પ્રધાનમંત્રીએ અષાઢી એકાદશી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી
July 06th, 07:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષાઢી એકાદશી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી. શ્રી મોદીએ કહ્યું કે અમે ભગવાન વિઠ્ઠલને પ્રાર્થના કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તેમના આશીર્વાદ આપણા બધા પર રહે.