કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2A (કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોર)ને મંજૂરી આપી

June 10th, 01:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A) ને મંજૂરી આપી દીધી છે, જે 05 સ્ટેશનો (04 એલિવેટેડ અને 01 અંડરગ્રાઉન્ડ) સાથે 6.032 કિમીની લંબાઈનો કોરિડોર ધરાવે છે. ફેઝ 2(A) કાર્યરત થતાં, અમદાવાદ-ગાંધીનગર પાસે 77.63 કિમીનું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. ફેઝ 2(A) કોરિડોરમાં સ્ટેશનોના નામ - આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ છે.

કેબિનેટે અમરાવતી, આંધ્રપ્રદેશના નવા પાટનગર ખાતે જનરલ પૂલ રેસિડેન્શિયલ એકમોડેશન (GPRA)ના નિર્માણને મંજૂરી આપી

June 10th, 01:57 pm

આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય કેન્દ્રીય કર્મચારીઓને પર્યાપ્ત રહેણાંક આવાસ પ્રદાન કરીને તેમના પરનો આર્થિક બોજ ઓછો કરવાનો છે, જેથી તેમનું મનોબળ વધે, અખંડિતતાને પ્રોત્સાહન મળે અને તેમના એકંદર કલ્યાણમાં યોગદાન મળે. વધુમાં, કર્મચારીઓને તેમના કાર્યસ્થળોની નજીક રહેવા માટે સક્ષમ બનાવીને, આ પ્રોજેક્ટ કાર્યક્ષમ સરકારી કામગીરીને ટેકો આપશે અને સુનિશ્ચિત કરશે કે કર્મચારીઓ તેમની સત્તાવાર ફરજો અસરકારક રીતે નિભાવવા માટે સરળતાથી ઉપલબ્ધ રહે.

કેન્દ્રીય મંત્રીમંડળે આંધ્રપ્રદેશના નવા પાટનગર અમરાવતી ખાતે નવા સેન્ટ્રલ ગવર્નમેન્ટ જનરલ પૂલ ઓફિસ એકોમોડેશનના નિર્માણને મંજૂરી આપી

June 10th, 01:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેન્દ્રીય મંત્રીમંડળ સમિતિએ આજે આંધ્રપ્રદેશના નવા પાટનગર અમરાવતી ખાતે સેન્ટ્રલ ગવર્નમેન્ટ જનરલ પૂલ ઓફિસ એકોમોડેશન (CGGPOA) ના નિર્માણને મંજૂરી આપી દીધી છે.

સતત કાર્યકાળના આધારે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ પસાર કર્યો

June 10th, 01:50 pm

કેન્દ્રિય મંત્રીમંડળે આજે ભારતીય લોકશાહીની યાત્રામાં 10 જૂન, 2026ના દિવસને એક ઐતિહાસિક સીમાચિહ્ન તરીકે અંકિત કરતો પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં શ્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબી મુદત સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ બિરદાવવામાં આવ્યા છે. એક ચૂંટાયેલા પીએમ તરીકે 4,399 દિવસની સતત સેવાનો રેકોર્ડ સ્થાપિત કરીને, તેમણે શ્રી જવાહરલાલ નેહરુ દ્વારા રાખવામાં આવેલા અગાઉના રેકોર્ડને વટાવી દીધો છે, જેમણે 1952 થી 1964 સુધી સતત 4,398 દિવસ સેવા આપી હતી. આ પ્રસ્તાવમાં જણાવાયું છે કે આ પ્રસંગ ભારતની લોકશાહી ચેતના, જનવિશ્વાસ અને જનભાગીદારીની શક્તિના પ્રતીક તરીકે ઊભો છે, જે 'રાષ્ટ્ર પ્રથમ’ ના સંકલ્પ દ્વારા માર્ગદર્શિત નેતા પર જનતા દ્વારા વરસાવવામાં આવેલા અભૂતપૂર્વ સમર્થનને પ્રતિબિંબિત કરે છે.

Cabinet approves road upgradation projects in Madhya Pradesh worth Rs. 4,415.60 Crore

June 03rd, 03:29 pm

The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved upgradation of Hiwarkhedi-Roshni-Ashapur-Rudhy Section of NH-347B and widening of Deshgaon-Julwaniya Section of NH-347B in Madhya Pradesh at a cost of Rs.4,415.60 Crore. The upgraded corridor will enhance multi-modal integration by connecting with 6 PM Gati-Shakti Economic Nodes, 5 social nodes and 5 Logistic Nodes, thereby facilitating faster movement of goods and passengers across the region.

