પ્રધાનમંત્રી 23 જાન્યુઆરીએ કેરળની મુલાકાત લેશે

January 22nd, 02:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરી, 2026ના રોજ કેરળની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે.

પ્રધાનમંત્રીએ વિશાખ રિફાઇનરીમાં રેસીડ્યુ અપગ્રેડેશન સુવિધા શરૂ કરવાની પ્રશંસા કરી

January 06th, 08:50 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશમાં વિશાખ રિફાઇનરીમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) રેસીડ્યુ અપગ્રેડેશન સુવિધા (RUF) ના સફળ કમિશનિંગની પ્રશંસા કરી, તેને ઉર્જા સુરક્ષા અને આત્મનિર્ભરતા તરફ ભારતની સફરમાં નિર્ણાયક પગલું ગણાવ્યું.

ઓડિશામાં એનએચ-326ના કિલોમીટર 68.600થી કિલોમીટર 311.700 સુધી હાલના બે-લેનને પેવ્ડ શોલ્ડર સાથે બે-લેનમાં પહોળું અને મજબૂત કરવા માટે ઈપીસી મોડ પર રૂપિયા 1526.21 કરોડના પ્રોજેક્ટને કેબિનેટે મંજૂરી આપી

December 31st, 03:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઈપીસી મોડ હેઠળ એનએચ(ઓ) દ્વારા ઓડિશા રાજ્યમાં એનએચ-326ના કિલોમીટર 68.600થી કિલોમીટર 311.700 સુધીના હાલના બે લેન માર્ગને પેવ્ડ શોલ્ડર સાથે બે લેન માર્ગમાં પહોળું અને મજબૂત કરવા મંજૂરી આપી છે.

'વિકસિત ભારત'નો સંકલ્પ ચોક્કસ પૂર્ણ થશે: મન કી બાતમાં પીએમ મોદી

December 28th, 11:30 am

વર્ષના છેલ્લા 'મન કી બાત' એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 2025માં ભારતે રાષ્ટ્રીય સુરક્ષા, રમતગમત, સાયન્સ લેબ અને ગ્લોબલ પ્લેટફોર્મ પર પોતાની છાપ છોડી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 2026માં દેશ નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે તૈયાર છે. પીએમએ ડેવલપ્ડ ઈન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ, ક્વિઝ કોમ્પિટિશન, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2025 અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ જેવી યુવા-કેન્દ્રિત પહેલો પર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં બસ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

December 12th, 09:09 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં બસ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી.

આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

November 19th, 01:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી પહોંચ્યા, જ્યાં સાંઈ રામના દિવ્ય મંત્ર સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી 19 નવેમ્બરે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાતે

November 18th, 11:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાત લેશે.

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડને કારણે થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

November 01st, 01:59 pm

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડને કારણે થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં અકસ્માતમાં થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો

October 24th, 09:02 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે મૃતકોના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ₹2 લાખ અને ઘાયલોને ₹50,00 ની સહાયની જાહેરાત કરી.

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશની તેમની મુલાકાતની ઝલક શેર કરી

October 16th, 09:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આંધ્રપ્રદેશની તેમની મુલાકાતના મુખ્ય મુદ્દાઓ શેર કર્યા હતા. શ્રીશૈલમમાં, શ્રી મોદીએ શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પ્રાર્થના કરી અને શ્રી શિવાજી ધ્યાન મંદિર અને શ્રી શિવાજી દરબાર હોલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ, તેમણે કુર્નૂલમાં આશરે ₹13,430 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 16th, 03:00 pm

આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર, લોકપ્રિય અને મહેનતુ મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રીઓ કે. રામમોહન નાયડુ, ચંદ્રશેખર પેમ્માસાની, ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, રાજ્ય મંત્રી નારા લોકેશ, અન્ય તમામ મંત્રીઓ, ભાજપ પ્રદેશ પ્રમુખ પી.વી.એન. માધવ, બધા સાંસદો, ધારાસભ્યો, અને મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવેલા બહેનો અને ભાઈઓ!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલમાં 13,430 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા

October 16th, 02:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આંધ્રપ્રદેશના કુર્નૂલમાં લગભગ રૂ. 13,430 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી હતી રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ અહોબિલમના ભગવાન નરસિંહ સ્વામી અને મહાનંદીના શ્રી મહાનંદીશ્વર સ્વામીને વંદન કર્યા હતા. તેમણે સૌના કલ્યાણ માટે મંત્રાલયમના ગુરુ શ્રી રાઘવેન્દ્ર સ્વામી પાસેથી આશીર્વાદ પણ માંગ્યા હતા.

પીએમ 16મી ઓક્ટોબરે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે

October 14th, 05:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી ઓક્ટોબરે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 વાગ્યે, તે નંદ્યાલ જિલ્લામાં શ્રીશૈલમ, શ્રી ભ્રામરામ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ, બપોરે લગભગ 12:15 વાગ્યે, તેઓ શ્રીશૈલમમાં શ્રી શિવાજી સ્ફૂર્તિ કેન્દ્રની મુલાકાત લેશે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

October 13th, 06:29 pm

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન ચંદ્રબાબુ નાયડુ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

પ્રધાનમંત્રીએ શ્રી એન. ચંદ્રબાબુ નાયડુને મુખ્યમંત્રી તરીકે 15 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા

October 11th, 10:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી અને તેમને મુખ્યમંત્રી તરીકે 15 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના કોનસીમા જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

October 08th, 05:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કોનસીમા જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.

કેન્દ્રીય મંત્રીમંડળે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં રૂ. 4600 કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોને મંજૂરી આપી

August 12th, 03:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ વધુ ચાર સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.

'મન કી બાત'ના 123મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.06.2025)

June 29th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સૌનું સ્વાગત છે, અભિનંદન છે. આપ સૌ આ સમયે યોગની ઉર્જા અને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની સ્મૃતિઓથી ભરેલા હશો. આ વખતે પણ 21 જૂનના દિવસે દેશ અને દુનિયાના કરોડો લોકોએ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'માં ભાગ લીધો. તમને યાદ છે, આજથી દસ વર્ષ પહેલા તેની શરૂઆત થઈ હતી. હવે દસ વર્ષમાં આ સિલસિલો દર વર્ષે વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. આ એનો પણ સંકેત આપે છે કે વધુને વધુ લોકો તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવી રહ્યા છે. આ વખતે આપણે 'યોગ દિવસ'ની ઘણી આકર્ષક તસવીરો જોઈ છે. વિશાખાપટ્ટનમના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ એક સાથે યોગ કર્યા. વિશાખાપટ્ટનમથી જ એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું, બે હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ સુધી 108 સૂર્ય નમસ્કાર કર્યા. વિચારો કે કેટલી શિસ્ત અને સમર્પણ રહ્યું હશે. આપણા નૌકાદળના જહાજો પર પણ, યોગની ભવ્ય ઝલક જોવા મળી. તેલંગાણામાં ત્રણ હજાર દિવ્યાંગ સાથીઓએ સાથે મળીને યોગ શિબિરમાં ભાગ લીધો. તેમણે બતાવ્યું કે યોગ કેવી રીતે સશક્તિકરણનું માધ્યમ પણ છે.

પ્રધાનમંત્રીએ યોગ ચળવળને મજબૂત બનાવવામાં આંધ્રપ્રદેશની યોગઆંધ્ર પહેલની પ્રશંસા કરી

June 22nd, 02:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના લોકોની યોગને તેમના રોજિંદા જીવનમાં સામેલ કરવાની પ્રેરણાદાયક પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી, જેનાથી આરોગ્ય અને તંદુરસ્તી માટેની રાષ્ટ્રવ્યાપી ચળવળને વધુ વેગ મળ્યો.

વિશાખાપટ્ટનમમાં યોગ દિવસની ઉજવણીના ચિત્રો

June 21st, 09:46 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના અ વિશાખાપટ્ટનમમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે અનેક યોગ સાધકો સાથે મળીને વિવિધ યોગાસનો કર્યા. વડાપ્રધાન કહ્યું યોગે બધાને એક કર્યા છ યોગ દરેક માટે છે, સીમાઓથી આગળ, પૃષ્ઠભૂમિથી આગળ, ઉંમર કે ક્ષમતાથી આગળ છે.