વારાણસી, ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 28th, 05:30 pm

સાથીઓ, આપણી કાશી માતા શ્રૃંગાર ગૌરી, માતા અન્નપૂર્ણા, માતા વિશાલાક્ષી, માતા સંકઠા અને મા ગંગા, જેવી દિવ્ય શક્તિઓની ભૂમિ છે. એવામાં આપ સૌ બહેનો-દીકરીઓના સંગમે, આ અવસરને ખૂબ દિવ્ય બનાવી દીધો છે. અમે કાશીની આ ભૂમિ પર, આપ સૌ માઈ-બહેનોને, કાશીની દીકરીઓને પ્રણામ કરીએ છીએ!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં મહિલા સંમેલનમાં ભાગ લીધો, આશરે ₹6,350 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

April 28th, 05:00 pm

આ અવસરના મહત્વનું વર્ણન કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે કાશી એ માતા શ્રૃંગાર ગૌરી, માતા અન્નપૂર્ણા, માતા વિશાલાક્ષી, માતા સંકઠા અને માતા ગંગા સહિતની દૈવી શક્તિઓની ભૂમિ છે. બહેનો અને દીકરીઓના વિશાળ મેળાવડાએ આ કાર્યક્રમને ખરેખર પવિત્ર બનાવી દીધો છે. શ્રી મોદીએ કહ્યું, કાશીની આ ધરતી પર, હું કાશીની તમામ માતાઓ, બહેનો અને દીકરીઓને નમન કરું છું.

પ્રધાનમંત્રી 28-29 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે

April 26th, 03:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28-29 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. 28મી એપ્રિલના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી મહિલા સંમેલનમાં ભાગ લેશે, જ્યાં તેઓ વારાણસીમાં આશરે ₹6,350 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે સભાને સંબોધન પણ કરશે.

વારાણસીમાં વિવિધ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ/ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 11th, 11:00 am

સ્ટેજ પર બેઠેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, ઉપસ્થિત મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ, બનાસ ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી અને મારા પરિવારના બધા સભ્યો, જેઓ આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું

April 11th, 10:49 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. જનમેદનીને સંબોધતા તેમણે કાશી સાથેના તેમના ઊંડા જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો. આ આશીર્વાદ માટે તેમના પરિવાર અને આ વિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમને આપવામાં આવેલા પ્રેમ અને સમર્થનનો સ્વીકાર કર્યો હતો. તેમણે આ પ્રેમ પ્રત્યે પોતાની ઋણીતા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, કાશી તેમની છે અને તેઓ કાશીનાં છે. આવતીકાલે હનુમાન જન્મોત્સવનો પાવન પર્વ છે તેની નોંધ લઈને શ્રી મોદીએ કાશીમાં સંકટ મોચન મહારાજના દર્શન કરવાની તક મળતાં તેમનું સન્માન વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હનુમાન જન્મોત્સવ અગાઉ કાશીનાં લોકો કેવી રીતે વિકાસનાં પર્વની ઉજવણી કરવા એકત્ર થયાં છે.

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કિસાન સન્માન સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 18th, 05:32 pm

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શિવરાજ સિંહ ચૌહાણ, ભાગીરથ ચૌધરીજી, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, વિધાન પરિષદના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જનતા પાર્ટી શ્રી ભૂપેન્દ્ર ચૌધરીજી, રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં આવેલા મારા ખેડૂત ભાઈઓ અને બહેનો, કાશીના મારા પરિવારના સભ્યો,

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં કિસાન સન્માન સંમેલનને સંબોધન કર્યું

June 18th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં ખેડૂત સન્માન સંમેલનને સંબોધન કર્યું હતું અને આશરે 9.26 કરોડ લાભાર્થી ખેડૂતોને રૂ. 20,000 કરોડથી વધારે રકમનાં પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ મારફતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન)નો 17મો હપ્તો જાહેર કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે સ્વસહાય જૂથ (એસએચજી)ની 30,000થી વધુ મહિલાઓને કૃષિ સખીસ તરીકે પ્રમાણપત્રો પણ એનાયત કર્યા હતા. દેશભરના ખેડૂતોને ટેકનોલોજીના માધ્યમથી આ કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ વારાણસીમાં મતદાતાઓને સંબોધિત કર્યા

May 30th, 02:32 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીના મતદાતાઓ સાથે વીડિયો સંદેશ દ્વારા સંવાદ કર્યો.તેમણે કહયું કે આ શહેરનું પ્રતિનિધિત્વ બાબા વિશ્વનાથની અપાર કૃપા અને કાશીના લોકોના આશીર્વાદથી જ શક્ય છે. નવી કાશીની સાથે નવા અને વિકસિત ભારતનું નિર્માણ કરવાની તક તરીકે આ ચૂંટણીનો ઉલ્લેખ કરતાં, વડાપ્રધાને કાશીના રહેવાસીઓને, ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને 1 જૂને રેકોર્ડ સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરી.