કેબિનેટે તેલંગાણામાં 190.76 કિમીની કુલ પ્રોજેક્ટ લંબાઈ અને રૂ. 7,597.16 કરોડના ખર્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ (NH)-63 ના આર્મૂર-જગતિયાળ-મંચેરિયાળ સેક્શનને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર અને રાષ્ટ્રીય રાજમાર્ગ (NH)-563 ના જગતિયાળ-કરીમનગર સેક્શનને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (ટોલ) [BOT (Toll)] પર 4-લેન સ્ટાન્ડર્ડમાં પહોળા કરવાની મંજૂરી આપી

June 03rd, 03:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે તેલંગાણામાં હાલના રાષ્ટ્રીય રાજમાર્ગ-63 (NH-63) ના આર્મૂર-જગતિયાળ-મંચેરિયાળ સેક્શનને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર અને રાષ્ટ્રીય રાજમાર્ગ-563 (NH-563) ના જગતિયાળ-કરીમનગર સેક્શનને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (ટોલ) [BOT (Toll)] પદ્ધતિ પર ત્રણ કાર્યકારી પેકેજો હેઠળ 4-લેન સ્ટાન્ડર્ડમાં પહોળા કરવાની મંજૂરી આપી છે, જેની સંયુક્ત કુલ લંબાઈ 190.76 કિમી અને સંયુક્ત કુલ મૂડી ખર્ચ રૂ. 7,597.16 કરોડ છે.

કેબિનેટે બિહારમાં ₹3,936.05 કરોડના ખર્ચે BOT (ટોલ) મોડ હેઠળ NH-31 અને NH-231 ના ખગડિયા-પૂર્ણિયા સેક્શનને 4-લેન સ્ટાન્ડર્ડ (143.529 કિમી) માં અપગ્રેડ કરવાની મંજૂરી આપી

June 03rd, 03:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે બિહારમાં BOT (ટોલ) મોડ પર ₹3,936.05 કરોડના ખર્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ-31 (NH-31) અને રાષ્ટ્રીય રાજમાર્ગ-231 (NH-231) ના ખગડિયા-પૂર્ણિયા સેક્શનને 4-લેન સ્ટાન્ડર્ડ (143.529 કિમી) માં અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે.

દિલ્હી-એનસીઆર વિસ્તારમાં જૂની ટ્રકો અને બસોને બદલવા માટે એનસીઆરપીબી (NCRPB)ને સહાય પૂરી પાડવાની યોજનાને કેબિનેટે મંજૂરી આપી

June 03rd, 03:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા અને સ્વચ્છ પરિવહન (ક્લીનર મોબિલિટી)ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે એક ઐતિહાસિક બે વર્ષની યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) અંતર્ગત નેશનલ કેપિટલ રીજન પ્લાનિંગ બોર્ડ (NCRPB) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (MoPNG) દ્વારા તેનો અમલ કરવામાં આવશે. આ યોજના દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના સહભાગી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગથી લાગુ કરવામાં આવશે.

કેબિનેટે ATF કિંમત નિર્ધારણ માટે શિડ્યુલ્ડ ઇન્ડિયન એરલાઇન્સ માટે ભાવ સ્થિરીકરણ ભંડોળને મંજૂરી આપી

June 03rd, 03:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) માટે રૂ. 10,000 કરોડથી વધુ ન હોય તેવી એક વખતની અંદાજપત્રીય સહાયને મંજૂરી આપી છે, જેથી તેઓ શેડ્યૂલ ભારતીય એરલાઇન્સને તેમની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કામગીરી માટે એટીએફ (ATF) ભાવ સ્થિરીકરણ સહાય પૂરી પાડી શકે. આ અંદાજપત્રીય સહાય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની ગ્રાન્ટની માંગણીઓ દ્વારા OMCને વ્યાજમુક્ત એડવાન્સ (અગાઉથી અપાતી રકમ) ના સ્વરૂપમાં આપવામાં આવશે. પશ્ચિમ એશિયાની કટોકટીમાંથી ઉદ્ભવેલી ઇંધણના ભાવોની અસાધારણ અસ્થિરતાના વર્તમાન સમયગાળા દરમિયાન એરલાઇન્સ માટે સ્થિર ATF પ્રાઇસિંગની સુવિધા આપવા માટે OMCને આ સહાય પૂરી પાડવામાં આવશે.

Cabinet approves a highway construction project in Odisha worth Rs.8300.79 crore

June 03rd, 03:10 pm

Under PM Modi’s leadership, the Cabinet approved an ₹8,300 crore coastal highway project in Odisha connecting Rameshwar to Paradeep across 160 km. The project will boost connectivity, reduce travel time by nearly 2.5 hours, strengthen logistics under PM GatiShakti and promote regional economic growth while lowering fuel consumption and carbon emissions.

કેબિનેટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ ખાનગી ભાગીદારને સામેલ કરી લાંબા ગાળાના લાયસન્સ દ્વારા નાગપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના અપગ્રેડેશન અને આધુનિકીકરણને મંજૂરી આપી

May 13th, 03:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા MIL (MIHAN ઈન્ડિયા લિમિટેડ) ને લીઝ પર આપવામાં આવેલી જમીનના લીઝ સમયગાળાને 06.08.2039 પછી લંબાવવાની મંજૂરી આપી છે, જેથી MIL નાગપુર એરપોર્ટને કન્સેશનિયર, એટલે કે GMR નાગપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (GNIAL) ને કોમર્શિયલ ઓપરેશન ડેટ (COD) થી 30 વર્ષ માટે લાયસન્સ આપી શકે.

