'મન કી બાત' લોકોના સામૂહિક પ્રયાસોને લોકો સુધી પહોંચાડવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ છે: પીએમ મોદી

November 30th, 11:30 am

આ મહિનાના મન કી બાતમાં, પીએમ મોદીએ નવેમ્બર મહિનાના મુખ્ય કાર્યક્રમો વિશે વાત કરી, જેમાં બંધારણ દિવસની ઉજવણી, વંદે માતરમની 150મી વર્ષગાંઠ, અયોધ્યામાં ધર્મ ધ્વજ ફરકાવવો, INS માહેની ભાગીદારી અને કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનો સમાવેશ થાય છે. તેમણે રેકોર્ડ અનાજ અને મધ ઉત્પાદન, ભારતની રમતગમત સફળતા, મ્યુઝિયમ અને પ્રાકૃતિક ખેતી જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ દરેકને કાશી-તમિલ સંગમમનો ભાગ બનવાની અપીલ કરી.

શુભાંશુ શુક્લા સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

August 19th, 09:43 am

હા સાહેબ, પણ એકવાર તમે અંતરિક્ષમાં પહોંચી જાવ પછી તમે તમારી સીટ ખોલી શકો છો, તમારા હાર્નેસ ખોલી શકો છો અને એજ કેપ્સ્યુલમાં નો ગ્રાઉન્ડ જઈ શકો છો, તમે વસ્તુઓને આમ-તેમ મૂકી શકો છો.

પ્રધાનમંત્રીએ અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી

August 19th, 09:42 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. અંતરિક્ષ યાત્રાના પરિવર્તનકારી અનુભવ પર પ્રતિબિંબ પાડતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે આટલી મહત્વપૂર્ણ યાત્રા કર્યા પછી વ્યક્તિએ પરિવર્તન અનુભવવું જોઈએ અને અંતરિક્ષયાત્રીઓ આ પરિવર્તનને કેવી રીતે જુએ છે અને અનુભવે છે તે સમજવાનો પ્રયાસ કર્યો. પ્રધાનમંત્રીને જવાબમાં શુભાંશુ શુક્લાએ કહ્યું કે અંતરિક્ષમાં વાતાવરણ સંપૂર્ણપણે અલગ છે, જેમાં ગુરુત્વાકર્ષણનો અભાવ એક મુખ્ય પરિબળ છે.

અંતરિક્ષ સંશોધન પર વૈશ્વિક પરિષદમાં વિડિયો સંદેશ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 07th, 12:00 pm

ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ 2025માં આપ સૌ સાથે જોડાવાનો મને ખૂબ આનંદ છે. અવકાશ એ માત્ર એક ગંતવ્ય સ્થાન નથી. તે જિજ્ઞાસા, હિંમત અને સામૂહિક પ્રગતિની ઘોષણા છે. ભારતની અવકાશ યાત્રા આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે. 1963માં એક નાનું રોકેટ લોન્ચ કરવાથી લઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરનાર પ્રથમ દેશ બનવા સુધી, અમારી સફર નોંધપાત્ર રહી છે. આપણા રોકેટ પેલોડ કરતાં ઘણું વધારે વહન કરે છે. તેઓ 1.4 અબજ ભારતીયોના સપનાઓને સાકાર કરે છે. ભારતની સિદ્ધિઓ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સીમાચિહ્નો છે. વધુમાં, તેઓ એ વાતનો પુરાવો છે કે માનવ ભાવના ગુરુત્વાકર્ષણને પડકારી શકે છે. ભારતે 2014માં પોતાના પહેલા પ્રયાસમાં મંગળ પર પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-1 એ ચંદ્ર પર પાણીની શોધમાં મદદ કરી. ચંદ્રયાન-2 એ આપણને ચંદ્રની સૌથી વધુ રિઝોલ્યુશનવાળી ઈમેજ આપી. ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિશેની આપણી સમજમાં વધારો કર્યો. આપણે રેકોર્ડ સમયમાં ક્રાયોજેનિક એન્જિન બનાવ્યા. આપણે એક જ મિશનમાં 100 ઉપગ્રહો લોન્ચ કર્યા. આપણે આપણા લોન્ચ વાહનો પર 34 દેશોના 400 થી વધુ ઉપગ્રહો લોન્ચ કર્યા છે. આ વર્ષે આપણે બે ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા, જે એક મોટું પગલું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ કોન્ફરન્સ ઓન સ્પેસ એક્સપ્લોરેશન (GLEX) 2025ને સંબોધિત કર્યું

