કેન્દ્રીય મંત્રીમંડળે સિન્ટર્ડ રેર અર્થ પર્મનન્ટ મેગ્નેટ (REPM) ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રૂ. 7,280 કરોડની યોજનાને મંજૂરી આપી
November 26th, 04:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે રૂ. 7,280 કરોડના નાણાકીય ખર્ચ સાથે 'સિન્ટર્ડ રેર અર્થ પર્મનન્ટ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેની યોજના' ને મંજૂરી આપી છે. આ પોતાની પ્રકારની પ્રથમ પહેલનો ઉદ્દેશ ભારતમાં 6,000 મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MTPA)ની સંકલિત (integrated) રેર અર્થ પર્મનન્ટ મેગ્નેટ (REPM) ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવાનો છે, જેનાથી આત્મનિર્ભરતા વધશે અને ભારતને વૈશ્વિક REPM બજારમાં એક મુખ્ય ખેલાડી તરીકે સ્થાન મળશે.હૈદરાબાદમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 26th, 10:10 am
મારી પાસે સમય મર્યાદિત છે, કારણ કે મારે સંસદમાં હાજરી આપવાની છે અને રાષ્ટ્રપતિનો એક કાર્યક્રમ છે, તેથી હું લાંબી વાત કરીશ નહીં, પરંતુ કેટલીક ખાસ વાત કરી હું મારી વાત પુરી કરીશ. આજથી, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર આગળ વધવાનું છે. આ નવી સફ્રાન સુવિધા ભારતને વૈશ્વિક MRO હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. આ MRO સુવિધા હાઇ-ટેક એરોસ્પેસ વિશ્વમાં યુવાનો માટે નવી તકો પણ ઊભી કરશે. હું આપ સૌ, અને હમણાં 24 નવેમ્બરના રોજ સફ્રાન બોર્ડ અને મેનેજમેન્ટને મળ્યો હતો. હું તેમને પહેલા પણ મળ્યો છું, અને દરેક ચર્ચામાં, મેં ભારત પ્રત્યેનો તેમનો આત્મવિશ્વાસ અને આશાવાદ જોયો છે. મને આશા છે કે ભારતમાં સફ્રાનનું રોકાણ પણ આજ ગતિએ ચાલુ રહેશે. આજે, હું ટીમ સફ્રાનને આ સુવિધા માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા (SAESI) સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું
November 26th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર GMR એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્ક - SEZમાં સ્થિત Safran Aircraft Engine Services India (SAESI) સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું, આજથી, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર એક નવી છલાંગ લગાવી રહ્યું છે. સફ્રાનની નવી સુવિધા ભારતને વૈશ્વિક જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આ MRO સુવિધા હાઇ-ટેક એરોસ્પેસ ક્ષેત્રમાં યુવાનો માટે નવી તકો પણ ઉભી કરશે. તેમણે યાદ કર્યું કે તેઓ 24 નવેમ્બરના રોજ સફ્રાન બોર્ડ અને મેનેજમેન્ટને મળ્યા હતા અને કહ્યું કે અગાઉની દરેક વાતચીતમાં, તેમણે ભારત પ્રત્યે તેમનો વિશ્વાસ અને આશાવાદ જોયો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતમાં સફ્રાનનું રોકાણ આ ગતિએ ચાલુ રહેશે. શુભેચ્છાઓ પાઠવતા, પ્રધાનમંત્રીએ ટીમ સફ્રાન ને આ નવી સુવિધા માટે અભિનંદન આપ્યા.પ્રધાનમંત્રી 30 માર્ચે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે
March 28th, 02:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 માર્ચનાં રોજ મહારાષ્ટ્ર અને છત્તિસગઢની મુલાકાત લેશે. તેઓ નાગપુર જશે અને સવારે 9 વાગ્યાની આસપાસ તેઓ સ્મૃતિ મંદિરમાં દર્શન કરશે અને ત્યારબાદ દીક્ષાભૂમિની મુલાકાત લેશે.ભારતનાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ફ્રાંસની મુલાકાત પર ભારત-ફ્રાંસનું સંયુક્ત નિવેદન
February 12th, 03:22 pm
પ્રજાસત્તાક ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોનનાં આમંત્રણ પર ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10-12 ફેબ્રુઆરી, 2025નાં રોજ ફ્રાન્સની મુલાકાત લીધી હતી. 10 અને 11 ફેબ્રુઆરી, 2025ના રોજ ફ્રાન્સ અને ભારતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી, જેમાં રાષ્ટ્ર અને સરકારોના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નેતાઓ, નાના અને મોટા ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, બિન-સરકારી સંસ્થાઓ, કલાકારો અને નાગરિક સમાજના સભ્યોને એકત્ર કરવામાં આવ્યા હતા, જેથી બ્લેટ્ચલી પાર્ક (નવેમ્બર 2023) અને સિઓલ (મે 2024) સમિટ દરમિયાન પ્રાપ્ત થયેલા મહત્વપૂર્ણ સીમાચિહ્નો પર નિર્માણ કરી શકાય. તેમણે વૈશ્વિક સ્તરે એઆઈ ક્ષેત્ર જાહેર હિતમાં લાભદાયક સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પરિણામો લાવી શકે એ સુનિશ્ચિત કરવા નક્કર પગલાં લેવાની તેમની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ફ્રાંસના એઆઈ એક્શન સમિટના સફળ આયોજન પર રાષ્ટ્રપતિ મેક્રોનને અભિનંદન પાઠવ્યા હતા. ફ્રાન્સે આગામી એઆઈ સમિટના ભારતના આયોજનને આવકાર્યું હતું.પ્રધાનમંત્રીએ 14માં ભારત-ફ્રાંસ સીઇઓ ફોરમને સંબોધન કર્યું
February 12th, 12:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને આજે પેરિસમાં 14માં ભારત – ફ્રાન્સ સીઇઓ ફોરમને સંયુક્તપણે સંબોધન કર્યું હતું. આ ફોરમ બંને પક્ષોની કંપનીઓના વિવિધ જૂથોના સીઇઓને એકમંચ પર લાવ્યું હતું, જેમાં સંરક્ષણ, એરોસ્પેસ, મહત્ત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક ઉત્પાદન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, લાઇફ-સાયન્સિસ, વેલનેસ અને લાઇફસ્ટાઇલ તથા ફૂડ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે વાત કરી
July 20th, 02:37 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ ક્રિસ્ટોફર લક્સન સાથે ફોન પર વાત કરી.PM Modi attends News18 Rising Bharat Summit
March 20th, 08:00 pm
Prime Minister Narendra Modi attended and addressed News 18 Rising Bharat Summit. At this time, the heat of the election is at its peak. The dates have been announced. Many people have expressed their opinions in this summit of yours. The atmosphere is set for debate. And this is the beauty of democracy. Election campaigning is in full swing in the country. The government is keeping a report card for its 10-year performance. We are charting the roadmap for the next 25 years. And planning the first 100 days of our third term, said PM Modi.કેરળમાં પ્રધાનમંત્રીએ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર ખાતે વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
February 27th, 12:24 pm
કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી શ્રી પિનરાઇ વિજયનજી, રાજ્ય મંત્રી, મારા સાથી શ્રી વી. મુરલીધરનજી, ઇસરો પરિવારના તમામ સભ્યો, નમસ્કાર!પ્રધાનમંત્રીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ની મુલાકાત લીધી
February 27th, 12:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ની મુલાકાત લીધી હતી અને આશરે રૂ. 1800 કરોડનાં મૂલ્યનાં ત્રણ મહત્ત્વપૂર્ણ અંતરિક્ષ માળખાગત પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેની એસ.એલ.વી. ઇન્ટિગ્રેશન ફેસિલિટી (પીઆઈએફ) સામેલ છે. મહેન્દ્રગિરી ખાતે ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ ખાતે નવી 'સેમી-ક્રાયોજેનિક્સ ઇન્ટિગ્રેટેડ એન્જિન એન્ડ સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી'; અને વી.એસ.એસ.સી., તિરુવનંતપુરમ ખાતે 'ટ્રાયસોનિક વિન્ડ ટનલ'. શ્રી મોદીએ ગગનયાન મિશનની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી અને ચાર અવકાશયાત્રીઓને 'અવકાશયાત્રી પાંખો' એનાયત કરી હતી. અવકાશયાત્રીઓમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજિત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે.ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી
February 14th, 04:31 pm
સૌપ્ર થમ હું આ સીમાચિહ્નરૂપ સમજૂતી માટે એર ઇન્ડિયા અને એરબસને અભિનંદન આપું છું. હું આ કાર્યક્રમમાં જોડાવા બદલ ખાસ કરીને મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર માનું છું.પીએમ નરેન્દ્ર મોદીએ નવી એર ઈન્ડિયા-એરબસ પાર્ટનરશિપની શરૂઆત પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વીડિયો કૉલમાં ભાગ લીધો
February 14th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ નરેન્દ્ર મોદીએ નવી એર ઈન્ડિયા-એરબસ પાર્ટનરશિપની શરૂઆત પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઈમેન્યુઅલ મેક્રોન, શ્રી રતન ટાટા, ચેરમેન એમેરિટસ, ટાટા સન્સ, શ્રી એન. ચંદ્રશેખરન, બોર્ડના અધ્યક્ષ, ટાટા સન્સ, શ્રી કેમ્પબેલ વિલ્સન, સીઇઓ, એર ઇન્ડિયા અને શ્રી ગુઇલોમ ફૌરી, સીઇઓ, એરબસના લોન્ચ પ્રસંગે વીડિયો કૉલમાં ભાગ લીધો.કર્ણાટકના તુમકુરુ ખાતે ‘તુમકુરુ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ’ના શિલાન્યાસ અને HAL હેલિકોપ્ટર ફેક્ટરીના રાષ્ટ્રને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
