Prime Minister condoles passing of renowned photographer Shri Raghu Rai
April 26th, 08:34 pm
The Prime Minister has expressed deep sorrow over the passing of eminent photographer Raghu Rai, describing him as a creative stalwart who immortalised India’s vibrancy through his lens. Shri Modi noted that Shri Raghu Rai’s work was marked by extraordinary sensitivity, depth and persity, capturing the many facets of life across India and bringing them closer to people.The Prime Minister remarked that his contribution to the world of photography and culture is unparalleled, and his passing is an irreparable loss to the artistic community.પ્રધાનમંત્રીએ પ્રાચીન ભારતીય સ્ટીચ્ડ-શિપ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ INSV કૌન્ડિન્યની પ્રશંસા કરી, જે પોરબંદરથી મસ્કત, ઓમાન સુધીની તેની પ્રથમ સફર શરૂ કરી રહી છે
December 29th, 05:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ INSV કૌન્ડિન્યને સાકાર કરવા માટેના સમર્પિત પ્રયાસો બદલ ડિઝાઇનર્સ, કારીગરો, જહાજ નિર્માતાઓ અને ભારતીય નૌકાદળને અભિનંદન પાઠવ્યા છે કારણ કે તે પોરબંદરથી મસ્કત, ઓમાન સુધીની તેની પ્રથમ સફર શરૂ કરી રહી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે INSV કૌન્ડિન્ય પ્રાચીન ભારતીય સ્ટીચ્ડ-શિપ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જે ભારતની સમૃદ્ધ દરિયાઈ પરંપરાઓને ઉજાગર કરે છે. શ્રી મોદીએ કહ્યું, ક્રૂને સુરક્ષિત અને યાદગાર સફર માટે મારી શુભેચ્છાઓ, કારણ કે તેઓ ગલ્ફ ક્ષેત્ર અને તેથી આગળના આપણાં ઐતિહાસિક સંબંધોને ફરીથી જીવંત કરી રહ્યા છે.પ્રધાનમંત્રીએ પ્રખ્યાત ફિલ્મ વ્યક્તિત્વ, બી. સરોજા દેવીજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 14th, 03:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત ફિલ્મ વ્યક્તિત્વ, બી. સરોજા દેવીજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.મુંબઈમાં વેવ્સ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 01st, 03:35 pm
વેવ્ઝ સમિટમાં ઉપસ્થિત, મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ અશ્વિની વૈષ્ણવજી, એલ. મુરુગનજી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, વિશ્વના ખૂણે ખૂણેથી સર્જનાત્મક જગતના બધા દિગ્ગજો, વિવિધ દેશોના માહિતી, સંદેશાવ્યવહાર, કલા અને સંસ્કૃતિ વિભાગના મંત્રીઓ, વિવિધ દેશોના રાજદૂતો, વિશ્વના ખૂણેથી જોડાયેલા સર્જનાત્મક જગતના ચહેરાઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ WAVES 2025નું ઉદઘાટન કર્યું
May 01st, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે વેવ્સ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. જે આ પ્રકારની સૌપ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આજે ઉજવાતા મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી. રચનાત્મક ઉદ્યોગનાં તમામ આંતરરાષ્ટ્રીય મહાનુભાવો, રાજદૂતો અને નેતાઓની હાજરીને બિરદાવતાં પ્રધાનમંત્રીએ આ સમારંભનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને એ જણાવ્યું હતું કે, 100થી વધારે દેશોનાં કલાકારો, નવપ્રવર્તકો, રોકાણકારો અને નીતિનિર્માતાઓ પ્રતિભા અને રચનાત્મકતાની વૈશ્વિક ઇકોસિસ્ટમનો પાયો નાંખવા એકત્ર થયા છે. તેમણે નોંધ્યું હતું કે, વેવ્સ એ માત્ર સંક્ષિપ્ત શબ્દ જ નથી, પરંતુ સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને સાર્વત્રિક જોડાણનું પ્રતિનિધિત્વ કરતું મોજું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમિટ ફિલ્મો, સંગીત, ગેમિંગ, એનિમેશન અને સ્ટોરીટેલિંગની વિસ્તૃત દુનિયાને પ્રદર્શિત કરે છે. જે કલાકારો અને સર્જકોને જોડાવા અને સહયોગ કરવા માટે એક વૈશ્વિક મંચ પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક પ્રસંગે તમામ સહભાગીઓને અભિનંદન આપ્યાં હતાં તથા ભારત અને વિદેશમાંથી આવેલા વિશિષ્ટ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.પ્રધાનમંત્રીએ પદ્મ શ્રી રામસહાય પાંડેના નિધન પર શોક વ્યક્ત કર્યો
April 09th, 04:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત લોક કલાકાર પદ્મ શ્રી રામસહાય પાંડેના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રી 28 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં જહાં-એ-ખુસરો 2025માં ભાગ લેશે.
