આસામના ગુવાહાટીમાં ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 13th, 08:57 pm

હું કહીશ ભૂપેન દા! તમે કહેશો અમર રહે! અમર રહે! ભૂપેન દા, અમર રહે! અમર રહે! ભૂપેન દા, અમર રહે! અમર રહે! ભૂપેન દા, અમર રહે! અમર રહે! આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય જી, આ સ્થાનના લોકપ્રિય મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા જી, અરુણાચલ પ્રદેશના યુવા મુખ્યમંત્રી પેમા ખાંડુ જી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી સર્બાનંદ સોનોવાલ જી, મંચ પર હાજર ભૂપેન હજારિકા જીના ભાઈ શ્રી સમર હજારિકા જી, ભૂપેન હજારિકા જીના શ્રીમતી કવિતા બરુઆ જી, ભૂપેન દાના પુત્ર શ્રી તેજ હજારિકા જી, તેજને હું કહીશ કેમ છો! ઉપસ્થિત અન્ય મહાનુભવ અને આસામના મારા ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતીના સમારોહમાં સંબોધન કર્યુ

September 13th, 05:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આસામના ગુવાહાટી ખાતે ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતીના સમારોહને સંબોધન કર્યું હતું. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આજનો દિવસ એક અદ્ભુત દિવસ છે અને આ ક્ષણ ખરેખર કિંમતી છે. તેમણે શેર કર્યું હતું કે તેમણે જે પ્રદર્શન જોયું, ઉત્સાહ અને તેમણે જે સંકલન જોયું તે ખૂબ જ હૃદયસ્પર્શી હતું. તેમણે ભૂપેન દાના સંગીતના લય પર પ્રકાશ પાડ્યો હતો જે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુંજતો રહ્યો. ભૂપેન હજારિકાને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેમના ગીતના કેટલાક શબ્દો તેમના મનમાં ગુંજતા રહ્યા. તેમણે વ્યક્ત કર્યું હતું કે ભૂપેનના સંગીતના તરંગો દરેક જગ્યાએ, અવિરતપણે વહેતા રહે તેવી તેમની ઇચ્છા છે. પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ કલાકારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે આસામનો જુસ્સો એવો છે કે અહીંની દરેક ઘટના એક નવો રેકોર્ડ બનાવે છે, તેમણે નોંધ્યું કે આજના પરફોર્મન્સમાં અસાધારણ તૈયારી પ્રતિબિંબિત થાય છે. તેમણે તમામ કલાકારોને અભિનંદન અને પ્રશંસા આપી.

રાઇઝિંગ નોર્થઈસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 23rd, 11:00 am

મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદારો જ્યોતિરાદિત્ય સિંધિયાજી, સુકાંત મજુમદારજી, મણિપુરના ગવર્નર અજય ભલ્લાજી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માજી, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુજી, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાજી, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાજી, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગજી, નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોજી, મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાજી, તમામ ઉદ્યોગ અગ્રણીઓ, રોકાણકારો, મહિલાઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું

May 23rd, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરતા, પ્રધાનમંત્રીએ ઉત્તર પૂર્વીય ક્ષેત્રના ભવિષ્યમાં ગર્વ, ઉષ્મા અને અપાર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે તાજેતરમાં ભારત મંડપમ ખાતે યોજાયેલા અષ્ટલક્ષ્મી મહોત્સવને યાદ કરી ભાર મૂક્યો કે આજનો કાર્યક્રમ ઉત્તર પૂર્વમાં રોકાણોની ઉજવણી છે. પ્રધાનમંત્રીએ સમિટમાં ઉદ્યોગના અગ્રણીઓની નોંધપાત્ર હાજરી પર પ્રકાશ પાડ્યો અને આ ક્ષેત્રમાં રહેલી તકો અંગેના ઉત્સાહ પર ભાર મૂક્યો. તેમણે તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારોને અભિનંદન આપ્યા અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવતા નોર્થ ઇસ્ટ રાઇઝિંગ સમિટની પ્રશંસા કરી અને પ્રદેશના સતત વિકાસ અને સમૃદ્ધિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.

નવી દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 06th, 02:10 pm

આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે. બાબા સાહેબે બનાવેલું બંધારણ, બંધારણનો 75 વર્ષનો અનુભવ... દરેક દેશવાસીઓ માટે એક મહાન પ્રેરણા છે. તમામ દેશવાસીઓ વતી હું બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમને નમન કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કર્યું

December 06th, 02:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ હતો. તેમણે ઉમેર્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે તૈયાર કરેલા બંધારણને 75 વર્ષ પૂર્ણ થયાં છે, જે તમામ નાગરિકો માટે મોટી પ્રેરણા છે. શ્રી મોદીએ ભારતના તમામ નાગરિકો વતી બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પીએમ 6 ડિસેમ્બરે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

December 05th, 06:28 pm

ત્રણ દિવસીય સાંસ્કૃતિક ઉત્સવ, પ્રથમ વખત ઉજવવામાં આવી રહ્યો છે, જે 6 થી 8 ડિસેમ્બર દરમિયાન યોજાશે. તે પરંપરાગત કળા, હસ્તકલા અને સાંસ્કૃતિક પ્રથાઓની શ્રેણીને એકસાથે લાવીને પૂર્વોત્તર ભારતના વિશાળ સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીને પ્રકાશિત કરશે.