ઘરની જેમ જ એક દેશ પણ મહિલાઓ વગર ન ચાલી શકે: યૂપીના વારાણસીમાં પીએમ મોદી

May 21st, 06:00 pm

વારાણસીમાં મહિલા સંમેલનમાં હાર્દિક સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બનારસના લોકો પર પોતાના અડગ વિશ્વાસની પુષ્ટિ કરી હતી અને છેલ્લા એક દાયકામાં મહિલા સશક્તીકરણ અને વિકાસ માટે તેમની સરકારે કરેલી નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. પીએમ મોદીએ ઉપસ્થિત લોકોને પ્રચારના સમયગાળા દરમિયાન તેમના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા વિનંતી પણ કરી હતી.

પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં મહિલા સંમેલનને સંબોધિત કર્યું

May 21st, 05:30 pm

વારાણસીમાં મહિલા સંમેલનમાં હાર્દિક સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બનારસના લોકો પર પોતાના અડગ વિશ્વાસની પુષ્ટિ કરી હતી અને છેલ્લા એક દાયકામાં મહિલા સશક્તીકરણ અને વિકાસ માટે તેમની સરકારે કરેલી નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. પીએમ મોદીએ ઉપસ્થિત લોકોને પ્રચારના સમયગાળા દરમિયાન તેમના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા વિનંતી પણ કરી હતી.

જ્યાં સુધી મોદી જીવિત છે ત્યાં સુધી એસટી-એસસી-ઓબીસી અનામત કોઈ છીનવી નહીં શકેઃ પીએમ મોદી બનાસકાંઠામાં

May 01st, 04:30 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતના બનાસકાંઠામાં જાહેર સભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના ભાષણની શરૂઆત કેન્દ્ર સરકારમાં તેમની ત્રીજી ટર્મ માટે આશીર્વાદ મેળવવાની તક બદલ આભાર વ્યક્ત કરીને, તેમની રાજકીય સફરમાં ગુજરાતના મહત્વ પર ભાર મૂક્યો હતો.

PM Modi addresses public meetings in Banaskantha and Sabarkantha, Gujarat

May 01st, 04:00 pm

Prime Minister Narendra Modi addressed public meetings in Banaskantha and Sabarkantha, Gujarat, marking the celebration of Gujarat's Foundation Day. PM Modi began his speech by expressing gratitude for the opportunity to seek blessings for his third term in the central government, emphasizing the significance of Gujarat in his political journey.

ટીવી9 કૉન્કલેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 26th, 08:55 pm

મારે ત્યાં જૂના જમાનામાં, યુદ્ધમાં જતાં પહેલાં, ખૂબ જ જોરથી ઢોલ-નગારા વગાડવામાં આવતા, મોટા મોટા બ્યુગલ ફૂંકાતા જેથી જનાર વ્યક્તિ થોડો ઉત્સાહિત થઈને જાય, આભાર દાસ! ટીવી નાઈનના તમામ દર્શકોને અને અહીં ઉપસ્થિત તમને બધાને પણ મારી શુભેચ્છાઓ… હું ઘણીવાર ભારતની વિવિધતા વિશે વાત કરું છું. ટીવી નાઈનના ન્યૂઝરૂમ અને તમારી રિપોર્ટિંગ ટીમમાં આ વિવિધતા સ્પષ્ટપણે દેખાય છે. ટીવી નાઈન પાસે ઘણી ભારતીય ભાષાઓમાં મીડિયા પ્લેટફોર્મ છે. તમે ભારતના જીવંત લોકશાહીના પ્રતિનિધિ પણ છો. વિવિધ રાજ્યોમાં, વિવિધ ભાષાઓમાં ટીવી નાઈનમાં કામ કરતા તમામ પત્રકાર સાથીદારો અને તમારી ટેકનિકલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું

February 26th, 07:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું હતું. આ સમિટની થીમ 'ઇન્ડિયાઃ પોસાઇઝ્ડ ફોર ધ બિગ લીપ' છે.

સહકારી ક્ષેત્રની વિવિધ ચાવીરૂપ પહેલોનાં શિલાન્યાસ/ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 24th, 10:36 am

અત્યારે ‘ભારત મંડપમ્’ વિકસિત ભારતની અમૃત યાત્રામાં અન્ય એક મોટી ઉપલબ્ધિનું સાક્ષી બની રહ્યો છે. ‘સહકારથી સમૃદ્ધિ’નો જે સંકલ્પ દેશે લીધો છે, તેને સાકાર કરવાની દિશામાં અત્યારે આપણે વધારે આગેકૂચ કરી રહ્યાં છીએ. કૃષિ અને ખેતીવાડીનો પાયો મજબૂત કરવામાં સહકારીની શક્તિની બહુ મોટી ભૂમિકા ભજવે છે. આ જ વિચાર સાથે અમે અલગ સહકારી મંત્રાલયની સ્થાપના કરી છે. અને હવે આ જ વિચાર સાથે આજનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અત્યારે અમે આપણાં ખેડૂતો માટે દુનિયાની સૌથી મોટી સંગ્રહ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત દેશનાં ખૂણેખૂણે હજારો વેરહાઉસ બનાવવામાં આવશે, હજારો ગોદામ બનાવવામાં આવશે. અત્યારે 18 હજાર પેક્સના કમ્પ્યુટરાઇઝેશનનું મોટું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. આ તમામ કામ દેશમાં કૃષિ માળખાગત ક્ષેત્રને એક નવો વિસ્તાર આપશે, કૃષિને આધુનિક ટેકનોલોજી સાથે જોડીશું. મેં તમને બધાને આ મહત્વપૂર્ણ અને દૂરગામી પરિણામ લાવતા કાર્યક્રમો માટે બહુ શુભેચ્છા આપું છું. અનેક-અનેક શુભકામનાઓ આપું છું.

પ્રધાનમંત્રીએ સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોના ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

February 24th, 10:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ 'સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના'ના પાયલોટ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, જે 11 રાજ્યોની 11 પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (પીએસીએસ)માં થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ પહેલ હેઠળ ગોડાઉનો અને અન્ય કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે દેશભરમાં વધારાના 500 પીએસીએસ માટે શિલારોપણ પણ કર્યું હતું. આ પહેલનો ઉદ્દેશ નાબાર્ડ દ્વારા સમર્થિત અને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા સંચાલિત સંયુક્ત પ્રયાસ સાથે પીએસીએસ ગોડાઉનોને અનાજની પુરવઠા શ્રુંખલા સાથે સંકલિત કરવાનો, ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવાનો અને દેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલનો અમલ વિવિધ વર્તમાન યોજનાઓ જેવી કે એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઇએફ), એગ્રિકલ્ચર માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (એએમઆઇ) વગેરેના સમન્વય દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રોજેક્ટમાં સહભાગી પીએસીએસને માળખાગત વિકાસ હાથ ધરવા માટે સબસિડી અને ઇન્ટરેસ્ટ સબવેન્શન લાભો મેળવવા સક્ષમ બનાવી શકાય. પ્રધાનમંત્રીએ દેશભરમાં 18,000 PACSમાં કમ્પ્યુટરાઇઝેશન માટેના પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કર્યું હતું, જે સહકારી ક્ષેત્રને પુનર્જીવિત કરવા અને નાના અને સીમાંત ખેડૂતોને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે સરકારના સહકાર સે સમૃદ્ધિના વિઝન સાથે સુસંગત છે.

ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિવિધ પરિયોજનાઓના શિલાન્યાસ, ઉદ્‌ઘાટન અને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 23rd, 02:45 pm

મંચ પર બિરાજમાન ઉત્તર પ્રદેશ સરકારના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી મહેન્દ્ર નાથ પાંડેજી, નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રજેશ પાઠકજી, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્ર ચૌધરીજી, રાજ્યના અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને કાશીના મારા પરિવારથી આવેલાં ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ વારાણસીમાં રૂ. 13,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

February 23rd, 02:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂ. 13,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વારાણસીનાં કરખિયાંવમાં યુપીએસઆઈડીએ એગ્રો પાર્કમાં નિર્મિત બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડનાં દૂધ પ્રસંસ્કરણ એકમ બનાસ કાશી સંકુલની પણ મુલાકાત લીધી હતી અને ગૌ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ રોજગાર પત્રો અને જીઆઈ-અધિકૃત યુઝર સર્ટિફિકેટ પણ આપ્યા હતા. આજની વિકાસ પરિયોજનાઓ માર્ગ, રેલ, ઉડ્ડયન, પર્યટન, શિક્ષણ, સ્વાસ્થ્ય, પીવાનું પાણી, શહેરી વિકાસ અને સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પૂરી પાડે છે.

'મન કી બાત' (104મો એપિસોડ) પ્રસારણ તારીખ: 27.08.2023

August 27th, 11:30 am

મારા પ્રિય પરિવારજનો નમસ્કાર! ‘મન કી બાત’ના ઓગસ્ટ એપિસોડમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મને યાદ નથી કે શ્રાવન મહિનામાં 'મન કી બાત' કાર્યક્રમ બે વાર યોજાયો હોય એવું ક્યારેય બન્યું હોય, પણઆ વખતે પણ એવું જ થઈ રહ્યું છે.શ્રાવન એટલે મહાશિવનો મહિનો, ઉત્સવ અને ઉલ્લાસનો મહિનો. ચંદ્રયાનની સફળતાએ આ ઉજવણીના વાતાવરણમાં અનેકગણો વધારો કર્યો છે.ચંદ્રયાનને ચંદ્ર સુધી પહોંચ્યે ત્રણ દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ સફળતા એટલી મોટી છે કે તેના વિશે જેટલી ચર્ચા થાય એટલી ઓછી છે. આજે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે મને મારી એક જૂની કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે...

ગુજરાતમાં દિયોદરની બનાસ ડેરીમાં વિકાસ પ્રવૃત્તિઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 19th, 11:02 am

હવે તમારી માફી માંગીને શરૂઆતમાં મારે થોડું હિંદીમાં બોલવું પડશે, કારણ કે મિડિયાવાળા મિત્રોની વિનંતી હતી કે તમે હિંદીમાં બોલશો તો સારૂં રહેશે, તેથી મને લાગ્યું કે બધુ નહીં તો તેમની થોડી વાતને માનવામાં આવે.