અમદાવાદમાં યોજાયેલી યોગાસન વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 04th, 06:41 pm
આજે, અમદાવાદની ધરતી પરથી, વિશ્વના રમતગમતના વારસામાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ આજથી શરૂ થઈ રહી છે. હું ભારતમાં ભાગ લેવા આવેલા વિવિધ દેશોના તમામ રમતવીરોનું હાર્દિક સ્વાગત કરું છું અને તેમને મારી અસંખ્ય શુભેચ્છાઓ પાઠવું છું. યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સિટી એવા અમદાવાદમાં આ ઈવેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. હવેથી બરાબર થોડા દિવસો પછી, 21 જૂનના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ ની પણ ઉજવણી કરવામાં આવશે. તે દિવસે, વિવિધ દેશોમાં યોગ સંબંધિત કાર્યક્રમો યોજાશે, જેમાં મુખ્ય કાર્યક્રમ ભારતના અન્ય એક ઐતિહાસિક શહેર, કોલકાતામાં યોજાશે. આમ, વિશ્વ યોગ દિવસ પહેલા, વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ આવી પહોંચી છે, જે પોતાની સાથે સ્વાસ્થ્ય અને સુખાકારીનો ડબલ ડોઝ લઈને આવી છે.પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કર્યું
June 04th, 06:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો સંદેશ દ્વારા અમદાવાદથી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કર્યું હતું, જે વૈશ્વિક રમતગમતના ઇતિહાસમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે અમદાવાદની ધરતી પરથી વિશ્વના રમતગમતના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે.પ્રધાનમંત્રી 9 માર્ચે “સબકા સાથ સબકા વિકાસ - લોકોની આકાંક્ષાઓની પૂર્તિ” વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધશે
March 08th, 04:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 માર્ચ 2026ના રોજ સવારે 10:15 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “સબકા સાથ સબકા વિકાસ - લોકોની આકાંક્ષાઓની પૂર્તિ” વિષય પર બજેટ પછીના (Post Budget) વેબિનારને સંબોધશે.પ્રધાનમંત્રી 25 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની મુલાકાત લેશે
September 24th, 06:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની મુલાકાત લેશે. તેઓ સવારે 9:30 વાગ્યે ગ્રેટર નોઈડા ખાતે ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર શો-2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.ભારત-મોરેશિયસ સંયુક્ત ઘોષણા: ખાસ આર્થિક પેકેજ
September 11th, 01:53 pm
મોરેશિયસ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. નવીનચંદ્ર રામગુલામ, ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવ્યા છે. બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય મુદ્દાઓની વિશાળ શ્રેણી પર અત્યંત ઉપયોગી ચર્ચા કરી હતી. મોરેશિયસ સરકાર દ્વારા રજૂ કરાયેલી વિનંતીઓના આધારે, નીચેના પ્રોજેક્ટ્સ પર સૈદ્ધાંતિક રીતે સંમતિ આપવામાં આવી છે, જેનો અમલ ભારત અને મોરેશિયસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય
September 11th, 12:30 pm
આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સદીઓ પહેલાં ભારતથી મોરેશિયસ પહોંચી હતી અને ત્યાંના દૈનિક જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ. કાશીમાં માતા ગંગાના અવિરત પ્રવાહની જેમ ભારતીય સંસ્કૃતિનો અવિરત પ્રવાહ મોરેશિયસને સમૃદ્ધ બનાવી રહ્યો છે. અને આજે, જ્યારે આપણે કાશીમાં મોરેશિયસના મિત્રોનું સ્વાગત કરી રહ્યા છીએ, ત્યારે તે ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ એક આધ્યાત્મિક જોડાણ છે. તેથી જ હું ગર્વથી કહું છું કે ભારત અને મોરેશિયસ ફક્ત ભાગીદાર નથી, પરંતુ એક પરિવાર છે.આગામી દાયકા માટે ભારત-જાપાન સંયુક્ત દ્રષ્ટિકોણ: ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગળ ધપાવવા માટે આઠ દિશાઓ
August 29th, 07:11 pm