May 07th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્લોબલ કોન્ફરન્સ ઓન સ્પેસ એક્સપ્લોરેશન (GLEX) 2025ને સંબોધિત કર્યું હતું. વિશ્વભરના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ, વૈજ્ઞાનિકો અને અવકાશયાત્રીઓનું સ્વાગત કરતાં, તેમણે GLEX 2025માં ભારતની નોંધપાત્ર અવકાશ યાત્રા પર પ્રકાશ પાડ્યો અને કહ્યું, અંતરિક્ષ માત્ર એક ગંતવ્ય સ્થાન નથી પરંતુ જિજ્ઞાસા, હિંમત અને સામૂહિક પ્રગતિની ઘોષણા છે. તેમણે ભાર મૂક્યો કે ભારતની અંતરિક્ષ સિદ્ધિઓ આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જેમાં 1963માં એક નાનું રોકેટ લોન્ચ કરવાથી લઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરનાર પ્રથમ દેશ બનવા સુધી સામેલ છે. ભારતીય રોકેટ પેલોડ કરતાં ઘણું વધારે વહન કરે છે - તેઓ 1.4 અબજ ભારતીયોના સપના વહન કરે છે, તેમણે ઉમેર્યું કે ભારતની અવકાશ પ્રગતિ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સીમાચિહ્નો છે અને તે સાબિત કરે છે કે, માનવ ભાવના ગુરુત્વાકર્ષણને પડકારી શકે છે. તેમણે 2014માં પ્રથમ પ્રયાસમાં મંગળ પર પહોંચવાની ભારતની ઐતિહાસિક સિદ્ધિને યાદ કરી હતી. તેમણે ચંદ્રયાન-1 એ ચંદ્ર પર પાણીની શોધમાં મદદ કરી હતી. ચંદ્રયાન-2 એ ચંદ્રની સપાટીની સૌથી વધુ રિઝોલ્યુશન ઇમેજ પ્રદાન કરી હતી અને ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની સમજને વધુ વધાર્યું હતું તે વાત પર પ્રકાશ પાડ્યો હતો. ભારતે રેકોર્ડ સમયમાં ક્રાયોજેનિક એન્જિન વિકસાવ્યું, એક જ મિશનમાં 100 ઉપગ્રહો લોન્ચ કર્યા અને ભારતીય પ્રક્ષેપણ વાહનોનો ઉપયોગ કરીને 34 દેશો માટે 400 થી વધુ ઉપગ્રહો સફળતાપૂર્વક તૈનાત કર્યા, તેમણે ભારતની નવીનતમ સિદ્ધિ - આ વર્ષે અવકાશમાં બે ઉપગ્રહોના ડોકીંગ - ને અવકાશ સંશોધનમાં એક મુખ્ય પગલું ગણાવતા કહ્યું હતું.

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

April 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.

હિમાચલ પ્રદેશના લેપ્ચામાં સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

November 12th, 03:00 pm

મા ભારતના જયઘોષનો આ પડઘો, ભારતીય સેનાઓ અને સુરક્ષા બળોનાં પરાક્રમનો આ ઉદ્‌ઘોષ, આ ઐતિહાસિક ધરતી, અને દિવાળીનો આ પવિત્ર તહેવાર. આ એક અદ્‌ભૂત સંયોગ છે, આ એક અદ્‌ભૂત મેળાપ છે. સંતોષ અને આનંદથી ભરી દેનારી આ ક્ષણ મારા માટે પણ, તમારા માટે પણ અને દેશવાસીઓ માટે પણ દિવાળીમાં નવો પ્રકાશ લાવશે, એવો મને વિશ્વાસ છે. હું આપ સૌને, તમામ દેશવાસીઓને સીમા પરથી, છેવટનાં ગામેથી, જેને હવે હું પહેલું ગામ કહું છું, ત્યાં તહેનાત આપણા સુરક્ષા દળના સાથીઓ સાથે જ્યારે દિવાળી મનાવી રહ્યો છું, ત્યારે સૌ દેશવાસીઓને દિવાળીની આ શુભકામના પણ બહુ ખાસ બને જાય છે. દેશવાસીઓને મારા ખૂબ-ખૂબ અભિનંદન, દિવાળીની શુભકામનાઓ.

