The trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave
June 10th, 06:33 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat
June 10th, 06:30 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.ભારત ગણરાજ્ય અને વિયેતનામ સમાજવાદી ગણરાજ્ય વચ્ચે ઉન્નત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંગે સંયુક્ત નિવેદન
May 06th, 05:24 pm
ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી અને વિયેતનામ સમાજવાદી ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી તો લમે 05 મે થી 07 મે 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. જનરલ સેક્રેટરી, રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી તો લમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અને એક મજબૂત બિઝનેસ પ્રતિનિધિમંડળ પણ આવ્યું હતું.ઉત્તર પ્રદેશમાં નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 28th, 12:15 pm
શું ઉદ્ઘાટન થઈ ગયું? ઉદ્ઘાટન થઈ ગયું? ના, તે ફક્ત અડધું થયું છે. મેં ફક્ત પડદો હટાવ્યો છે, પરંતુ આજે હું ઇચ્છું છું કે તમે બધા અહીં હાજર રહો અને આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરો. તો, તમારા મોબાઇલ ફોન કાઢો, તમારા મોબાઇલ ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરો અને તમે તેનું ઉદ્ઘાટન કરી રહ્યા છો. દીવો પ્રગટાવીને, અહીં હાજર દરેક વ્યક્તિ આજે આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરી રહ્યો છે. આ તમારો વિશ્વાસ છે, આ તમારું ભવિષ્ય છે, આ તમારો પ્રયાસ છે, અને તેથી તેનું ઉદ્ઘાટન પણ તમારા હાથ દ્વારા થઈ રહ્યું છે. ભારત માતાની જય બોલો, તમારા હાથ ઊંચા કરો, અને તમારી ફ્લેશલાઇટ સંપૂર્ણ રીતે બતાવો. ભારત માતાની જય. ભારત માતાની જય. ભારત માતાની જય. ખૂબ ખૂબ આભાર. હવે ઉદ્ઘાટન થઈ ગયું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આશરે ₹11,200 કરોડના રોકાણ સાથે વિકસિત નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું
March 28th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પોતાના ગર્વ અને ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે વિકસિત ઉત્તર પ્રદેશ, વિકસિત ભારત અભિયાનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. તેમણે નોંધ્યું કે ભારતનું સૌથી મોટું રાજ્ય હવે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિમાનમથકો ધરાવતા રાજ્યોમાંનું એક બની ગયું છે. પ્રધાનમંત્રી મોદીએ બેવડી ખુશી વ્યક્ત કરી - પ્રથમ કારણ કે તેમણે આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો અને હવે તેનું ઉદ્ઘાટન કરી રહ્યા છે; અને બીજું કારણ કે આ ભવ્ય એરપોર્ટ ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલું છે. શ્રી મોદીએ કહ્યું, આ એ જ રાજ્ય છે જેણે મને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યો અને મને સંસદ સભ્ય બનાવ્યો અને હવે તેની ઓળખ આ ભવ્ય એરપોર્ટ સાથે જોડાયેલી છે.કેબિનેટે કુલ રૂ. 28,840 કરોડના ખર્ચ સાથે પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના – મોડિફાઈડ UDAN ને મંજૂરી આપી
March 25th, 04:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ભારત સરકારના અંદાજપત્રીય સહયોગ સાથે કુલ રૂ. 28,840 કરોડના ખર્ચ સાથે નાણાકીય વર્ષ 2026-27 થી નાણાકીય વર્ષ 2035-36 સુધીના દસ વર્ષના ગાળા માટે પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના – મોડિફાઈડ UDAN ના લોન્ચિંગ અને અમલીકરણને મંજૂરી આપી છે.સંત ગુરુ રવિદાસજીની 649મી જન્મજયંતીના પ્રસંગે, પ્રધાનમંત્રી 1લી ફેબ્રુઆરીએ પંજાબની મુલાકાત લેશે
January 31st, 10:48 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1લી ફેબ્રુઆરી, 2026ના રોજ પંજાબની મુલાકાત લેશે. બપોરે લગભગ 3:45 વાગ્યે, પ્રધાનમંત્રી આદમપુર એરપોર્ટની મુલાકાત લેશે જ્યાં તેઓ એરપોર્ટના નવા નામ 'શ્રી ગુરુ રવિદાસ મહારાજ જી એરપોર્ટ, આદમપુર'નું અનાવરણ કરશે. તેઓ પંજાબના લુધિયાણામાં હલવારા એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરશે.હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 28th, 06:00 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, રામ મોહન નાયડુજી, મુરલીધર મોહોલજી, વિશ્વભરમાંથી આવેલા માનનીય મંત્રીઓ (Honourable Ministers), ગ્લોબલ એવિએશન ઈન્ડસ્ટ્રીના લીડર્સ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન્સના રિપ્રેઝન્ટેટિવ્સ, પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ (Distinguished Delegates), દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને સંબોધિત કર્યો
January 28th, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેલંગાણાના હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ઉદ્યોગ જગતના નેતાઓ, નિષ્ણાતો અને રોકાણકારોનું સ્વાગત કર્યું હતું અને નોંધ્યું હતું કે ઉડ્ડયન ઉદ્યોગનો આગામી યુગ આકાંક્ષાઓથી ભરેલો છે અને ભારત એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે. તેમણે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ, પાયલોટ ટ્રેનિંગ, એડવાન્સ્ડ એર મોબિલિટી અને એરક્રાફ્ટ લીઝિંગમાં ભારત જે વિશાળ તકો રજૂ કરે છે તેના પર પ્રકાશ પાડ્યો અને તમામ હિતધારકો માટે વિંગ્સ ઈન્ડિયા સમિટના મહત્વ પર ભાર મૂક્યો હતો.