February 27th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીનાં રોજ સાંજે 7:30 વાગ્યે નવી દિલ્હીનાં સુંદર નર્સરી ખાતે ભવ્ય સુફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરો 2025માં સહભાગી થશે.પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 11:30 am
આજે, જ્યારે આપણો દેશ વિકસિત ભારતનાં સંકલ્પને પ્રાપ્ત કરવામાં રોકાયેલ છે, ત્યારે આપણને નેતાજી સુભાષના જીવનમાંથી સતત પ્રેરણા મળે છે. નેતાજીના જીવનનું સૌથી મોટું લક્ષ્ય આઝાદ હિંદ હતું. પોતાના સંકલ્પને પ્રાપ્ત કરવા માટે, તેમણે ફક્ત એક જ માપદંડ પર પોતાના નિર્ણયની ચકાસણી કરી - આઝાદ હિંદ. નેતાજીનો જન્મ એક શ્રીમંત પરિવારમાં થયો હતો, તેમણે સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી હતી. જો તેઓ ઇચ્છતા હોત તો બ્રિટિશ શાસનમાં વરિષ્ઠ અધિકારી બનીને આરામદાયક જીવન જીવી શક્યા હોત, પરંતુ તેમણે સ્વતંત્રતા માટે કષ્ટો પસંદ કરી, પડકારો પસંદ કર્યા, દેશ-વિદેશમાં ભટકવાનું પસંદ કર્યું, નેતાજી સુભાષ કમ્ફર્ટ ઝોનથી બંધાયેલા નહોતા. તેવી જ રીતે, આજે આપણે બધાએ વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. આપણે પોતાને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ બનાવવું પડશે, આપણે શ્રેષ્ઠતા પસંદ કરવી પડશે, આપણે કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
January 23rd, 11:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી જેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે પ્રસંગે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝને આજે તેમની જન્મ જયંતી પર સંપૂર્ણ દેશ આદરપૂર્વક યાદ કરી રહ્યો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે પરાક્રમ દિવસની ભવ્ય ઉજવણી ઓડિશામાં તેમના જન્મસ્થળમાં થઈ રહી છે. તેમણે આ પ્રસંગે ઓડિશાનાં લોકોને અને સરકારને અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નેતાજીનાં જીવનનાં વારસા પર આધારિત એક મોટું પ્રદર્શન ઓડિશાનાં કટકમાં યોજાયું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અનેક કલાકારોએ નેતાજીનાં જીવન સાથે જોડાયેલી ઘટનાઓને કેનવાસ પર દર્શાવી છે. તેમણે કહ્યું કે નેતાજી પર આધારિત ઘણા પુસ્તકો પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નેતાજીની જીવનયાત્રાનાં આ તમામ વારસાઓ મારા યુવા ભારતને નવી ઊર્જા પ્રદાન કરશે.સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યુ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ અને ટ્રેનના લોકો પાઇલટ્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
January 05th, 08:50 pm
અમે ચિત્ર બદલી રહ્યા છીએ, અમે આપણું નસીબ જાતે લખીશુંપ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની શુભેચ્છા પાઠવી
August 07th, 10:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. ભારતીય કારીગરોના પ્રયાસોની પ્રશંસા કરતી વખતે, તેમણે 'વૉકલ ફોર લોકલ' પહેલ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.Viksit Bharat Ambassador Artist Workshop Attracts Massive Participation at Delhi's Purana Quila
March 10th, 11:18 pm
On March 10, 2024, the historic Purana Quila in Delhi was filled with artistic energy as it hosted the 'Viksit Bharat Ambassadors Artist Workshop.' The National Gallery of Modern Art organised the workshop in collaboration with the Lalit Kala Akademi and the Ministry of Culture, Government of India. The theme of the day-long workshop was 'Viksit Bharat by 2047.' The workshop began registrations at 9 AM and concluded at 5 PM. Each artist was free to explore the medium, from sketching to acrylic painting, photography, and other art forms.લાલ કિલ્લા પર પરાક્રમ દિવસ ઉજવણીમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 23rd, 06:31 pm
નેતાજી સુભાષચંદ્રની જન્મજયંતિ પર, પરાક્રમ દિવસના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આઝાદ હિંદ ફોજના ક્રાંતિકારીઓનાં સામર્થ્યનો સાક્ષી રહેલો આ લાલ કિલ્લો આજે ફરી નવી ઊર્જાથી ઝળહળી રહ્યો છે. અમૃતકાલનાં શરૂઆતનાં વર્ષો...સમગ્ર દેશમાં સંકલ્પથી સિદ્ધિનો ઉત્સાહ...આ ક્ષણ ખરેખર અભૂતપૂર્વ છે. ગઈકાલે જ સમગ્ર વિશ્વ ભારતની સાંસ્કૃતિક ચેતનાના એક ઐતિહાસિક પડાવનું સાક્ષી બન્યું છે. સમગ્ર વિશ્વએ, સમગ્ર માનવતાએ ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઊર્જાનો, તે ભાવનાઓનો અનુભવ કર્યો છે. અને આજે આપણે નેતા શ્રી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે જોયું છે કે 23મી જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યારથી ગણતંત્ર દિવસનો મહાપર્વ 23મી જાન્યુઆરીથી બાપુની પુણ્યતિથિ 30મી જાન્યુઆરી સુધી સુધી ચાલે છે. હવે પ્રજાસત્તાકના આ મહાન પર્વમાં 22મી જાન્યુઆરીનો આસ્થાનું મહાપર્વ પણ જોડાઈ ગયું છે. જાન્યુઆરી મહિનાના આ છેલ્લા કેટલાક દિવસો આપણી આસ્થા, આપણી સાંસ્કૃતિક ચેતના, આપણા પ્રજાસત્તાક અને આપણી દેશભક્તિ માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યા છે. હું તમને સૌને શુભેચ્છા પાઠવું છું...અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ દિલ્હીનાં લાલ કિલ્લા પર પરાક્રમ દિવસની ઉજવણીનાં કાર્યક્રમને સંબોધન કર્યું
January 23rd, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં લાલ કિલ્લા પર પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે ભારત પર્વનો પણ શુભારંભ કરાવ્યો હતો, જે પ્રજાસત્તાક દિનની ટેબ્લો અને સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે દેશની સમૃદ્ધ વિવિધતાને પ્રદર્શિત કરશે. પ્રધાનમંત્રીએ નેશનલ આર્કાઈવ્ઝનાં ફોટો, પેઇન્ટિંગ્સ, પુસ્તકો અને શિલ્પો સહિત નેશનલ આર્કાઈવ્ઝનાં ટેકનોલોજી-સંચાલિત ઇન્ટરેક્ટિવ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તથા નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા નેતાજીનાં જીવન પર પ્રસ્તુત નેતાજીનાં જીવન પર પ્રોજેક્શન મેપિંગ સાથે સમન્વયિત એક નાટકનું પણ અવલોકન કર્યું હતું. તેમણે એકમાત્ર જીવિત આઈએનએ વેટરન લેફ્ટનન્ટ આર માધવનનું પણ સન્માન કર્યું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર વર્ષ 2021થી પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે, જે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા મહાનુભાવોના યોગદાનનું સન્માન કરવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ છે.પીએમ તેમના ગરબા ગીતની રજૂઆત માટે કલાકારોનો આભાર માન્યો
October 14th, 11:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમણે વર્ષો પહેલા લખેલા ગરબાની સંગીતમય રજૂઆત માટે કલાકારો ધ્વની ભાનુશાલી, તનિષ્ક બાગચી અને જસ્ટ મ્યુઝિકની ટીમનો આભાર માન્યો હતો. તેમણે એવી પણ માહિતી આપી હતી કે તે આગામી નવરાત્રી દરમિયાન નવા ગરબા શેર કરશે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
September 08th, 10:41 pm
આજના આ ઐતિહાસિક કાર્યક્રમ પર આખા દેશની નજર છે, તમામ દેશવાસીઓ અત્યારે આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. હું, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનેલા તમામ દેશવાસીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, તેમને અભિનંદન પાઠવું છું. આ ઐતિહાસિક ક્ષણમાં, મારા મંત્રીમંડળના સાથીદારો શ્રી હરદીપ પુરીજી, શ્રી જી. કિશન રેડ્ડીજી, શ્રી અર્જુનરામ મેઘવાલજી, શ્રીમતી મીનાક્ષી લેખીજી, શ્રી કૌશલ કિશોરજી, પણ આજે મારી સાથે મંચ પર ઉપસ્થિત છે. દેશના અનેક મહાનુભાવ અતિથિઓ, પણ આજે અહીં ઉપસ્થિત છે.PM inaugurates 'Kartavya Path' and unveils the statue of Netaji Subhas Chandra Bose at India Gate
September 08th, 07:00 pm
PM Modi inaugurated Kartavya Path and unveiled the statue of Netaji Subhas Chandra Bose. Kingsway i.e. Rajpath, the symbol of colonialism, has become a matter of history from today and has been erased forever. Today a new history has been created in the form of Kartavya Path, he said.પ્રધાનમંત્રી શ્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનું શિલ્પ મેળવ્યું
April 05th, 02:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કલાકાર અરુણ યોગીરાજ પાસેથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું શિલ્પ મેળવ્યુંપ્રધાનમંત્રીએ પંડિત ભીમસેન જોશીને તેમની 100મી જન્મજયંતિ પર યાદ કર્યાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત ભીમસેન જોશીને તેમની 100મી જન્મજયંતિ પર યાદ કર્યા છે.
February 04th, 07:57 pm
The Prime Minister, Shri Narendra Modi has remembered Pandit Bhimsen Joshi on his 100th birth anniversary.100 કરોડ રસી ડોઝ પછી, ભારત નવા ઉત્સાહ અને ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 24th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, તમને સહુને નમસ્કાર. કોટિ-કોટિ નમસ્કાર. અને હું કોટિ-કોટિ નમસ્કાર એટલા માટે પણ કહી રહ્યો છું કે સો કરોડ રસીના ડૉઝ પછી આજે દેશ નવા ઉત્સાહ, નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યો છે. આપણા રસીકરણના કાર્યક્રમની સફળતા, ભારતના સામર્થ્યને દર્શાવે છે. સહુના પ્રયાસના મંત્રની શક્તિને દર્શાવે છે.