પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામે મોરેશિયસમાં અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશનનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું

March 12th, 03:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામે આજે મોરેશિયસના રેડ્યુટમાં અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશનનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. ભારત-મોરેશિયસ વિકાસ ભાગીદારી હેઠળ અમલમાં મુકાયેલ આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ, મોરેશિયસમાં ક્ષમતા નિર્માણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.