February 06th, 04:20 pm
કર્ણાટક સંતો તથા ઋષિમૂનિઓ-મનીષીઓની ભૂમિ છે. આધ્યાત્મ, જ્ઞાન-વિજ્ઞાનની મહાન ભારતીય પરંપરાને કર્ણાટકે હંમેશાં સશક્ત કરી છે. તેમાંય તુમકુરુનું વિશેષ સ્થાન છે. સિદ્ધગંગા મઠની તેમાં ઘણી મોટી ભૂમિકા છે. પૂજ્ય શિવકુમાર સ્વામી જીએ ‘ત્રિવિધ દસોહી’ એટલે ‘અન્ના’ ‘અક્ષરા’ અને ‘આસરે’નો જે વારસો મૂક્યો છે તેને આજે શ્રી સિદ્ધલિંગા મહાસ્વામીજી આગળ ધપાવી રહ્યા છે. હું પૂજ્ય સંતોને નમન કરું છું. ગુબ્બી સ્થિત શ્રી ચિદમ્બરા આશ્રમ તથા ભગવાન ચનબસવેશ્વરને પણ હું પ્રણામ કરું છું.પ્રધાનમંત્રીએ તુમાકુરુમાં HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું
February 06th, 04:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તુમાકુરુમાં HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. તેમણે તુમાકુરુમાં તુમાકુરુ ઔદ્યોગિક ટાઉનશિપ તેમજ તિપ્તુર અને ચિક્કનાયકનાહલ્લી ખાતે બે જલ જીવન મિશન પરિયોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ હેલિકોપ્ટર ફેક્ટરી અને સ્ટ્રક્ચર હેંગરમાં લટાર મારી હતી અને લાઇટ યુટિલિટી હેલિકોપ્ટરનું અનાવરણ કર્યું હતું.Vision of self-reliant India embodies the spirit of global good: PM Modi in Indonesia
November 15th, 04:01 pm
PM Modi interacted with members of Indian diaspora and Friends of India in Bali, Indonesia. He highlighted the close cultural and civilizational linkages between India and Indonesia. He referred to the age old tradition of Bali Jatra” to highlight the enduring cultural and trade connect between the two countries.ઇન્ડોનેશિયાના બાલીમાં ભારતીય સમુદાય અને ભારતના મિત્રો સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ
November 15th, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર 2022ના રોજ ઇન્ડોનેશિયાના બાલીમાં ભારતીય ડાયસ્પોરા અને ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડિયાના 800થી વધુ સભ્યો સાથે સંબોધન કર્યું અને વાર્તાલાપ કર્યો. સમગ્ર ઇન્ડોનેશિયામાંથી વાઇબ્રન્ટ અને વૈવિધ્યસભર ભીડ એકઠી થઇ હતી.વડોદરામાં એરક્રાફ્ટ ઉત્પાદન પ્લાન્ટના ખાતમૂહૂર્ત સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 30th, 02:47 pm
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી દેશના સંરક્ષણ મંત્રી શ્રીમાન રાજનાથ સિંહજી, શ્રીમાન જ્યોતિરાદિત્ય સિંધિયાજી, ટાટા સન્સના ચેરમેન, એરબસ ઇન્ટરનેશનલના ચીફ કમર્શિયલ ઓફિસર, ડિફેન્સ અને એવિયેશન ક્ષેત્રના ઉદ્યોગોની સાથે સંકળાયેલા તમામ સાથીઓ, દેવીઓ તથા સજ્જનો. નમસ્કાર.PM lays foundation stone of C-295 Aircraft Manufacturing Facility in Vadodara, Gujarat
October 30th, 02:43 pm
PM Modi laid the foundation stone of the C-295 Aircraft Manufacturing Facility in Vadodara, Gujarat. The Prime Minister remarked, India is moving forward with the mantra of ‘Make in India, Make for the Globe’ and now India is becoming a huge manufacturer of transport aircrafts in the world.સૌર અને અવકાશ ક્ષેત્રે ભારતના અજાયબીઓથી વિશ્વ આશ્ચર્યચકિત છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 30th, 11:30 am
ગુજરાતના અનેક હિસ્સાઓમાં છઠનું મોટા સ્તર પર આયોજન થવા લાગ્યું છે. મને તો યાદ છે કે પહેલાં ગુજરાતમાં આટલી છઠ પૂજા નહોતી થતી. પરંતુ સમયની સાથે આજે લગભગ આખા ગુજરાતમાં છઠ પૂજાના રંગ નજરે પડવા લાગ્યા છે. આ જોઈને મને પણ ખૂબ જ આનંદ થાય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે વિદેશોમાં થી પણ છઠ પૂજાની કેટલી ભવ્ય તસવીરો સામે આવે છે. એટલે કે ભારતનો સમૃદ્ધ વારસો, આપણી આસ્થા, દુનિયાના ખૂણા-ખૂણામાં પોતાની ઓળખ વધારી રહ્યાં છે. આ મહાપર્વમાં સહભાગી થનારા દરેક આસ્થાવાનને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.પ્રધાનમંત્રી શ્રી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે
October 29th, 08:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2022 સુધી ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે.