ભોપાલમાં દેવી અહલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહાસંમેલનમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોન્ચ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 31st, 11:00 am

મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન યાદવજી, ટેકનોલોજી દ્વારા આપણી સાથે જોડાયેલા કેન્દ્રીય મંત્રીઓ, ઇન્દોરથી તોખન સાહુજી, દતિયાથી રામ મોહન નાયડુજી, સતનાથી મુરલીધર મોહોલજી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાજી, મંચ પર હાજર રાજેન્દ્ર શુક્લાજી, લોકસભામાં મારા સાથી વી.ડી. શર્માજી, અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં અહીં આવેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે મહિલા સશક્તીકરણ મહા સંમેલનને સંબોધિત કર્યું

May 31st, 10:27 am

લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહા સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે ભોપાલમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં બોલતા, તેમણે 'મા ભારતી'ને શ્રદ્ધાંજલિ આપી અને ભારતની મહિલાઓની શક્તિનો સ્વીકાર કર્યો. તેમણે આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા આવેલી બહેનો અને પુત્રીઓની મોટી ભીડનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમની હાજરીથી તેઓ સન્માનિત અનુભવે છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આજે લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી, 140 કરોડ ભારતીયો માટે પ્રેરણાનો પ્રસંગ છે અને રાષ્ટ્ર નિર્માણના ઉમદા પ્રયાસમાં યોગદાન આપવાની ક્ષણ છે. દેવી અહિલ્યાબાઈને ટાંકીને, તેમણે પુનરોચ્ચાર કર્યો કે સાચું શાસન એટલે લોકોની સેવા કરવી અને તેમના જીવનમાં સુધારો કરવો. તેમણે કહ્યું કે આજનો કાર્યક્રમ તેમના દ્રષ્ટિકોણનું પ્રતીક છે અને તેમના આદર્શોને આગળ ધપાવે છે. પ્રધાનમંત્રીએ ઇન્દોર મેટ્રોના શુભારંભ તેમજ દતિયા અને સતના સુધી હવાઈ જોડાણના વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાર મૂક્યો કે આ પ્રોજેક્ટ્સ મધ્યપ્રદેશમાં માળખાગત સુવિધામાં વધારો કરશે, વિકાસને વેગ આપશે અને રોજગારની નવી તકોનું સર્જન કરશે. તેમણે ઉપસ્થિત દરેકને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રી 31 મેના રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે

May 30th, 11:15 am

પ્રધાનમંત્રી લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહા સંમેલનમાં હાજરી આપશે. તેઓ લોકમાતા દેવી અહિલ્યાબાઈને સમર્પિત એક સ્મારક ટપાલ ટિકિટ અને એક ખાસ સિક્કો પણ બહાર પાડશે. 300 રૂપિયાના સિક્કામાં અહિલ્યાબાઈ હોલકરનું ચિત્ર હશે. પ્રધાનમંત્રી આદિવાસી, લોક અને પરંપરાગત કલામાં યોગદાન બદલ મહિલા કલાકારને રાષ્ટ્રીય દેવી અહિલ્યાબાઈ પુરસ્કાર પણ અર્પણ કરશે.

મધ્યપ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 24th, 10:35 am

સૌ પ્રથમ, હું અહીં આવવામાં મોડું થવા બદલ આપ સૌની માફી માંગુ છું. વિલંબ એટલા માટે થયો કારણ કે ગઈકાલે જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે મારા મનમાં એક વાત આવી કે આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા હતી અને તેમનો સમય અને રાજભવન છોડવાનો મારો સમય એકબીજા સાથે ટકરાઈ રહ્યો હતો. અને તેના કારણે, એવી શક્યતા હતી કે જો સુરક્ષા કારણોસર રસ્તાઓ બંધ કરવામાં આવે, તો બાળકોને પરીક્ષા આપવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અને આ મુશ્કેલી ટાળવા માટે, મેં વિચાર્યું કે બધા બાળકો તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા પછી જ હું રાજભવન છોડીશ. આ કારણે, હું 15-20 મિનિટ મોડો નીકળ્યો અને તેના કારણે આપ સૌને થયેલી અસુવિધા માટે, હું ફરી એકવાર માફી માંગુ છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કર્યું

