પ્રધાનમંત્રીએ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત 'રાજાજી ઉત્સવ'ની પ્રશંસા કરી, જે શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારીજીને સન્માનિત કરે છે અને જે આપણા ભાગ્યને ઘડનારાઓને સન્માનિત કરવાના અને સંસ્થાનવાદી માનસિકતાના અવશેષોને છોડી દેવાના ભારતના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે
February 23rd, 05:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ પહેલને એક પ્રશંસનીય પ્રયાસ ગણાવ્યો જે રાષ્ટ્રના ભાગ્યને ઘડનારાઓને સન્માનિત કરવાના અને સંસ્થાનવાદી માનસિકતાના અવશેષોને છોડી દેવાના ભારતના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ કહ્યું કે રાજાજી એક પ્રખર વિદ્વાન, સ્વાતંત્ર્ય સેનાની, વિચારક અને વહીવટકર્તા હતા જેમનું જીવન અખંડિતતા, બુદ્ધિ અને રાષ્ટ્ર પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું મૂર્ત સ્વરૂપ હતું.AI સફળતાઓથી લઈને T20 વર્લ્ડ કપ સુધી, PM મોદીએ મન કી બાતમાં ભારતનો ઉદય દર્શાવ્યો.
February 22nd, 11:30 am
આ મહિનાના મન કી બાતમાં, પીએમ મોદીએ દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પોતાના અનુભવો વિશે વાત કરી. તેમણે ભારતીય મૂળના ક્રિકેટરો, અંગદાન, નદી ઉત્સવો, ડિજિટલ સલામતી, પરીક્ષા પે ચર્ચા અને અન્ય ઘણા મહત્વપૂર્ણ વિષયો પર વાત કરી. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે 23 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં 'રાજાજી ઉત્સવ' ઉજવવામાં આવશે. પીએમએ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાજીને પણ શ્રદ્ધાંજલિ આપી, નારી શક્તિ સાથેના તેમના ઊંડા જોડાણનો ઉલ્લેખ કર્યો.પ્રધાનમંત્રીએ શ્રી સી. રાજગોપાલાચારીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 10th, 09:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી સી. રાજગોપાલાચારીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમને સ્વતંત્રતા સેનાની, વિચારક, બૌદ્ધિક અને રાજનેતા તરીકે યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજાજી 20મી સદીના સૌથી તેજ મગજના લોકોમાંના એક હતા, જેઓ મૂલ્યોનું નિર્માણ કરવામાં અને માનવીય ગૌરવ જાળવી રાખવામાં માનતા હતા.પ્રધાનમંત્રી શ્રી સી. રાજગોપાલાચારીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા
December 10th, 04:18 pm
શ્રી સી. રાજગોપાલાચારીને આજે તેમની જન્મજયંતિ પર યાદ કરતાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ એક બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા હતા, તેમણે શાસન, સાહિત્ય અને સામાજિક સશક્તિકરણ પર મજબૂત અસર છોડી હતી.વારાણસીમાં કાશી તમિલ સંગમમના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
November 19th, 07:00 pm
કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, શ્રી એલ મુરુગનજી, પૂર્વ કેન્દ્રીય મંત્રી પૉન રાધાકૃષ્ણનજી, વિશ્વ વિખ્યાત સંગીતકાર અને રાજ્યસભાના સભ્ય ઇલૈઈરાજાજી, બીએચયુના વાઇસ ચાન્સલર સુધીર જૈન, આઇઆઇટી મદ્રાસના ડાયરેક્ટર પ્રોફેસર કામકોટ્ટીજી, અન્ય બધા મહાનુભવો, અને તમિલનાડુથી મારાં કાશીમાં પધારેલા તમામ મારા આદરણીય અતિથિઓ, દેવીઓ અને સજ્જનો,પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં 'કાશી તમિલ સંગમમ'નું ઉદઘાટન કર્યું
November 19th, 02:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં આયોજિત અને એક મહિના સુધી ચાલનારા કાર્યક્રમ 'કાશી તમિલ સંગમમ'નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ દેશની સૌથી મહત્ત્વપૂર્ણ અને પ્રાચીન વિદ્યાપીઠોમાંની બે તમિલનાડુ અને કાશી વચ્ચે સદીઓ જૂનાં જોડાણોની ઉજવણી કરવાનો, તેની પુષ્ટિ કરવાનો અને પુનઃશોધ કરવાનો છે. તમિલનાડુથી 2500થી વધુ પ્રતિનિધિઓ કાશીની મુલાકાત લેશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ એક પુસ્તક 'તિરુક્કુરલ'નું અને તેનો 13 ભાષાઓમાં અનુવાદ સાથે વિમોચન પણ કર્યું હતું. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ત્યારબાદ આરતી પણ નિહાળી હતી.પ્રધાનમંત્રીએ શ્રી સી. રાજગોપાલાચારીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 10th, 12:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સી. રાજગોપાલાચારીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.PM pays tribute to C Rajagopalachari on his birth anniversary
December 10th, 11:41 am