LDF and UDF have deprived Keralam of its youth power: PM Modi in Ernakulam

March 11th, 03:00 pm

Amid a massive gathering in Ernakulam today, Prime Minister Narendra Modi said the enthusiasm and confidence of the people reflected a strong aspiration for Keralam’s development and a new political direction in the state. He emphasised that the aspirations of the people clearly indicate a desire for faster growth and new opportunities.

PM Modi addresses a mega public meeting in Ernakulam, Keralam

March 11th, 02:20 pm

Amid a massive gathering in Ernakulam today, Prime Minister Narendra Modi said the enthusiasm and confidence of the people reflected a strong aspiration for Keralam’s development and a new political direction in the state. He emphasised that the aspirations of the people clearly indicate a desire for faster growth and new opportunities.

નવી મુંબઈમાં શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી સમાગમ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 01st, 06:28 pm

આ ઐતિહાસિક અને પવિત્ર આયોજનનો હિસ્સો બની શકવું મારા માટે સૌભાગ્યની વાત છે.

PM Modi addresses 350th Shaheedi Samagam of Sri Guru Teg Bahadur Ji; highlights initiatives for the Sikh community and social unity

March 01st, 06:00 pm

PM Modi addressed the 350th Martyrdom Year (Shaheedi Samagam) of ‘Hind di Chadar’ Sri Guru Teg Bahadur Sahib Ji. Paying his respects, the PM stated that today we all remember the great Guru on this significant anniversary and expressed that it is a matter of great fortune to be part of such a historic and sacred event.

પ્રધાનમંત્રી 25 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025માં ભાગ લેશે.

September 24th, 06:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરના રોજ લગભગ 6:15 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 માં ભાગ લેશે. તેઓ સભાને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનમાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

September 01st, 02:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

April 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.

દિલ્હીમાં 'જહાં-એ-ખુસરો 2025' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

February 28th, 07:31 pm

આજે જહાં-એ-ખુસરો આવ્યા પછી મન ખુશ થવું ખૂબ જ સ્વાભાવિક છે. હઝરત અમીર ખુસરોને જેઓ વસંતના દીવાના હતા, તે વસંત આજે અહીં દિલ્હીની ઋતુમાં જ નહીં, પણ ખુસરોની જહાં-એ-ખુસરોની આ આબોહવામાં પણ જોવા મળે છે. હઝરત ખુસરોના શબ્દોમાં કહીએ તો -

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરો 2025માં ભાગ લીધો

February 28th, 07:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે સૂફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરો 2025માં સહભાગી થયા હતા.

કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 23rd, 09:24 pm

માત્ર ત્રણ-ચાર દિવસ પહેલા, હું ભારત સરકારમાં મારા સાથીદાર જ્યોર્જ કુરિયન જીને ત્યાં ક્રિસમસની ઉજવણીમાં ગયો હતો. હવે આજે તમારી વચ્ચે હાજર રહીને આનંદ થાય છે. કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા- CBCIની આ ઈવેન્ટ એ તમારા બધાને નાતાલની ખુશીમાં જોડાવાની તક છે, આ દિવસ આપણા બધા માટે યાદગાર બનવાનો છે. આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષે CBCI તેની સ્થાપનાના 80 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ અવસર પર હું CBCI અને તેની સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં ભાગ લીધો

December 23rd, 09:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સીબીસીઆઈ સેન્ટર પરિસરમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા (સીબીસીઆઈ) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં સહભાગી થયા હતા. ભારતમાં કેથોલિક ચર્ચના મુખ્યાલયમાં આ પ્રકારના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પહેલી વખત હાજરી આપી છે. પ્રધાનમંત્રીએ ખ્રિસ્તી સમુદાયનાં મુખ્ય નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી, જેમાં કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચનાં અગ્રણી નેતાઓ સામેલ છે.

The BJP government has diligently tackled the issues faced by sugarcane farmers: PM Modi in Pilibhit

April 09th, 11:00 am

Prime Minister Narendra Modi showered his love and admiration upon the crowd of Pilibhit, Uttar Pradesh. The crowd gathered to celebrate PM Modi’s arrival to the city. PM Modi graced the event and discussed his vision of Uttar Pradesh with the audience. “Amid the various difficulties being faced by the world now, India is showing that there is nothing impossible for it to achieve,” said the PM.

PM Modi in his high spirits addresses a public meeting in Pilibhit, Uttar Pradesh

April 09th, 10:42 am

Prime Minister Narendra Modi showered his love and admiration upon the crowd of Pilibhit, Uttar Pradesh. The crowd gathered to celebrate PM Modi’s arrival to the city. PM Modi graced the event and discussed his vision of Uttar Pradesh with the audience. “Amid the various difficulties being faced by the world now, India is showing that there is nothing impossible for it to achieve,” said the PM.

પ્રધાનમંત્રીએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ બે મેચ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા

October 11th, 11:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ બે મેચ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીના એથેન્સ, ગ્રીસમાં ભારતીય સમુદાયને સંબોધનનો મૂળપાઠ