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના લેપ્ચામાં બહાદુર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી

November 12th, 02:31 pm

જવાનોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારનું વિલિનીકરણ અને જવાનોનાં સાહસનાં સમન્વયનાં પડઘા દેશનાં દરેક નાગરિક માટે જ્ઞાનપ્રાપ્તિની ક્ષણ છે. તેમણે ભારતના સરહદી વિસ્તારોના જવાનોની સાથે દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી, જે દેશનું છેલ્લું ગામ છે, જેને હવે પ્રથમ ગામ માનવામાં આવે છે.

Chandrayaan Mission and PM Modi’s Penchant Towards Space Tech

September 03rd, 02:25 pm

Prime Minister Narendra Modi always had a keen interest in technology and an inclination towards space-tech long before he became the PM. In 2006, when Shri Modi was the Chief Minister of Gujarat, he accompanied the then President APJ Abdul Kalam to the Space Applications Centre (SAC), ISRO, Ahmedabad.

બેંગલુરુમાં ઇસરોનાં કેન્દ્રમાંથી પરત ફર્યા બાદ દિલ્હીમાં જનમેદનીને પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

August 26th, 01:18 pm

આજે સવારે હું બેંગલુરુમાં હતો, ખૂબ જ વહેલી સવારે પહોંચ્યો હતો અને નક્કી કર્યું હતું કે ભારત જઈને દેશને આટલી મોટી સિદ્ધિ અપાવનારા વૈજ્ઞાનિકોનાં દર્શન કરું અને અને તેથી હું વહેલી સવારે ત્યાં ગયો. પરંતુ જે રીતે જનતા જનાર્દને સવારથી જ સૂર્યોદય થાય એ પહેલાં જ હાથમાં ત્રિરંગો લઈને ચંદ્રયાનની સફળતાની જે રીતે ઉજવણી કરી ખૂબ જ પ્રેરણાદાયક હતું અને હવે સખત તાપમાં સૂર્ય બરાબર તપી રહ્યો છે અને આ મહિનાનો તાપ તો સૂર્ય ચામડીને પણ ચીરી નાખે છે. આટલા સખત તાપમાં આપ સૌનું અહીં આવવું અને ચંદ્રયાનની સફળતાની ઉજવણી કરવી અને મને પણ આ ઉજવણીનો ભાગ બનવાનું સૌભાગ્ય મળે, એ પણ મારું સૌભાગ્ય છે. અને તે માટે હું આપ સૌને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીનું દિલ્હીમાં આગમન પર ભવ્ય નાગરિક સ્વાગત કરવામાં આવ્યું

August 26th, 12:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું દિલ્હીમાં તેમનાં આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 મૂન લેન્ડરનાં સફળ ઉતરાણ પછી ઈસરોની ટીમ સાથે વાતચીત કર્યા બાદ પ્રધાનમંત્રી આજે બેંગલુરુથી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના 4 દિવસના પ્રવાસ બાદ સીધા બેંગલુરુ ગયા હતા. શ્રી જે. પી. નડ્ડાએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું અને તેમની સફળ મુલાકાતની સિદ્ધિઓ અને ભારતીય વૈજ્ઞાનિકોની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ તેમનું અભિવાદન કર્યું હતું.

ચંદ્રયાન-3 અભિયાનની સફળતા માટે ટીમ ઇસરોને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 26th, 08:15 am

આપ સૌની સમક્ષ આવીને આજે એક અલગ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. કદાચ આ પ્રકારની ખુશી અત્યંત વિરલ પ્રસંગે જ થતી હોય છે. જ્યારે તન અને મન ખુશીઓથી ભરાઈ ગયું હોય અને વ્યક્તિના જીવનમાં ઘણી વાર એવા પ્રસંગ બનતા હોય છે કે તેની ઉપર આતુરતા છવાઈ જતી હોય છે. આ વખતે મારી સાથે પણ આમ જ બન્યું હતું. એટલી બધી આતુરતા. હું સાઉથ આફ્રિકામાં હતો તેમ છતાં પછી ગ્રીસનો કાર્યક્રમ હતો તો ત્યાં ચાલ્યો ગયો પરંતુ મારું મન સતત આપની સાથે જ લાગેલું રહ્યું હતું. પરંતુ ક્યારેક કયારેક લાગે છે કે હું આપ સૌની સાથે અન્યાય કરી દઉં છું. આતુરતા મારી અને મુશ્કેલી આપની. આટલા વહેલા આપ તમામને અને આટલો સમય પણ મન કહી રહ્યું હતું કે ત્યાં જાઉં અને આપને નમન કરું. આપને તકલીફ પડી હશે પરંતુ હું ભારતમાં આવતાની સાથે જ વહેલી તકે આપના દર્શન કરવા માગતો હતો. આપ સૌને સલામ કરવા માગતો હતો. સલામ આપના પરિશ્રમને, સલામ આપની ધીરજશક્તિને, સલામ આપની ધગશને, સલામ આપની જીવંતતાને, સલામ આપના ઉત્સાહ અને જુસ્સાને. આપ દેશને જે ઉંચાઈ પર લઈ ગયા છો તે કોઈ અસાધારણ સફળતા નથી. આ અનંત અંતરિક્ષમાં ભારતના વૌજ્ઞાનિક સામર્થ્યનો શંખનાદ છે.