ભારત અને જાપાન, કાયદાના શાસન પર આધારિત મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને બળજબરી-મુક્ત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના સામાન્ય દ્રષ્ટિકોણ ધરાવતા બે દેશો તરીકે, પૂરક સંસાધન સંપત્તિ, તકનીકી ક્ષમતાઓ અને ખર્ચ સ્પર્ધાત્મકતા ધરાવતી બે અર્થવ્યવસ્થાઓ, અને મિત્રતા અને પરસ્પર સદ્ભાવનાની લાંબી પરંપરા ધરાવતા બે રાષ્ટ્રો તરીકે, આગામી દાયકામાં આપણા દેશો અને વિશ્વમાં મોટા પાયે પરિવર્તનો અને તકોને સંયુક્ત રીતે નેવિગેટ કરવાનો અમારો ઇરાદો વ્યક્ત કરે છે, જેથી આપણા સંબંધિત સ્થાનિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ મળે, અને આપણા દેશો અને આગામી પેઢીના લોકોને પહેલા કરતાં વધુ નજીક લાવવામાં મદદ મળે.આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
June 21st, 07:06 am
આંધ્રપ્રદેશના રાજ્યપાલ સૈયદ અબ્દુલ નઝીરજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી, મારા પ્રિય મિત્ર ચંદ્રબાબુ નાયડુ ગારુ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, કે. રામમોહન નાયડુજી, પ્રતાપરાવ જાધવજી, ચંદ્રશેખરજી, ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્માજી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ ગારુ અન્ય મહાનુભાવો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો! આપ સૌને નમસ્કાર!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું
June 21st, 06:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IYD) કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું અને યોગ સત્રમાં ભાગ લીધો હતો.મન કી બાત – (122મી કડી) પ્રસારણ તારીખ-25-05-2025
May 25th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ આતંકવાદ વિરૂદ્ધ એક જૂથ છે, આક્રોશથી ભરેલો છે, સંકલ્પબદ્ધ છે, આજે દરેક ભારતીયનો એ જ સંકલ્પ છે કે, આપણે આતંકવાદનો ખાતમો બોલાવવાનો જ છે. સાથીઓ, ઓપરેશન સિંદૂર વખતે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે, તેનાથી દરેક હિંદુસ્તાનીનું માથું ઉંચું કરી દીધું છે. જે ચોકસાઇની સાથે, જે સટિકતાથી આપણી સેનાઓએ સરહદની પેલે પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા છે. તે અદભૂત છે. ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરૂદ્ધની લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યા છે.NXT કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 01st, 11:00 am
ITV નેટવર્કના સ્થાપક અને સંસદમાં મારા સાથીદાર, કાર્તિકેય શર્માજી, નેટવર્કની આખી ટીમ, ભારત અને વિદેશના બધા મહેમાનો, અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NXT કોન્ક્લેવમાં ભાગ લીધો
March 01st, 10:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં એનએક્સટી કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ન્યૂઝએક્સ વર્લ્ડના શુભારંભ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નેટવર્કમાં હિંદી, અંગ્રેજી અને વિવિધ પ્રાદેશિક ભાષાઓની ચેનલો સામેલ છે અને અત્યારે તે વૈશ્વિક સ્તરે ચાલી રહી છે. તેમણે કેટલીક ફેલોશિપ અને શિષ્યવૃત્તિની શરૂઆત અંગે પણ ટિપ્પણી કરી હતી અને આ કાર્યક્રમો માટે શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રીએ આયુષ ક્ષેત્રની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
February 27th, 08:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ ક્ષેત્રની સમીક્ષા કરવા માટે 7 લોક કલ્યાણ માર્ગ પર એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં સંપૂર્ણ સુખાકારી અને હેલ્થકેર, પરંપરાગત જ્ઞાનનું જતન અને દેશની વેલનેસ ઇકોસિસ્ટમમાં પ્રદાન કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો.મધ્યપ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 24th, 10:35 am
સૌ પ્રથમ, હું અહીં આવવામાં મોડું થવા બદલ આપ સૌની માફી માંગુ છું. વિલંબ એટલા માટે થયો કારણ કે ગઈકાલે જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે મારા મનમાં એક વાત આવી કે આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા હતી અને તેમનો સમય અને રાજભવન છોડવાનો મારો સમય એકબીજા સાથે ટકરાઈ રહ્યો હતો. અને તેના કારણે, એવી શક્યતા હતી કે જો સુરક્ષા કારણોસર રસ્તાઓ બંધ કરવામાં આવે, તો બાળકોને પરીક્ષા આપવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અને આ મુશ્કેલી ટાળવા માટે, મેં વિચાર્યું કે બધા બાળકો તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા પછી જ હું રાજભવન છોડીશ. આ કારણે, હું 15-20 મિનિટ મોડો નીકળ્યો અને તેના કારણે આપ સૌને થયેલી અસુવિધા માટે, હું ફરી એકવાર માફી માંગુ છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કર્યું
