

ફ્રાન્સમાં ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 14th, 04:36 pm

એક એવું ભારત, જે સોલ્યુશન્સનું કન્ઝ્યુમર નહીં પરંતુ સોલ્યુશન્સનું કન્ટ્રીબ્યુટર બનીને ઉભરી રહ્યું છે. અહીં કોઈ એઆઈ (AI) થી ગામડાઓનું જીવન બદલવા માટે કામ કરી રહ્યું છે, તો કોઈ ખેડૂતોની મદદ માટે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. કેટલાક યુવાનો સ્માર્ટ સિટીઝ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને નવા મટિરિયલ્સથી ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. કોઈ ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને બેટરી ટેકનોલોજીસથી એક સસ્ટેનેબલ ફ્યુચર સુનિશ્ચિત કરી રહ્યું છે. અને કેટલાક સ્ટાર્ટ-અપ્સ સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં નવી ટેકનોલોજીઓ વિકસિત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ ભારત ઇનોવેટ્સ 2026માં ભાગ લીધો (14 જૂન, 2026)

June 14th, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોને આજે સંયુક્ત રીતે નીસ (Nice)ના પેલેસ ડેસ એક્સપોઝિશન્સ (Palais des Expositions) ખાતે ''ભારત ઇનોવેટ્સ 2026'' નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રણ દિવસીય કાર્યક્રમ 'ભારત ઇનોવેટ્સ', ભારતના ડીપ-ટેક સ્ટાર્ટ-અપ્સ, ઇનોવેટર્સ, સંશોધકો અને રોકાણકારોને વૈશ્વિક ઇનોવેશન ફંડ્સ અને વૈશ્વિક પદચિહ્ન (ફૂટપ્રિન્ટ) સાથે એકસાથે લાવે છે. તે વૈશ્વિક મહત્વના 13 કટોકટીના તકનીકી સ્તંભો (ક્રિટિકલ ટેક્નોલોજી પિલર્સ) પર 120 પથદર્શક (પાથબ્રેકિંગ) સ્ટાર્ટ-અપ્સ અને 20 થી વધુ ઉત્કૃષ્ટતા સંસ્થાઓ (ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ એક્સેલન્સ) ને પ્રદર્શિત કરીને વૈશ્વિક મંચ પર ભારતની અગ્રણી ડીપ ટેકનોલોજીને રજૂ કરે છે. વિશ્વભરમાંથી 350 થી વધુ ટોચના રોકાણકારો અને વેન્ચર કેપિટલિસ્ટ્સ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.

The trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave

June 10th, 06:33 pm

PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.

PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat

June 10th, 06:30 pm

PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.

સતત કાર્યકાળના આધારે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ પસાર કર્યો

June 10th, 01:50 pm

કેન્દ્રિય મંત્રીમંડળે આજે ભારતીય લોકશાહીની યાત્રામાં 10 જૂન, 2026ના દિવસને એક ઐતિહાસિક સીમાચિહ્ન તરીકે અંકિત કરતો પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં શ્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબી મુદત સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ બિરદાવવામાં આવ્યા છે. એક ચૂંટાયેલા પીએમ તરીકે 4,399 દિવસની સતત સેવાનો રેકોર્ડ સ્થાપિત કરીને, તેમણે શ્રી જવાહરલાલ નેહરુ દ્વારા રાખવામાં આવેલા અગાઉના રેકોર્ડને વટાવી દીધો છે, જેમણે 1952 થી 1964 સુધી સતત 4,398 દિવસ સેવા આપી હતી. આ પ્રસ્તાવમાં જણાવાયું છે કે આ પ્રસંગ ભારતની લોકશાહી ચેતના, જનવિશ્વાસ અને જનભાગીદારીની શક્તિના પ્રતીક તરીકે ઊભો છે, જે 'રાષ્ટ્ર પ્રથમ’ ના સંકલ્પ દ્વારા માર્ગદર્શિત નેતા પર જનતા દ્વારા વરસાવવામાં આવેલા અભૂતપૂર્વ સમર્થનને પ્રતિબિંબિત કરે છે.