કેબિનેટે ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાને આવરી લેતા એક નવા પ્રોજેક્ટને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 134 કિમીનો વધારો થશે

May 13th, 03:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ​​રેલવે મંત્રાલયના અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને આશરે રૂ. 20,667 કરોડના કુલ ખર્ચ સાથે મંજૂરી આપી છે. તે ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ પ્રોજેક્ટ હશે, જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી સાથે આયોજિત કરવામાં આવ્યો છે.

કેબિનેટે રૂ. 37,500 કરોડના નાણાકીય ખર્ચ સાથે સરફેસ કોલ/લિગ્નાઈટ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સના પ્રમોશન માટેની યોજનાને મંજૂરી આપી

May 13th, 03:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે રૂ. 37,500 કરોડના નાણાકીય ખર્ચ સાથે 'સરફેસ કોલ/લિગ્નાઈટ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સના પ્રમોશન માટેની યોજના' ને મંજૂરી આપી છે.

કેબિનેટે માર્કેટિંગ સીઝન 2026-27 માટે ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ને મંજૂરી આપી

May 13th, 03:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ માર્કેટિંગ સીઝન 2026-27 માટે 14 ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં વધારાને મંજૂરી આપી છે.

કેબિનેટે ભારતના સર્વોચ્ચ ન્યાયાલય (સુપ્રીમ કોર્ટ) ના ન્યાયાધીશોની સંખ્યા 33 થી વધારીને 37 કરવાની મંજૂરી આપી

May 05th, 07:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા વર્તમાન 33 થી 4 વધારીને 37 (ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય) કરવા માટે 'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) એક્ટ, 1956' માં સુધારો કરવા માટે સંસદમાં 'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) અમેન્ડમેન્ટ બિલ, 2026' રજૂ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.

કેબિનેટે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યોના 19 જિલ્લાઓને આવરી લેતા ત્રણ મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી; ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 901 કિલોમીટરનો વધારો થશે

May 05th, 07:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના અંદાજે ₹23,437 કરોડના કુલ ખર્ચ ધરાવતા 03 (ત્રણ) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:

કેબિનેટે ₹3,900 કરોડથી વધુના સંચિત રોકાણ સાથે વધુ 2 સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોને મંજૂરી આપી

May 05th, 06:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ વધુ 2 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેમાં જીએએન (ગેલિયમ નાઇટ્રાઇડ - GaN) ટેકનોલોજી પર આધારિત દેશની પ્રથમ કોમર્શિયલ મિની/માઇક્રો-એલઇડી (Mini/Micro-LED) ડિસ્પ્લે સુવિધા અને એક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધાનો સમાવેશ થાય છે.

કેબિનેટે ગુજરાતના વાડીનાર ખાતે શિપ રિપેર ફેસિલીટી (જહાજ સમારકામ સુવિધા)ને મંજૂરી આપી

May 05th, 06:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ગુજરાતના વાડીનાર ખાતે અત્યાધુનિક શિપ રિપેર ફેસિલીટી (જહાજ સમારકામ સુવિધા) ના વિકાસને મંજૂરી આપી છે, જે રાષ્ટ્રીય શિપ રિપેર ઇકોસિસ્ટમનો એક મોટો વિસ્તાર દર્શાવે છે. આ પ્રોજેક્ટ દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) અને કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા ₹1,570 કરોડના સંયુક્ત રોકાણ સાથે સંયુક્ત રીતે લાગુ કરવામાં આવશે.

Cabinet approves Emergency Credit Line Guarantee Scheme 5.0

May 05th, 06:48 pm

The Union Cabinet chaired by PM Modi has approved Emergency Credit Line Guarantee Scheme (ECLGS) 5.0. The scheme aims to enable businesses to tide over the challenges arising from the West Asia conflict and will help businesses maintain their operations, protect jobs and sustain supply chains. It will also promote uninterrupted domestic production and maintain the resilience of the ecosystem.

કેબિનેટે સુગર સીઝન 2026-27 માટે શેરડીના ખેડૂતો માટે ₹365/ક્વિન્ટલના વાજબી અને લાભદાયી ભાવ (FRP)ને મંજૂરી આપી

May 05th, 06:43 pm

શેરડીના ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ સુગર સીઝન 2026-27 (ઓક્ટોબર - સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને લાભદાયી ભાવ (FRP) ને 10.25% ના બેઝિક રિકવરી રેટ માટે ₹365/ક્વિન્ટલ નક્કી કરવાની મંજૂરી આપી છે. આ અંતર્ગત, 10.25% થી વધુ રિકવરીમાં પ્રત્યેક 0.1% ના વધારા માટે ₹3.56/ક્વિન્ટલનું પ્રીમિયમ આપવામાં આવશે અને રિકવરીમાં પ્રત્યેક 0.1% ના ઘટાડા માટે એફઆરપી (FRP) માં ₹3.56/ક્વિન્ટલનો ઘટાડો કરવામાં આવશે.