પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કરીને ભાર મૂક્યો કે રાષ્ટ્ર સેવા જ વિકસિત ભારતનો પાયો છે
April 21st, 11:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં ભાર મૂક્યો કે રાષ્ટ્ર સેવા એ 'વિકસિત ભારત'નો પાયો છે. શ્રી મોદીએ કહ્યું કે સિવિલ સર્વિસીસ દિવસના આ ગૌરવપૂર્ણ પ્રસંગે, ચાલો આપણે છેવાડાના વ્યક્તિને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવીને એક મજબૂત, સમૃદ્ધ અને દયાળુ ભારત બનાવવાના આપણા વચનને ફરીથી પુષ્ટિ આપીએ.પ્રધાનમંત્રીએ સિવિલ સર્વિસીસ પરીક્ષા, 2025ના સફળ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા
March 06th, 08:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિવિલ સર્વિસીસ પરીક્ષા, 2025 સફળતાપૂર્વક પાસ કરનાર તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે તેમના સમર્પણ, દ્રઢતા અને સખત મહેનતે તેમને આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવ્યા છે.સ્પેન સરકારના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝની ભારત મુલાકાત
February 18th, 05:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સ્પેન સરકારના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ, AI ઇમ્પેક્ટ સમિટ 2026 માં ઉપસ્થિત રહેવા માટે 18–19 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. 27–29 ઓક્ટોબર 2024 ની તેમની દ્વિપક્ષીય મુલાકાત પછી તેમની આ બીજી ભારતની સત્તાવાર મુલાકાત છે. તેમની સાથે શ્રી ઓસ્કાર લોપેઝ એગ્યુડા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સિવિલ સર્વિસ મંત્રી અને સ્પેનના કૃષિ, મત્સ્યોદ્યોગ અને ખાદ્ય મંત્રી શ્રી લુઈસ પ્લાનાસ પુચાડેસ પણ હતા.‘વોકલ ફોર લોકલ’ મન કી વાતમાં, પીએમ મોદીએ સ્વદેશી ગૌરવ સાથે તહેવારો ઉજવવા વિનંતી કરી
August 31st, 11:30 am
આ મહિનાના મન કી બાત સંબોધનમાં, વડાપ્રધાન મોદીએ પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મદદ કરનારા સુરક્ષા દળો અને નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં રમતગમતના કાર્યક્રમો, સૌર ઉર્જા, 'ઓપરેશન પોલો' અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ નાગરિકોને તહેવારોની મોસમ દરમિયાન મેડ-ઇન-ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવા અને સ્વચ્છતા જાળવવાના મહત્વ વિશે વધુ યાદ અપાવ્યું.ભારત-મોરેશિયસ સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
March 12th, 12:30 pm
140 કરોડ ભારતીયો વતી, હું મોરેશિયસના તમામ નાગરિકોને રાષ્ટ્રીય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે મને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસે ફરીથી આવવાની તક મળી રહી છે. તેથી, હું પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામજી અને મોરેશિયસ સરકારનો આભાર માનું છું.વડાપ્રધાન મોદી ૧૧-૧૨ માર્ચ, ૨૦૨૫ દરમિયાન મોરેશિયસની મુલાકાત લેશે.
March 07th, 06:17 pm
વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામના આમંત્રણ પર પીએમ મોદી ૧૧-૧૨ માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન, તેઓ મુખ્ય નેતાઓને મળશે, ભારતીય મૂળના સમુદાય સાથે વાતચીત કરશે અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ મુલાકાત ભારત-મોરેશિયસની મજબૂત ભાગીદારીને પુનઃપુષ્ટિ કરે છે, જે સહિયારા ઇતિહાસ અને પ્રગતિમાં મૂળ ધરાવે છે.પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 11:30 am
આજે, જ્યારે આપણો દેશ વિકસિત ભારતનાં સંકલ્પને પ્રાપ્ત કરવામાં રોકાયેલ છે, ત્યારે આપણને નેતાજી સુભાષના જીવનમાંથી સતત પ્રેરણા મળે છે. નેતાજીના જીવનનું સૌથી મોટું લક્ષ્ય આઝાદ હિંદ હતું. પોતાના સંકલ્પને પ્રાપ્ત કરવા માટે, તેમણે ફક્ત એક જ માપદંડ પર પોતાના નિર્ણયની ચકાસણી કરી - આઝાદ હિંદ. નેતાજીનો જન્મ એક શ્રીમંત પરિવારમાં થયો હતો, તેમણે સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી હતી. જો તેઓ ઇચ્છતા હોત તો બ્રિટિશ શાસનમાં વરિષ્ઠ અધિકારી બનીને આરામદાયક જીવન જીવી શક્યા હોત, પરંતુ તેમણે સ્વતંત્રતા માટે કષ્ટો પસંદ કરી, પડકારો પસંદ કર્યા, દેશ-વિદેશમાં ભટકવાનું પસંદ કર્યું, નેતાજી સુભાષ કમ્ફર્ટ ઝોનથી બંધાયેલા નહોતા. તેવી જ રીતે, આજે આપણે બધાએ વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. આપણે પોતાને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ બનાવવું પડશે, આપણે શ્રેષ્ઠતા પસંદ કરવી પડશે, આપણે કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
January 23rd, 11:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી જેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે પ્રસંગે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝને આજે તેમની જન્મ જયંતી પર સંપૂર્ણ દેશ આદરપૂર્વક યાદ કરી રહ્યો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે પરાક્રમ દિવસની ભવ્ય ઉજવણી ઓડિશામાં તેમના જન્મસ્થળમાં થઈ રહી છે. તેમણે આ પ્રસંગે ઓડિશાનાં લોકોને અને સરકારને અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નેતાજીનાં જીવનનાં વારસા પર આધારિત એક મોટું પ્રદર્શન ઓડિશાનાં કટકમાં યોજાયું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અનેક કલાકારોએ નેતાજીનાં જીવન સાથે જોડાયેલી ઘટનાઓને કેનવાસ પર દર્શાવી છે. તેમણે કહ્યું કે નેતાજી પર આધારિત ઘણા પુસ્તકો પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નેતાજીની જીવનયાત્રાનાં આ તમામ વારસાઓ મારા યુવા ભારતને નવી ઊર્જા પ્રદાન કરશે.ભારત-શ્રીલંકા સંયુક્ત નિવેદન: સહિયારા ભવિષ્ય માટે ભાગીદારીને પ્રોત્સાહન
December 16th, 03:26 pm
ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયકે ભારત પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત દરમિયાન 16 ડિસેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી તેમની બેઠકમાં વિસ્તૃત અને ફળદાયી ચર્ચા-વિચારણા કરી હતી.પ્રધાનમંત્રીએ ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કર્યો
October 19th, 06:57 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મિશન કર્મયોગી મારફતે અમારું લક્ષ્ય માનવ સંસાધન ઊભું કરવાનું છે, જે આપણાં દેશનાં વિકાસમાં પ્રેરક બળ બની રહે. પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જો આપણે આ જ જુસ્સા સાથે કામ કરતાં રહીશું, તો દેશને પ્રગતિ કરતાં કોઈ અટકાવી નહીં શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ દરમિયાન નવા શિક્ષણ અને અનુભવો મજબૂત થશે અને કાર્ય પ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરશે, જે આપણને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં આપણાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ થશે.મોરેશિયસના પ્રધાનમંત્રી, મહામહિમ, પ્રવિંદ જુગનાથ સાથે અગાલેગા ટાપુઓ ખાતે એરસ્ટ્રીપ અને જેટીના સંયુક્ત ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ
February 29th, 01:15 pm
છેલ્લા 6 મહિનામાં પ્રધાનમંત્રી જગન્નાથ અને મારી વચ્ચે આ પાંચમી મુલાકાત છે. આ ભારત અને મોરેશિયસ વચ્ચેની ગતિશીલ, મજબૂત અને અનન્ય ભાગીદારીનો પુરાવો છે. મોરેશિયસ અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસીનો મહત્વપૂર્ણ ભાગીદાર છે. અમારા વિઝન “SAGAR” હેઠળ મોરેશિયસ અમારું ખાસ ભાગીદાર છે. ગ્લોબલ સાઉથના સભ્યો તરીકે, અમારી પાસે સમાન પ્રાથમિકતાઓ છે. છેલ્લા 10 વર્ષમાં અમારા સંબંધોમાં અભૂતપૂર્વ ગતિ આવી છે. અમે પરસ્પર સહયોગમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને નવો આકાર આપવામાં આવ્યો છે. આપણા લોકો ભાષા અને સંસ્કૃતિના સુવર્ણ દોરથી જોડાયેલા છે. થોડા દિવસો પહેલા, અમે યુપીઆઈ અને રૂપે કાર્ડ જેવી પહેલ દ્વારા આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરી છે.પ્રધાનમંત્રી અને મોરેશિયસનાં પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં અગાલેગા ટાપુ પર નવી એરસ્ટ્રીપ અને એક જેટ્ટીનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું
February 29th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિન્દ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં અગાલેગા ટાપુ પર છ સામુદાયિક વિકાસલક્ષી પરિયોજનાઓની સાથે નવી એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટીનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન ભારત અને મોરેશિયસ વચ્ચે મજબૂત અને દાયકાઓ જૂની વિકાસલક્ષી ભાગીદારીનો પુરાવો છે તથા તે મોરેશિયસ અને અગાલેગાની મુખ્ય ભૂમિ વચ્ચે શ્રેષ્ઠ કનેક્ટિવિટીની માગ પૂર્ણ કરશે, દરિયાઇ સુરક્ષાને મજબૂત કરશે અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન મહત્વપૂર્ણ છે કારણ કે તે 12 ફેબ્રુઆરી, 2024ના રોજ બંને નેતાઓ દ્વારા મોરેશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સેવાઓની તાજેતરમાં શરૂઆત કરવામાં આવી છે.પ્રધાનમંત્રી પ્રથમ રાષ્ટ્રીય તાલીમ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે
June 10th, 10:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી જૂન, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને સંમેલન કેન્દ્ર પ્રગતિ મેદાન ખાતે પ્રથમવાર રાષ્ટ્રીય પ્રશિક્ષણ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધન કરશે.પ્રધાનમંત્રી શ્રીએ આજે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનારાઓને અભિનંદન પાઠવ્યા
May 23rd, 08:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિવિલ સર્વિસ પરીક્ષાના સફળ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ એવા લોકો માટે પણ સલાહ આપી હતી જેઓ આ વર્ષે તે કરી શક્યા નથી.Our motto is to unlock the potential of the youth of our country: PM Modi
April 24th, 06:42 pm
PM Modi addressed the Yuvam conclave and acknowledged that for the vibrancy of any mission, the vibrancy of youth is of utmost importance. He stated that India has transformed from being the fragile five to being the fifth largest economy. He mentioned that the BJP and the youth of this country have a similar wavelength. We bring reforms and the youth brings results enabling a successful youth-led partnership and changePM Modi addresses ‘Yuvam’ Conclave in Kerala
April 24th, 06:00 pm
PM Modi addressed the Yuvam conclave and acknowledged that for the vibrancy of any mission, the vibrancy of youth is of utmost importance. He stated that India has transformed from being the fragile five to being the fifth largest economy. He mentioned that the BJP and the youth of this country have a similar wavelength. We bring reforms and the youth brings results enabling a successful youth-led partnership and changeનવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે 16મા નાગરિક સેવા દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 21st, 11:30 am
મંત્રીમંડળના મારા સહયોગી ડૉ. જીતેન્દ્ર સિંહ, શ્રી પી.કે. મિશ્રાજી, શ્રી રાજીવ ગૌબાજી, શ્રી શ્રીનિવાસનજી અને આ કાર્યક્રમમાં સામેલ તમામ કર્મયોગી સાથીઓ, દેવીઓ અને સજ્જનો! સિવિલ સર્વિસ ડે પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.પ્રધાનમંત્રીએ 16મા નાગરિક સેવા દિવસના ઉપક્રમે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન આપ્યું
April 21st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 16મા નાગરિક સેવા દિવસ, 2023ના ઉપક્રમે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં નાગિરક અધિકારીઓને સંબોધન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ જાહેર પ્રશાસનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પુરસ્કાર મેળવનારા અધિકારીઓને ‘જાહેર સેવામાં ઉત્કૃષ્ટતા બદલ પ્રધાનમંત્રીના પુરસ્કાર’ એનાયત કર્યા હતા.The 'Panch Pran' must be the guiding force for good governance: PM Modi
October 28th, 10:31 am
PM Modi addressed the ‘Chintan Shivir’ of Home Ministers of States. The Prime Minister emphasized the link between the law and order system and the development of the states. “It is very important for the entire law and order system to be reliable. Its trust and perception among the public are very important”, he pointed out.PM addresses ‘Chintan Shivir’ of Home Ministers of States
October 28th, 10:30 am
PM Modi addressed the ‘Chintan Shivir’ of Home Ministers of States. The Prime Minister emphasized the link between the law and order system and the development of the states. “It is very important for the entire law and order system to be reliable. Its trust and perception among the public are very important”, he pointed out.