ગુજરાતના સુરતમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ

June 05th, 04:30 pm

મારી વાત શરૂ કરું તે પહેલાં, થોડા દિવસ પહેલાં જ મારા અનન્ય સાથી, જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ ક્ષણ સુધી જે કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય, આદર પૂર્વક હું તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. એક સાથી ગુમાવવાનું દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે, તેમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત, ગુજરાતમાં ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો

June 05th, 04:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સુરત, ગુજરાતમાં કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોનો તેમના અડગ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી, હું પહેલીવાર સુરતની મુલાકાતે આવ્યો છું. સુરતની ધરતી પરથી હું સમગ્ર ગુજરાતની જનતાને પ્રણામ કરું છું અને અભિનંદન પાઠવું છું, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર સૌને શુભેચ્છાઓ પાઠવી

June 05th, 09:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોની પ્રશંસા કરીને સૌને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

મ્યાનમારના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-મ્યાનમાર સંયુક્ત નિવેદન

June 01st, 07:16 pm

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રિપબ્લિક ઓફ ધ યુનિયન ઓફ મ્યાનમારના રાષ્ટ્રપતિ મહામહિમ યુ મિન આંગ હ્લાઈંગે 30 મે થી 3 જૂન 2026 દરમિયાન ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ 51મી પ્રગતિ (PRAGATI) બેઠકની અધ્યક્ષતા કરી

May 27th, 10:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સેવા તીર્થ ખાતે, કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોને એકીકૃત કરીને પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને ટાઇમલી ઇમ્પ્લીમેન્ટેશન (સક્રિય શાસન અને સમયસર અમલીકરણ)ને પ્રોત્સાહન આપવા માટેના ICT-સક્ષમ, મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ, પ્રગતિ (PRAGATI) ની 51મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

રોજગાર મેળા અંતર્ગત નિમણૂક પત્રોના વિતરણ અવસર પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 23rd, 11:15 am

તમે બધા જાણો છો કે બે દિવસ પહેલા જ હું પાંચ દેશોની યાત્રા કરીને પાછો ફર્યો છું. ભલે તે ફક્ત પાંચ દેશોની યાત્રા હતી, મેં ડઝનબંધ દેશોની મોટી કંપનીઓના નેતાઓ સાથે વાત કરી, ચર્ચા કરી અને તેમને મળ્યો, અને મને એક વાત સતત અનુભવાઈ. વિશ્વ ભારતના યુવાનો અને તેની ટેકનોલોજીકલ પ્રગતિ પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત છે. આજે, વિશ્વ ભારતની વિકાસ યાત્રાનો ભાગ બનવા માંગે છે. ભારત વિશ્વભરના વિવિધ દેશો સાથે પણ ભાગીદારી કરી રહ્યું છે. ઉદ્દેશ્ય ભારતના યુવાનોને તકો અને રોજગાર પૂરો પાડવાનો અને તેમની ક્ષમતાને બહાર કાઢવાનો છે. હું ખરેખર ઇચ્છું છું કે મારા દેશના યુવાનો વૈશ્વિક સ્તરે એક્સપોઝર મેળવે. આ મુલાકાત દરમિયાન, જો હું નેધરલેન્ડનો ઉલ્લેખ કરી શકું તો, તેમની સાથે સેમિકન્ડક્ટર, પાણી, કૃષિ અને અદ્યતન ઉત્પાદન પર ચર્ચાઓ થઈ. સ્વીડન સાથે, કૃત્રિમ બુદ્ધિ (AI) અને ડિજિટલ નવીનતામાં સહયોગ પર અસંખ્ય ચર્ચાઓ થઈ. નોર્વે સાથે, ગ્રીન ટેકનોલોજી અને દરિયાઈ સહયોગ પર ચર્ચાઓ આગળ વધી છે. યુએઈ સાથે વ્યૂહાત્મક ઉર્જા અને ટેકનોલોજી ભાગીદારી પર મહત્વપૂર્ણ કરારો થયા. ઇટાલી સાથે, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભાગીદારી પર કરારો થયા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'રોજગાર મેળા' અંતર્ગત સરકારી નોકરીઓ માટે નવા ભરતી થયેલા યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું

May 23rd, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11 વાગ્યે 19મા રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવ નિયુક્ત યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રો વિતરીત કર્યા હતા. સભાને સંબોધતા તેમણે આ પ્રસંગને દેશભરના હજારો યુવાનો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ ગણાવ્યો હતો. સરકારી સેવામાં નવા પ્રવેશ મેળવનારાઓનું સ્વાગત કરતા તેમણે રેલવે, બેંકિંગ, સંરક્ષણ, આરોગ્ય અને શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં ભારતના વિકાસમાં તેમના આગામી યોગદાન પર ભાર મૂક્યો હતો. આવનારા વર્ષોમાં, તમે બધા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશો, શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું. નિમણૂક પામેલા ઉમેદવારોને આ સીમાચિહ્નરૂપ સ્થાન સુધી પહોંચાડનારી તેમની સમર્પણ અને સખત તૈયારીનું સન્માન કરતા, પ્રધાનમંત્રીએ તે દરેકને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. કોઈપણ વ્યક્તિગત સિદ્ધિ એકલી હોતી નથી તે સ્વીકારતા, તેમણે તે પરિવારો અને માતા-પિતાને પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી જેમનો સહયોગ આ સફરમાં અનિવાર્ય રહ્યો હતો.