February 24th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (જીઆઇએસ) 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આ કાર્યક્રમમાં પહોંચવામાં વિલંબ થવા બદલ માફી માંગી હતી, કારણ કે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાઓ હતી અને આ કાર્યક્રમમાં તેમના સુરક્ષાના પગલાંથી વિદ્યાર્થીઓને અસુવિધા થઈ શકે તેમ હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, રાજા ભોજની ભૂમિમાં રોકાણકારો અને વ્યાવસાયિક આગેવાનોનું સ્વાગત કરવું એ તેમના માટે ગર્વની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ વિકસિત મધ્યપ્રદેશ તરીકે મહત્ત્વપૂર્ણ છે. વિકસિત મધ્યપ્રદેશ વિકસિત ભારત તરફની યાત્રામાં જરૂરી છે. તેમણે શિખર સંમેલનનાં અદભૂત આયોજન માટે મધ્યપ્રદેશની સરકારને અભિનંદન આપ્યાં હતાં.પરિણામોની યાદીઃ ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિની ભારતની રાજકીય યાત્રા (23-26 જાન્યુઆરી, 2025)
January 25th, 08:54 pm
ભારતનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ઇન્ડોનેશિયાનાં સ્વાસ્થ્ય મંત્રાલય વચ્ચે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહયોગ પર સમજૂતી કરાર (એમઓયુ).પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
January 05th, 12:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રોજેક્ટ્સનું મુખ્ય લક્ષ્ય પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવાનું અને મુસાફરીની સરળતા સુનિશ્ચિત કરવાનું છે. પ્રધાનમંત્રીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં સવારી પણ કરી હતી.AIIA ખાતે અનેક પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 29th, 01:28 pm
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો, શ્રી જગત પ્રકાશ નડ્ડા જી, મનસુખ માંડવિયા જી, પ્રતાપ રાવ જાધવ જી, શ્રીમતી અનુપ્રિયા પટેલ જી, સુશ્રી શોભા કરંદલાજે જી, સંસદમાં મારા સાથીદારો, પ્રદેશના સાંસદ શ્રી રામવીર સિંહ બિધુરી જી, વિવિધ રાજ્યોમાંથી વર્ચ્યુઅલ રીતે જોડાયેલા માનનીય રાજ્યપાલો, માનનીય મુખ્યમંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ આદરણીય જનપ્રતિનિધિઓ, દેશના વિભિન્ન વિસ્તારોમાંથી આરોગ્ય સંસ્થાઓ સાથે જોડાયેલા ડૉક્ટરો, વૈદ્ય, આયુષ અને હેલ્થ પ્રોફેશનલ્સ.. સ્વાસ્થા વ્યવસ્થા સાથે જોડાયેલા લાખો ભાઈઓ અને બહેનો, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદના તમામ ડોકટર્સ તેમજ કર્મચારી દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂ. 12,850 કરોડથી વધુના આરોગ્ય ક્ષેત્ર સાથે સંબંધિત અનેકવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
October 29th, 01:00 pm
ધન્વંતરિ જયંતી અને 9મા આયુર્વેદ દિવસનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે રૂ. 12,850 કરોડનાં મૂલ્યનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.Many people want India and its government to remain weak so that they can take advantage of it: PM in Ballari
April 28th, 02:28 pm
Prime Minister Narendra Modi launched the poll campaign in full swing for the NDA in Karnataka. He addressed a mega rally in Ballari. In Ballari, the crowd appeared highly enthusiastic to hear from their favorite leader. PM Modi remarked, “Today, as India advances rapidly, there are certain countries and institutions that are displeased by it. A weakened India, a feeble government, suits their interests. In such circumstances, these entities used to manipulate situations to their advantage. Congress, too, thrived on rampant corruption, hence they were content. However, the resolute BJP government does not succumb to pressure, thus posing challenges to such forces. I want to convey to Congress and its allies, regardless of their efforts... India will continue to progress, and so will Karnataka.”