પ્રધાનમંત્રી 6 જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે

June 04th, 12:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. પ્રદેશમાં રેલ માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટીને વેગ આપવાની તેમની પ્રતિબદ્ધતા અનુસાર, પ્રધાનમંત્રી સવારે 11 વાગ્યે ચેનાબ પુલનું ઉદ્ઘાટન અને બ્રિજ ડેકની મુલાકાત લેશે. ત્યારબાદ, તેઓ અંજી પુલની મુલાકાત લેશે અને ઉદ્ઘાટન કરશે. તેઓ બપોરે 12 વાગ્યે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. ત્યારબાદ, તેઓ કટરા ખાતે રૂ. 46,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.

જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 13th, 12:30 pm

સૌ પ્રથમ, હું એવા શ્રમજીવી ભાઈઓનો આભાર માનું છું જેમણે દેશ અને જમ્મુ-કાશ્મીરની પ્રગતિ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં, પોતાના જીવને જોખમમાં મૂકીને પણ કામ કર્યું. આપણા સાત સાથી કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા, પણ અમે અમારા સંકલ્પથી ડગમગ્યા નહીં, મારા સાથી કાર્યકરો ડગમગ્યા નહીં, કોઈએ અમને ઘરે પાછા જવાનું કહ્યું નહીં, મારા આ સાથી શ્રમિકોએએ દરેક પડકારનો સામનો કરીને આ કાર્ય પૂર્ણ કર્યું છે. અને આજે, સૌ પ્રથમ, હું તે સાત કામદારોનું પૂણ્ય સ્મરણ કરું છું જેમને આપણે ગુમાવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું

January 13th, 12:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે જમ્મુ અને કાશ્મીર અને ભારતના વિકાસ માટે સખત મહેનત કરનારા અને પોતાના જીવનને દાવ પર લગાવનારા મજૂરોનો આભાર માન્યો. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે પડકારો છતાં, અમારો સંકલ્પ ડગમગ્યો નહીં. તેમણે કામ પૂર્ણ કરવા માટે તમામ અવરોધોનો સામનો કરવા બદલ અને તેમના સંકલ્પ અને પ્રતિબદ્ધતા બદલ શ્રમિકોની પ્રશંસા કરી. તેમણે 7 મજૂરોના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રી 6 જાન્યુઆરીએ બહુવિધ રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

January 05th, 06:28 pm

પ્રદેશમાં કનેક્ટિવિટીને વધુ પ્રોત્સાહન આપવાના મુખ્ય પગલામાં, પ્રધાનમંત્રી નવા જમ્મુ રેલ્વે વિભાગનું ઉદ્ઘાટન કરશે. સાથે તેલંગાણામાં ચારલાપલ્લી નવા ટર્મિનલ સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરશે અને પૂર્વ તટ રેલવેના રાયગડા રેલવે ડિવિઝન બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે.

‘મન કી બાત’ (102મો હપ્તો) પ્રસારણ તારીખ :18.06.2023

June 18th, 11:30 am

સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.

અફઘાનિસ્તાનના પ્રમુખ ડો. મોહમ્મદ અશરફ ગનીએ ઉરી આંતકી હુમલા પર ખેદ વ્યક્ત કરવા પ્રધાનમંત્રીને ફોન કર્યો

September 20th, 04:37 pm

President Ashraf Ghani of Afghanistan spoke on telephone today with Prime Minister Shri Narendra Modi to condole the terror attack in Uri, Jammu & Kashmir. President Ghani strongly condemned the cross-border terror attack and conveyed Afghanistan’s solidarity and support with India against all actions to eliminate the threat of terrorism.

પ્રધાનમંત્રીએ ઉરીમાં થયેલા આતંકી હુમલાને ભારપૂર્વક વખોડી કાઢ્યો

September 18th, 02:15 pm

Prime Minister Narendra Modi strongly condemned the terror attack in Uri, Jammu and Kashmir. The PM said, We strongly condemn the cowardly terror attack in Uri. : assure the nation that those behind this despicable attack will not go unpunished.