પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રીની મુલાકાતથી બંને દેશો વચ્ચે નવી ભાગીદારી માટે મજબૂત પાયો નાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
March 03rd, 10:16 pm
પ્રધાનમંત્રીએ કહ્યું કે કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીની ભારત મુલાકાતે બંને દેશો વચ્ચે નવી ભાગીદારીનો મજબૂત પાયો નાખ્યો છે.ભારત-કેનેડા નેતાઓનું સંયુક્ત નિવેદન
March 02nd, 05:05 pm
ભારતના પ્રધાનમંત્રી મહામહિમ નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, કેનેડાના પ્રધાનમંત્રી ધ રાઈટ ઓનરેબલ માર્ક કાર્નીએ ફેબ્રુઆરી 27 – માર્ચ 2, 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. કેનેડાના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા પછી પ્રધાનમંત્રી કાર્નીની આ પ્રથમ ભારત મુલાકાત હતી અને 2018 પછી કેનેડાના પ્રધાનમંત્રી દ્વારા ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. પ્રધાનમંત્રી કાર્નીની સાથે કેનેડાનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું જેમાં વરિષ્ઠ મંત્રીઓ, પ્રાંતીય નેતાઓ અને અગ્રણી CEOs સામેલ હતા.કેનેડાના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત: મુલાકાતના પરિણામોની યાદી
March 02nd, 05:04 pm
કેનેડાના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત: મુલાકાતના પરિણામોની યાદીભારત-કેનેડા CEO ફોરમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 02nd, 02:30 pm
ધ રાઈટ ઓનરેબલ પ્રધાનમંત્રી માર્ક કાર્ની, બંને દેશોના બિઝનેસ લીડર્સ, દેવીઓ અને સજ્જનો, નમસ્કાર!કેનેડાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
March 02nd, 11:40 am
ગયા વર્ષે કેનેડામાં યોજાયેલી G7 બેઠકમાં તેમણે મારું અને મારા પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આજે પણ એટલી જ ઉષ્માભરી રીતે તેમનું સ્વાગત કરવું એ એક લહાવો છે. દુનિયામાં બહુ ઓછા લોકો છે જેમના સીવીમાં બે દેશોમાં કેન્દ્રીય બેંકિંગ નેતૃત્વનો સમાવેશ થાય છે.કેનેડાના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત
February 26th, 10:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, કેનેડાના પ્રધાનમંત્રી, ધ રાઈટ ઓનરેબલ માર્ક કાર્ની, 27 ફેબ્રુઆરી થી 2 માર્ચ, 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી કાર્નીની આ પ્રથમ સત્તાવાર ભારત મુલાકાત હશે.AI સફળતાઓથી લઈને T20 વર્લ્ડ કપ સુધી, PM મોદીએ મન કી બાતમાં ભારતનો ઉદય દર્શાવ્યો.
February 22nd, 11:30 am
આ મહિનાના મન કી બાતમાં, પીએમ મોદીએ દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પોતાના અનુભવો વિશે વાત કરી. તેમણે ભારતીય મૂળના ક્રિકેટરો, અંગદાન, નદી ઉત્સવો, ડિજિટલ સલામતી, પરીક્ષા પે ચર્ચા અને અન્ય ઘણા મહત્વપૂર્ણ વિષયો પર વાત કરી. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે 23 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં 'રાજાજી ઉત્સવ' ઉજવવામાં આવશે. પીએમએ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાજીને પણ શ્રદ્ધાંજલિ આપી, નારી શક્તિ સાથેના તેમના ઊંડા જોડાણનો ઉલ્લેખ કર્યો.પ્રધાનમંત્રીએ કેનેડામાં ગોળીબારની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
February 11th, 03:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેનેડામાં ગોળીબારની એક ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારત આ ગહન દુઃખની ક્ષણમાં કેનેડાના લોકો સાથે એકતામાં ઊભું છે.જોહાનિસબર્ગમાં G20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી કેનેડિયન પ્રધાનમંત્રીને મળ્યા
November 23rd, 09:41 pm
નેતાઓએ ઓસ્ટ્રેલિયા-કેનેડા-ભારત ટેકનોલોજી અને નવીનતા (ACITI) ભાગીદારી અપનાવવાનું સ્વાગત કર્યું, જે મહત્વપૂર્ણ ટેકનોલોજી, પરમાણુ ઉર્જા, સપ્લાય ચેઇન વૈવિધ્યકરણ અને AIમાં ત્રિ-માર્ગીય સહયોગને પ્રોત્સાહન આપશે. તેમણે જૂન 2025માં G7 સમિટ અંતર્ગત કનાનાસ્કિસમાં તેમની મુલાકાત અને ઓક્ટોબર 2025માં વિદેશ પ્રધાનો દ્વારા દ્વિપક્ષીય જોડાણ માટે એક નવો રોડમેપ લોન્ચ કર્યા પછી સંબંધોમાં નવી ગતિની પ્રશંસા કરી. બંને પ્રધાનમંત્રીએ વેપાર અને રોકાણ, સંરક્ષણ, શિક્ષણ, અવકાશ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઊર્જામાં સહયોગની ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ કાર્નેએ ફેબ્રુઆરી 2026માં ભારત દ્વારા આયોજિત થનારા AI સમિટ માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.Joint statement by the Government of India, the Government of Australia and the Government of Canada
November 22nd, 09:21 pm
India, Australia, and Canada have agreed to enter into a new trilateral partnership: the Australia-Canada-India Technology and Innovation (ACITI) Partnership. The three sides agreed to strengthen their ambition in cooperation on critical and emerging technologies. The Partnership will also examine the development and mass adoption of artificial intelligence to improve citizens' lives.કેનેડાના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
October 13th, 02:42 pm
કેનેડાના વિદેશ મંત્રી મહામહિમ સુશ્રી અનિતા આનંદે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રી 8 ઓક્ટોબરે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના 9માં સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે
October 07th, 10:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 9:45 વાગ્યે નવી દિલ્હી સ્થિત યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેલિકોમ્યુનિકેશન, મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025ના 9મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે.‘વોકલ ફોર લોકલ’ મન કી વાતમાં, પીએમ મોદીએ સ્વદેશી ગૌરવ સાથે તહેવારો ઉજવવા વિનંતી કરી
August 31st, 11:30 am
આ મહિનાના મન કી બાત સંબોધનમાં, વડાપ્રધાન મોદીએ પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મદદ કરનારા સુરક્ષા દળો અને નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં રમતગમતના કાર્યક્રમો, સૌર ઉર્જા, 'ઓપરેશન પોલો' અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ નાગરિકોને તહેવારોની મોસમ દરમિયાન મેડ-ઇન-ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવા અને સ્વચ્છતા જાળવવાના મહત્વ વિશે વધુ યાદ અપાવ્યું.બિહારના સિવાનમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
June 20th, 01:00 pm
હું દરેકને નમન કરું છું. બાબા મહેન્દ્ર નાથ, બાબા હંસનાથ, સોહાગરા ધામ, મા થાવે ભવાની, મા અંબિકા ભવાની, પ્રથમ રાષ્ટ્રપતિ દેશ રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને લોકનાયક જયપ્રકાશ નારાયણની પવિત્ર ભૂમિ પર હું સૌને વંદન કરું છું!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના સિવાનમાં 5,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
June 20th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના સિવાનમાં 5,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવતા, પ્રધાનમંત્રીએ બાબા મહેન્દ્ર નાથ અને બાબા હંસ નાથને શ્રદ્ધાંજલિ આપી અને સોહગરા ધામની પવિત્ર ઉપસ્થિતિનું આહ્વાન કર્યું હતું. તેમણે મા થાવે ભવાની અને મા અંબિકા ભવાનીને પણ વંદન કર્યા હતા. પ્રધાનમંત્રીએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ, દેશ રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને લોકનાયક જયપ્રકાશ નારાયણની સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપી હતી.G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ સાથે વાતચીત કરી
June 18th, 05:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસ ખાતે G7 સમિટ દરમિયાન યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ શ્રી એન્ટોનિયો કોસ્ટા સાથે અર્થપૂર્ણ વાતચીત કરી હતી.G-7 સમિટની સાથે પ્રધાનમંત્રી કોરિયાના રાષ્ટ્રપતિને મળ્યા
June 18th, 03:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસમાં 51માં G7 સમિટની સાથે કોરિયાના રાષ્ટ્રપતિ શ્રી લી જે-મ્યુંગને મળ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને કોરિયા વાણિજ્ય, રોકાણ, ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન, શિપબિલ્ડિંગ વગેરે ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા માંગે છે.પ્રધાનમંત્રીએ G7 સમિટમાં દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિઓ સાથે વાતચીત કરી
June 18th, 03:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસ ખાતે G7 સમિટમાં દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી સિરિલ રામાફોસા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે નોંધપાત્ર અને હૃદયસ્પર્શી વાતચીત કરી હતી. તેમણે ગ્લોબલ સાઉથના હેતુને આગળ વધારવા માટે ભારતની અટલ પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ આપી.G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે વાતચીત કરી
June 18th, 03:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસ ખાતે G7 સમિટ દરમિયાન યુરોપિયન કમિશનના પ્રમુખ, શ્રીમતી ઉર્સુલા વોન ડેર લેયન સાથે ફળદાયી ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીએ G7 સમિટમાં જાપાનના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી
June 18th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસ ખાતે 51મી G7 સમિટમાં જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શિગેરુ ઇશિબા સાથે ગહન ચર્ચા-વિચારણા કરી હતી. નેતાઓએ ખાતરી આપી કે ભારત અને જાપાન વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.