August 25th, 09:30 pm

જ્યારે ઉજવણીનો માહોલ હોય છે, ઉજવણીનો માહોલ હોય છે, ત્યારે મને લાગે છે કે મારા પરિવારના સભ્યોમાં જલદી પહોંચું, હું પણ મારા પરિવારના સભ્યો વચ્ચે આવી ગયો છું. શ્રાવણ મહિનો એક રીતે ભગવાન શિવનો મહિનો છે અને આ પવિત્ર મહિનામાં દેશે ફરી એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ચંદ્રના ડાર્ક ઝોનમાં દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્ર પર ત્રિરંગો લહેરાવીને ભારતે સમગ્ર વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. વિશ્વભરમાંથી અભિનંદન સંદેશાઓ આવી રહ્યા છે, લોકો તેમની શુભેચ્છાઓ મોકલી રહ્યા છે અને મને ખાતરી છે કે લોકો તમને પણ અભિનંદન આપતા જ ​​હશે, ખરું ને? તમને પણ ખૂબ અભિનંદન મળી રહ્યા છે ને? દરેક ભારતીય તે મેળવી રહ્યો છે. સમગ્ર સોશિયલ મીડિયા અભિનંદન સંદેશાઓથી ભરાઈ ગયું છે. જ્યારે સફળતા આટલી મોટી હોય છે ત્યારે સફળતા સાથે જોડાયેલી ઉત્તેજના પણ સતત રહે છે. તમારા ચહેરા એ પણ કહી રહ્યા છે કે તમે દુનિયામાં ગમે ત્યાં હોવ, ભારત તમારા હૃદયમાં ધબકે છે. ભારત તમારા હૃદયમાં ધબકે છે, ભારત તમારા હૃદયમાં ધબકે છે, ભારત તમારા હૃદયમાં ધબકે છે. આજે, હું ચંદ્રયાન અને તેની ભવ્ય સફળતા માટે ફરી એકવાર બધાને અભિનંદન આપવા ગ્રીસમાં તમારી વચ્ચે છું.

એથેન્સમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીની વાતચીત

August 25th, 09:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 ઓગસ્ટ 2023ના રોજ એથેન્સમાં એથેન્સ કન્ઝર્વેટોર ખાતે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.

PM Modi interacts with the Indian community in Paris

July 13th, 11:05 pm

PM Modi interacted with the Indian diaspora in France. He highlighted the multi-faceted linkages between India and France. He appreciated the role of Indian community in bolstering the ties between both the countries.The PM also mentioned the strides being made by India in different domains and invited the diaspora members to explore opportunities of investing in India.

23મા SCO સંમેલનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી

July 04th, 12:30 pm

આજે, 23મા SCO સંમેલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા બે દાયકામાં, SCO સમગ્ર એશિયાઇ ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી આવ્યું છે. ભારત અને આ ક્ષેત્ર વચ્ચે હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક અને લોકોથી લોકો વચ્ચેના સંબંધો આપણા સહિયારા વારસાનો જીવંત પુરાવો છે. અમે આ ક્ષેત્રને વિસ્તૃત પડોશી તરીકે નથી જોતા, પરંતુ વિસ્તૃત પરિવાર તરીકે જોઇએ છીએ.

ITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરના ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

March 22nd, 03:34 pm

આજનો દિવસ ખૂબ જ ખાસ છે, ખૂબ જ પવિત્ર છે. 'હિન્દુ કેલેન્ડર'નું નવું વર્ષ આજથી શરૂ થયું છે. હું તમને અને તમામ દેશવાસીઓને વિક્રમ સંવત 2080ની શુભેચ્છા પાઠવું છું. આપણા વિશાળ, વૈવિધ્યસભર દેશમાં સદીઓથી વિવિધ કેલેન્ડર પ્રચલિત છે. કોલ્લમ કાળનું મલયાલમ કેલેન્ડર છે, તમિલ કેલેન્ડર છે, જે સેંકડો વર્ષોથી ભારતને તારીખનું જ્ઞાન આપી રહ્યું છે. વિક્રમ સંવત પણ 2080 વર્ષ પહેલાથી ચાલી રહ્યું છે. વર્ષ 2023 હાલમાં ગ્રેગોરિયન કેલેન્ડરમાં ચાલી રહ્યું છે, પરંતુ વિક્રમ સંવત તેના કરતાં 57 વર્ષ વહેલું છે. મને ખુશી છે કે નવા વર્ષના પ્રથમ દિવસે, ભારતમાં ટેલિકોમ, આઈસીટી અને સંબંધિત નવીનતાઓને લઈને એક મોટી શરૂઆત કરવામાં આવી રહી છે. આજે, ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU)ની એરિયા ઑફિસ અને માત્ર એરિયા ઑફિસ જ નહીં, એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરની અહીં સ્થાપના કરવામાં આવી છે. આ સાથે આજે 6G ટેસ્ટ-બેડ પણ લોન્ચ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજી સંબંધિત અમારા વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કરવામાં આવ્યું છે. ડિજિટલ ઈન્ડિયાને નવી ઉર્જા આપવાની સાથે, તે દક્ષિણ એશિયા માટે, ગ્લોબલ સાઉથ માટે નવા ઉકેલો, નવી નવીનતાઓ પણ લાવશે. આ ખાસ કરીને અમારા એકેડેમિયા, અમારા ઇનોવેટર્સ-સ્ટાર્ટ અપ, અમારા ઉદ્યોગ માટે ઘણી નવી તકો ઊભી કરશે.

પ્રધાનમંત્રીએ ITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

March 22nd, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં ભારતમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) એરિયા ઓફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ ભારત 6G વિઝન ડોક્યુમેન્ટનું પણ અનાવરણ કર્યું અને 6G R&D ટેસ્ટ બેડ લોન્ચ કર્યું. તેમણે 'Call Before u Dig' એપ પણ લોન્ચ કરી. ITU એ સંયુક્ત રાષ્ટ્રની માહિતી અને સંચાર તકનીકો (ICTs) માટેની વિશિષ્ટ એજન્સી છે. ભારતે એરિયા ઓફિસની સ્થાપના માટે ITU સાથે માર્ચ 2022માં યજમાન દેશ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તે ભારત, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ, અફઘાનિસ્તાન અને ઈરાનને સેવા આપશે, રાષ્ટ્રો વચ્ચે સંકલન વધારશે અને આ ક્ષેત્રમાં પરસ્પર ફાયદાકારક આર્થિક સહયોગને પ્રોત્સાહન આપશે.