ભારત-નેધરલેન્ડ્સ વ્યૂહાત્મક ભાગીદારીનો રોડમેપ [2026-2030]
May 17th, 03:15 am
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી શ્રી રોબ જેટેન 16 મે 2026ના રોજ ધ હેગ ખાતે તેમની બેઠક દરમિયાન કેન્દ્રિત, સમયબદ્ધ પહેલો અને સંયુક્ત કાર્ય યોજનાઓનું પાલન કરીને ભારત-નેધરલેન્ડ્સ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવા માટે સંમત થયા હતા. આ હેતુ માટે, ભારત અને નેધરલેન્ડ્સે આગામી 5 વર્ષ (2026-2030) માટે ભારત-નેધરલેન્ડ્સ વ્યૂહાત્મક ભાગીદારીનો રોડમેપ અપનાવ્યો.ઑસ્ટ્રિયાના ચાન્સેલર સાથેના સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય
April 16th, 11:55 am
ચાર દાયકા પછી ઑસ્ટ્રિયન ચાન્સેલરની ભારત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે. 2026ના ઐતિહાસિક ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર પછી, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધોમાં એક નવો સુવર્ણ અધ્યાય શરૂ થયો છે. ચાન્સેલર સ્ટોકરની મુલાકાત સાથે, અમે ભારત-ઑસ્ટ્રિયા સંબંધોને પણ એક નવા યુગમાં લઈ જઈ રહ્યા છીએ.પહેલા મતદાનથી લઈને સ્ટાર્ટઅપ ઈન્ડિયા સુધી, પીએમ મોદીએ 'મન કી બાત'માં ભારતના યુવાનોની ઉજવણી કરી
January 25th, 11:30 am
આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ પર 'મન કી બાત'ના પહેલા એપિસોડમાં, પીએમ મોદીએ મતદાનના મહત્વ પર ભાર મૂક્યો અને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ તમામ લોકોની પ્રશંસા કરી. તેમણે સ્ટાર્ટઅપ્સ, જળ સંરક્ષણ, ગુણવત્તા, સંસ્કૃતિ અને તહેવારો તેમજ સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ આવતા મહિને યોજાનારી ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ વિશે પણ વાત કરી, જેમાં વિશ્વભરના નિષ્ણાતો ભાગ લેશે.પ્રધાનમંત્રી 23 જાન્યુઆરીએ કેરળની મુલાકાત લેશે
January 22nd, 02:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરી, 2026ના રોજ કેરળની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે.