કેબિનેટે ભારતના સર્વોચ્ચ ન્યાયાલય (સુપ્રીમ કોર્ટ) ના ન્યાયાધીશોની સંખ્યા 33 થી વધારીને 37 કરવાની મંજૂરી આપી

May 05th, 07:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા વર્તમાન 33 થી 4 વધારીને 37 (ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય) કરવા માટે 'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) એક્ટ, 1956' માં સુધારો કરવા માટે સંસદમાં 'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) અમેન્ડમેન્ટ બિલ, 2026' રજૂ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.