February 24th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (જીઆઇએસ) 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આ કાર્યક્રમમાં પહોંચવામાં વિલંબ થવા બદલ માફી માંગી હતી, કારણ કે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાઓ હતી અને આ કાર્યક્રમમાં તેમના સુરક્ષાના પગલાંથી વિદ્યાર્થીઓને અસુવિધા થઈ શકે તેમ હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, રાજા ભોજની ભૂમિમાં રોકાણકારો અને વ્યાવસાયિક આગેવાનોનું સ્વાગત કરવું એ તેમના માટે ગર્વની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ વિકસિત મધ્યપ્રદેશ તરીકે મહત્ત્વપૂર્ણ છે. વિકસિત મધ્યપ્રદેશ વિકસિત ભારત તરફની યાત્રામાં જરૂરી છે. તેમણે શિખર સંમેલનનાં અદભૂત આયોજન માટે મધ્યપ્રદેશની સરકારને અભિનંદન આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ ભોપાલમાં આદરણીય શ્રી કુશાભાઉ ઠાકરેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

February 23rd, 10:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભોપાલમાં પૂજ્ય શ્રી કુશાભાઉ ઠાકરેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રી 23થી 25 ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે

February 22nd, 02:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10 વાગે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ બિહારનાં ભાગલપુરની મુલાકાત લેશે અને બપોરે 2:15 વાગ્યે તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો બહાર પાડશે તથા બિહારમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ પણ કરશે. ઉપરાંત તેઓ ગુવાહાટીનો પ્રવાસ કરશે અને સાંજે 6 વાગ્યે તેઓ ઝુમોઇર બિનાંદિની (મેગા ઝુમોઇર) 2025 કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી 25 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:45 વાગ્યે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કરશે.

AAP-da's sinking ship will drown in Yamuna Ji: PM Modi in Kartar Nagar, Delhi

January 29th, 01:16 pm

PM Modi today, addressed a massive crowd in Kartar Nagar, declared that Delhi had rejected excuses, fake promises, and deception. He asserted that the city demanded a double-engine BJP government focused on welfare and development, ensuring housing, modernization, piped water, and an end to the tanker mafia. Confident of victory, he proclaimed, On February 5th, AAP-da Jayegi, BJP Aayegi!”

PM Modi’s power-packed rally in Kartar Nagar ignites BJP’s campaign

January 29th, 01:15 pm

PM Modi today, addressed a massive crowd in Kartar Nagar, declared that Delhi had rejected excuses, fake promises, and deception. He asserted that the city demanded a double-engine BJP government focused on welfare and development, ensuring housing, modernization, piped water, and an end to the tanker mafia. Confident of victory, he proclaimed, On February 5th, AAP-da Jayegi, BJP Aayegi!”

પ્રધાનમંત્રી 29 ઓક્ટોબરનાં રોજ ધન્વન્તરિ જયંતિ અને 9માં આયુર્વેદ દિવસનાં પ્રસંગે રૂ. 12,850 કરોડથી વધારેનાં મૂલ્યનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ યોજનાઓનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

October 28th, 12:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબરનાં રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે નવી દિલ્હીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે 12,850 કરોડ રૂપિયાની કિંમતનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.

Festive mood in Bhopal as PM Modi holds a grand roadshow!

April 24th, 09:50 pm

Prime Minister Narendra Modi held a spectacular roadshow in Bhopal, Madhya Pradesh. Scores of people gathered to greet the PM and cheer for the Bharatiya Janata Party. People enthusiastically chanted 'Modi Modi,' 'Bharat Mata ki Jai' and 'Phir Ek Baar Modi Sarkar.' The atmosphere was electric as supporters showered flower petals, creating a vibrant display of affection and support as the PM's convoy made its way through the city.