પ્રધાનમંત્રીએ ચંદ્રાયાન-3ની સફળતા પર ટીમ ISROને સંબોધન કર્યું

August 26th, 07:49 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસથી પરત ફર્યા પછી બેંગાલુરુમાં ISRO ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)ની મુલાકાત લીધી હતી અને ચંદ્રાયાન-3ની સફળતા પર ટીમ ISROને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી ચંદ્રાયાન-3 અભિયાનમાં સંકળાયેલા ISROના વૈજ્ઞાનિકોને મળ્યાં હતાં અને તેમની સાથે સંવાદ કર્યો હતો. અહીં તેમણે ચંદ્રાયાન-3 અભિયાનમાં થઈ રહેલી પ્રગતિ અને પ્રાપ્ત સંશોધનાત્મક તારણો વિશે ટૂંકમાં જાણકારી પણ મેળવી હતી.

પ્રધાનમંત્રીએ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં ભાગ લેનારી તમામ મહાન હસ્તીઓને સ્મરણાંજલી અર્પણ કરી

March 12th, 03:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, ચળવળો, વિદ્રોહ અને સ્વતંત્રતાની ચળવળના સંગ્રામને સ્મરણાંજલી અર્પણ કરી હતી. તેમણે ખાસ કરીને, એવી ચળવળો, સંઘર્ષો અને હસ્તીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી જેમણે ભારતની સ્વતંત્રતાના સંઘર્ષની ગાથામાં પૂરતું સન્માન અને સ્વીકૃતિ પ્રાપ્ત થયા નથી. આજે, અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ (India@75)ના શુભારંભ બાદ તેમણે સંબોધન આપ્યું ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા.

'આઝાદીના અમૃત મહોત્સવ' ના શુભારંભની પ્રવૃત્તિઓના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 12th, 10:31 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

છેલ્લાં છ વર્ષમાં ઇતિહાસમાં વિસરાઈ ગયેલા નાયકોની ગાથાને જાળવવા માટે સતત પ્રયાસ થયા છેઃ પ્રધાનમંત્રી

March 12th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

India has a rich legacy in science, technology and innovation: PM Modi

December 22nd, 04:31 pm

Prime Minister Narendra Modi delivered the inaugural address at India International Science Festival (IISF) 2020. PM Modi said, All our efforts are aimed at making India the most trustworthy centre for scientific learning. At the same time, we want our scientific community to share and grow with the best of global talent.

PM delivers inaugural address at IISF 2020

December 22nd, 04:27 pm

Prime Minister Narendra Modi delivered the inaugural address at India International Science Festival (IISF) 2020. PM Modi said, All our efforts are aimed at making India the most trustworthy centre for scientific learning. At the same time, we want our scientific community to share and grow with the best of global talent.

Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament

January 31st, 01:59 pm

In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.

વાંચો, પ્રધાનમંત્રી મોદીએ ચંદ્રયાન અને સખત મહેનતુ ઈસરોના વૈજ્ઞાનિકો વિષે શું કહ્યું...

January 24th, 11:00 am

‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતુ કે ચંદ્રયાનનું ઉતરાણ એ જીવનમાં નિષ્ફળતાઓમાંથી ઉપર ઉઠવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. “ચંદ્રયાન ઉતરાણ વખતે મારી ઈસરોની મુલાકાત અને આપણા સખત મહેનતુ વૈજ્ઞાનિકો સાથે મેં ગાળેલા સમયને હું ક્યારેય નહીં ભૂલી શકું.”