પ્રધાનમંત્રી 27 સપ્ટેમ્બરે ઓડિશાની મુલાકાત લેશે

September 26th, 09:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે ઓડિશાની મુલાકાત લેશે. સવારે લગભગ 11:30 વાગ્યે, તેઓ ઝારસુગુડામાં રૂ. 60000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. આ પ્રોજેક્ટ્સ ટેલિકોમ્યુનિકેશન, રેલવે, ઉચ્ચ શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ, ગ્રામીણ આવાસ ક્ષેત્રો સહિત અન્ય ક્ષેત્રોમાં ફેલાયેલા છે.