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ સમારંભમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

October 02nd, 09:07 pm

મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી નરેન્દ્ર સિંહજી તોમર, વીરેન્દ્ર કુમારજી, જ્યોતિરાદિત્ય સિંધિયાજી, અન્ય તમામ ઉપસ્થિત મહાનુભાવો અને આટલી મોટી સંખ્યામાં અહીં પધાર્યા છે તેવા મારા પરિવારના તમામ સભ્યો, ગ્વાલિયરની આ ઐતિહાસિક ભૂમિને હું શત્ શત્ વંદન કરું છુ.

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આશરે રૂ. 19,260 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને અર્પણ કરી

October 02nd, 03:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ગ્વાલિયરમાં આશરે રૂ. 19,260 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે, પીએમએવાય હેઠળ નિર્મિત 2.2 લાખથી વધારે મકાનોનાં ગૃહ પ્રવેશ અને પીએમએવાય – અર્બન હેઠળ નિર્મિત મકાનોનું લોકાર્પણ, જલ જીવન મિશનનાં પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ, આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત 9 હેલ્થ સેન્ટર્સ, આઇઆઇટી ઇન્દોરનાં શૈક્ષણિક ભવનનું લોકાર્પણ અને કૅમ્પસમાં છાત્રાલય અને અન્ય ઇમારતો માટે ખાતમુહૂર્ત તથા ઇન્દોરમાં મલ્ટિ-મૉડલ લોજિસ્ટિક્સ પાર્કનું લોકાર્પણ સામેલ છે.

Congress party is being run by Urban Naxals: PM Modi at Karyakarta Mahakumbh in Bhopal

September 25th, 11:33 am

Addressing the large gathering in Madhya Pradesh’s Bhopal, Prime Minister Narendra Modi said, “Madhya Pradesh is an important centre not only of BJP's ideas but also of its vision of development. Therefore, today when the country has set out on a new development journey in the Amrit Kaal, the role of Madhya Pradesh has become even more important. Today investments are coming to India from all over the world and going to different states. This is the time to develop India and Madhya Pradesh.”

PM Modi addresses the Karyakarta Mahakumbh in Bhopal

September 25th, 11:32 am

Addressing the large gathering in Madhya Pradesh’s Bhopal, Prime Minister Narendra Modi said, “Madhya Pradesh is an important centre not only of BJP's ideas but also of its vision of development. Therefore, today when the country has set out on a new development journey in the Amrit Kaal, the role of Madhya Pradesh has become even more important. Today investments are coming to India from all over the world and going to different states. This is the time to develop India and Madhya Pradesh.”

મધ્યપ્રદેશના બીના ખાતે વિકાસ કાર્યોના શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

September 14th, 12:15 pm

બુંદેલખંડની આ ભૂમિ બહાદુરોની ભૂમિ છે, શૂરવીરોની ભૂમિ છે. આ જમીન બીના અને બેતવા બંનેના આશીર્વાદ ધરાવે છે. અને એક મહિનામાં બીજી વખત મને સાગરમાં આવવાનો અને તમારા બધાના દર્શનનો લ્હાવો મળ્યો છે. અને હું શિવરાજજીની સરકારને પણ અભિનંદન આપું છું અને આભાર માનું છું કે મને તમારા બધાની વચ્ચે જવાની અને તમારા બધાના દર્શન કરવાની તક આપવા માટે. છેલ્લી વાર હું સંત રવિદાસજીના તે ભવ્ય સ્મારકના ભૂમિપૂજન પ્રસંગે તમારી વચ્ચે આવ્યો હતો. આજે મને ઘણા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવાની તક મળી છે જે મધ્યપ્રદેશના વિકાસને નવી ગતિ આપશે. આ પ્રોજેક્ટ્સ આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને નવી ઊર્જા આપશે. કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ્સ પર 50 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે. શું તમે કલ્પના કરી શકો છો, પચાસ હજાર કરોડ શું છે? આપણા દેશના ઘણા રાજ્યોનું આખા વર્ષનું બજેટ એટલુ નથી જેટલું ભારત સરકાર આજે એક કાર્યક્રમ માટે ખર્ચે છે. આ દર્શાવે છે કે મધ્યપ્રદેશ માટે અમારા સંકલ્પો કેટલા મોટા છે. આ તમામ પ્રોજેક્ટ આવનારા સમયમાં મધ્યપ્રદેશના હજારો યુવાનોને રોજગાર આપશે. આ પ્રોજેક્ટ્સ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના સપના સાકાર કરવા જઈ રહ્યા છે. બીના રિફાઈનરીના વિસ્તરણ અને અનેક નવી સુવિધાઓનો શિલાન્યાસ કરવા બદલ હું મધ્યપ્રદેશના લાખો લોકોને અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

September 14th, 11:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ની બીના રિફાઇનરી ખાતે આશરે રૂ. 49,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સ; નર્મદાપુરમ જિલ્લામાં વીજળી અને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન ક્ષેત્ર; ઇન્દોરમાં બે આઇટી પાર્ક; રતલામમાં મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક; અને સમગ્ર મધ્ય પ્રદેશમાં છ નવા ઔદ્યોગિક પાર્ક્સનો સમાવેશ થાય છે.

મધ્યપ્રદેશ રોજગાર મેળા દરમિયાન પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

August 21st, 12:15 pm

આજે તમે બધા આ ઐતિહાસિક સમયગાળામાં શિક્ષણની મહત્વપૂર્ણ જવાબદારી સાથે તમારી જાતને જોડી રહ્યા છો. આ વખતે મેં લાલ કિલ્લા પરથી વિગતવાર વાત કરી છે કે દેશના વિકાસમાં રાષ્ટ્રીય પાત્ર કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતની ભાવિ પેઢીને ઘડવાની, તેમને આધુનિકતામાં ઘડવાની અને તેમને નવી દિશા આપવાની જવાબદારી તમારા બધાની છે. મધ્યપ્રદેશની પ્રાથમિક શાળાઓમાં નિમણૂક પામેલા સાડા પાંચ હજારથી વધુ શિક્ષક ભાઈઓ અને બહેનોને હું મારી શુભેચ્છા પાઠવું છું. મને કહેવામાં આવ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં એમપીમાં લગભગ 50 હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર પણ અભિનંદનને પાત્ર છે.

પ્રધાનમંત્રી શ્રીએ મધ્યપ્રદેશ રોજગાર મેળાને સંબોધન કર્યું

August 21st, 11:50 am

આ પ્રસંગે એકત્ર લોકોને સંબોધન કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જે લોકોને નિમણૂકપત્રો મળ્યાં છે તેઓ આ ઐતિહાસિક સમયગાળામાં શિક્ષણની મહત્વપૂર્ણ જવાબદારી અદા કરવા સામેલ થયા છે. લાલ કિલ્લા પરથી દેશનાં વિકાસમાં રાષ્ટ્રીય ચરિત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર વિગતવાર જાણકારી આપતાં પોતાનાં સંબોધન પર પ્રકાશ ફેંકીને પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, આજે જે તમામ લોકોને રોજગારીઓ મળી છે તેઓ ભારતની ભવિષ્યની પેઢીઓને ઘડવાની, તેમની માનસિકતાને આધુનિક બનાવવાની અને તેમને એક નવી દિશા આપવાની જવાબદારી ધરાવશે. તેમણે આ રોજગાર મેલા દરમિયાન આજે મધ્યપ્રદેશની પ્રાથમિક શાળાઓમાં નિમણૂક થયેલા 5,500થી વધારે શિક્ષકોને તેમની શ્રેષ્ઠ શુભેચ્છા આપી હતી. પ્રધાનમંત્રીએ એવી જાણકારી પણ આપી હતી કે, છેલ્લાં 3 વર્ષ દરમિયાન મધ્યપ્રદેશમાં આશરે 50,000 શિક્ષકોની ભરતી થઈ છે અને હું આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ બદલ રાજ્ય સરકારને અભિનંદન આપું છું.

પ્રધાનેમંત્રીએ પાંચ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી

June 27th, 10:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ખાતે પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પાંચ વંદે ભારત ટ્રેનો છે ભોપાલ (રાણી કમલાપતિ) - ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ; ભોપાલ (રાણી કમલાપતિ) - જબલપુર વંદે ભારત એક્સપ્રેસ; રાંચી - પટના વંદે ભારત એક્સપ્રેસ; ધારવાડ - બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ અને ગોવા (મડગાંવ) - મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ.